[5/1, 5:13 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય -બિન્દાસ
પ્રકાર – પદ્ય મૌલિક
શીર્ષક – બિન્દાસ અલ્લડ
નામ – રાગીની શુક્લ” રાગ”
………………………………. બિન્દાસને અલ્લડ અદાનાં દિવાના તમે ..!
મને હું ગમું છું પણ જ્યારે તમારી સાથે હોઉં છું ..!
ત્યારે તમારી મારકણી આંખો ગમે છે..!
દર્પણ સામે જોઈ એકલી જ હસું.!
ફૂલોની વેણી થી સજાવું જાતને..!
સુગંધી ઉઠું જયારે આંખોથી ખીલતી જોવું ..!
મારી મુગ્ધતા જાગી ઊઠે છે..!
તમારી ઝલકમાં મારું પ્રતિબિંબ જોવું છું..!
પંખીડાનાં પીંછાની માવજત કરતાં,
સચવાતી મારી જાતને જોવું..!
માણહ માણહને પારખવાની ટેવમાં..!
સંબંધોની એક સાંકળ સલામત રાખી..!
સંબધોનું આકાશ સોહામણું લાગે છે..!
સ્નેહની દોરે ખેંચી આવું..!
હું તો બિન્દાસ હસતી ફરતી એકદમ અલ્લડ જવાની મારી..!
ભજવી લઉં મારું પાત્ર ..!
પ્રેમ છે પુરવાર કરી દઉં..! રોજ આંખ મીચોલી શું ખેલવી..?
પ્રેમ કરું છું ખુલ્લાં બજારમાં કહું છું..?
કાંઈ હપ્તો નથી આપતી..!
રોજ રોજ છુપાછુપીનું મિલન ગણતરી બધી સ્પષ્ટ છે..!
તો બિન્દાસ કહી દોને પ્રેમ છે..!
પ્રણયનાં બીજનાં અંકુર ખીલી ઊઠ્યાં છે ..!
પ્રેમમાં ફસાવવું ગમશે..!
અલ્લડ આંખલડીમાં રમવું ગમશે..!
તારી અલ્લડ જવાની હોઠે ને હૈયે વસી છે..!
અંતરમાં એકબીજા વગર ચાલશે નહીં..!
એ મોડ પર બિન્દાસ હરતાંફરતાં રમવું છે..! લીલાંછમ આંગણે મારાં ટહુકાની ટહેલ નાખવી છે..! જીવનમાં આવી મોસમ પ્રેમની.!
તમારી આંખ્યુની રીત વ્હાલેરી લાગશે..!
એ બિન્દાસ કહું છું તમને..!
રાગીની શુક્લ” રાગ”
મુંબઈ.
[5/1, 7:17 PM] Pradip: NOG SS No : 0001
પ્રકાર : પદ્ય
વિષય : બિંદાસ
શિર્ષક : તો પણ કહે હું બિંદાસ
જીવનમાં ભાવો નડે છે, અભાવો પણ નડે છે,
કઈ નહિ તોય માણસને તેના સ્વભાવો નડે છે ! તો પણ કહે હું તો બિંદાસ…
આખી જિંદગી આડા જ ઉતર્યા છે સત્કાર્યમાં,
તમે માનશો નહી, એને સદભાવો પણ નડે છે !તો પણ કહે હું તો બિંદાસ…
અંત સમયે, એ થઈ જાય છે સાવ એકલા !
એના પોતાના પદ પ્રતિષ્ઠા ને પ્રભાવો નડે છે ! તો પણ કહે હું તો બિંદાસ .
અહમ ને ઈગોમાં, જીવ્યા હોય જિંદગી આખી,
મૃત્યુપર્યંત નથી છૂટતા, એ મનોભાવો નડે છે ! તો પણ કહે હું તો બિંદાસ .
જે છોડવું હોય તો પણ નથી છોડી શકાતું કદી,
વરસો થી સાચવેલા હૈયામાં ,એ ઘાવો નડે છે ! તો પણ કહે હું તો બિંદાસ….
