તામિલનાડુ બેંક સુરત લોન કૌભાંડના કન્સલ્ટન્ટ પુનિત વ્યાસ આખરે ઈકોસેલ દ્વારા ઝડપાયો..નિલેશ નારાગરી તેમજ બેંક મેનેજર હજુ ફરાર….
સુરત ખાતેની તામિલનાડુ મર્કન્ટાઇલ બેન્ક જે રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટની વચ્ચે આવેલી છે જેમાં લોન કરાવી આપવાનું સૌથી મોટું કૌભાંડ તેના કન્સલ્ટન્ટ પુનિત વ્યાસ અને નિલેશ નારીગર હતા. જેઓએ બેંક મેનેજર સાથે મળીને લોકોને લોનો અપાવી અને બેંક કૌભાંડ આચર્યું હતું. આ બાબતમાં ઇકો સેલમાં ફરિયાદ પણ થઈ હતી. લોન ના નામે કુલ ૧૬.૫૧ કરોડ નું લોન કૌભાંડ થયું હતું..જેના અંતર્ગત લોન લેનાર લોકો ને ખોટા કાગળો બનાવી મેનેજર પાસે પાસ કરાવી જે તે ખાતા મા લોન જમાં કરાવી આ બંને કન્સલ્ટન્ટો લોન ધારકોના સહી વાળા ચેકો લઈને રકમો ઉપાડી લેતા હતા . જેમણે આ લોન બાબતે કન્સલ્ટન્સી ની કાયદેસર ની ઓફિસ શરૂ કરી બેંકો ના મેનેજર સાથે મળી ને ગોઠવણ પણ કરી હતી..અને અમુક વિસ્તારમાં તો આખે આખી લોન ની રકમ પણ ઉપાડીને તેઓ ફરાર થઈ ગયા હતા અને આ લોન ધારકો માં જે લોકો ગેરંટર બન્યા હતા. જેમના પોતાના પત્નીના જોઈન્ટ ખાતા હતા આ બધાને ઇકો સેલ તરફથી ધરપકડ કરીને કાયદાકીય રીતે મોટાભાગના લોકો ને જામીન પર છોડાયા હતા તો કેટલાક સુપ્રીમ સુધી જઈને જામીન લેવાની પ્રક્રિયા પણ હાથ ધરી હતી.. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ના તંત્રી તરીકે આ બાબતે એક લોન ધારક આજે પણ ડી ફોલ્ટર બનતા જેલમાં હોવાથી આ બાબતે બેંક મા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બેંક લેણું હોવાથી મોર્ગેજ માં મુકેલી મિલકત ની વેચાણ ની ફિરાક માં છે..અને લોન આપેલ મેનેજર તામિલનાડુ માં ભાગી જઈ આગોતરા જામીન પણ મેળવી લીધેલ છે..અને બેંક દ્વારા બીજા મેનેજર ની નિમણુક પણ કરેલ છે તેઓ પણ અમારી તપાસ દરમિયાન રજા ઉપર ઉતરી ગયા હતા.અમો લોન ધારક ના ગેરેન્ટર ને લઈ બેંક મા જતા અરજી આપી જાણ કરી હતી કે બેંક ની લેણી રકમ નું સ્ટેટમેંટ આપો.અમે રકમ ભરવા તૈયાર છીયે અને અમારી મિલકત નું ઑકશન કરશો નહિ..અથવા અમે અમારી મુકેલ મિલકત ના વેચાણ લેનાર પણ તમારી સમક્ષ લાવવા તૈયાર છીએ….તેમ છતાં બેંક ના સ્ટાફ માંથી NPA સંભાળતા જવાબદાર અધિકારી તરફથી જવાબ મળ્યો હતો કે આ NPA એકાઉન્ટ છે એટલે હેડ ઓફીસ મંજૂરી આવે અમે બેંક લેણી રકમનું સ્ટેટમેન્ટ આપીશું…અને પ્રોપર્ટી મોર્ગેજ ઑકસન તો અમો રોકી નહિ શકીએ જે આપને ન્યૂઝ પેપર ઓકેશન ઉપર થી જ જાણવા મળશે તેવા જવાબ પણ મળ્યા હતા…ઉપરાંત ગેરંટરની આ બેંકમાં લીધેલી લોન કોર્ટના ઓર્ડર પ્રમાણે સંપૂર્ણ ચુકતે થઈ ગયા હોવા છતાં પણ તેમને બેંકે એનઓસી આપવાની ના પાડતા જણાવ્યું હતું કે હેડ ઓફિસ તમારી અરજી આપીશું અને ત્યાંથી જે જવાબ મળશે તે પ્રમાણે તમને જવાબ આપીશું. આમ બેંકે પણ તેમના ફ્રોડ મેનેજરને બચાવવાની સંપૂર્ણ કામગીરી કરી છે અને ઇકો સેલ દ્વારા પણ ઘણા લાંબા સમયથી આ તપાસ ચાલતી હતી મોટાભાગના લોકોને છોડી દેવામાં આવ્યા હતા અને સાક્ષીઓ પણ અંદરના અંદરના લોકોને બોલાવીને