[7/23, 7:11 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO 0081
*વિષય : સંગીત, સુરાવલી*
*પ્રકાર: ગદ્ય*
*શીર્ષક : સંગીતનો અસબાબ*
*શબ્દો: ૩૪૬*
સંગીત એ કોઈ પણ દેશ, ધર્મ કે જાતિનો ઇજારો ન હોઈ શકે,એ તો દિલને સ્પર્શી શાતા,આનંદ અને હૂંફ આપનારું હોય છે. નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સંગીત વિશે અણગમો દાખવનાર કોઈ ભાગ્યે જ મળે.હા,સૌની પસંદ વેગવેગળી હોઈ શકે પણ એને નકારનાર તો કદાચ કોઈ વીરલો જ હશે.
ભારતીય સંગીતનાં મૂળ વેદોમાં છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીએ સંગીત નારદ મુનિને વરદાનમાં આપ્યું હતું.વૈદિક કાળમાં સામવેદનાં મંત્રો,સાતેય સૂરોનાં પ્રયોગ સાથે ઉચ્ચારવામાં આવતાં.
માનવે પહેલું સંગીત પ્રકૃતિમાંથી જ પામ્યું હશે.ઝરણાનો ખળખળ અવાજ, વહેતાં વાયરાનો ગણગણાટ કે પછી પંખીઓની મીઠી બોલી.. એનાં અશાંત મનને ક્યાંક સ્પર્શી ગયાં હશે અને એનો સંગીત સાથે પ્રેમસંબંધ બંધાયો હશે. સંગીત ઉદ્વિગ્ન મનને સૂકુન અને સુષુપ્ત મનને ચેતના આપે છે.
સાધના કરતી વખતે પણ ચિત્ત સ્થિર કરવા એક ધીમા સુમધુર સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે.મનને ઝંકૃત કરે એ સંગીત,પછી એ શાસ્ત્રીય હોય,ફિલ્મી હોય કે પાશ્ચાત્ય હોય.સંગીતના સાત સૂરોને આ રીતે સમજીએ તો!
સા—સારપ,શુભ કે સુંદરતા
રે—- રેખા જેવું સરળ
ગ —-ગમ ખાતાં શીખવે, જતું કરવું
મ —- મૃદુતા ,વાણી અને વર્તનમાં
પ—- પુરુષાર્થ અને પર માટે કરૂણા
ધ — ધન વૈભવની અતિશયોક્તિનાં મદથી બચવું
નિ– નિજને પ્રેમ કરવો
સા— સાલસ અને સમભાવ રાખનાર બનવું
ધીમું,મધુર સંગીત કેટલાંક રોગની સારવાર તરીકે વપરાય છે.હ્રદયરોગના અમુક પ્રકાર, માઇગ્રેન, અશાંત મગજ, સાંધાના રોગ,ઓછી રોગ પ્રતિકારક શક્તિ,ઓટો ઈમ્યૂન ડીસીઝ જેવાં ઘણાં રોગ પર સંગીતની સકારાત્મક અસર વિશે સંશોધન થયું છે.
સંગીત તો જન્મથી લઈ મૃત્યુ સુધી આપણાં જીવનમાં વણાયેલું છે.હા, મૃત્યુ વખતે લયબદ્ધ સ્તવન,પાઠ કે ત્યાર બાદ રૂદાલિ પણ એક વ્યવસ્થા છે જે લયબદ્ધ રીતે કરૂણ ભાવના જન્માવે.દરેક નાનાં પ્રસંગની ખુશાલી , તહેવાર કે ઉજવણીમાં સંગીતનું આગવું સ્થાન છે.
