ગૌ ભક્ત પ્રધાનમંત્રી સાચા સપૂત બનીને શું ગૌ માતાને રાષ્ટ્ર ની માતા બનાવશે? “ગૌ ભક્ત કરે પુકાર રાજ્યમાતા કી ગુહાર” , ગૌ ભક્તોને ગુજરાતની હિન્દુવાદી સરકાર પાસે સંપૂર્ણ આશા કે ગોમાતાને રાજ્યમાતા બનાવશે ? હવે માત્ર રાજનીતિ નહિ, ગૌ માતા રાજ્યમાતા નીતિ- સંતો ની માંગ.(તા:૧૫/૧૦/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જૂવો.janfariyadnews You tube channel links જુવો)

NG_355 15-10-24 pdf

પ્રેસ નોટ

ગોભક્ત કરે પુકાર રાજ્યમાતા કી ગુહાર

ગોભક્તોને ગુજરાતની હિન્દુવાદી સરકાર પાસે સંપૂર્ણ આશા કે ગોમાતાને રાજ્યમાતા બનાવશે

ગોભક્ત પ્રધાનમંત્રી સાચા સપૂત બની ગો ને રાષ્ટ્રમાતા બનાવશે?

હવે માત્ર રાજનીતિ નહિ, ગોમાતા રાજ્યમાતા નીતિ- સંતો ની માંગ

ગોપ્રતિષ્ઠા આંદોલન-ગો ધ્વજ સ્થાપના ભારત યાત્રા 22 સપ્ટેમ્બર થી 26 ઓક્ટોબર 2024 સુધી

અમદાવાદ, ગુજરાત
14-10- 2024, સોમવાર

જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય સ્વામિશ્રી: ૧૦૦૮ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ગોમાતા રાષ્ટ્રમાતા ના પદ પર પ્રતિષ્ઠિત કરાવવા ગોધ્વજ ભારતયાત્રા અંતર્ગત 16-10-24 ના બુધવાર ના રોજ અમદાવાદ ગુજરાત માં પહોંચશે.

સનાતન વૈદિકધર્મ માં વેદ, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણો માં ગો ની મહિમા ગવાઈ છે. પ્રત્યેક સનાતન ધર્માંવલંબી હિન્દુઓ ની એ માન્યતા અને આસ્થા છે કે ગાય એ પશુ નથી , પરંતુ માતા છે .

સનાતન ધર્મી બહુસંખ્યક હિંદુઓ ની ધાર્મિક આસ્થા અને મહિમા ને ધ્યાન માં રાખી ભારત ના બંધારણ અને કાનૂન માં ગાય ને રાજ્ય સ્તરીય સૂચિ માંથી બાકાત કરી રાષ્ટ્રિય સૂચિ માં અર્થાત મૂળભૂત બંધારણીય અધિકારો ની સૂચિ માં દાખલ કરવામાં આવે એવી અમારી પ્રબળ માંગ સાથે ભારતને ગોહત્યા મુક્ત બનાવવા ગો પ્રતિષ્ઠા ચળવળ ચલાવવામાં આવી છે.

ભારત આઝાદ થયા પછી સતત ગોમાતા ની પ્રતિષ્ઠા અને રક્ષા ના પ્રયાસો હાથ ધરાયેલ છે જે પૈકી 1966 માં *ધર્મસમ્રાટ યતિ ચક્રચૂડામણિ કરપાત્રીજી* મહારાજ ના નેતૃત્વ માં પ્રચલિત પામેલું ગોરક્ષા આંદોલન ખૂબ જ અગ્રેસર હતું જેમાં હજારો ની સંખ્યા માં ગોભક્તો ના બલિદાન થયા હતાં. આ જ આંદોલનને આગળ ધપાવતા અને ભારત ને ગોહત્યા ના કલંક થી મુક્ત કરાવવા આંદોલન ની કમાન સાંભળતા *પરમ ગોભક્ત સંત ગોપાલમણિ* સમગ્ર દેશ માં ફરી એકવાર એને જીવંત કર્યું છે કારણકે *રોજ ની 1 લાખ ગાયો ભારતભૂમિ પર કપાય છે*.

