
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 32768;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;
પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ, તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં માર્ગદર્શન કરવા માટે મોકલવામાં આવ્યાં છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાત અને ખાસ કરીને સરહદી જિલ્લાઓના નાગરિકોની જાનમાલ સુરક્ષા તથા માલ મિલકતની સલામતી સહિત જનજીવન રાબેતા મુજબ રહે તે માટે જિલ્લાતંત્રના આયોજનોની વિસ્તૃત સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં કરી હતી.
તેમણે બનાસકાંઠા, કચ્છ, પાટણ, જામનગર જેવા સરહદી જિલ્લાઓના વહિવટી વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લાની સ્થિતીનો જાયજો મેળવ્યો હતો.
પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી જિલ્લાઓમાં કોમ્યુનિકેશન નેટવર્ક જળવાઈ રહે અને લોકોને સમયે-સમયે સૂચનાઓ યોગ્ય રીતે પહોંચી શકે તે માટે સેટેલાઇટ ફોન, વાયરલેસ સિસ્ટમ, વોકીટોકીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લા અધિકારીઓને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સરહદના ગામોમાં જરૂર જણાયે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર થઈ શકે તે માટે વિલેજ ઇવેક્યુએશન પ્લાન વધુ સંગીન બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે સેફર પ્લેસ પણ તાત્કાલિક પહોંચી શકાય તેવા સ્થળોએ ઉભા કરવા અને સ્થળાંતર માટે પુરતાં વાહનોનો પ્રબંધ કરવા પણ દિશા નિર્દેશો આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે
પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો કોઇ વિકટ સ્થિતિ સમયે માર્ગોને નુકશાન થાય તો વાહન-વ્યવહારને અસર ન પહોંચે અને અસરગ્રસ્ત માર્ગો ત્વરાએ મોટરેબલ થઈ શકે તે માટે સરહદી જિલ્લાઓ સહિત રાજ્યમાં માર્ગમકાન વિભાગની ટીમોને અદ્યતન સાધન-સામગ્રી અને પુરતા મેનપાવર સાથે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સરકારના સંબંધિત અન્ય વિભાગોના વરિષ્ઠ સચિવો પાસેથી તેમના વિભાગોની હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.
તદઅનુસાર, અન્ન અને નાગરિક પુરવઠા અગ્રસચિવશ્રી આર.સી.મીનાએ ૩૮ જેટલી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે તે માટે વિભાગ દ્વારા સતત નિગરાની રાખવામાં આવે છે તેની માહિતી આપી હતી.
તેમણે ઘઉં, ચોખા, દાળ, ડુંગળી-બટાકા જેવી રોજ-બ-રોજની ચીજ વસ્તુઓનો પુરતો પુરવઠો રાજ્યમાં છે એમ જણાવી આ જથ્થાનો રોજ-બ-રોજનો સ્ટોક જિલ્લા તંત્ર દ્વારા અપડેટ કરવામાં આવે છે તેની વિગતો આપી હતી. પેટ્રોલ ડિઝલની પણ કોઈ તંગી ઉભી ન થાય તે માટે પેટ્રોલ કંપનીઓ સાથે સંકલન કરવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય અગ્રસચિવશ્રી ધનંજય દ્વિવેદીએ રાજ્યના આરોગ્ય વિભાગની સજ્જતાની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લાઓમાં અન્ય જિલ્લાઓના મેડીકલ સ્ટાફ, તબીબો પહોંચાડયાં છે એટલું જ નહિ, ભૂજ, જામનગર, પાટણ, બનાસકાંઠામાં વધારાની એમ્બ્યુલન્સ ફાળવી છે. લોહીની જરૂરીયાતના સમયે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવા હેતુથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવી રહ્યાં છે.