સંગીત શીખનાર, વાજિંત્ર વગાડનાર કે સાંભળનાર પર સંગીત એક અનોખી અસર ઉપજાવે છે. એનાં લીધે બુદ્ધિમત્તા વિકસે અને ધીરજ તથા કરૂણાનો આવિર્ભાવ થાય છે.વર્ષો પહેલાં જગદીશચંદ્ર બોઝે સંગીતની વનસ્પતિ પર અસર વિશે સંશોધન કરી સાબિત કર્યું કે તેમને સંવેદના હોય છે. એ જ રીતે આપણે પાળેલાં પશુ કે પક્ષી પણ સંગીતને માણે છે. દૂધાળુ પશુઓ સંગીતની અસરથી વધુ દૂધ આપ્યાનું નોંધાયું છે.
આપણે તો બેપગા માનવ,આવો સંગીતને જાણીએ,
” ખુશ હોઈએ ત્યારે એનો લય,નાખુશ હોઈએ ત્યારે એનાં શબ્દને માણીએ!”
✍🏻©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[7/23, 9:58 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S. S. No. 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- સંગીત, સૂર,સુરાવલી.
પ્રકાર:- ગદ્ય. ( લેખ. )
શીર્ષક:-. સંગીત.
તારીખ:- ૨૩/૭/૨૦૨૨. શનિવાર.
રચના:-
સાત સૂરોથી રચાયેલું સંગીત મનને આનંદિત કરે છે.
સૌ પ્રથમ ભગવાન શિવજીના ડમરુ માંથી સંગીતના સૂરો ઉત્પન્ન થયા હતા. તે મહાન સંગીતકાર હતા . શ્રીકૃષ્ણ,હનુમાનજી,રાવણ સંગીતકારો હતા.સામવેદમાં સંગીત રચનાની ખૂબ માહિતી છે.
સંગીતના અનેક પ્રકારના સાધનો છે,તેના દ્વારા ઉત્પન્ન થતું સંગીત મનને નવી શક્તિ આપે છે.
સંગીતના જુદા જુદા અનેક પ્રકારના ઘરાના છે, અને તેની દરેકની અલગ અલગ વિશેષતાઓ હોય છે.
સંગીતના સાધનો દ્વારા,અને મૌખિક રાગો દ્વારા જુદા જુદા સમયે ગાયન ,વાદન, જુદા જુદા સમયે ગાવામાં આવેછે.તેની માનવજીવન પર અસર થાયછે.
અલગ અલગ પ્રકારના રાગ ગાઈ અને માનવ શરીરના રોગો પણ દૂર કરવામાં આવે છે.
વિદેશમાં અને ભારતમાં અનેક સંગીતકારો પ્રસિદ્ધ છે. કલ્યાણજી, આણંદજી, મદનમોહન,જેવા અનેક સંગીતકારોએ પોતાની વિશેષ ધૂનો બનાવી અને આજે પણ વર્ષોથી લોકોના મનમાં ગુંજે છે.
બિસ્મિલ્લાખાનનું શહનાઈવાદન તેમજ સંતૂર, વીણા , બંસરી તબલા વાદન , તેમજ અનેક સાધનોમાં ભારતના અનેક વાદ્ય કલાકારો પણ ખૂબ પ્રસિદ્ધ છે.
ગીત ગાવા વાળા પણ અનેક લોકો છે તેમાં લતા મંગેશકરનું નામ કદી ન ભૂલી શકાય તેવું છે. બીજા અનેક ગીતકારો છે જે લોકોને પોતાના સંગીત દ્વારા આનંદ આપે છે.
કવિ પ્રદીપજી, શકીલ બદાયુનિ અને બીજા અનેક કવિઓએ સુંદર ગીતો લખીને આજે પણ નામના મેળવી છે અને આજે પણ આ ગીતો આપને જીવંત લાગે છે.
જે કલાકારો ઉપર ગીતોનું ફિલ્માંકન થયુંછે તેમાં દિલીપકુમાર,રાજકપૂર ,નરગીસ ,મીનાકુમારી,રેખા, અમિતાભ બચ્ચન,અને આજ સુધીના કલાકારો ,અને અનેક નવી અને જૂની ફિલ્મો દ્વારા ગીતકાર સંગીતકાર અને સંગીતના વાદ્યકારો ને અમર બનાવી દીધા છે.
