ગુજરાત ભાજપ ના ઘણા કરમઠ અને પાયાના કાર્યકરથી નેતા સુધી પહોંચેલા આજે પાર્ટી એ તેમને અડવાણીજી બનાવી નાખ્યા.જેઓ કેશુભાઈ,સુરેશભાઈ મહેતા ની સરકાર ના ભાજપ ના અસલ મંત્રીમંડળ ના સભ્યો અને ધારાસભ્યો હતા…..માટેજ આનંદીબેન પટેલ ભાજપ ની મહિલા વોટ બેંક ના સુપ્રીમો કહી શકાય તેવા ની કોઈ ભાજપ માં આજે ગણના હોય તેવી ક્યાંય દેખાતું નથી…
ભાજપમાં હવે માત્ર પૈસાના જોરે રાજનીતિ અને વ્યવસાયિક ભાજપના સંબંધોની રાજનીતિ થી બનાવેલા સંબંધોને આધારે ભાજપની રાજનીતિ ચાલશે.
ભાજપના ચા વાળા મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બની શકે પણ ભાજપના સાચી પીએચડી કરીને પોતાની સ્કૂલો કે યુનિવર્સિટીઓ ચલાવતા હોય અને હજારો વિદ્યાર્થીઓને ભણાવીને આગળ વધારીને હજારો વાલી મંડળોના આશીર્વાદ લીધા હોય તેવા લોકો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ ન બની શકે એવી નવીન પ્રકારની રાજનીતિનો ભાજપનો આ યુગ શરૂ થયો છે જેની ઉપર ભાવિ પેઢી કેટલો વિશ્વાસ મૂકશે તે હવે આ ચૂંટણીના પરિણામો ઉપરથી ખબર પડશે.
ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ચૂંટણીની બે તબક્કાની તારીખો પહેલી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બર બહાર પડતાં ના 24 કલાકમાં કોંગ્રેસ દ્વારા પ્રથમ 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ની સેન્સ પ્રક્રિયાની રાજ રમત અને સરમુખત્યારશાહી ને વરેલા ભાજપના સુપ્રીમો એવા મોદીજીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવીને ગુજરાત વિધાનસભાના ઉમેદવારો નું લિસ્ટ અને સેન્સ પ્રક્રિયા દિલ્હી મંગાવી લીધી. ભાજપના બીજા સુપ્રીમો અમિત શાહ ગુજરાત કમલમ ખાતે તારીખ 3 4 અને 5 ગુજરાતના 182 સીટ ની પ્રદેશ પાર્લામેન્ટરી નિરીક્ષકોની યાદી અને સમગ્ર રિપોર્ટ ચકાસણી માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી મુખ્ય કોર કમિટીના મેમ્બરો સાથે હાજર રહ્યા.
તમામ રાજકીય દિલ્હી અને ગુજરાતની ગતિવિધિઓ રાજકીય સનિષ્ઠ ભાજપના કાર્યકરો ભાઈઓ અને બહેનો ના તમામ ગણિતને સહાનુભૂતિ કેળવી ને જાણે દગો કર્યો હોય અને ભાજપ જાણે પાયાના સિદ્ધાંતો ભૂલી ગયો હોય અને માત્ર સત્તાનું રાજકારણ ટકાવી રાખવા અને ગુજરાતનું શાસન ટકાવીને કેન્દ્રમાં પોતાની સત્તા ટકાવીને ધાર્યું રાજકીય પરિણામ લાવવા બહુ જ મોટો ખેલ ખેલીને આજે અંતે પાર્લામેન્ટરી બોર્ડના સિનિયર સભ્ય ભૂપેન્દ્ર યાદવ અને કોર કમિટીના સભ્યોની વચ્ચે ભાજપ ચૂંટણીના ઉમેદવારોની 160 સભ્યોની યાદી બહાર પાડવામાં આવી.
