[6/6, 7:58 PM] Pradip: https://youtu.be/HTcK9MD7Pe8
[6/6, 8:00 PM] Pradip: https://youtu.be/EUDmoM8hhRU
[6/6, 9:26 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
પ્રકાર: પદ્ય
વિષય :અંતર મનની આશા
શીર્ષક :તમારી યાદ
તમે છોડી ને ગયા પછી
હું મારી જાતને શોધતો રહ્યો
તમારા શબ્દે શબ્દોમાં હું
આ દિલને ઢંઢોળતો રહ્યો.
પણ તમારી સ્મૃતિ હવે
મને સતાવતી નથી.
તમારા શબ્દો હવે મારા
મનમાં વલોવાતા નથી.
તમારા શબ્દોની શોધમાં
મારી જાત,મારું મૌન
મારી એકલતા, મારું એકાંત,
ભટકાઈ ને અટવાઈ ગયું.
બસ હવે નિજાનંદ માટે મેં
અંતર મનથી આશા કરી.
રામ શ્યામ ઘનશ્યામ માં
દિલ પરોવવા પ્રાર્થના કરી
ઘનશ્યામ વ્યાસ.
[6/6, 4:03 PM] Mina Mangroliya.MeM.NOG: NOG.S.S NO OO32
વિષય: અંતરમનની આશા
શીર્ષક:*અંતર મન*
મારું અંતર મન મૂક્યું એકાંતને વગડે,
એકલતાને હવે સ્વીકારી લીધી મનથી.
મનનો મનોરથ હવે મૂકી દીધો એક કોર,
મન તો ચાલ્યું હવે કૃષ્ણની મેડીએ.
રાત દિવસ કીધા હવે મનથી ભજન કીર્તન,
બસ હવે મારા મનને ના ગમે બીજી ભાષા.
મનને મનાવી લીધું મન ઓળઘોળ કરીને,
ના જોઈએ હવે બીજુ કંઈ શ્રી કૃષ્ણ મુરારી.
લાખ કરું પાયવંદન શ્રીકૃષ્ણ મુરારી,
વિનંતી કરું છું મારા આત્માથી શ્રીકૃષ્ણ મુરારી .
બસ હવે એકજ તારો પ્રભુ રાહ છે મારે,
બીજુ કઈંજ ના જોઈએ મારા શ્રીકૃષ્ણ મુરારી.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
6/6/2022
[6/6, 4:43 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): *NOG:SS:NO.:0101*
*વિષય : અંતરમનની આશા*
*પ્રકાર : ગદ્ય*
*શીર્ષક : અંતરનાદ*
*લેખક : ભરત સાંગાણી*
આશા જીવનનું રસાયણ છે . મનની ઈચ્છા આકાંક્ષાઓનો પડઘો અદશ્ય રીતે આંતરમન પર ઝીલાતો હોઈ છે.
તે સ્પંદનો ઘૂઘવાટ પેદા કરે છે, તેમાંથી નીકળતી તરંગાવલીઓમાં કોઈ ગેબી અવાજ આપણાં અંતરમાં ટકોરા દે છે. આપણને તેનો ઝબકારો થાય છે તે અંતરનાદ.
મારા પત્નિ નિયમિત ભક્તિભાવથી ઠાકોરજીની સેવા કરે. માર્ગની રીત મુજબ જોકે હજુ પુષ્ટાવિયા ન હતા. હું રસોડામાં ભાગ્યે જ જતો.
પણ મને વાંચનનો ખૂબ શોખ. ઇત્તર વાંચન સાથે વેદ, ગીતાજી, શ્રીમદ ભાગવતજી વગેરેનો સારો કહી શકાય તેવો અભ્યાસ. મહાપ્રભુજીનાં ગ્રંથોનું વાંચન ખરું પણ તલસ્પર્શી નહીં.
વ્યાવસાયિક વ્યસ્તતાને કારણે તે દિશામાં બહું વિચારેલું પણ નહીં.
પણ કોઈ ઉત્કટ દોરી સંચારથી તેમની સાથે વ્રજ યાત્રાઓ અને શ્રીનાથજી ઘણાં વરસ લગભગ નિયત જવાનું થતું.
અમે યુરોપની ટુર પર ગયા ત્યારે મનમાં એક વિચાર ઝબકયાં કરતો હતો. ત્યાંથી આવ્યા પછી અંતરમાં તે સાદ સ્પષ્ટ થયો. કે આપણે ઠાકોરજીને પુષ્ટાવીએ. ત્યાં સુધી મેં મારા જ ઘરનાં લાલા અને ચિત્રજીઓ સ્પષ્ટતાથી નીરખ્યા પણ ન હતાં.
મેં એમને આ વાત કરી તેઓના હર્ષનો પાર ન રહ્યો અને અમે બીજે જ દિવસે પૂજ્ય જે જે નો સમય લઈ આવવા જવાનું સૌરાષ્ટ્રમેલનું રિઝર્વેશન કરાવી રાજકોટ તેમના ગુરુઘરના પૂજ્ય ગોસ્વામી રસિકરાયજીના બંગલે – તેમની નિજ હવેલીએ પહોંચી ગયા. અને ખૂબ આનંદપૂર્વક ઠાકોરજી પુષ્ટાવિ આવ્યા.
પછી ધીરે ધીરે હું પણ અમદાવાદ સ્થાયી થયા પછી સેવામાં નિયમિત જોડાયો.
હવે અંતરમન માં એક જ આશા હોઈ કે હું મારા ઠાકોરજીની સેવા કરું અને એ આનંદથી ખેલે, જ્યારે હું ભોગ ધરું અને એ પ્રેમે આરોગે. મારી હરએક ક્ષણ એવી હોય કે હું નિત્ય ઠાકોરજીનું સ્મરણ કરું સ્મરણમાં રહું.
*ભરત સાંગાણી*