ભારતીય સંગીત સૂર સુરાવલીની આજે દુનિયામાં ખૂબ જ નામના છે.
લેખક:- રતીલાલ વાયડા
નવીમુંબઈ
૨૩/૭/૨૦૨૨. શનિવાર.
[7/23, 10:31 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૧૩
નામ ઘનશ્યામ વ્યાસ
વિષય સંગીત, સૂર,
સૂરાવલી
પ્રકાર ગદ્ય
શીર્ષક સુરાવલી
તારીખ ૨૩/૦૭/૨૨
સંગીત સુર અને સુરાવલી
સંગીત ખરેખર માણવું
હોય તો મંદિરની બહાર
કોઈ બેન કે ભાઈ ભગવાનની સ્તુતિ કરતાં
હોય એને સાંભળો, ટ્રેનમાં
કોઈ આંધળો માણસ ભજન ગાતો હોય એને
સાંભળો,અને તમે એના તાલ અને લયમાં ઓતપ્રોત થઈ જાઓ તો
ખબર પડશે કે સંગીત કોને કહેવાય. બાથરૂમમાં
તમારા પત્ની ભજન ગાતા હોય એને સંગીત
કહેવાય નહીં કે તમે
૫૦૦ રૂપિયાની ટીકીટ લઈને કોઈ સભાગૃહમાં
સંગીત સાંભળવા જાઓ.
એ લોકો પૈસા લઈને
સંગીત વહેંચે છે.
તમારે સૂર સાંભળવા છે
તો રસ્તા પર કોઈ
છોકરો હાથમાં બે પત્થર
પકડીને ચપટી વગાડી
ને જે સૂર ઉત્પન્ન કરે છે
અથવા કોઈ ભીખ માગતી છોકરી તૂટેલા
તબલા પર જે થાપ મારે છે,કોઈ કોયલ વગર
પૈસે ટહુકો કરે છે એને
તમે સાંભળો તો ખબર
પડે કે આ વગર સંગીતના ક્લાસ ભરે કેવું
સરસ વગાડીને સંગીતના
સૂરોનું સમતુલન કરે છે.
સૂરાવલી જો ખરેખર
માણવી હોય તો અસાઈત
વાળા ભવાઈ કરનારા જે
ભૂંગળ વગાડે છે, દક્ષિણના મંદિરમાં કોઈ
શહાનાઈ વગાડે અને
શંકરના મંદિરમાં કોઇ
ડમરૂ વગાડે કે કોઈ
શંખ વગાડે એને તમે
સાંભળો તો ખબર પડે
સૂરાવલી કોને કહેવાય ?
અને આ ત્રણેનો સંગમ
જ્યારે જોવા મળે કોઈ
ડાયરામાં ત્યારે એ
સમન્વય અદભૂત કહેવાય.
મોહન તારી મુરલી
શંકર તારું ડમરૂ
માતાજી તમારી સ્તુતિ
અને શ્રીજીની આરાધના,
આમાં જ સંગીત,સૂર,સૂરાવલી
મળી જાય, ક્યાંય જવાની
જરૂર ન રહે .
ઘનશ્યામ વ્યાસ
“શ્યામ”
[7/24, 8:48 AM] Varshaben Desai.MEM.Baroda: NOG SS NO. 0097
વિષય: સંગીત
પ્રકાર : ગદ્ય
શીર્ષક : સંધ્યાનું સંગીત
સંગીત સંધ્યાનું આયોજન સાંજે કે રાત્રે જ થતું હોય છે.
કોઈ પણ સિઝનમાં વાતાવરણમાં વધતી ઓછી ઠંડક હોય જ છે સાથે શાંતિ અને શબ્દોની સૂરાવલી સાથે વાદ્યો ની સંગત એ વાતાવરણને માદક નહીં પણ આહ્લાદક બનાવે છે. શબ્દોની સૂરાવલી સાથે લય-તાલ, આરોહ-અવરોહ સંગીતને એક ઢાળ આપે છે. સાથે જુદા જુદા વાદ્યોની સંગત સંગીતને સુરીલું બનાવે છે.જીવન પણ એક સંગીતછે.આવતીમુશીબતો,આરોહ-અવરોહ છે. તો આપણે મુસીબતોમાંથી માર્ગ કાઢવા અપનાવેલ જુદા જુદા રસ્તા ઓ સંગીતના સાધનો છે.જે આપણા જીવન સંગીતને સુરીલું બનાવે છે.
ઢળતી સંધ્યાએ,જીવન દરમ્યાન,આપણા દ્વારા જુદા જુદા પડાવ પર રચાયેલા સંગીતને આપણે માણવાનું છે.આપણે જ આપણા જીવનની ડીઝાઈન-જાણતા કે અજાણતાં નક્કી કરી હોય છે.કેટલીક વાર આપણી અનિચ્છા કે ઈચછા ને ગણકાર્યા સિવાય સંજોગોને આધીન આપણું જીવન કંડાર્યું હોય છે.ત્યારે સફળતા નિષ્ફળતા, મેળવ્યું ગુમાવ્યું કે કરવાનું રહી ગયું જેવું સરવૈયું કાઢવા જીવનની સંધ્યા ટાણે આપણે નથી બેસવાનું.ફકતને ફક્ત બધી પ્રવૃત્તિઓમાંથી ગરિમા પૂર્ણ નિવૃતિ લઈને આપણાં વિતેલા જીવનસંગીતનૈ સાંભળવાનું છે સંવારવાનું નથી. જે હતું એ અને જે છે એ સ્વીકારીને નિજાનંદમાં મસ્ત રહી કોઈને પણ નડ્યા સિવાય નિવૃતિને દીપાવવાની છે અને સંધ્યા નું સુરીલું સંગીત સાંભળતા સાંભળતા આપણી જાતને સંભાળવાની છે
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-ઓસટ્રેલિયા
[7/24, 2 PM] Babu Sangada.પત્રકાર: NOG.109
શિર્ષક : સૂર
પ્રકાર :-પધ
એક સૂર આરપાર નીકળી ગયો,
વીંધી મને સરસર નીકળી ગયો.
શર્ણાયો એકધારી વાગવા લાગી,
આંગણે અવસર એવો ધરી ગયો.
જાબુખંડથી દિવ્ય એકધારું વ્હૈ,
જાણે વસંત તરબતર કરી ગયો
ચોમાસું થઈ વરસે ટપટપ નેવે,
આંખમાં એવું ધાર ધરી ગયો.
પડઘમ પડયા કરે રાતદિવસ”મહેક”
ખબર નહી સૂર એ દિલ કરી ગયો.
બાબુ સંગાડા”મહેક”
[7/24, 2:23 PM] Chaitali Joshi.Samaaj: NOG SS No.118
પ્રકાર: પદ્ય
વિષય: સૂર,સંગીત અને સૂરાવલી
શીર્ષક: જીવન સંગીત
સાંભળતો રહયો તું મારા શબ્દોને..!!
ઓળખી લેવું હતું કયારેક મારા મૌનને પણ…!!
કંઇ કેટલીય ‘તારી’ લાગણીઓનો શોરબકોર ભરેલ છે..!!
ને કંઇ કેટલીય ‘તારી’ સાથેની ક્ષણોની જીવંતતાનું ‘સંગીત’ ‘સાતત્યતા’થી વહેતું રાખ્યું છે…!!
ઓળખી લેજે કયારેક…કોઈકવાર..