મૃત્યુ આવે તો પણ મરતા નથી સુખ શાંતિ થી,
અંતરમાં થી ઉઠતા, એને અહોભાવો નડે છે ! તો પણ કહે હું તો બિંદાસ…
સંચાલક :પ્રદીપ રાવલ✍
[5/2, 2:39 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.:0101
વિષય: અખાત્રીજ
પ્રકાર : ગદ્ય
શીર્ષક: અક્ષય લીલા.
લેખક : ભરત સાંગાણી
વૈશાખ સુદ ત્રીજ ‘અક્ષય તૃતીયા’ અખાત્રીજ તરીકે જાણીતી છે. તે પરશુરામ જયંતિ તરીકે પણ ઊજવાય છે.
અક્ષય ત્રીજની સવારનો સૂર્ય વધુ તેજસ્વી – પ્રકાશમાન બને છે. જેનાં દર્શન પાપ નાશક બને છે. આજનો દિવસ હંમેશ માટે શુભ છે. આમાં મુહૂર્ત શાસ્ત્ર જોવાની કોઈ જરૂર નથી.
અખાત્રીજનું વણજોયું મુહૂર્ત શા માટે ?
વૈશાખ સુદ ત્રીજના દિવસે હંમેશા મેષ રાશિનો સૂર્ય હોઈ છે.આત્મકારક સૂર્ય ઉચ્ચ રાશિનો હોવાથી બળવાન બને છે. તિથિ ત્રીજ શુભ મનાઈ છે. મનનો કારક ગ્રહ ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી બળવાન બને છે. આમ શુભ તિથિ ત્રીજ, સૂર્ય- ચંદ્ર બંને મહત્વના ગ્રહો બળવાન હોઈ તેવો સંયોગ માત્ર અખા ત્રીજને દિવસે જ બને છે. તેથી અક્ષય બનેલી આ તિથિ અખાત્રીજને દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. અને તે ચોક્કસ પાર પડે છે.
દાન,ધર્મ કે સુકર્મનું આ દિવસે અધિક ફળ મળે છે.
સનાતન ધર્મમાં આ તિથિનું વિશેષ મહત્વ છે. કારણકે વરસમાં આવતા ચાર વણજોયા મુહૂર્તમાંથી એક છે.( અક્ષય તૃતીયા, દેવઉઠી એકાદશી, વસંત પંચમી અને ભડલી નવમી. આ ચારને અબુઝ મુહૂર્ત કહેવામાં આવે છે.)
અખાત્રીજને ચિરંજીવ તિથિ પણ કહેવામાં આવે છે.
અક્ષય તૃતીયાનું ધાર્મિક ખૂબ મહત્વ છે.
અખાત્રીજને ઠાકોરજીના દિવ્ય સ્વરૂપને ચંદનના લેપ થાય છે. અખાત્રીજથી શ્રીઅંગે ફુલના શણગારને ફૂલની મોટી જોડ રથયાત્રા સુધી શયન સુધી ધરાવામાં આવે છે. પ્રભુને માટીનાં ઝારી કુંજામાં જળ ધરાવાય છે. ઠાકોરજીને પાકી કેરીનો રસ, દહીંભાત, શ્રીખંડ જેવી સામગ્રી આરોગાવાય છે.
અક્ષય તૃતીયાનું સનાતન ધર્મમાં ખૂબ મહત્વ છે.
આ દિવસે શ્રીમહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શ્રીગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.
અક્ષયતૃતીયાના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે એક મુઠ્ઠી તાંદુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો.
વ્યાસજીએ ગણેશજીની સહાયથી મહાભારત લખવાનો પ્રારંભ અક્ષયતૃતીયાએ કરેલો.
આ દિવસે શ્રીકૃષ્ણે પાંડવોને આપેલ અન્નપાત્ર અક્ષયપાત્ર બન્યું.
વૈશાખી સ્નાનનો આરંભ અખાત્રીજથી થાય છે.
ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથના મંદિરના દ્વાર અખાત્રીજને દિવસે ખુલે છે.
અક્ષયતૃતીયાના દિવસે સતયુગ અને ત્રેતા યુગનો આરંભ થયેલો.
અક્ષયતૃતીયાના દિવસે જગન્નાથ પુરીમાં ભગવાનના રથનું નિર્માણ કાર્ય શરૂ થાય છે.