આ પવિત્ર અભિયાનને આપણાં ચારેઉ પીઠના જગદગુરુ શંકરચાર્યો ના ભર્યા હાથે આશીર્વાદ મળ્યા છે. ચારેઉ પીઠ દ્વારા અભિષિક્ત અને સમર્થીત ગોમાતાને રાષ્ટ્રમાતાનું સન્માન અપાવવા તથા ગોહત્યા બંધી કાનૂન બનાવવા બે વાર ગોસંસદ યોજાઈ, જે પૈકી પ્રથમ ગોસંસદ નું આયોજન પ્રયાગ ખાતે માનનનીય પ્રામાણિત શંકરચાર્યો ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.

જ્યારે દિલ્લી માં આયોજિત દ્વિતીય ગોસંસદ જ્યોતિષપીઠ જગદગુરુ શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી જી ની નિસરા મા થઇ. જેમાં *ગોપ્રતિષ્ઠા સંહિતા બિલ* સહિત 42 બિંદુઓ નો ધર્માદેશ પારીત થયો છે. ગોપ્રતિષ્ઠા અભિયાન ની જ્યોતિ ને ગોઘૃત (ગાય ના ઘી) થી પ્રજ્વલિત કરવા જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામિશ્રી: ૧૦૦૮ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ આ આંદોલન ની અગવાઈ લઈ 14-3-24 થી 28-3-24 ગોવર્ધન વૃંદાવનથી દિલ્લી ઉઘાડા પગે પદયાત્રા કરી.

આજે સમગ્ર દેશમાં પૂજ્ય જ્યોતિષપીઠાધીશ્વરના નેજા હેઠળ આ આંદોલન ગતિમાન થયું છે અને જેઓએ આ સંવત્સર (વર્ષ) ને જ *ગોસંવત્સર* એવું નામ આપ્યું છે.

ગોપ્રતિષ્ઠા આંદોલન અંતર્ગત જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી 22 સપ્ટેમ્બર થી 26 ઓક્ટોબર દરમ્યાન નિરંતર *ગોધ્વજ સ્થાપના ભારતયાત્રા* કરી રહ્યા છે. જેમાં કુલ 25000 કિમિ ની યાત્રા થશે. જે યાત્રામાં ભારતના દરેક રાજ્ય એટલે 33 રાજ્યોના પાટનગર અથવા પ્રમુખ શહેરમાં અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાંઆ ગોધ્વજની સ્થાપના કરશે. ગોપ્રતિષ્ઠા યાત્રાના પૂજ્ય સંત ગોપાલમણિ પણ તન, મન, ધન સાથે શંકરાચાર્યજીની સાથોસાથ સમગ્ર યાત્રામાં રહેશે. ગોધ્વજ સ્થાપના ભારતયાત્રા નો શ્રીગણેશ ભગવાન શ્રીરામ ની રાજધાની અયોધ્યા થી 22 સપ્ટેમ્બર ના રોજ થયો છે. અને પરિણામસ્વરૂપ 28 સપ્ટેમ્બરે *મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગો ને રાજ્યમાતા* નું પદ પ્રાપ્ત થયું.

યાત્રા દરમ્યાન જગદગુરુ શંકરાચાર્ય ની યાત્રાને ભારત દેશ ના જ પૂર્વી રાજ્યો માં રોકવામાં આવી એ શરમજનક બાબત છે. યાત્રા માં શંકરાચાર્ય પ્રમુખ ગોભક્તો ને અભિનંદિત અને ઉત્સાહિત કરી રહ્યા છે.

ગોધ્વજ સ્થાપન ભારતયાત્રાનું ધ્યેય

◆સમગ્ર ભારતને એક સૂત્ર માં પરોવી હિન્દૂ પ્રાણ જનતા ને જાગૃત કરવાનું છે.

◆ ધર્મનિષ્ઠા અને કર્તવ્યતા નો બોધ કરાવવાનું છે.