‘તારા’ શ્વાસમાં ભળીને આવતી મારી સંવેદનાની ‘સૂરાવલી’ને…!!☘🌷🦋
અમદાવાદ -ચૈતાલી જોશી
[7/24, 2:47 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષય*ઃ સૂર સંગીત સુરાવલી*
*પ્રકાર*ઃગદ્ય (વાર્તા)*
*શબ્દો*૩૦૦*
*શીર્ષક*ઃસરગમ*
રોશી ને સોહાની દીકરી જન્મી ત્યારથી જ થોડી પગે ખોડ લઈને જ જન્મી હતી. દાદા પ્રતાપસિંહની લાડકવાયી હતી. તેનું નામ સરગમ પાડ્યું હતું. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ થોડા વધુ લાડ અને પગની ખોડને લીધે ચિઢિયણ થઈ ગઈ હતી. શાળામાં પણ તેને બીજા માળે ઊંચકીને લઈ જવી પડતી. તેને જીવન થોડું કઠિણને અઘરું લાગતું હતું.દાદા તેને પાણી માંગે તો દૂધ હાજર કરતા પણ તે કદી કોઈને ક્યારેય માન સન્માનથી ન જોતી કે કોઈની કદર ન કરતી.
એકવાર પોતાના કુટુંબ સાથે રહેવા જવા માટે દાદાએ પચંગિનીમાં બંગલો ભાડે કરી લીધો હતો.ત્યાં બાજુમાં જ એક બીજું કુટુંબ પણ રહેવા આવ્યું હતું. તેનો દીકરો વ્હીલચેર પર જ ફરતો હતો જાણવા મળ્યું કે તે પગ લઈને જન્મ્યો હતો પણ શરીર કરતાં તે ખૂબ જ નાના હતાં. તે એટલો આનંદી હતો કે સરસ રમુજી ટુચકા કહેતો પોતે હસતો ને બીજાને પણ હસાવતો. તેમાં ઘરમાંથી જાત જાતના સૂર રેલાતાં. આ સાંભળી સરગમ ગુસ્સે થઈ જતી. દાદાથી ન રહેવાયું તેઓ ત્યાં ગયાં જોયું તો દીકરો એ સંગીતમાં એટલો લીન થઈ ને આનંદ ઉઠાવી રહ્યો હતો કે તેને કંઈ કહેવું અયોગ્ય લાગ્યું.
થોડા દિવસમાં સરગમ અને સ્વર મિત્રો બની ગયાં. બન્ને સમદુખિયા હતાં. સ્વરને ત્યાં તે હાથમાં પહેરેલી ઘોડી લઈ ધીરે ધીરે ચાલીને જવા લાગી. સરગમને સૂર-સંગીતની સુરાવલી આર્કષવા લાગી. સ્વર તેને સંગીતનું સરસ જ્ઞાન આપતો. રોશી , સોહન ને દાદા ધીરે ધીરે સરગમમાં આવતો બદલાવ જોતા રહ્યાં.એક દિવસ બાઈ તેને સ્નાન કરાવી બહાર લાવી તો સરગમે જાતે કપડાં પહેરવાની જીદ કરી અને ખરેખર તેને જાતે તૈયાર થયેલી જોય ઘરમાં જાણે લાખો અગરબત્તીની સુવાસ ફેલાઈ ગઈ.
એક સવારે દાદાના મંદિરમાંથી મીઠો સૂર નાના માઉથઓર્ગનમાંથી નીકળી રહ્યો હતો અને એક સુંદર
પ્રાર્થના ગવાય રહી હતી સુંદર સંગીતમય સુરાવલીમાં
*ઈતની શક્તિ હમે દેના દાતા…* ઉંબરા બહાર દાદા ને રોશી ને સોહાની આંખોમાંથી હર્ષના આંસુ વહી રહ્યાં હતાં.સ્વરે સરગમની જિંદગીનાં સૂર બદલી નાંખ્યાં હતાં.
દાદાએ વિચાર્યું કે *સૂર, સંગીત ને સુરાવલી કેવા ઔષધ રૂપી હોય છે કે ગમગીન માણસ પણ આંનદમયી બની જતો હોય છે*
*જયશ્રી પટેલ*
*૨૪/૭/૨૨*
[7/24, 3:37 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા ગૃપ (૧)
વિષય: સંગીત સૂર સુરાવલી.
