🚨🚨🚨🚨🚨🚨🚨🚨
*ગુજરાતમાં ખેડૂત ખાતેદાર બનાવવાનું ચાલે છે કાયમી કૌભાંડ*
*સતાધીશો વિદેશી નાગરીકોને ખેડૂત ખાતેદાર બનાવે છે*
*ચેરીટેબલ ટ્રસ્ટને ખેડુત ખાતેદાર બનાવેલ છે*
*ખેતી જમીનોનું રાજ્ય વ્યાપી કાયમી કૌભાંડ, હજારો ખેડૂતોની જમીનો છીનવાય રહી છે*
*અબજો રૂપિયાની ૨,૦૦,૦૦૦ હેક્ટર જમીન ઉદ્યોગપતિઓને દોઢ રૂપિયે હેકટર મફત ફાળવી દેવામાં આવે છે,*
*ગુજરાતની જનતા સાવધાન*
🚨🚨🚨🚨🚨🚨🚨🚨
*ખેડૂત ખાતેદારનું અને ખેતી જમીનદારનું ચલાવાય રહ્યું છે વિરાટ ષડયંત્ર*
*સતાધીશો ચલાવી રહ્યા છે જમીન કૌભાંડ*
*ગુજરાતમાં ખેતીની જમીનો વેચીને કરોડપતિ અબજોપતિ થવાનું વિરાટ કૌભાંડ ચાલી રહ્યુ છે*
*૧૯૫૧ પહેલા જમીનો દરબારી રાજાશાહી માલીકીની જમીનો હતી, ૧૯૫૧ પછી જમીનોના માલીક ભારત સરકાર છે*
*૨૬ મી જાન્યુઆરી ૧૯૫૧ થી ભારતમાં દરેક નાગરીકને બંધારણની કલમ ૧૪ થી નાગરીક સમાનતા અને કલમ ૪૪ થી દીવાની સમાનતાનો અધિકાર મળેલ. છે*
*ગુજરાતમાં ૧૯૪૮ થી ગણોત વહિવટ અને જમીન અધિનિયમનો કાયદો અમલમાં છે આ કાયદો ૧૫-૦૬-૧૯૫૫ અને ૦૧-૦૪-૧૯૫૭ તથા ૧૯૬૦ માં નવી તારીખોથી સમાનતાથી ગુજરાતમાં લાગુ પડેલો છે*
*૧૯૫૧ થી ૧૯૬૦ સુધી મુંબઈ રાજય હતુ, સૌરાષ્ટ્ર રાજય અને કચ્છ વિદર્ભ હતા પરંતુ ૧-૫-૧૯૬૦ થી સ્વતંત્ર ગુજરાત રાજયની સ્થાપના થતા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વિલિન થવાથી સમગ્ર રાજયમાં બંધારણ મુજબ એક સમાન કાયદાઓ લાગુ પડેલા છે*
*ખેતીની જમીન માટે ગણોત કાયદાથી ખેડે તેની જમીનના દરજ્જે કબ્જેદાર ભોગવટેદાર તરીકે સરકારની માલીકીથી જમીનો આપવામાં આવેલી છે, કોઇ ખેડૂત માલીક નથી પણ સરકાર માલીક છે તેથી આકાર પ્રમાણે વિઘોટી રૂપે જમીન મહેસુલ ભરવાની ફરજ ખેડૂતની રહેલી છે ગણોત કાયદા અને મહેસુલ કાયદાની શરતોના ભંગ બદલ જમીનો વિના વળતર ખાલસા કરવામાં આવે છે અને જમીન શ્રી સરકાર ગણાય છે કારણ કે મુળથી જમીન માલીક શ્રી સરકાર છે*
*ગણોતધારામાં ફકત “ખેડે તેની જમીન” એટલે કે “જાતે ખેતી કરે તે વ્યક્તિ ખેડૂત” ના મુળ જોડવાઇથી જમીન ખાતેદાર ગણાય છે, જાતે ખેતી નથી કરતાં તેવા કોઇ વ્યક્તિ ખેડૂત ખાતેદાર નથી અને ખેતીની જમીન ધારણ કરી શકે નહી, ખેતીની જમીન ખરીદ વેચાણ કરી શકે નહી*
