[6/5, 10:26 AM] Kalpanaben Trivedi.MeM.NOG: શીર્ષક – ફરજ
—————–
હા,હું સૌમ્ય, એક પાંચ વર્ષનો બાળક.મને જરાય નાનો સમજવાની ભૂલ ન કરશો.મેં પણ તમારી જેમ આ કોરોનાની વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે. શું મને કોરોના હતો? અરે,ના બાબા ના.મારાં લાડકવાયા દાદીને મેં ઓક્સિજન વગર તરફડતાં જોયાં હતાં. પપ્પા કાકા,તથા સગાં વહાલાંઓને ઓક્સિજન લેવાં આમથી તેમ દોડધામ કરતાં જોયાં છે. જાણું છું કે હવામાં મોત છે, પણ જીવવા માટે શ્વાસ તો જરૂરી છે ને! મને બધાની વાત મુજબ એટલી તો ખબર પડી કે આ વૃક્ષો જ આપણાં સાચાં સાથી છે. વૃક્ષો કપાયાં હશે તો જ આટલી અછત થઈ હશે ને? હશે, જાગ્યાં ત્યારથી સવાર.શું કહો છો? હું એકલો શું કરીશ? અરે, અમે બધાં એક એક વૃક્ષ વાવી ધરતીને એનાં સંતાનો પાછાં આપીશું. આજનું વાવેતર, કાલની બચત.જ્યાં જગ્યા મળશે ત્યાં વૃક્ષો વાવીશું.એનું જતન કરવું એ સૌની ફરજ છે. ભૂલકાઓ આટલું કરશે, તો મોટાં પણ એમની ફરજ પૂરી કરશે જ.
ચાલો,હું ક્યાં વાતોમાં ફસાયો.મારે ઘણું કામ કરવાનું છે. હા,માસ્ક તો પહેરીશ જ.ચાલો બધાં વૃક્ષોને પાણી પાવાનું ભૂલતાં નહીં હો!!
કલ્પનાબેન ત્રિવેદી સુરેન્દ્રનગર
✍
[6/5, 5:32 PM] Jayshree Patel. Sahityakar: NOG SS 004
*વિષયઃ પર્યાવરણ દિન નિમિત્તે*
*શીર્ષકઃ જો*
જો
જો ભરીને લઈ જાઉં
આ લહેરાતી હવા!
જો ભરીને લઈ જાઉં
મહેકતી સ્પર્શતી હવા!
જો ભરીને લઈ જાઉં
પહાડોની લીલી હરિયાળી!
જો ભરીને લઈ જાઉં
વનરાજીનાં પ્રાણવાયુની લાલી!
જો ભરીને લઈ જાઉં
વહેતાં ગંગાના પવિત્ર નીરને!
જો ભરીને લઈ જાઉં
વહેતા આ નિર્મળતા ભર્યા નીરને!
જો માનવ મહેરામણ તું,
કેવું નિજાનંદનું પોટલું આ,
જો એશોઆરામને ન માણ તું,
કેવી આનંદની ઘડી છે આ!
જો શહેર મારું કેવું તરસે?
સરળ જીવનને કેવું ઝંખે?
જો સમજે તો તે પણ કરી શકે,
શહેર તેનું પ્રદુષણ મુક્ત રાખી!
જો જરૂરત છે એક નાનીશી
સમજની ને સમજદારીની વાચા!
જો તે બચાવે *પર્યાવરણને* દિલથી,
માનુ સૌ સ્થળે વહેશે ગંગા..ગંગા!
જયશ્રી પટેલ
૫/૬/૨૨
[6/5, 5:34 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય -આવડત અણઆવડત
………………………………..
દુઃખ પર હું વિજય મેળવી શકું એવું કરજો પ્રભુ ..!
એટલી તો આવડત હોવી જોઈએ..!
કે દરેક વખતે નૈયા પાર પાડવા મદદ કરજે..!
હિંમત, સફળતા, મનોબળ, દ્રઢ લક્ષ્યવેધ હોવો જોઇએ..! તો જ સફળતા મળે..!
આવડતને પ્રારબ્ધ જયારે પાંગળું બને ત્યારે..!
શ્રમ કરીને અઘાધ મહેનત કરીને આવડતથી પોતાનું પ્રકાશ પાથરીએ..!
કર્મયોગી બનશું તો સફળતા જરૂર મળશે..!
અંતરાયો લક્ષ્યના દૂર કરી શકીશું.!
મનોબળ દ્રઢ હશે તો નસીબને પણ બદલશું..!
આપણાં પર ભરોસો આપણને તો ઈશ પણ સહાય કરે…!
ઝઝૂમનારને પેલે પાર ઉતારે..! દરેક કાર્યને હથેળીમાં લઈને રમાડવાની આવડત ન્યારી..! જીવન નાશવંત છે પ્રતીક્ષા ચિકાલીન છે ને પ્રેમ અમર છે..!
હું નવેલી નાર હર કાર્ય મારી આવડત પ્રમાણે કરતી રહીશ..!
કોરું કાગળ હાથમાં રહી ગયું..!
ને મારા કરતાં નસીબ આગળ ચાલી ગયું..!
પછી પ્રભુ દેનથી મંઝિલ સાથે ચાલતા ..!
કર્મ સાથ આપતું રહ્યું આવડત પ્રમાણે પા.. પા.. પગલી પાડતી ગઈ..!
કલમને ઘસતી ગઈ કાગળ શોભાવતી ગઈ..!
તે આવડત નથી તો શું છે..?
નિર્ણય લીધો સાચોને સાબિત કર્યું એ આવડત જ છે..!