આ યાદીમાં સર્વપ્રથમ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ઉમેદવાર તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું નામ જાહેર કરવામાં આવ્યું જેની સામે કોંગ્રેસના સંસદ અમીબેન યાજ્ઞિક ઉમેદવાર તરીકે છે. ત્યારબાદ છેલ્લા બે દિવસમાં રાજકીય ભાજપની ઈજ્જત અને આબરૂ સાચવવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભુપેન્દ્રસિંહ ચુડાસમા આરસી ફળદુ તેમજ અન્ય લોકોને સમજાવી તેમની પાસેથી ચૂંટણી નહીં લડવાના પત્રો લઈ લેવામાં આવ્યા કે અમે ચૂંટણી લડીશું નહીં.અને તે લોકો એ પણ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા લાલચે પત્રો પણ લખી ને ભાજપ ના પ્રદેશ પ્રમુખ ને પહોંચાડી દીધા..
ભાજપની રાજકીય આ કુટ નીતિ એ ભારતીય જનતા પાર્ટીના જનસંઘ થી શરૂ થયેલા ઇતિહાસથી બિલકુલ વિરુદ્ધ ની માત્ર સત્તા ટકાવી રાખવાની રાજનીતિ આ ઉમેદવારોની પસંદગી અને લિસ્ટ જોતા નજરે પડે છે.
182 માંથી 160 ઉમેદવારોની યાદી હાલમાં બહાર પાડવામાં આવી છે અને મુખ્ય 22 સીટોની હજુ જાહેરાત કરવામાં આવી નથી તેમ જ 160 માંથી 14 મહિલા ઉમેદવારો છે 69 ઉમેદવાર રીપીટ કરવામાં આવ્યા છે 38 નવા ઉમેદવાર નવા લેવામાં આવ્યા છે 13 એસસી અને 24 એસટી ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે
ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો દ્વારા માત્ર મોગલ મહમંદ તઘાલઘ ની જેમ રાષ્ટ્રીય અને રાજ્યની સત્તા ટકાવી રાખવા માટે કોઈપણ જાતના પાર્ટીના સિદ્ધાંતો ધ્યાનમાં લીધા વિના 182 વિધાનસભા ની સરમુખત્યાર શાહી ની રીતે સમિકશા કરીને યાદી બહાર પાડવી રહ્યા છે . 2012 ની ચૂંટણી પછી ગુજરાતમાં જાણે સ્ટેમ્પ શાસન શરૂ થયું હોય તેમ પીએમ કાર્યાલય ના લેસન મુજબ જ ગુજરાત સરકાર વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રી પદ નીચે અને હાલમાં ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી પદ નીચે અધિકારીઓ ના ખભે ચાલી રહી છે. કોઈપણ નિર્ણય બાબતે માત્ર પીએમ કાર્યાલય અને મોદીજી અને અમિત શાહ વિના કોઈ ડગલું પણ ભરે નહીં તેવી પરિસ્થિતિનું સર્જન હાલમાં ભાજપમાં જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીના પાયાના શ્રી જય નારાયણ વ્યાસ નું રાજીનામું પણ તત્કાળ મંજૂર કરી દેવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી એ ગ્રામ્ય વિસ્તારોની અંદર કંઈ ઉકાળ્યું હોય તેવું લાગ્યું નહીં કે ભાજપના કાર્યકરો સ્થાનિક નેતાઓએ પણ ઉકાળ્યું હોય તેવું લાગ્યું નહીં જેથી કોંગ્રેસના આયાથી ઉમેદવારોને સીધા ભાજપમાં લાવીને તેમને સીધી ટિકિટો આપીને ભાજપ સત્તાની ધૂરા સંભાળવા માંગે છે તેમજ દબંગ ઉમેદવારો વિશે અનેક ટિપ્પણીઓ કરી હોવા છતાં પણ તેમને ટિકિટ આપીને ફરી તેમનો ઉભરો ભાજપે શાંત કર્યો છે.અને તેમની વોટ બેંક ભાજપ માં ટકી રહે તે માટે તેમની સાથે પણ સમાધાન કર્યું છે.
એક દાખલો જોઈએ તો તાપી જિલ્લામાં જેની વસ્તી 15% પણ નથી તેવી જ્ઞાતિના મહેશ કોંકણી ને ટિકિટ આપીને ત્યાંના સમગ્ર ગામિત સમાજને અન્યાય કર્યો છે અને તે વિસ્તાર આખો ગામીત સમાજે જ ભાજપનું પૂર્ણ અસ્તિત્વ મહિલા નરેત્વુત્વ ના આધારે ટકાવી રાખ્યું છે છતાં તેમને ન્યાય મળ્યો નથી.