મુખ્યસચિવશ્રી પંકજ જોષીએ રાજ્યના બધાં જ જિલ્લાના કલેક્ટરોને સતત સતર્ક રહીને રાજય સરકારના કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહેવા સૂચનાઓ આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ શ્રી એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, મહેસૂલ, સામાન્ય વહિવટ વિભાગ તથા ઉર્જા અને શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીઓ તથા BSF અને આર્મીના અધિકારીઓ તેમજ મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, રાહત કમિશ્નરશ્રી આલોક પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
***
*સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી ૨૪ મે ૨૦૨૫ સુધી ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ*
_______
*લોકોમાં કોઈપણ પ્રકારનો ભય ન ફેલાય તથા જાહેર- વ્યવસ્થા ન ખોરવાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું*
_______
(માહિતી બ્યુરો,પાલનપુર)
સમાચાર સંખ્યા:- ૩૫/૨૮૯
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં લોકોમાં કોઈપણ પ્રકારનો ભય ન ફેલાય અને કોઈપણ પ્રકારની જાહેર-વ્યવસ્થા ન ખોરવાય તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ (આઈ.એ.એસ.) દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર તેમજ તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ
આ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં આગામી તારીખ ૨૪.૦૫.૨૦૨૫ સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામા અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
******************
[4/8, 7:17 PM] +91 99784 01911: *આદ્યશક્તિ ધામ અંબાજી બન્યું દેશની યુવા નારીશક્તિના ખેલ-કૌવત પ્રદર્શનનું ધામ*
———–
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.*
———–
*દેશના 28 રાજ્યોની 550થી વધુ બહેનો સ્પર્ધાઓમાં સહભાગી થશે – રૂ. 41.50 લાખના ઈનામો અપાશે*
———–
*આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનું આયોજન વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં નવા યુગના નવા ભારતની તસ્વીર છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———–
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આવી સક્રિય સ્પર્ધાનું આયોજન એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વીઝનરી લીડરશીપમાં નવા યુગના નવા ભારતની તસવીર છે.
આ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન રમતગમત અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે.
આ ત્રિ-દિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 550થી વધુ યુવા નારી તિરંદાજો ત્રણ કેટેગરીની સ્પર્ધાઓમાં સહભાગી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 41.50 લાખ રૂપિયાના ઇનામો એનાયત કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તીર-કામઠાના કસબને ખેલ-કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશમાં નારીશક્તિના કૌશલ્યને નિખારવાના અવસરો ખેલકૂદ ક્ષેત્ર ઉપરાંત ઉદ્યોગ સાહસિકતા, સ્ટાર્ટઅપ, ઇનોવેશનમાં પણ મળ્યા છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતે પણ ખેલ મહાકુંભનું આયોજન વડાપ્રધાનશ્રીના દિશા-દર્શનમાં કરીને રાજ્યની મહિલા ખેલાડીઓ સહિત ખેલ પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખીલવાની તક આપી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ દેશને ગૌરવ અપાવનારી ગુજરાતની મહિલા ખેલ પ્રતિભાઓ સરિતા ગાયકવાડ, પેરા એથ્લિટ ભાવીના પટેલ અને આર્ચરી રમતમાં રાજ્યને દેશમાં ગૌરવ અપાવનારી ભાર્ગવી ભગોરા, મૈત્રી પઢીયારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉભરતાં ખેલાડીઓને ઉત્તરોત્તર વધતા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમ તથા અદ્યતન સાધન સુવિધાઓ રાજ્ય સરકાર આપે છે તેની પણ ભૂમિકા આપી હતી.
રાજ્યમાં 32 જિલ્લાઓમાં બિનનિવાસી સેન્ટર ઓફ એક્સેલન્સ, 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ડી.એલ.એસ.એસ.ના માધ્યમથી ઉત્કૃષ્ટ તાલીમ અપાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
200થી વધુ ખેલાડીઓ અહીં આર્ચરીની તાલીમ મેળવે છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે અને આર્ચરી સહિતની રમતોમાં રાજ્યના ખેલાડીઓ ઓલિમ્પિક્સ-2036માં ભાગ લઈ શકે તેવી આપણી નેમ છે.
પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, ચૈત્રી નવરાત્રિ બાદ શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત આર્ચરી સ્પર્ધા થકી રાજ્ય સરકાર નારીશક્તિ અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. યુવા પેઢીને ગુજરાતના મુખ્ય પ્રવાસ સ્થળો અને તીર્થ સ્થાનો તરફ આકર્ષવા તેમજ રાજ્યના સ્પોર્ટસ ટુરીઝમને વેગ આપવા માટે પોલો ફોરેસ્ટ, ધરોઈ, પાવાગઢ, અંબાજી અને ગીર વિસ્તારમાં વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ અને રીક્રીએશન એક્ટિવિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૫૧ શક્તિપીઠની પરિકલ્પનાને સાકાર કરાઈ છે.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાઓને સુદ્રઢ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ અંબાજી ખાતેથી ૨૫ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. કુલ રૂપિયા ૪૭૫.૩૦ લાખના ખર્ચે જિલ્લામાં નવીન ૨૫ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ૨૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, ૦૪ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તથા ૦૧ એમ્બ્યુલન્સને સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને સૌ નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત ખેલાડીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
2024 પેરા-ઓલિમ્પિક્સમાં દેશને ગૌરવ અપાવનાર અને અર્જૂન એવોર્ડ વિજેતા પેરા-તીરંદાજ સુશ્રી શીતલ દેવીએ વિશેષ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય સર્વેશ્રી અનિકેત ઠાકર, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ તથા શ્રી દિનેશભાઈ અનાવાડીયા, સચિવશ્રી રાજેન્દ્ર કુમાર, શ્રી સંદીપ સાંગલે, જિલ્લા કલેકટરશ્રી મિહીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
————-
[5/9, 3:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *જાપાનના ઓસાકા ખાતે 4 થી 17 મે, 2025 સુધી આયોજિત વર્લ્ડ એક્સ્પો 2025માં બનાવવામાં આવેલા ભારત પેવેલિયનમાં ગુજરાતનો દબદબો*
***
*એક્સ્પો શરૂ થયાના પાંચ દિવસ સુધી દરરોજ સરેરાશ 11,000 મુલાકાતીઓએ ભારત પેવેલિયન ખાતેના ગુજરાત ઝોનની મુલાકાત લીધી*
***
*ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસને રજૂ કરતી કલાકૃતિઓ તેમજ જાપાનીઝ ભાષામાં શ્રીમદ્ ભગવદ ગીતા ગુજરાત ઝોનમાં દર્શાવવામાં આવી*
***
*મુલાકાતીઓમાં ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળવાનું તેમજ ગુજરાતના કલાકારો સાથે ફોટા પડાવવાનું મુખ્ય આકર્ષણ*
***
*ગાંધીનગર, 9 મે, 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સતત વિકાસની આગેકૂચ કરી છે, અને વિશ્વ ફલક પર એક વિકસિત રાજ્ય તરીકે પોતાની મજબૂત છબિનું નિર્માણ કર્યું છે. ગુજરાતના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ પ્રત્યે વિશ્વભરના લોકોમાં આકર્ષણ છે અને જાપાનના ઓસાકામાં યોજાયેલા વર્લ્ડ એક્સ્પો 2025માં ગુજરાતની સંસ્કૃતિને જોવા માટે વિશ્વભરના મુલાકાતીઓ ઉમટી પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જાપાનના ઓસાકા ખાતે 4 મે થી 17 મે, 2025 દરમિયાન વર્લ્ડ એક્સ્પો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. એક ઝીણવટભરી વિચારપ્રક્રિયા તેમજ સર્જનાત્મક અને સાંસ્કૃતિ અભિગમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આ એક્સ્પોમાં વિશ્વ સમક્ષ પોતાના વેપાર, સંસ્કૃતિ અને પ્રવાસનનું પ્રતિનિધિત્વ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે, જેનું નેતૃત્વ ઇન્ડેક્સ-બી (iNDEXTb) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વર્લ્ડ એક્સ્પોમાં નિર્મિત ભારત પેવેલિયનમાં ગુજરાત ઝોનનો દબદબો જોવા મળી રહ્યો છે. 4 મેથી શરૂ થયેલ આ એક્સ્પોમાં સતત પાંચ દિવસ સુધી એટલે કે 8 મે, 2025 સુધી દરરોજ સરેરાશ 11,000 મુલાકાતીઓએ ભારત પેવેલિયન સ્થિત ગુજરાત ઝોનની મુલાકાત લીધી છે.