પ્રકાર: હાઈકુ
શીર્ષક: ” અલ્પ મા અતી ”
શબ્દૉ:૧૧૯.
©️ જયકાન્ત ઘેલાણી -“પ્યારે”.
પ્યારે’ સૂરમાં
ખીલે સોળે કળાએ
છંદ- કવિતા.
દૂહા ભજન
જામે અંધારી રાતે
હોયજો સૂર !
હોય ! સંગીત
જાણતો સૂરાવલી
તેજ સમ્રાટ.
સ્વર, સમુદ્ર
મેઘધનુષ્ય, કોઠા
ગણત્રી સાત.
સૂર સંગીત
ને જાણે સૂરાવલી
ગાયક રાજા*.
પ્રભાતિયા ને
હેલો* ભજન-છંદ
જામે રાગમા.
સૂરે ગવાઈ
છંદ દૂહા કવિતા
મૃત* સજીવ !.
[7/24, 5:10 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય-સૂર- સંગીત -સુરાવલી.
પ્રકાર – પદ્ય મૌલિક.
તા – ૨૪/૭/૨૦૨૨
………………………………..
આજ અનોખીને સોનેહરી કિરણોની પડી સવાર..!
પેલો સમીર લહેરાઈ મંદમંદ લહેરખી વગાડતો..!
પેલી ઝાંકળ પુષ્પ પર મોતી સમી ચમકે ડોક્યાં કાઢે..!
મારી સામેને સૂર સંગીત છેડે..!
આસમાનમાં ઉડતાં પરિંદા ધીમે અવાજ કરતાં..!
પર્વત પરથી વહેતાં પાણી ખળખળ પથ્થરથી ટકરાતાં થાતો સંગીતમય દ્વન્દ્વ..!
કુવે પાણી ભરતી પનિહારીઓ બેડલાને ,
વાગતો મધુર ઝાંઝરનો રણકાર..!
કોયલનો મીઠો ટહુકોને મીઠી સંગીત મય વાણી.!
જેમ પેલાં ભમરાનું મધુકર સાથેનું ગુંજન કરે રક્તવર્ણા કેસરી કેસુડાનાં પુષ્પો સંગ..!
સપ્તસૂર છેડે પોપટ , ચકલાં, મોર પણ મંડી પડતા સુર લેવાં..!
મહેફિલ સજાવતા નવરંગી..! પ્રિય મને ગીત ગણગણવા દેને તારા પ્યારનું..!
પ્રકાશ ફેલાવવા દે તારી પ્રીતનું ઘંટારવ બની ગુંજુ તારી જિંદગીમાં..!
તારી પ્રીતડી બનીને ગાયા કરું..!
પ્રેમનાં ગીત સંગીતમાં ડોલું હું તારી સાથે સંગીતને મહેફિલ સજાવું..!
મને કવિતા ગમે કેમકે મને મારી ભાષા ગમે છે..!
એ ચિત્ર મારી જીવનનું સંગીત બને ..!
ફુલ ઝૂકે ડાળ પર એમ હું ગુન ગુનાવુ સંગીત શબ્દોનાં શ્વાસ દ્વારા..!
મેહુલિયાનાં સુરીલા સંગીત છેડાવે પ્રણય..!
મૌન થયેલાં હોઠની મૌનમય સંગીત રચાય ..!
કેટલી તમન્નાઓ જાગેને પેલાં સૂરજ ઢળ્યા પછી રાહ જોવું દરવાજા પર..!
ધડકતા દિલનો રણકાર સંગીતમય વાગે પિયુ તારા માટે..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
********************************
Janfariyadnews.com (chenal link )
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0fRrYyt9pWqqUoi5cnvUtbg2aen2CEeQx6oHMErGZevNhtsN9raBET4jueiE5FwoGl&id=100027322995343