ભાજપના દબંગ નેતાઓમાં પબુભા માણેક ,બાબુભાઈ બોખરીયા, જેઠાભાઇ ભરવાડ,હીરા સોલંકી. પુરુષોત્તમ સોલંકી,ગણપત વસાવા જેવા લોકોને જ્ઞાતિ વોટ બેન્ક ટકાવી રાખવા માટે ફરી પાછી ટિકિટો આપી છે.જેની બહુજ ખરાબ અસર જનતામાં જોવા મળે છે.
ગત 2017 ની ચૂંટણીમાં ભાજપનો રથ 100 સીટ પણ કરી શક્યો નહોતો અને 99 સીટ થી સંતોષ માનવાનો વારો આવ્યો હતો પરંતુ શંકરસિંહ વાઘેલા જી ની સમજણ અને તેમની સાથે કોઈક રાજકીય સોખટા ગોઠવીને કોંગ્રેસના આયાતી અસરકારક ઉમેદવારોને લઈને ભારતીય જનતા પાર્ટીની સત્તા બનાવવાનો વારો આવ્યો હતો. આ બાબતથી સમગ્ર ગુજરાતની બુદ્ધિજીવી જનતા અજાણ નથી. એટલે એવું ચોક્કસ કહી શકાય કે હવે પછીનો ભારતીય જનતા પાર્ટી નું સમગ્ર સંગઠન અને તેના સમગ્ર વિભાગો અને તેના મુખ્યઓ બધા જ ભાજપની સ્ટેમ્પ યુનિવર્સિટીમાં પાસ થઈને ભાજપનું શાસન ચલાવશે તેવું આજકાલના ભાજપમાં પ્રવેશેલા ને આપવામાં આવેલી જવાબદારીઓ ઉપરથી જોઈ શકાય છે કે જેઓ ભાજપના જૂના કરમટ કાર્યકરોને પણ ઓળખતા નથી.
માત્ર શાસક સરકાર ના 90% આધાર ઉપર શાસક પક્ષ જાણે પ્રજાએ આંખે પાટા બાંધ્યા હોય તેવું સમજીને ચૂંટણીઓ લડીને જીત હાંસલ કરીને સત્તા ટકાવી રાખવામાં માગતો હોય તેવું જોવા મળે છે.
ભારતીય જનતા પાર્ટી ગ્રામ્ય વિસ્તારોમાં અને મધ્યમથી નીચે જીવન જીવતા વિસ્તારોમાં પોતાની બનાવટી વિકાસ યાત્રાનો કોઈ પ્રભાવ પાડી શકી નથી જેના કારણે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને ગુજરાતમાં નવી પ્રવેશેલી આમ આદમી પાર્ટી તેના સંમેલનો અને રોડ શોમાં હજારો લોકોની મેદની જોવા મળે છે અને તે ચિત્ર જોતા જાણે ભાજપ ગભરાઈ ગઈ હોય તેમ જીતી શકે તેવા ઉમેદવારોનિં પસંદગી ભારતીય જનતા પાર્ટીના કોઈપણ જાતના સ્ટાન્ડર્ડ s જાળવી શકે તેવું ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી છતાં તેઓના સમાવેશ કરવામાં આવ્યા.. ભારતીય જનતા પાર્ટી તેના સમગ્ર કાર્યક્રમ સમગ્ર યોજનાઓને પ્રજામાં વિકાસ રૂપી બતાવવાની નીતિ અને રીતિયો અને તેનો પહેરવેશ અને તેની વેશભૂષા ની ઝાંખી માત્ર મહાનગરોમાં જોવા મળે છે ક્યાંય ગ્રામ્ય માં પ્રભાવ નથી..માત્ર ગ્રામ જનો ને ભીડ એકઠી કરવા ઉપયોગ થાય છે. અને જેને ગોદી મીડિયા ને સમજાવીને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે પરંતુ આ બધી જ બાબતો હવે ગુજરાતની જનતા ૨૦૧૨ થી ૨૦૨૨ સુધી ની શાસક સરકાર ની સમગ્ર જુઠ્ઠાણા ની પદ્ધતિથી સમજી ગઈ છે જેથી આ વખતે ભારતીય જનતા પાર્ટી 100 અથવા 110 થી વધારે સીટો મેળવી શકે તેવું ક્યાંય દેખાતું નથી અને આમ આદમી પાર્ટીનો વિધાનસભામાં બે ચાર બેઠકોથી પ્રવેશ થાય તો પણ કંઈ નવાઈ લાગે તેવું નથી પરંતુ મોટાભાગના સ્ટેમ્પ જેવા જીતેલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળશે તે નક્કી છે અને સરકાર બનશે તો પણ હજુ બીજા પાંચ વર્ષ સુધી પણ ગુજરાતની જનતાએ કેન્દ્રથી ચાલતું સ્ટેમ્પ શાસન જ જોવું પડશે તે પણ નક્કી છે.