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અગ્ર સચિવ સુશ્રી મમતા વર્મા (IAS)એ જણાવ્યું કે, “આટલા મોટા પ્લેટફોર્મ પર અમે વિઝન 2047ની તર્જ પર આધુનિક, શહેરીકૃત અને ટેકસૅવી ગુજરાત પ્રદર્શિત કર્યું છે. અમે જાપાન અને વિશ્વભરના મુલાકાતીઓના હૃદયને સ્પર્શી જાય તેવી મોટી અસર ઉભી કરવા માટે પ્રદર્શન સાથે અમારી સંસ્કૃતિનું સંમિશ્રણ કર્યું છે.”
ઉદ્યોગ કમિશનર અને iNDEXTb ના ચેરમેન શ્રી સ્વરૂપ પી. (IAS)એ જણાવ્યું હતું કે, “મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે ટેક્નોલોજી અને સંસ્કૃતિએ વૈશ્વિક પ્રેક્ષકોમાં ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાજ્ય તરીકે ગુજરાતની આધુનિક અને પ્રગતિશીલ છબિનું નિર્માણ કર્યું છે. હું અમારા ભાગીદારો, DPIIT, ITPO અને CGI, ઓસાકાનો તેમના સહકાર બદલ ખૂબ આભાર માનું છું.”
*વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાની લાક્ષણિકતા ધરાવે છે ગુજરાત ઝોન*
ગુજરાત રાજ્યના પ્રતિનિધિત્વમાં વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટેની લાક્ષણિકતાઓ છે. ભારત પેવેલિયનમાં જે ગુજરાત ઝોન ઊભો કરવામાં આવ્યો છે, તેમાં ગુજરાત સંબંધિત વિવિધ વિશેષતાઓને રજૂ કરવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
1. ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને જાપાન સાથેના તેના સંબંધોને રજૂ કરતી કલાકૃતિઓ અને પુસ્તકો, જેમાં જાપાની ભાષામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે.
2. ગુજરાતના પ્રવાસન, સંસ્કૃતિ અને પરંપરાગત વસ્ત્ર-પરિધાનનો વાસ્તવિક અનુભવ કરાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ
3. એક QR કોડ સક્ષમ 3D મોડેલ, જે ગુજરાતના વિકાસને એક એવા રાજ્ય તરીકે પ્રદર્શિત કરે છે, જે પવન ઊર્જા, સેમિકન્ડક્ટર, સ્માર્ટ શહેરો, અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં વધુ સારા વિશ્વનું નિર્માણ તેમજ રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યું છે
4. ગુજરાતના પરંપરાગત લોકનૃત્યો અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવા માટે એક કલ્ચરલ ટ્રુપ એટલે કે સાંસ્કૃતિક મંડળ
5. ગુજરાતમાં વેપાર સમુદાયો અને પ્રવાસીઓને આમંત્રિત કરવાના હેતુથી રાજ્યના પ્રવાસન, વેપાર અને રોકાણ અંગેની ફિલ્મો
*પાંચ દિવસ સુધી દરરોજ સરેરાશ 11,000 લોકોએ લીધી ગુજરાત ઝોનની મુલાકાત*
વર્લ્ડ એક્સ્પો 2025માં ગુજરાત ઝોનનું આકર્ષણ મુલાકાતીઓમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેની પુષ્ટિ એ બાબત પરથી થાય છે કે 4 મેથી શરૂ થયેલા આ એક્સ્પોમાં સતત પાંચ દિવસ સુધી, એટલે કે 8 મે, 2025 સુધી ભારત પેવેલિયન ખાતેના ગુજરાત ઝોનની દરરોજ સરેરાશ 11,000 લોકોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતીઓમાં અન્ય પ્રદર્શનકારી દેશોના લોકો તેમજ જાપાનના સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. કેટલાક ઉચ્ચ સ્તરીય મહાનુભાવો અને લોકપ્રિય હસ્તીઓએ પણ ગુજરાત ઝોનની મુલાકાત લીધી છે અને જાપાનના મીડિયાએ ગુજરાત ઝોન અને ભારત પેવેલિયનને કવર કર્યું છે.