વૃંદાવનમાં બાંકે બિહારીના મંદિરમાં વરસમાં એક વખત ચરણ કમળના દર્શન થાય છે.
અખાત્રીજના દિવસે આ મંત્રોના ઉચ્ચારણથી દૂર થશે બધાં કષ્ટો.
” ૐ ભાસ્કરાય વિગ્રહે મહાતેજાય ધીમહી તન્નો સૂર્ય: પ્રચોદયાત ”
લેખન: ભરત સાંગાણી
[5/2, 4:40 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ અક્ષયતૃતિયા*
*પ્રકારઃગદ્ય વાર્તા*
*શબ્દઃ૩૫૦*
*શીર્ષકઃ મંત્રોચાર*
*શીર્ષકઃ મંત્રોચાર*
” *ૐ ભાસ્કરાય વિગ્રહે મહાતેજાય ધીમહી તન્નો સૂર્ય: પ્રચોદયાત *”
આખાં ઘરમાં ગૂંજતા આ મંત્રોચાર દર અક્ષય તૃતિયાને દિવસે ગુંજી ઊઠતાં. પારિજાત તેનાં દાદા પાસે શીખી હતી આ શુદ્ધ ઉચ્ચાર. ભણવામાં હોશિયાર ,નમણી સુંદર , શ્યામલી પારિજાતનું હુલામણું નામ હતું *પાજા*. ધીરે ધીરે યુવાન થતી પાજાને ભણવાનો ચસકો લાગી ગયો હતો.રૂઢિચુસ્ત કુટુંબમાં તેની એક ચાલે તેમ નહોતી.
તે પંદર જ વર્ષની હતી ને તેનાં લગ્ન નક્કી કરી નાંખવામાં આવ્યાં હતાં. લગ્ન બે વર્ષ પછી થશે એ જાણ્યાં પછી તેને રાહત થઈ હતી. શાળાનાં શિક્ષિકા ગૌરીબેને તેને દસમું પાસ કરી દેવડાવવાની તેમાં માતા પિતાને સલાહ આપી. છાનમાના મામાને ત્યાં જઈ તેણીએ દસમું પાસ કર્યું.
લગ્ન તેનાં સત્તર પૂરાં થતાં જ થઈ જતાં બરાબર અખાત્રીજને(અક્ષય તૃતિયા)દિવસે થયાં.
સાસરું ખૂબ જ ખમતીધર હતું સખત પૈસો ટકો , પણ સંસ્કાર નામના પણ નહિ પતિ છેલબટાઉં કહેવું તો કોને. સાસુમા પૂજાપાઠ કરે, સસરાની છત્રછાયા નહિ. ઘરમાં સસરાના મિત્ર દ્વિજેશકાકાનો અવરો જવરો. તેઓએ આ મૂંઝાતી કળીને જોઈ. તેમણે તેને હિમ્મત આપવા માંડી.ખાનગીમાં તેને બારમું કરાવ્યું. બારમા પછી વકિલાત પણ કરાવી.
તે વિચારતી કે આ બધાં કાગળિયા શું કામના? ત્યાં જ અચાનક જ તેણીનાં પતિ એક કંપનીનાં કાયદામાં ફસાયા. છેલબટાઉં પતિ કોઈ છોકરીનાં સંકજામાં ફસાયા. બ્લેકમેલિંગમાં તે ઘસાયા.મામલો કોર્ટે ચઢ્યો
અને પૈસાના અભાવે વકિલ ન કરી શક્યો. ત્યારે દ્વિજેશકાકાએ તેને કેસ લઢવા કોર્ટમાં ઉભી કરી. જેમ જેમ કેસ લઢતી ગઈ તેમ તેમ પતિની અસલિયત તેની સામે આવવા લાગી. તેની કલ્પના બહાર તેના પતિના ગુના ખુલતાં ગયાં. પેલી યુવતીએ અંતે આપધાત કર્યો.
એ રાતે તેણીએ નક્કી કર્યું આ ખોખલા સમાજનાં તેમાંય એવા પુરુષને સ્ત્રીનાં આવા દંભી સમાજને માટે લઢતી રહેશે.