ભારતીય જનતા પાર્ટીના તાજેતરના સુપ્રીમો નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે ગુજરાતમાં આવીને જે રીતના ભાષણો રોડ શો કરીને જે રીતની અહમની સરમુખત્યારશાહી નું શાસન હોય તેવી રાજનીતિ બતાવી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીના સાચા ઇતિહાસ પ્રમાણેની કોઈ રાજકીય રણનીતિ છે નહીં માત્ર હિન્દુ કાર્ડ અને સહાનુભૂતિ થી સત્તા મેળવીને પોતાનો અહમ સંતોષી રહ્યા હોય તેવું જ માત્ર દેખાય છે કેમકે ચોથી જાગીરના પણ સાચા અને તટસ્થ મીડિયાઓ પણ હાલમાં આ લોકોના ભગવા કાર્યક્રમો કે પ્રદર્શનમાં જોવા મળતા નથી કે તેમના પોતાના મીડિયાઓમાં પણ સત્યતા લખી શકે તેવી કોઈ પરિસ્થિતિ પણ ક્યાંય ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં દેખાતી નથી.કેમકે હાલમાં ભાજપ ના રાષ્ટ્રીય મોદીજી થી માંડી અમિત શાહ સુધી ના નેતાઓ માત્ર સિલેક્ટ મીડિયા ને નક્કી કાર્ય મુજબ પ્રસિદ્ધિ માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે .કોઈ પત્રકાર તેમને પ્રશ્ન પૂછે તે તેમને ગમતું નથી એટલે મીડિયા ની સામે આવતા તેમને બીક લાગે છે .કેમકે જુઠ્ઠાણાં ના ઈતિહાસ ભાજપ રચી રહ્યું છે..
નવા નિશાળીયા જેવા ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પ્રવૃત્તિઓમાં જોતરાયેલા લોકો જાણે ભાજપ ની સ્ટેમ્પ યુનિ માં ભાની ને આવ્યા હોય તેવું લાગે છે.
ભાજપ આ વખતે કોઈ વિકાસ માં મુદ્દે જાહેરાત કર્યાં મુજબ ચૂંટણી લડી શકે તેવું યાદી ઉપર થી લાગતું નથી.માત્ર જાતિ વાદ ની વોટ બેંક કેવી રીતે હાસલ કરી શકાય તે મુજબ ટિકિટ ફાળવણી કરવામાં.આવી છે….આદિવાસી સમાજને કેન્દ્ર થી રાજ્ય સુધી પ્રભુત્વ આપી ને ટિકિટ ની પણ તે રીતે ફાળવણી કરવામાં આવી છે જ્યારે ભાજપ ની સત્તા ટકાવી રાખવામાં પાટીદાર સમાજનો અને બ્રાહ્મણ સમાજનો મુખ્ય આધાર હોવાથી આ બંને સમાજના લોકોને પણ પૂરતા પ્રમાણમાં ટિકિટોની ફાળવણી કરવામાં આવી છે જ્યારે ચાર ચોપડી થી માંડીને 12 ચોપડી ભણેલા અભણ લોકોને પણ માત્ર જ્ઞાતિ બેંકની વોટ બેંક જાળવી રાખવા માટે ટિકિટો આપેલી છે સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે 2012 થી 2022 સુધીનું શાસન તે માત્ર અધિકારીઓના ખભે સરકારો ચાલી છે કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા કે કોઈ તેનું