*ગુજરાતના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોના શૉ હાઉસફુલ, AI ફોટો બૂથ પર લોકોની લાંબી લાઇન*
મુલાકાતીઓમાં ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળવાનું તેમજ ગુજરાતના નૃત્ય કલાકારો સાથે ફોટો પડાવવા માટેનું આકર્ષણ સૌથી વધુ જોવા મળ્યું છે. ત્યારબાદના આકર્ષણોમાં AI ફોટો બૂથ અને VR પ્રવાસન આધારિત અનુભવોનો સમાવેશ થાય છે. નૃત્ય કલાકારોના તમામ શૉ અને વર્કશોપ્સ અત્યારસુધી હાઉસફુલ રહ્યા છે અને સાંજે તેમાં લોકોની ભીડ ઉમટી પડે છે.
ટેક્નોલોજીના માધ્યમથી ગુજરાતનો અનુભવ કરવા માટે VR અને AI ફોટોબૂથ પર લોકોની લાંબી લાઇનો લાગે છે. મુલાકાતીઓ QR કોડ આધારિત જાણકારીઓ દ્વારા ગુજરાતની કલાકૃતિઓ વિશે વધુ માહિતી મેળવે છે, જેનાથી તેમને તે ચીજવસ્તુઓના ઇતિહાસ અને ઉત્પત્તિ વિશે વિગતવાર જાણકારી મળે છે. આ ઉપરાંત, બાળકો અને યુવાનોમાં 3ડી મોડેલને નજીકથી જોવા માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે પ્રોફેશનલ લોકો મોડલ પર લાગેલા QR કોડનો ઉપયોગ કરીને જાણકારી મેળવી રહ્યા છે.
*X-X-X*
[5/9, 5:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રવર્તમાન પરિસ્થિતિમાં*
*લોકોને આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતર્ક*
———
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશોને પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે પૂરતાં પ્રબંધ કર્યા*
———
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાએ મળી રહે તે માટેનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે. તેની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવશ્રી આર. સી. મીનાએ જણાવ્યુ છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય સરકાર તથા દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા દરરોજ કરવામાં આવે છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરશ્રીઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા કરવામાં આવશે તેમ અગ્ર સચિવશ્રીએ જણાવ્યું છે.
છેલ્લા ૬ વર્ષમાં હાલ ખાદ્ય પદાર્થોનો છૂટક ફુગાવો (રીટેલ ઈન્ફ્લેશન) સૌથી ઓછા સ્તરે છે. એટલું જ નહિ, તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તે ઉપરાંત ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે.
આ સમગ્ર બાબતોને ધ્યાને લઇને તમામ નાગરિકો કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીતંત્ર પર વિશ્વાસ સાથે સંપૂર્ણ સહકાર આપે તેવો અનુરોધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
———-
[5/9, 5:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારના*
*બધા જ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરવામાં આવી*
——
* પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
* એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે.
* અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
——
[5/9, 6:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત:*
………….
*આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે રાજ્યની 542 એમ્બ્યુલન્સનું સંચાલન 108 એમ્બ્યુલન્સ દ્વારા કરવાનો નિર્દેશ જાહેર કરાયો*
………….
*પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલની સામાન્ય એમ્બ્યુલન્સનું સંચાલન 108 સેવા દ્વારા થશે*
………….