જવાબો લેવામાં આવ્યા હતા અને પોલીસ ઉપર પણ એવી તરહ તરહની વાત થતી હતી કે આ બંને કન્સલ્ટન્ટો નિલેશ અને પુનિત વરાછામાં આંટા મારે જ છે પણ માસિક ચાર્જિંગ થતું હશે જેના લીધે તેઓ પકડાતા નથી પરંતુ ઇકોસેલે સાબિત કરી બતાવ્યું અને વોચ ગોઠવીને હાલમાં તો પુનિત વ્યાસને પકડી પાડ્યો છે હવે આગળની કાર્યવાહી જોવાની રહી કે આટલા મોટા ફોર્વડ ની અંદર લોન લીધેલા લોકોને પોલીસ દ્વારા કેવી રીતે રક્ષણ મળે છે અને બેંક દ્વારા કેવી રીતે રાહત મળે છે કેમકે બધી જ રકમ લોન લેનારના હાથમાં આવી નથી અને મોટા પ્રમાણમાં આ બંને લોન કન્સલ્ટન્ટ કૌભાંડ કરનાર વ્યક્તિ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા…આ કેસ ની તપાસ ચલાવનાર પોલીસ અધિકારી એ. ડી.દેસાઈ ને પણ તંત્રી તરીકે રૂબરૂ મળી ને કેસ ની હકીકતો જણાઇ હતી અને તેમને પણ કહ્યું હતું કે અમારી વોચ આ લોન અપાવનાર એજન્ટો ઉપર છે અને અમે છટકું ગોઠવી શોધખોળ કરી રહ્યા છીએ..આખરે લોકો ની ધારણા ને ખોટી પાડી ઇકો સેલ દ્વારા લોન કૌભાંડી એજન્ટ પુનિત વ્યાસ ને આખરે પકડી પાડયો છે…હવે પૂર્વ બેંક મેનેજર પણ બીજા કેસ મા આરોપી છે તેને ઇકો સેલ પકડી તામિલનાડુ થી લાવે છે કે બીજા આગોતરા જામીન માં છૂટી જાય તેની રાહ જોવે છે તે જોવાનું રહ્યું…આ ૧૬:૫૧ કરોડ ના આખા કૌભાંડ માં લોન લેનારા અને ગેરેન્ટાર લોકો તેમજ પોલીસ વચ્ચે ભગમ ભાગ ની મોટી પ્રક્રિયાઓ થઈ હતી અને લોન લેનારા આજે પણ બહુ મોટી વ્યાજ ખાદ્ય.મૂડી ની ખોટ માં છે તેવું બંને સગા ભાઈઓ લોન લેનાર સાથેની વાતચીત માં જાણવા મળ્યું છે…કોઈ કિસ્સામાં તો ગેરેન્ટર ની ચારેક કરોડ ની પ્રોપર્ટી બેંક દ્વારા બારોબાર પોણા બે કરોડ માં વેચી મારી તેમને જાણ કર્યા વિના તેમનો સામાન સીધો મોકલી આપવામાં આવ્યો છે અને મકાન મા રહેતા એ આજકાલ ભાડે જવાના વારા આવ્યા છે પણ આ બાબતે પણ પોલીસ અને બેંક ની કાર્યવાહી નો ભોગ આવા લોકો પણ બની ને રઝળતા થઈ ગયા છે તેવી જાણવા મળે છે..તામિલ નાડું બેંક ની રીનીનલ ઓફિસ અમદાવાદ પણ આ બાબતે મુલાકાત લેતા જણાવવામાં આવે છે કે આ બાબતે ઇકો સેલ સુરત મળે થી આપને વધુ માહિતી મળશે તેમ કરી બેંક રીનીનલ મેનેજર પણ તેમના બેંક લોન કૌભાંડ બાબતે કશું કહેવા તૈયાર નથી….હવે ઇકો સેલ શું પરિણામ લાવે છે તે જોવાનું રહ્યું…લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે….સુરત મા અનેક આવા વ્યવસાઇક લોકો એજન્ટ ને મોટી રકમ નું કમિશન આપી લાખો કરોડો ની લોન લઈ વ્યાપાર ધંધા કરતા હોય છે જેમાં માટે ભાગે કાઠિયાવાડી વ્યવસાઇક લોકો આંતર રાજ્ય બેંક મેનેજર અને સ્થાનિક લોન એજન્ટ ની મદદ થી આર્થિક સગવડ કરી મોત પાયે બિલ્ડિંગ ઓફિસ.દુકાનો બનાવી વેચાણ વ્યવસાય સ્ટેજ સંકળાયેલ જોવા મળે છે…
જાત તપાસ બાદ ઉપરોક્ત અહેવાલ જન જાગૃતિ ના ભાગ રૂપે કોઈપણ વ્યક્તિગત રાગ દ્વેષ વિના અહી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે..તેમ છતાં કાઈ પણ વાંધા જનક લાગે તો તંત્રી નું ધ્યાન દોરવા થી યોગ્ય કરવામાં આવશે…
તંત્રી: પ્રદીપ રાવલ