*ગણોતધારા મુજબ જાતે ખેતી કરતાં હોય તે ખેડુત હોવાથી ગણોતધારાથી મળેલી જમીનમાં કોઇ વારસાઇ હક આપવામાં આવેલ નથી, સ્થાવર જંગમ સંપતિઓમાં વારસાઇ હક મળે છે તે ખેતીની જમીનમાં મળતો નથી, ખેતીની જમીનના માલીક સરકાર છે સરકારની સંપતિઓમાં કોઇ નાગરીકને વારસાઇ હક આપવાનો સમગ્ર ભારતમાં કોઇ કાયદો કે જોગવાઈ નથી*
*ખેડૂત જાતે ખેતી કરે છે કે નહીં તેની ખાત્રી કરવાની જવાબદારી પંચાયત તલાટી, સર્કલ અને મામલતદારની છે, જાતે ખેતી કરતાં નથી તો એવા કોઇપણ વ્યક્તિ ખેડૂતના સંતાન હોય તો પણ ખાતેદાર ખેડૂત તરીકે વારસાઇ હક મળતો નથી, કારણકે ગણોતના કાયદામાં વારસાઇ હકની જોગવાઇ નથી તેથી જાતે ખેતી કરતાં નથી તેવા સરકારી નોકરીયાતો, સરકારી પેન્શન લેનારાઓ, શોપ એકટના લાયસન્સથી વેપાર ધંધો કરનારાઓ, ઉદ્યોગ કરનારાઓ, ખાનગી કંપનીઓમાં નોકરી કરનારાઓ જાતે ખેતી કરતાં નથી તેથી ખાતેદાર ખેડૂત ની વ્યાખ્યામાં આવતા નથી તેથી ખેડૂત નથી, તેમજ તેને વારસાઇ હક પણ નથી,*
*ગણોતધારાની કલમ ૩૨-ધ, ૩૨-પ, ૮૪, ૮૪-ગ, મુજબ જીલ્લા કલેકટરોએ જાતે ખેતી કરતાં નથી તેવા વ્યક્તિઓની જમીન શ્રી સરકાર ખાલસા કરવાની જવાબદારી અને ફરજ છે, જાતે ખેતી કરતાં નથી તેવી જમીનોની વિગતો માહીતી નિયમિત રીતે કલેકટરને આપવાની જવાબદારી તલાટી, સર્કલ, મામલતદાર, પ્રાંત અધિકારીની છે,*
*ગણોતધારાથી બધાને ખેડૂત હક મળેલા છે એમાં ખેતમજુર અને ખેડૂતની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે, જે વ્યક્તિ ખેતરમાં શ્રમ કરનાર ખેતમજુર હોય તેને ખેતમજુર પ્રમાણપત્ર આપીને જાતે ખેતી કરનાર વ્યક્તિ તરીકે ખેતીની જમીન ધારણ કરવાનો હક બને છે,*
*કોઇપણની ખેતીની જમીન ઉપર નિયત સમય સુધી જાતે ખેતી કરનારને પ્રમાણિત કરીને ખેતીની જમીન આપી શકાય છે, કલેકટર દ્વારા શ્રી સરકાર થયેલી જમીનો નિયત સમય માટે ખેતમજુર દરજ્જે ખેતી માટે આપી શકાય છે, સરકારમાં ફળઝાડ અને અન્ય પુરક ખેત પેદાશ માટે બિનખાતેદાર ખેડૂતોને જમીનો આપવામાં આવેલ છે અને આપી શકાય છે, સરકારનો જમીન આપવાનો એકમાત્ર હેતુ રાજયની અને દેશની પ્રજા માટે અનાજ ઉત્પાદનનો છે, તેથી તમામ જમીનો ઉપર કુદરતી સિંચાઇ અને જળસંગ્રહ સિંચાઇથી ખેતી કરનારને જમીનો આપવાની વ્યવસ્થા છે*
*ગણોતધારામાં મામલતદારને નિર્ધારણ ( પ્રમોલગેશન) ની જવાબદારી છે, કોણ જાતે ખેતી કરે છે તેની ખાત્રી કરીને પ્રમાણિત કરવાની ફરજ અને જવાબદારી મામલતદારની છે, (હાલમાં વારસાઇ દાખલ કરવા માટે ૧૩૫ ની નોટીસ આપી વારસાઇ દાખલ કરીને મામલતદારો ખેડૂત હક આપે છે, નોટીસનો અર્થ ફકત કોઇને વાંધો વિરોધ નથી તે તપાસવાનો છે જાતે ખેતી કરે છે કે નહી તે તપાસ કરવામાં આવતી નથી મામલતદારો કોઇપણ ખાત્રી કર્યા વિના ઉતરોતર વારસાઇથી જાતે ખેતી કરતાં નથી તેવા વ્યક્તિઓને સરકારની માલીકીની જમીનમાં વારસાઇ હક આપે છે* *આ રીતે જે ખેડૂત હક આપે છે અથવા તો હક સંબંધિત જે કોઇ ફેરફાર મામલતદારના હસ્તાક્ષરથી થાય છે તે પ્રમોલગેશન ગણાય છે એ નિર્ધારણ ગણાય છે*
*તાલુકા મામલતદારને ત્રણ જવાબદારીઓ છે (૧) તાલુકાના મહેસુલ અધિકારી, (૨) તાલુકાના એકઝયુટીવ મેજીસ્ટ્રેટ, (૩) જમીન વિવાદ પંચના તાલુકાના અધ્યક્ષ, આ ત્રણેય જવાબદારીઓનું સંયુકત પાલન કરીને મામલતદાર જાતે ખેતી કરતાં નથી તેવા દરેક વ્યક્તિની જમીનો ખાલસા કરવા કલેકટરને દરખાસ્ત કરી શકે છે* *જમીન ખાલસા કરતાં પહેલા કલેકટર જાહેર નોટીસથી સંબંધિત વ્યક્તિઓને બોલાવીને જમીન કાયદાઓ, શરતભંગ વગેરેની વિગતો આપીને પક્ષકારોની રજૂઆત સાંભળે છે અને પછી નિર્ણય કરવાનો હોય છે, હાલ કલેકટરો ખેડૂત કે વ્યક્તિના કબ્જાભોગવટામાં રહેલી જમીનો ખેડૂત ના કાયદાના જ્ઞાનના અભાવને કારણે મનસ્વી રીતે ખાલસા કરીને હરાજી કરીને બીજા ખેડૂતોને આપી દે છે, જેને પણ જે કાયદાથી જમીન આપેલી છે તે જમીન કાયદા વિશેની અજ્ઞાનતાનો દુર ઉપયોગ કરીને ખાલસા કરવામાં આવતી જમીનો ગેરકાયદેસર ખાલસા કરેલી જમીનો છે, જાતે ખેતી કરતાં હોય તો તે ખેડૂત છે અને જાતે ખેતી કરતા નથી તે ખેડૂત નથી તેથી દરેક મામલતદાર, પ્રાંત, કલેકટરની જવાબદારી અને ફરજ છે કે જાતે ખેતી કરતાં નથી તેની જમીનો ખાલસા કરવી અને ખેતમજુર દરજ્જે જાતે ખેતી કરનારા વ્યકિતને જમીન આપવી,*
*ખેડૂત હોવાનું પ્રમાણિત કરવાની જવાબદારી મામલતદાર અને પ્રાંત અધિકારીની છે, દરેક પંચાયત તલાટીએ દર વર્ષે પાણીપત્રક એટલે કે સિંચાઇ અને ખેતી કરનારની ખાત્રી કરીને મામલતદારને લેખીત વિગતો આપવાની હોય છે જો જાતે ખેતી કરતા નથી તેવા લોકોની ખાત્રી કરીને મામલતદારે જમીન ખાલસા કરવાની દરખાસ્તો મુકવાની જવાબદારી રહેલી છે*
*મામલતદારની લેખીત ખાત્રી મુજબ કોઇપણને ખેડૂત કે ખેતમજુર પ્રમાણિત કરવાની જવાબદારી પ્રાંત અધિકારીની છે* *તેથી જાતે ખેતી કરતા નથી તેવા વ્યક્તિઓને વારસાઇ હકથી ખેડૂત હક આપી શકાતો નથી* *ગણોતધારાથી જમીનો ધારણ કરી શકાય છે પરંતુ જાતે ખેતી કરે તે ખેડૂત એજ ગણોતધારાનો મુખ્ય પાયો છે તેથી જાતે ખેતી કરતા નથી તે વ્યક્તિ ખેડૂત નથી જેથી વારસાઇ હક મળવાપાત્ર નથી, જાતે ખેતી કરતાં હોય તે સરકારી નોકરી કરી શકે નહી, વેપાર ધંધો કરી શકે નહી, ઉદ્યોગ કરી શકે નહી, અથવા બીજો કોઇ રોજગાર કરી શકે નહી, બીજો કોઇપણ રોજગાર કરનાર ખેડૂત વ્યાખ્યામાં આવતા નથી તેથી ખેડૂત નથી*
*ગુજરાતમાં સતાધિશો અને રાજયસેવકો જનતાના કાયદાની અજ્ઞાનતાનો ગેરફાયદો ઉઠાવીને રાજયમાં જમીન કૌભાંડ ચલાવી રહ્યા છે, ખેતીની જમીનના માલીક તો શ્રી સરકાર છે જેથી જમીન વેચીને જમીનની કિંમતના પૈસા અંગત સંપતિ તરીકે ઉપયોગ કરવાની કોઇ ખેડૂત જમીનદારને હક નથી, ખેતીની જમીનની કિંમત ના માલીક શ્રી સરકાર છે, જમીનનો કબ્જેદાર ભોગવટેદાર વ્યકિત ફકત ઉપજની કિંમતનો હક ધરાવે છે જભીનની કિંમતનો હક ધરાવતો નથી, કબ્જા ભોગવટાનો હક તબદિલ થ ઇ શકે છે પણ માલીકી તબદિલ કરી શકાતી નથી, છતાં વર્ષોથી સરકારી માલીકીની ખેતીની જમીનો વેચી લાખો લોકો ગેરકાયદેસર રીતે કરોડપતિઓ બની ગયા છે આ સતાધિશો દ્રારા ચલાવાતુ કાયમી કૌભાંડ છે*
*કોઇપણ નાગરીક જન્મ સમયે જમીન સાથે પેદા થયેલ નથી તેથી જમીન ઉપર કોઇની માલીકી નથી અને કોઇને પણ જમીન વેચાણ કરીને તેની કિંમત મેળવવાનો હક નથી, જો ખેડૂત ખાતેદાર હોય છતાં નોકરી ધંધો વેપાર ઉદ્યોગ કરી શકાતો હોય તો રાજયના દરેક નોકરીયાત, વેપારી, ઉદ્યોગપતિ, બધાને બંધારણની કલમ ૧૪-૪૪ મુજબ આપોઆપ ખેડુત હક મળવાપાત્ર છે,*
*ખેતીની જમીન એકમાત્ર *જાતે ખેતી કરનાર નાગરીક ધારણ કરી શકે છે, સિવાયના તમામની જમીનો ખાલસા કરવાની ફરજ કલેકટરોની છે,*
*સતાધિશોએ બંધારણ વિરુદ્ધ અનેક ઠરાવો પરીપત્ર ઉભા કરેલા છે પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિ સતાધિશો જમીનોના હક અને ખેડૂત અંગે બંધારણ વિરુદ્ધ ઠરાવો કરીને સંખ્યાબંધ કૌભાંડ ચલાવી રહ્યા છે*
*સતાધિશોએ ઉભા કરેલા ઠરાવો અને પરીપત્રોને કારણે બંધારણની જોગવાઇઓ કે મુળભુત અધિનિયમની જોગવાઇ રદ થતી નથી તેથી બંધારણ વિરુદ્ધ અને મુળભુત અધિનિયમની જોગવાઇ વિરુદ્ધના ઠરાવો ગેરબંધારણીય અને રદ થવા પાત્ર છે*♥
રાજ પ્રજાપતિ.ગાંધીનગર
(કોઈપણ આર્ટિકલ લખનાર જવાબદાર લેખક રહેશે.)