*આ વર્ષે નવીન 119 જેટલી 108 એમ્બ્યુલન્સ પણ ઉમેરાશે*
………….
*હવે 108 એમ્બ્યુલન્સની સેવાહેઠળ રાજ્યમાં કુલ 1499 એમ્બ્યુલન્સ આકસ્મિક પરિસ્થિતિમાં પ્રજાજનોની પડખે રહેશે*
………….
*108 સેવા દ્વારા છેલ્લા બે વર્ષમાં 28.69 લાખ લોકોને મેડીકલ સેવાઓ પુરી પાડ઼વામાં આવી*
********************
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના પ્રજાજનો માટેની આકસ્મિક મેડિકલ સેવાઓ વધું સુદ્રઢ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
આરોગ્ય મંત્રીશ્રીની સૂચનાને પગલે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રથી લઇ મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટ્લ હસ્તકની સામાન્ય એમ્બ્યુલન્સ પૈકીની 542 જેટલી એમ્બ્યુલન્સને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સંચાલન કરવાનો નિર્દેશ જાહેર કરાયો છે.
દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ(ઇન્ટર-ફેસિલીટી ટ્રાન્સફર-IFT) ખાતે રેફરલ કરવા તેમજ નજીકના ઇમરજન્સી કેસમાં મદદ કરવા માટે આ તમામ નવીન 542 એમ્બ્યુલન્સનો 108 સેવા દ્વારા સંચાલન થશે.
*જેમાં રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 118, સામુહિક આરોગ્ય કેન્દ્રની 310, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની 59, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની 31 અને મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલની 21 મળીને કુલ 542 જેટલી નવીન એમ્બ્યુલન્સ હવે 108 સેન્ટર દ્વારા કાર્યાન્વિત થશે.*
*અત્રે નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સેવા હેઠળ કુલ 800 ALS/BLS એમ્બ્યુલન્સ અને 38 આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ઓન રોડ કાર્યરત છે. આ વર્ષમાં નવીન 119 જેટલી 108 એમ્બુલન્સનો ઉમેરો થતા કુલ 957 જેટલી 108 એમ્બ્ચુલન્સ પ્રજાજનોની સેવામાં સમર્પિત થશે.*
*વધુમાં આ 542 એમ્બ્યુલન્સનું પીઠબળ પણ 108ને મળતા હવે રાજ્યમાં કુલ 1499 જેટલી એમ્બ્યુલન્સ પ્રજાજનોની સેવામાં આકસ્મિક પરિસ્થિતિમાં સેવારત થશે.*
*રાજ્યમાં 542 એમ્બ્યુલન્સને લોકોની સારવાર માટે મુકવાથી ફાયદા:*
• રાજ્યમાં 108સેવા દ્વારા છેલ્લા બે વર્ષમાં 28,69,115 જેટલા લોકોને મેડીકલ સેવાઓ પુરી પાડેલ છે. જેમાં હવે રાજ્યમાં 542 એમ્બ્યુલન્સોનો ઉમેરો થતાં કુલ 1499 એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સીને વધુ સુદ્રઢ બનાવવા કાર્યક્ષમ સાબિત થશે.
• ઇમરજન્સી કેસ આંતર-સુવિધા ટ્રાન્સફરના હાલના રોજીંદા 350 થી 400 જેટલા કેસોનું કાર્યભારણ રહે છે. હાલમાં રિસ્પોન્સ ટાઈમ રૂરલ એરીયામાં 21.04મિનીટ અને અર્બન માં 11.26 મિનીટ છે. જેમાં 542 એમ્બ્યુલન્સના કાફલો ઉમેરાતા ગુજરાત રાજ્યના હાલના સરેરાશ 16.5 મિનીટના રિસ્પોન્સ ટાઈમને ઘટાડી સરેરાશ 10.00 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ સિદ્ધ કરવાનો લક્ષ્યાંક છે.
