NG_242_22-6-2023 pdf NG_243_23-6-2023 pdf final
વડોદરાના અટલ બ્રિજ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને હવે ગાંધીનગર રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજમાં તિરાડો જાેવા મળતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સો સવાલ ઉભો થયો છે.
(97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અમદાવાદના સનાથલ બ્રિજ ઉપર પણ ગાબડા પડ્યા અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર ખુલ્લી આંખે દેખી શકાય તેવા ગાબડા બ્રિજ ઉપર જોવા મળે છે જે બ્રિજ ત્રણ મહિના પહેલા જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો)
(ભાજપ શાસનમાં સમગ્ર ગુજરાતની અંદર જે રીતે વિકાસ બતાવવામાં આવે છે તેમાં આ કોન્ટ્રાક્ટર રાજનેતાઓ સરકાર અને અધિકારીઓની મીલીભગતના લીધે પ્રજાને જે રીતે હાલાકી ભોગવવી પડે છે અને જે રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર જે નરી આંખે જોઈ નથી શકાતો તેઓ દેખાય છે અને જેવો હાથમાં નથી આવતા પણ કાયદાકીય રીતે છટકી જાય છે અને પ્રજાને આંખો ઉપર પાટા બંધાવાના કામ આપણા રાજનેતાઓ કરે છે જેવો તક્તિની અંદર પોતાના નામો લખીને આ બ્રિજો ખુલ્લા મુકતા હોય છે)
નોંધનીય છે કે ૫૨ કરોડના ખર્ચે ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ત્રણ દિવસ અગાઉ જ સી.એમ.મેયર,સાંસદ,ધારાસભ્યો ની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં બ્રિજના નીચેના ભાગમાં તિરાડો જાેવા મળતા ભ્રષ્ટાચારની અને ગેરરીતિ નજરે આવી રહી છે. જાેકે આ મામલે તંત્ર મૌન સેવીને બેઠું છે.બરાબર inspection વિના રક્ષાશક્તિ સર્કલ બ્રિજને ૪ દિવસ પહેલા જ લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મુકાયો હતો. તમામ નીતિ નિયમના પાલન સાથે ટેસ્ટિંગ કરીને બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હોવાના દાવા વચ્ચે બ્રિજના લોકાર્પણ થયાના ૩ દિવસમાં જ તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું છે. જેને લઈને સબંધિત અધિકારીઓમા સોંપો પડી ગયો હતો. બીજી બાજુ બ્રિજના ઉપરના માર્ગ પર પણ ડામરના થીગડા અને નબળી કામગીરી કરી ને ડામર મારવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો છે. બ્રિજમા નીચેના ભાગે મોટી તિરાડ હોવા છતાં આ મામલે માર્ગ અને મકાન વિભાગે પોતાનો લુલો બચાવ કર્યો હતો અને બ્રિજમાં કોઈ તિરાડ પડી નથી જાેઈન્ટના કારણે બ્રિજમાં તિરાડો દેખાઈ રહી હોવાના ટેક્નિકલ જવાબ આપી ખોટું રટણ કર્યું છે.કરમ ની
કઠણાઈ તો એ છે કે કરોડો રૂપિયા ખર્ચી નાખવા છતાં પણ માત્ર ત્રણ દિવસમાં જ તિરાડો પડતા પ્રજાના પૈસાનો દુર્વ્યય થતો હોવા જેવો ઘાટ સર્જાયો છે. બીજી બાજુ સંબંધીત વિભાગ પણ કસુરવારો સામે પગલાં લેવામાં શંકાસ્પદ ભૂમિકા નિભાવતો હોવા જેવી સ્થિતિ સર્જાઇ છે. શુ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે?, ૩ દિવસમાં તિરાડ કેવી રીતે પડે?ભ્રષ્ટાચારીઓને કાયદાનો ભય કેમ નથી? કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા જેવી કામગીરી થશે? તે સહિતના સવાલો લોકોના મનમાં સતાવી રહ્યા છે. મહત્વનું છે કે વડોદરા ૨૩૦ કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનિષા ચોક્ડી સુધીનો સૈાથી લાંબો ફલાઇ ઓવર બ્રિજ બનાવ્યો છે. જેને પણ ખુલ્લો મુક્યાના ચાર મહિનામાં જ તિરાડ પડવી શરૃ થતા બ્રિજ ચર્ચામાં આવ્યો હતો.
છાસવારે ભાજપ શાશન માં ગુજરાત માં અનેક બ્રિજ માં તૂટવા. પડવા ન બનાવો બન્યા..જાનહાનિ પણ થઈ છતાં કોન્ટ્રાકટર ને કાબુમાં લેવામાં સરકાર ની નિષ્ફળતા દેખાઈ રહી છે…આ રક્ષા રક્ષા શક્તિ સર્કલ ના બિતોજ ઉપર થી પસાર થતા બેન3 બાજુ ની કોર્નર સાઈડ ની સરફેસ કલીયર જોવા મળતી નથી ને કાચું કામ થયું હોય તેવું દેખાય છે..કાયમ માટે સીએમ હાઉસ થી કમલમ સુધી ની ડેમેજ કંટ્રોલ ટીમ કોન્ટ્રાકટર ne બચાવ કામગીરી માં લાગી જાય છે..
શું બહુમત માં પ્રજાને ન્યાય ના મળી શકે? શું કોઈ NGO પણ આ બાબતે પ્રજા ને ન્યાય ના અપાવી શકે?
સંપાદક : પ્રદીપ રાવલ
નોધ : અહીં કોઈપણ જાતના રાગદ્વેષ કે કોઈપણ વ્યક્તિગત કોઈને ધ્યાનમાં લઈને સમાચારો અને ફોટાઓ મૂકવામાં આવતા નથી માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રાપ્ત થયેલ સમાચારો અને ફોટાઓ અહીંયા ન્યુસ પોર્ટલ માં મૂકવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીશ્રીનું ધ્યાન દોરીને તેવા સમાચારો તંત્રી શ્રી દ્વારા ખરાઈ કરીને આ ન્યૂસ માંથી દૂર કરવામાં આવશે. તંત્રી