કોર્ટમાં જઈ તેણીએ પતિને ગુન્હેગારના પાંજરામાં ઊભો કરી પૂછ્યું,” આપને યાદ છે આજે કયો દિવસ છે?
પતિનો જવાબ હતો,” મારા કેસ સાથે દિવસને શું લાગે વળગે છે?”
પાજાએ કેસની શરૂઆત કરી, એક પાંચ વર્ષની બાળકીને ત્યાં હાજર કરી કહ્યું,” આને ઓળખો છો?”
પતિએ કહ્યું,” ના”
પાજાએ જજને કહ્યું,” મી. લોર્ડ આ દીકરી એમની છે, જયાં અય્યાસી કરી હતી, તેની દીકરી તેનો ખર્ચો ન આપતા તેની માએ તેમને બ્લેકમેઈલ કર્યા. જ્યારે પગ નીચે રેલો આવ્યો ત્યારે કોર્ટ ચઢ્યાં. મી. લોર્ડ આજે પાંચ વર્ષે અખાત્રીજ આવી છે ને મારા ને તેમના લગ્નની તિથી. મારી ઈચ્છા છે આ દીકરીને ન્યાય મળે ને મને લાગણીહીન માણસથી છૂટકારો.”
આમ અખાત્રીજનાં આ મહાન શ્લોકને ઉજાગર કરી
તેણીએ પેલી દીકરી સાથે નવા જીવનનાં પ્રયાણ તરફ પગલાં ભર્યા.
*જયશ્રી પટેલ*
*૨/૫/૨૨*
[5/2, 8:04 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
પ્રકાર : ગદ્ય
શીર્ષક : પાવન
વિષય : અખાત્રીજ
*અક્ષયતૃતીયા*
( અખાત્રીજ ) નું મહત્વ શુ છે..??
આ પ્રશ્ન જ અસ્થાને છે.
અક્ષયનું અપભ્રંશ અખા
થયું છે. આજનો દિવસ
હંમેશને માટે શુભ છે. આમાં
મુહૂર્તશાસ્ત્ર જોવાની કોઈ
જરૂર નથી.અક્ષય બનેલી આ તિથિ અખાત્રીજને દિવસે કોઈ પણ શુભ કાર્ય
કરી શકાય છે અને તે ચોક્કસ પાર પડે છે.
વણમાગ્યું મુહૂર્ત આજ
એનું મહત્વ છે.
વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે.
અક્ષય તૃતીયા ના દિવસે ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાના મંદિરમાં સેવાક્રમ શરૂ કર્યો હતો..
આજના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાંદુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..
આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, હવન, જપ, તપ, દાન, પિતૃ તર્પણ
બધું જ શ્રધ્ધાથી કરવામાં આવે છે.
આજના દિવસે શ્રી વેદ
વ્યાસજીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું આરંભ કરેલ..
આજના દિવસે ગંગાજી ની ભૂતલ ઉપર પધરામણી
થઈ હતી.
આજના દિવસે ત્રેતાયુગ નો આરંભ થયો હતો.
આજના દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર“ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે અખૂટ ભોજન થી ભરપુર રહેતું..
આજના દિવસે
માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ..
આજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખવામાં આવે છે. અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે..
અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, માં આપેલ છે.
આજના દિવસે લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં કાયમ માટે વસવાટ કરી બિરાજી રહ્યા હતા.
અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી ને રક્ષા કરી હતી .
આજના દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ..
અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારત સ્થિત બદરીનાથ કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં કપાટ ખૂલે છે.
અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ થયેલ..
બ્રહ્માજી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..
અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે..
અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મૂહુર્ત માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, ‘અક્ષય’ શબ્દનો અર્થ છે – જેનો ક્ષય કે નાશ ન થાય.
મહાપુરુષોની બીજ
બુદ્ધિની ત્રીજ
એટલે અખાત્રીજ.
ઘનશ્યામ વ્યાસ.
[5/2, 8:19 PM] Jyotindra Maheta.MeM.NOG: NG/022
વિષય: અખાત્રીજ
પ્રકાર: ગદ્ય
શીર્ષક:હળોતરા
“ભઈ, આ સાલ હળોતરાનું મુરત તારી રાશીથી આયુ સ, તુ ઘેર આવજે?” અમથાલાલે અમદાવાદમાં નોકરી કરતા નાના ભાઈ જગતને ફોનમાં પૂછ્યું.