• સ્માર્ટ રેફરલ સિસ્ટમ (SRS) થકી ઇન્ટીગ્રેશન કરી તમામ ગંભીર દર્દીઓના પરિવહન/આંતરપરિવહનનું યોગ્ય ટ્રેકિંગ થઈ શકશે અને યોગ્ય સમયે યોગ્ય દર્દીને યોગ્ય હોસ્પિટલ ખાતે પહોંચાડવાની સક્ષમ વ્યવસ્થા સુનિશ્ચિત થશે.
• 542 એમ્બ્યુલન્સોની સેવાઓ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતી જેને 108 મારફત સેવામાં મુકવાથી વાહન સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી મહત્તમ ઉપયોગ કરી શકાશે, જેનાથી સામાન્ય/ગંભીર ઈમરજન્સી તેમજ હોસ્પિટલથી અન્ય હોસ્પિટલ ખાતે દર્દીની રેફરલ સુવિધા બંને પ્રકારની જરૂરિયાતો માટે એમ્બ્યુલન્સ-વાહનો સહેલાઈથી લોકોને ઉપલબ્ધ થશે.
• 542 એમ્બ્યુલન્સોમાં પ્રિહોસ્પિટલ કેર માટે એક સમાન SOPs પ્રોટોકોલ મુજબ એકસમાન દવાઓ, વપરાશની વસ્તુઓ, તાલીમબધ્ધ કર્મચારીઓ અને મેડિકલ સાધનો સાથેની એક સમાન વ્યવસ્થા તમામ એમ્બ્યુલન્સોમાં ગંભીર દર્દીને હોસ્પિટલ ખાતેથી આંતર-સુવિધા ટ્રાન્સફર તેમજ ઘટના સ્થળેથી હોસ્પિટલ પરિવહન દરમિયાન સાતત્યપૂર્ણ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી સંભાળ સુનિશ્ચિત કરશે.
• દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં ઈમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા વધવા પામશે અને ગ્રામીણ વિસ્તારમાં પણ ઝડપથી લોકોને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થશે.
• રીયલ-ટાઇમ ડેટા અને સંયુક્ત, સંકલિત વ્યાપક કામગીરી વિશ્લેષણ ભવિષ્યના સંસાધન ફાળવણી અને સિસ્ટમ સુધારણા માટે નિર્ણય લેવામાં સક્ષમ બનાવશે. અને તમામ એમ્બ્યુલન્સોને રીઅલ-ટાઇમ લોકેશન મુવમેન્ટ મોનિટરિંગ માટે GPS ટ્રેકિંગ ઉપકરણોથી સજ્જ કરેલ હોવાથી કાર્યક્ષમતામાં સુધારો થશે.
• હાલમાં 108 સિસ્ટમનું સેન્ટ્રલાઈઝ કંટ્રોલ તથા સી.એમ ડેશબોર્ડ સાથે જોડાણ થયેલ છે જેથી ડિઝાસ્ટર કે અપેડેમિક જેવી ઘટનાઓમાં રાજ્ય કક્ષાએથી વધુ અસરકારક રીતે સંકલન સાથે અમલીકરણ કરી શકાય છે.
• રાજ્યમાં દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સ સેવાઓમાં હવેથી તમામ પ્રકારની માહિતી એક જ સંસ્થા 108 EMRI GHS પાસેથી કયા પ્રકારના દર્દીઓને રીફર કરેલ તે અંગેની જાણકારી મળી રહેશે.
