- બાગેશ્વર બાબા દિવ્ય દરબાર કાર્યક્રમ આયોજનમાં ભારે અવ્યવસ્થા : પીવાનાપાણી માટે મચી લૂંટફાટ,અફડાતફડી
દિવ્ય દરબારના આયોજકોએ પાણીમાં ભેદભાવ રાખ્યો, પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ભાવિકો પરેશાન, સ્વયંસેવકો પાણીની બોટલ ફફૈંઁ માટે લઈ જતા લૂંટફાટ મચી જવા પામી
તા.૨૭
લિંબાયત નીલગીરી ખાતે યોજાયેલા બાઘેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. આયોજન સમિતિ દ્વારા અપૂરતી વ્યવસ્થા અને સગવડને કારણે બાબાના દરબારમાં આવનાર તેમના પાગલો ભારે હેરાન પરેશાન થયા હતા. ત્યાં આવનાર લોકોને પૂરતું પાણી પણ ન મળતા આયોજન સમિતિના સ્વયંસેવકો પાણીની બોટલ ફફૈંઁ લોકો માટે લઈ જતા લૂંટફાટ મચી હતી. તો બીજી તરફ આયોજન સમિતિ દ્વારા આદેધડ એન્ટ્રી કેટેગરીના પાસ અને વ્યવસ્થાન નામે કાર્ડ બનાવી આપતાં ભારે અફરા તફરી અને અરાજકતા જેવો માહોલ સર્જાયો હતો. સુરતમાં લિંબાયત નીલગીરી મેદાન ખાતે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો બે દિવસ દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાયો છે.ત્યારે શુક્રવારે યોજાયેલા પ્રથમ દિવસના કાર્યક્રમમાં આયોજનમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. જ્યાં જુઓ ત્યાં ભારે અફરા તફરી સર્જાઇ હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દરબારમાં આવનાર લોકોને પાગલોથી સંબોધિત કરી કરી રહ્યા છે ત્યારે તેમના દરબારમાં આવનાર તમામ પાગલો આ દિવ્ય દરબાર કાર્યક્રમમાં ભારે હેરાન પરેશાન થયા હતા. બાગેશ્વર ના આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે આયોજનના અપૂરતા સંકલનને કારણે આયોજનમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. બાગેશ્વરના કાર્યક્રમમાં આયોજન સમિતિમાં એક પાણીની સમિતિ પણ બનાવવામાં આવી હતી. આ સમિતિનું કામ વાઘેશ્વર ના દિવ્ય દરબારમાં આવનાર લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેની જવાબદારી હતી. પરંતુ દિવ્ય દરબારમાં આવનાર લોકોને પાણી ન મળી રહેતા લોકો ભારે પરેશાન થયા હતા. દિવ્ય દરબાર કાર્યક્રમ સાંજે ૬ઃ૦૦ વાગે શરૂ થયો પરંતુ લોકો બપોરે ત્રણ વાગ્યાના મેદાન પર આવી ગયા હતા. ધોમ ધખતા તડકામાં હેરાન થતા લોકોને પાણી પણ મળ્યું ન હતું. ત્યારે વી વીઆઈપી લોકો માટે આયોજન સમિતિના સ્વયંસેવકો દ્વારા પાણીની બોટલો લઈ જવામાં આવતા રસ્તામાં લોકોએ પાણીની લુટ ફાટ મચાવી હતી. બાળકો,મહિલાઓ પાણીના એક ઘૂંટ માટે સ્વયંસેવક પર તૂટી પડ્યા હતા.અને તમામ બોટોલો લુંટી લીધી હતી. બાગેશ્વરના કાર્યક્રમમાં રાખવામાં આવેલી બેઠક વ્યવસ્થાનું પણ પૂરતું આયોજનનું ધ્યાન રખાયું ન હતું. આડેધડ લોકો કાર્યક્રમમાં પ્રવેશ કરી રહ્યા હતા. આયોજન સમિતિ દ્વારા આડેધડ પ્રકારે દિવ્યા દરબાર કાર્યક્રમમાં પાસના વિતરણ કરી દીધા હતા. જેને લઇ બેઠક વ્યવસ્થામાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અફરા તફરી સર્જાઈ હતી. લોકો અંદરો અંદર ચાલુ કાર્યક્રમમાં ઝઘડો પણ કરી રહ્યા હતા. આ પૂરતી બેઠક વ્યવસ્થા ના આયોજનને લઈ ચાલુ કાર્યક્રમમાં ભારે અરાજકતા ફેલાઈ હતી. બાગેશ્વર આયોજન સમિતિ દ્વારા વહાલ દહવલાને સાચવવા ગમેતેમ વ્યવસ્થાના કાર્ય ના નામે મોટા પ્રમાણમાં આઈડી કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. જેને લઇ સ્ટેજની નજીકની જગ્યાઓમાં વ્યવસ્થાના નામે આગળ આવીને ઊભા રહી જતા અને પહોંચી જતા વીવીઆઈપી, અને વીઆઈપી ધરાવતા લોકો પણ ભારે પરેશાન થયા હતા. અને તેમની વચ્ચે પણ તકરારો થઈ હતી.(અહેવાલ.સિટી ટુડે દૈનિક.સુરત)
નોધ : કોઈપણ વ્યક્તિગત કે સામૂહિક.રાજકીય.સમાજિક દ્વેષ ભાવ વિના અહી સમાચાર.પ્રસિદ્ધ કરવામાં આવે છે..છતાં કોઈને વાંધા જનક.લાગે તો તંત્રી નું ધ્યાન.દોરવા થી તેવા સમાચારો ની ખરાઈ કરી દુર કરવામાં આવશે..તંત્રી