“મોટાભાઈ, આ વખતે તો રજાઓ મળ ઈમ લાગતું નહિ. આ વખતે કોઈ બીજા પાસે કરાવી લેજો ને?” જગતે આવવામાં આનાકાની કરતાં કહ્યું.
અમથાલાલ સારી રીતે જાણતા હતા કે મૂળ કારણ શું છે. પાછલું વર્ષ કોરુંધાકોર ગયું હતું અને તેને ઘઉં મોકલાવી શક્યો નહોતો એટલે તે નારાજ હતો. ઉપરથી તેમની પત્ની અને જગતની પત્ની વચ્ચે જમીન મુદ્દે બોલાચાલી પણ થઈ હતી. અમથાલાલે બનેને સમજાવવાની કોશિશ કરી હતી, પણ તે નાકામ રહ્યા હતા. બંને સ્ત્રીઓમાંથી કોઈ ન નમ્યું અને અબોલા થઈ ગયા.
જો કે આમાં ભોગવવાનો વારો અમથાલાલને આવ્યો. તે ન તો પોતાના નાનાભાઈને દુભવવા માગતા હતા, ન તો પત્નીને. અમથાલાલ અસમંજસમાં પડી ગયા. જો કે અખાત્રીજને હજી દસ દિવસની વાર હતી. અમથાલાલે જમાનો જોયો હતો, ભાઈના નામે મુરત નીકળ્યું તેને મોકો ગણી લીધો અને સાંજે ઘરે ઉતરેલા ચહેરે પ્રવેશ્યા. તેમનાં પત્ની પ્રેમિલાબેને તેમનો ચહેરો જોઈને પૂછ્યું, “શું થ્યુ સ?”
“હળોતરાનું મુરત જગતીયાના નોમનું આયુ સ અન ઈન રજા મળ ઈમ નહિ.”
“લે એવડી વાતમોં મુંઝઈ જ્યા. લાવો તમારો ફોન, ઈન ફોન કરીએ. અમે દેરોણી-જેઠોણી ભલે બાઝીએ, પણ શીયે તો એક જ ઘરની વઉઓ.”
થોડી જ વારમાં પ્રેમિલાબેન તેમની દેરાણી મીના સાથે વાત કરવા લાગ્યાં અને અખાત્રીજે ગામડે આવવા કહ્યું. સામેથી ફોન આવ્યો એટલે મીના પણ તરત ગામડે આવવા રાજી થઈ ગઈ. અમથાલાલ રાજી થઈ ગયા, તેમને આમ પણ પરિવારમાં વિખવાદ થાય તે પસંદ નહોતું અને હળોતરાના નામે તેમને સારો મોકો મળ્યો હતો.
અખાત્રીજને દિવસે બંને ભાઈઓ કમર પર બાંધેલી ફાંટમાં (એક સફેદ કપડું જેમાં ખેડૂતો વાવવા માટે બિયારણ રાખતા હોય છે.) સાત ધાન રાખીને હળ લઈને ખેતર જવા નીકળ્યા. બંનેના ચહેરા ખીલેલા હતા અને પાછળ દેરાણી જેઠાણી વાતોનાં વડાં તળી રહી હતી.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
[5/3, 2:08 PM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS .NO.0026.
નામ-અંજના ગાંધી ” મૌનુ”
ગામ- વડોદરા.
વિષય -અક્ષય તૃતીયા –
વિભાગ – પદ્ય (એક રચના.)
શીર્ષક- વરસી તપ.
આજ વરસી તપના થાતાં પારણાં.
દેવ ઋષભનાથના સંભારણાં.
એક વરસની એ તપસ્યાઓ ફળી,
શ્રેયાંશરાજાની પુન્યાઈના સૌ ધારણાં.
ભવ ચોર્યાશીનાં અહીં ફેરા ટળે,
હોય પશુ ગતિનાય સૌએ તારણાં.
આવતી લક્ષ્મી પછી એ દ્વાર પર,
હોય ધર્મી એ જે ઘરનાં આંગણાં.
અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
[5/3, 2:34 PM] Babu Sangada.પત્રકાર: NOG-109
વિષય :-અખાત્રી
પ્રકાર:- પધ
શિર્ષક:-મૂરત કરવી જુજે.
વરહ હારું આવહે ભાઈ ..સામે રસ્તે ચાલતા કાળુએ કહ્યુ.
“કેમ આવું લાગે તને..હળલાકડું ઠીક કરતા ભીમસીંગને પૂછયું.
હોળીનો ડાંડો હુરીનો પડયો સે,ઈતરે વરહ હારું મેઘા બારેખાંગા વરહ હે ,જોજે ઈ બદે પાણી રેલમછેલમ થાઈ જાહે.
“ઈમ ?
“હા હાસુ સે.આજ તે પીલા ધારુંને તા છુરો પૈણેની તું હળલાકડું તીયાર કરે નવાઈ લાગે.
“આજ અખાત્રી સે,ઈતરે ખેતરુંનું કૈક તે કામ કરવું પડે,ની તે આખુ વરહ ઈમ કોરું કટ જાય એવું બાપદાદા કીતા તા.કાળુએ ભીમસીંગને જવાબ આપ્યો.
“વાત તારી હાસી પુણ ઈ બદા જમાના જાતા રીયા,પેલા નવરા આદમી ઈતા ઈતરે અખાત્રીને દન ખેતરમા છીલ્લા બળદની હળ પુણ ફીરવી લાવતા.આજ ઈ વસ્તાર વધી જો ઈતરે માણહને સમય કા મળે સે..ભીમસીંગે જવાબ આપતા કહ્યુ.
“તારી વાત યે ઈતરી જ હાસી સે,પુણ હું હજી બાપદાદાની કીતરીક વિધી કરું સે ,ઈતરે કરવી પડે..કાળુંએ સમજાવતા કહ્યુ.
“ભારી લગ્ન આલ ઈતરે હું કરે,તું કરે ઈ ઘણું તાજું સે ,નીતે માણહ દીવાતળે દબાઈ જો આજ તે ખર્સા કરી કરી ,ઈ બદુ ભૂલતો જો ટેન્શનમાં.
“ઈતરે તે ,આપુ દુખી સે ,બાપદાદા જી કઈ કરતા તે બધી પૂજાવિધી આપડે કરવી જુજે.કીમકે તેઓ દેવોને રાજી કરવા કઈને કઈ કરતા હતા,તી બદુ આપુ કા કરજે સે,ઈતરે દેવો ભૂરાઈ થાય એમા શક કરવા જીવું કાસે..કાળુએ સમજાવ્યુ.
“ઈ વાત તારી હાસી,ખેડાની માતાની યે પૂજા કરાતી પેલા,આજ ઈ યે ભૂલાતુ જુસે ની માણહો કરતા યે નીમળે..ભીમસીંગે ટેકો આપતા કહ્યુ.
“ઝી વે તી પુણ ભીમસીંગ ,અખાત્રીની પુજા થાવી જ જોઈએ,અહી કા સોઘડીયા જુવા પડે,અખાત્રીનો દન ઈતરે આખો હારો.
“કાળુ વાત હાસી સે પુણ આપુ કીજે ઈમ હમજનારા કીતરા,આજના સુરા ઈ વાત માનતા ની મળે.
“ભીંમસીંગ અખાત્રીનો દન વે ઈતરે હળલાકડું કે ખેતરું હંબાળવા પડે,અહીં સાફસફાઈ કરવી પડે ,ખેતરુંને લગતુ કુઈ એકાદ કામ કરી લેવું વરહ હારું જાય.
“તારી વાત લાખ દરજજે હાસી,હાઉ તે માણહો વરહાત પડી જાય પછી બદુ સાફસૂફ કરે ,અન વધ્યુઘટયું આોરણી સાલતી વે ત્તર કરતા રે.
આમ બે જણ વચ્ચે વાતો ચાલતી રહી,રસ્તા વચ્ચે ઉભા ઉભા ,એટલામાં ઘરમાંથી કાળુના ઘેરથી કાળી બહાર આવતી બોલી”ભીમસીંગ ભાઈ અખાત્રીના દન ખેતરુંમાં એકાદ બી નાખવું પડે,ઈતરે આપડું વરહ હારું ની,મૂરત યે હારુ્ં થાય પછી ગમે ઈતરું નાખજે પુણ મૂરત આજ કરી દીવી જુજે.