*રાજયમાં હાલની 108 ઈમરજન્સી સેવાના પ્રોટોકોલ, તાલીમબધ્ધ, મેનપાવર, ઓપરેશનલ સંચાલનની કાર્યપ્રણાલી સાથે કુલ 542 એમ્બ્યુલન્સને 108 સેવા હેઠળની આ વ્યવસ્થાને ઓપરેશનલ કરવા રાજ્ય સરકારશ્રી દ્વારા વાર્ષિક 104.77 કરોડના બજેટનું આયોજન પણ કરવામાં આવેલ છે.*
…………………………
[5/9, 6:36 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી
*રાજ્યમાં આગામી ૯૬ કલાક સુધી ડ્રોન ઉડાડવા પર અને તા.૧૫-મે સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ*
……
*તંત્રને સહકાર આપવા રાજ્યના નાગરિકોને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અપીલ*
……
*સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણયનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે: શ્રી વિકાસ સહાય*
……
રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી ૯૬ કલાક સુધી રાજ્યભરમાં ડ્રોન ઉડાડવા તેમજ આગામી તા.૧૫-મે, ૨૦૨૫ સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જરૂરી નોટિફિકેશન જાહેર કરવા જિલ્લા કલેકટરશ્રીઓ અને સંબંધિત પોલીસ કમિશનરશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ નિર્ણય અનુસંધાને તંત્રને યોગ્ય સહકાર આપવા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે.
પ્રચંડ અવાજ કરતા ફટાકડાથી લોકોના મનમાં ભય અને શંકા ઉત્પન્ન થઈ શકે છે, જે હાલના સંજોગોમાં હિતાવહ નથી. આવા કૃત્યો રોકવા માટે તમામ પ્રકારના જોરદાર અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા અંગે જરૂરી નોટિફિકેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.
આ સાથે, આગામી ૯૬ કલાક (૪ દિવસ) સુધી કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા UAV/ ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણય અનુસંધાને નોટિફિકેશનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવી આ આદેશનો કડક અમલ કરાવવા તમામ મહાનગરોના પોલીસ કમિશ્નરશ્રી તેમજ જિલ્લા પોલીસ વડાશ્રીઓને સૂચના આપી છે.
….
[5/9, 7:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રવર્તમાન તંગદિલીની સ્થિતિને પગલે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી*
……………
*આરોગ્યમંત્રીશ્રીએ રાજ્યના સરહદી જિલ્લાઓમાં આરોગ્યવિષયક તમામ સેવા-સુવિધાઓની ઝીવણટભરી વિગતો મેળવીને આગોતરી વ્યવસ્થાઓ સદંર્ભે જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી*
………………
*સરહદી જિલ્લાઓ સહિત રાજ્યના તમામ જિલ્લાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલ કટોકટીની પરિસ્થિતિમાં જરૂરી તમામ સેવા-સુવિધાઓથી સજ્જ*
………………
*આરોગ્ય વિભાગના સચિવ, તમામ અધિકારીઓ સહિત તમામ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાઇને સમગ્ર સ્થિતિની વિગતવાર ચર્ચા કરી*
……………………..
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતમાં આરોગ્યસેવા અને સુવિધાઓ સંલગ્ન સતર્કતા અને સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી.
મંત્રીશ્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઇ, જમીની અને હવાઇ સીમાથી જોડાયેલ સરહદી જિલ્લાઓમાં વિશેષત: કટોકટી સમયે જરૂરી આરોગ્ય સેવા-સુવિધાઓની સમીક્ષા કરી હતી.
આ તમામ જિલ્લાઓમાં દવાના જથ્થા, બેડની , આઇ.સી.યુ.ની સુવિધાઓ, બ્લડની જરૂરિયાત સંદર્ભેની આગોતરી વ્યવસ્થાની તમામ વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી.
કટોકટિની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગની સજ્જતા અને પૂર્વતૈયારી સંદર્ભે મંત્રીશ્રીએ વિશેષ માર્ગદર્શન અને સૂચના આપીને આ તમામ કામગીરી સુનિશ્ચિત કરવા માટેના દિશાનિર્દેશ કર્યા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલ આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, કમિશ્નર શ્રી રતનકવરજી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………………………
[5/9, 11:03 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યના સરહદી વિસ્તાર ના જિલ્લાઓની પ્રવર્તમાન સ્થિતિની માહિતી મેળવી હતી.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ શ્રી પંકજ જોષી સહિત મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવશ્રી એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિ અને વરિષ્ઠ સચિવો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
અહીંયા કોઈપણ સમાચારો જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરી શકે છે