પ્રતિનિધિ મંડળ ખરેખર પોતાની સુજબુજ અને બુદ્ધિથી ગુજરાતનો વિકાસ કર્યો હોય તેવું ક્યાંય કશું દેખાતું નથી માત્ર પંચવર્ષીય યોજનાઓના ભાગરૂપે બ્યુરો ક્રેટ દ્વારા મૂકવામાં આવેલા વસ્તીના પ્રમાણેના પ્રોજેક્ટ હાલમાં ગુજરાતમાં જોઈ શકાય છે. નરેન્દ્ર દામોદરદાસ મોદી દ્વારા સી પ્લેન જેવા ફ્લોપ પ્રોજેક્ટ તેમજ વાઇબ્રન્ટ ગુજરાત જેવા ફ્લોપ પ્રોજેક્ટની આંકડાકીય રાજ રમતો થી પણ આ ગુજરાતની પ્રજા છેલ્લા 27 વર્ષથી અજાણ નથી આ બાબત પણ આ વખતે ચૂંટણીના પરિણામો ઉપર ખૂબ મોટી અસર કરે તો નવાઈ નહીં અંતમાં એટલું જ કહીશ કે ગુજરાતની બુદ્ધિજીવી અને ગ્રામ્યની પ્રજા આ વખતે ચૂંટણીના પરિણામો ઉપર બહુ જ મોટી અસર કરશે અને ના ધાર્યા પરિણામો આવે તો પણ નવાઈ નહીં.ગુજરાત સરકાર નું દેવું ભાજપ નક્કી વિકાસ બતાવી ચાર લાખ કરોડ થી વધારે કરી નાખ્યું છે જે બુદ્ધિજીવી જનતા જાણે છે .આ અભણ મંત્રીઓ શું સાચી સેવા કરવા સરકાર માં આવે? સ્કૂટર સને 15 વર્ષમાં આજે ઓડી અને bmw જેવી ગાડીઓ લઈને ગાંધીનગર આવતા જોવા મળે છે અને તેમની રીત ભાત ઉપરથી પણ તેમની અસિક્ષિતતા દેખાઈ આવે છે.ગુજરાત માં આવેલ ૨૭ વર્ષ ના શાશન ની અનેક કુદરતી આફત માં ભાજપ શાશન માં પ્રજાએ શું ભોગવ્યું અને કેટકેટલી જાન લોકોએ ગુમાવી તે પણ પ્રજા જાણે છે.. તાજેતરમાં બનેલી મોરબી હોનારતમાં સ્થાનિક નગરપાલિકાના ચીફ ઓફિસર અને બીજા નાના કર્મચારીઓ ને સસ્પેન્ડ કરીને સરકારે સંતોષ માન્યો છે પરંતુ મોરબી દુર્ઘટનાના મુખ્ય ગુનેગાર એવા ઓધવજીભાઈ ઉદ્યોગપતિના પરિવારના મનસુખભાઈ પટેલ રડારમાં હોવા છતાં તેમને સરકારે પકડી નથી અને માત્ર રાજકીય સંબંધો જાળવી રાખવાનો વેપલો કર્યો છે હવે ચૂંટણી પછી કોઈ નાટક કરીને બતાવે તો નવાઈ નહીં. આ બાબત પણ જાણતા સારી રીતે જાણે છે..આ વખતે અપક્ષ પણ ક્યાંક ચૂંટાઈ આવે તો નવાઈ નહી. ઘણા ભાજપના ઉમેદવારોને ભાજપના જ લોકો આંતરિક રીતે હરાવે તો પણ ક્યાંય નવાઈ લાગે તેવું દેખાતું નથી.
જન ફરિયાદ ન્યુઝ ચેનલ, ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ news પોર્ટલ જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક તંત્રી પ્રદીપ રાવલ. ગાંધીનગર
(આપની આસપાસ બનતી ઘટનાઓ ના સમાચારો વિડીયો અમોને નિર્ભય રીતે પ્રસિદ્ધ કરવા માટે મોકલી આપો. Whatsapp નંબર 98246 53073)