એટલો ભરોસો પોતાનાં પર છે..!
ક્યારેક શબ્દોની માયાજાળમાં ક્યાંક આમ ભટકી જવાય..!
દુઃખ આપનાર આ સંસારમાં ક્યાંક વહી પણ જવાય..!
પણ સંજોગો જીવન કરતાં વધારે વજનદાર નીકળ્યાં..!
ને આવડતને સ્થાન આપ્યું આજે..!
અણઆવડત કહેતાં લોકો મોઢામાં આંગળા નાંખતા રહી ગયાં..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
[6/5, 6:43 PM] Pradip: NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
વિષય :- આવડત – અણ આવડત
શીર્ષક :– બાળકની અંદરની તેજસ્વીતા
દરેક બાળકમાં કોઈકને કોઈક ગુણ છુપાયેલો હોય જ છે.કેટલાક ગુણ માતા – પિતાનાં સાનિધ્યમાં ખીલે છે.પણ કેટલાક ગુણ એવા હોય છે જેને એક પારખું નજર વાળો શિક્ષક જ સાચી ઓળખ મેળવીને બહાર લાવે છે. બાળકની તેજસ્વીતાને તેની આવડત મુજબ ખીલવાનો માર્ગ મોકળો કરી આપે છે.શિક્ષક જ ભણતર ની સાથે સાથે બાળકનું ઘડતર પણ કરે છે એટલે કે એનામાં રહેલા ગુણો ને એની આવડત મુજબ ખીલવવાનું કામ પણ શિક્ષક જ કરે છે.બાળકની અણ આવડતને પણ ધીરજથી અને ખંતથી આવડતમાં પરિવર્તિત કરી આપે છે .
આમ ભણતર અને ગણતર બેઉ એકબીજાનાં પૂરક હોય એમ જ શિક્ષણ આપતાં શિક્ષક જ બાળકો ની અંદરની શક્તિ ને ખીલવી શકે છે.
શિક્ષક દીર્ઘદ્રષ્ટા હોય છે. એ જેટલું વિચારી શકે છે કદાચ એટલું કોઈ નહીં !! જે આખી જિંદગી ભણવું – ભણાવવું , સમજવું – સમજાવવું, આ રીતનું જ જીવન વિતાવે છે.એટલે જ તો શિક્ષકનું કામ તો વકીલો, ડોક્ટરો , એન્જિયરો , સૈનિકો કરતાંય મોટું અને શ્રેષ્ઠ છે. એ તો બાળકનાં અંદર રહેલી છૂપી અને અદ્રશ્ય જ્ઞાનરૂપી શક્તિને બહાર લાવીને એ બાળકનાં ભવિષ્યને તેજસ્વી બનાવે છે.એની આવડતને પૂરેપૂરી પારખીને આગળ જતાં એને ડોક્ટર , વકીલ , વૈજ્ઞાનિક , શિક્ષક , ચિત્રકાર કે સંગીતકાર બનાવી આપે છે .
માત્ર પરીક્ષાલક્ષી જ્ઞાનને જ મહત્વ ના દેતાં વિધ્યાર્થીની સૂઝબૂઝને ધ્યાનમાં રાખીને એને પ્રોત્સાહિત કરે છે.ઉદા. તરીકે કોઈ સારું ગીત ગાઈ શકતો હોય તો તે એ વિધ્યાર્થીની બુધ્ધિમત્તાને આભારી છે. અને શિક્ષક એનાં આ ગુણને વિકસાવવામાં મદદરુપ બને છે.
વિધ્યાર્થીઓને એકબીજા સાથે નાં સરખાવીને એનામાં રહેલી તેજસ્વીતાને પારખીને એમાં જ પારંગત થવા માટે પ્રેરે છે. બાળકમાં જે ખૂબી ભગવાને આપીછે એને બહાર કાઢીને સાકાર કરે છે.શીખવવા કરતાં એનામાં જે છે તે જગાડવાનું કામ કરે છે. તે હકીકત છે. અને ભગવાને પણ એ કામ બહુંખૂબીથી નિભાવવા માટે શિક્ષકને જ સોંપ્યું છે.કસ્તુરી મૃગને શિક્ષક પારખે છે.બાળકને એની પોતાની ખૂબીથી અવગત કરાવે છે.તેને વિશ્વાસથી ભરી દે છે.અને બાળકને કહેછે કે તારામાં આ વસ્તુ છે ,તું એ કરી શકે છે. શિક્ષક માર્ગદર્શક બનીને બાળકમાં ઘનસ્વરૂપે રહેલા જ્ઞાનને પીગળાવીને બહાર લાવે છે.
આમ વાસ્તવમાં તો બાળકમાં રહેલી વિશેષતાથી એને અવગત કરાવી એનામાં નિખાર લાવવાનું કાર્ય શિક્ષકનું છે. આજની શિક્ષણ વ્યવસ્થા બાળકોની જિજ્ઞાસાને
મારી નાંખે છે. પણ કુશળ શિક્ષક એ જ વસ્તુ સહજતાથી ભણાવી શકે છે.આમ શિક્ષકની બાળકો માટેની સૌથી મોટી ભેટ જો કોઇ હોય તો એ છે કે બાળકમાં જ્ઞાનની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન કરવી.અને એ તીવ્રતાને તેજસ્વીતામાં પરિવર્તિત કરવી.
(મારા સંચાલક તરીકે ના શિક્ષક સંબંધિત આવડત માં વિચારો રજૂ કર્યા છે.કોઈ ભૂલ હોય તો ક્ષમા)
સંચાલક : પ્રદીપ રાવલ