◆ગાય ને પશુ સૂચિ માંથી હટાવી રાષ્ટ્રીય દરજ્જો અપાવવાનું છે.

◆ગોધ્વજ સ્થાપના ભારત યાત્રા નું સૂત્ર છે *ગોમાતા રાષ્ટ્રમાતા, રાષ્ટ્રમાતા ભારતમાતા*

◆ રાજ્યસરકારોને નિવેદન છે કે મહારાષ્ટ્ર સરકાર ની જેમ ગોમાતા ને રાજ્યમાતા નો દરજ્જો આપે.

16 ઓક્ટોબર બુધવારે જ્યોતિષ્પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામિશ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજીનું આગમન ગુજરાતરાજયની પાવન ધરા ના પ્રમુખ શહેર અમદાવાદમાં થશે.

ગોધ્વજ સ્થાપના ભારતયાત્રા ઉપરાંત પણ જો ગાય ને રાષ્ટ્રમાતાનું પદ નહિ મળે તો આપણી રાજધાની દિલ્લી માં ગોપાષ્ટમી ના અવસરે 7,8 અને 9 નવેમ્બર ત્રિદિવસીય *રાષ્ટ્રવ્યાપી ગોપ્રતિષ્ઠા મહાસંમેલન*/યોજાશે જે ભારત સરકારને ગોહત્યાના કલંકને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ ઐતિહાસિક ગોધ્વજ સ્થસપના ભારતયાત્રાની પૂર્વતૈયારી હેતુ 14 ઓક્ટોબર ના રોજ ગુજરાત ના પ્રમુખ શહેર અમદાવાદ ખાતે પ્રેસવાર્તા યોજાઈ જેમાં
ગોસંસદના ઉપાધ્યક્ષ અને ગોધ્વજ યાત્રાના ગુજરાત રાજ્ય પ્રભારીશ્રી કિશોરભાઈ શાસ્ત્રી, એ પ્રમુખ રૂપે પ્રેસ ને સંબોધિત કરતા કહ્યું કે,

” ગોમાતા પ્રત્યે પોતાના કર્તવ્ય નું પાલન કરનાર જ સાચો હિન્દૂ છે અને આજ સમય છે કે ગોમાતા ની પ્રતિષ્ઠા સંકલ્પ યાત્રા માં બધા જ સનાતની હિન્દૂ અને ગોભક્ત, પછી એ કોઈ પણ સંપ્રદાય કે ધર્મ ના હોય એકજૂઠ થઈ જોડાવવું જોઈએ. મહારાષ્ટ્ર સરકાર ની જેમ ગુજરાત સરકાર પણ અમને આશા છે કે *ગોમાતા ને રાજ્યમાતા* બનાવવાની પહેલ કરી યશ અને કીર્તિ ના ભાગી બની પુણ્ય લેશે. *મહા-રાષ્ટ્રમાતા ગો હવે જલ્દી થી જલ્દી રાષ્ટ્રમાતા બનશે*. દરેક ગોભક્તે ગોધ્વજ યાત્રા ને સફળ બનાવી પોતાનું નાનું સરખું યોગદાન પણ આપવું જોઈએ. પોતાના પરિવાર, મિત્ર મંડળ, સગા વ્હાલા સહિત ગાય ની સેવા માં એક પગલું ભરી પોતે સાચો હિન્દૂ પુરવાર કરવાનો આ મોકો ન ચૂકવો જોઈએ. “

આ પ્રસંગે હાજર સંતો મહંતો સહિત મહંત શ્રી વિક્રમ ગીરીજી ,મહંત શ્રી નિજાનંદ બાપુ,સાધવી ભક્તિગીરી માતાજી, મહંત શ્રી અક્ષય પુરીજી, શ્રી હીરાભાઈ ભુવાજી,શ્રી કંદર્પભાઈ દવે, શ્રી દશરથભાઈ દેસાઈ, શ્રી પંકજસિંહ વાઘેલા, શ્રી પ્રભાતભાઈ દેસાઈ અને હેમાંગ રાવલ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

હેમાંગ મહિપતરામ રાવલ
પ્રેસ વાર્તા સંયોજક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *