શ્રી હનુમાનજી મહારાજ નું ચરિત્ર સંબંધોને જાળવતા શીખવે છે: મોરારીબાપુ
તલગાજરડામાં હનુમંત મહોત્સવમાં 13 રાષ્ટ્રીય વિભૂતિઓને એવોર્ડ અર્પણ થયાં
વેળાવદર
શ્રી હનુમાનજી મહારાજની જન્મ જયંતી છેલ્લા 49 વર્ષથી તલગાજરડામાં સંગીત મહોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે.ઘણાં વર્ષોથી આ મહોત્સવમાં એક વિશેષ યશ કલગી ઉમેરીને પૂ. મોરારીબાપુએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલા સાધકોને વિવિધ પ્રકારના એવોર્ડ અર્પણ કરીને તેની સાધનાની વંદના કરવામાં આવે છે.
આજે તલગાજરડામાં ચિત્રકૂટધામ ખાતે ખૂબ ઉત્સાહ ઉમંગથી હનુમંત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ એવોર્ડ સમારોહના માંગલિક પ્રવચનમાં પૂજ્ય મોરારીબાપુએ કહ્યું કે જીવ એ ત્રણ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરે છે. જેમાં તે વિષયી, સિદ્ધ અને સાધક હોય છે. પરમાત્મા કરે કે આપણે વિષય અવસ્થામાં ન જઈએ અને સિદ્ધ થવું એટલે કે ત્યાંથી નીચે આવવાની ભીતી સતત તોળાયેલી હોય છે અને સાધના એ ખૂબ ઉત્તમ અવસ્થા છે.અને કોઈપણ કળાની સાધના કરનાર એક કળાનો સાધક છે.એ રીતે તલગાજરડા એ સાધનાની વંદના કરે છે. હનુમાનજી મહારાજ બધી જ કળાના અધિષ્ઠાતા કહી શકાય તેવા છે. તે સુગ્રીવના સચિવ, માં જાનકીના પુત્ર,તો વિભીષણના ભાઈ, તેવા અનેક સંબંધોને કેવી રીતે સાચવી શકાય તે શ્રી હનુમાનજી મહારાજ આપણને શીખવે છે. અમે આ ઉત્સવ દ્વારા સૌની વંદના કરવાની તક જીલીએ છીએ તેનો આનંદ છે. આપ સૌના પ્રતિભાવો એ પ્રસંશામાં ન બદલાય તેથી તે મેળવતાં નથી.
હનુમાનજી મહારાજ જન્મોત્સવના કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે વિવિધ ક્ષેત્રના તેર મહાનુભાવોની એવોર્ડથી વંદના કરવામાં આવી. જેમાં ૧. શ્રી.સંજય ઓઝા (અવિનાશ વ્યાસ એવોર્ડ) ૨. શ્રી.વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા એવોર્ડ) 3.શ્રી.અજીત ઠાકોર (વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ) ૪. શ્રી ડૉ નિરંજના વોરા (ભામતી, (સંસ્કૃત) એવોર્ડ) ૫. શ્રી સ્વ. કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના એવોર્ડ) ૬. શ્રી ચંપકભાઈ એલ. ગોડિયા (ભવાઈ નટરાજ એવોર્ડ) ૭. શ્રી અમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ, નાટક, નટરાજ એવોર્ડ) ૮. શ્રી સુનીલ લહેરી (હિન્દી ટીવી શ્રેણી,નટરાજ એવોર્ડ) ૯. શ્રી જેકી શ્રોફ (હિન્દી ફિલ્મ-નટરાજ એવોર્ડ) ૧૦. વિદુષી શ્રી રમા વૈદ્યનાથન (ભરતનાટ્યમ,નૃત્ય, હનુમંત એવોર્ડ) ૧૧. ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય, હનુમંત એવોર્ડ) ૧૨. શ્રી.પંડિત રાહુલ શર્મા (સંતુર,શાસ્ત્રીય વાદ્યસંગીત, હનુમંત એવોર્ડ) ૧૩. પંડિત શ્રી ઉદય ભવાલકર (શાસ્ત્રીય ગાયન-હનુમંત એવોર્ડ) ને એવોર્ડ અર્પણ થયાં.
તા. ૪-૪-૨૩ની રાત્રિએ ૮ વાગ્યે પંડિત શ્રી ઉદય ભવાલકર દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ થયું.જેમાં શ્રી ચિંતન ઉપાધ્યાય(ગાયન) અને શ્રી પ્રતાપ અવાડ (પખાવજ) સંગતી કરી. એ જ ક્રમમાં તારીખ ૫-૪-૨૩ની રાત્રિએ ૮ વાગ્યે શાસ્ત્રીય વાદ્યસંગીત શ્રેણી અંતર્ગત પંડિત શ્રી રાહુલ શર્મા દ્વારા સંતુરવાદન પ્રસ્તુત કર્યું જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી સંગતિ કરી.આજે ૬-૪-૨૩ આજે ૮.૩૦ કલાકે શ્રી ચિત્રકૂટધામ ખાતે સુંદરકાંડનો પાઠ થયો.પછી વિદુષી શ્રી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુત કરી.
કાર્યક્રમનું સંચાલન કવિ,ગાયક પ્રો.હરીચન્દ્ર જોશીએ કર્યું હતું.આયોજન શ્રી જયદેવભાઈ માર્કંડે સંભાળ્યું હતું.