બાબુ સંગાડા”મહેક”
[5/3, 4:24 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S.S. No0102.
નામ :- રતીલાલ વાયડા
વિષય :- અક્ષય તૃતીયા.
પ્રકાર:- મૌલિક લેખ.
શીર્ષક:-. અક્ષય તૃતીયા અને તેનું મહત્વ.
રચના:-.
. આજે વૈશાખ સુદ ત્રીજતારીખ૩/૫/૨૦૨૨ મંગળવારના દિવસે અક્ષય તૃતીયાનો દિવસ છે તેને આપણે અખાત્રીજના નામે પણ ઓળખીએ છીએ.
આપણા શાસ્ત્રોમાં આ દિવસનું અનેરું મહત્વ છે. આ દિવસને વણજોઈતા મુરત તરીકે ઓળખવામાં આવે છે. દાન-પુણ્ય શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે તે અક્ષય રહે છે તેવું માનવામાં આવે છે, અને તેનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
અક્ષય તૃતીયાના દિવસે ઘણા બધા બનાવો બનેલા છે .જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે.
૧. ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.
૨.ગંગા નદીનું આ દિવસે પૃથ્વી પર અવતરણ થયું હતું અને તેનો પ્રવાહ ભગવાન શંકરે પોતાની જટામાં ઝીલેલો.
૩. લક્ષ્મીજીએ કુબેરને સ્વર્ગના અક્ષય ભંડાર ના ખજાનચી તરીકે નીમ્યા હતા.
૪. સૂર્યદેવે પાંડવોને અક્ષય પાત્રનું દાન કરી અને તેમાંથી કદી પણ અનાજ ન ખૂટે તેવું વરદાન આપ્યું હતું.
૫.ભગવાન વેદ વ્યાસે શ્રી ગણેશની સ્થાપના કરી અને શાસ્ત્રોનું લખવાનું કામ શરૂ કર્યું હતું.
૬. શ્રી કૃષ્ણ ભગવાનને સુદામાના તાંદુલ ખાઈ અને ઘરે સોનાના મહેલ કરેલા હતા .શ્રીકૃષ્ણના ખેતરમાં કણ વાવો અને ઘણું પ્રાપ્ત કરો તેવી લોકોની શ્રદ્ધા છે. જે આજે પણ સત્ય છે.
૭. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો.
૮. ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવોની સભામાં દ્રૌપદીના ૯૯૯ ચીર પૂરી અને તેની લાજ રાખી હતી.
૧૦. મહાભારતના યુદ્ધની સમાપ્તિ થઈ હતી.
૧૧. બદ્રીનાથમાં ભગવાન શ્રી બદ્રી વિશાલ ના દ્વાર દર્શન માટે આજથી ખુલ્લા થાય છે.
૧૨. અન્નપૂર્ણા માતા નો આજે જન્મદિવસ છે.
૧૩. જગન્નાથપુરીમાં રથયાત્રા માટે રથની રચનાનું કાર્ય આજથી શરૂ કરવામાં આવે છે.
૧૪.અક્ષય તૃતીયા નો લગભગ તમામ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે અને આજે પ્રારંભ કરવામાં આવેલા તમામ કાર્યો ના શુભ પરિણામો આવે છે તેવો ઉલ્લેખ છે.
૧૫. દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાનાથને આજે ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી દરરોજ ફુલ મંડલી ચાલુ કરવામાં આવે છે. ભગવાનને ફૂલોથી વિવિધ રીતે શણગારવામાં આવે છે અને શીતલ ભોગ ધરાવવામાં આવે છે.
આમ અખાત્રીજનું ખુબ જ મહત્વ છે.
રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૩/૫/૨૦૨૨. મંગળવાર.
[5/3, 5:22 PM] Mina Mangroliya.MeM.NOG: N.O.G.SS .NO.0032
નામ:- મીના માંગરોલીયા
ગામ- અમદાવાદ
વિષય -અખાત્રીજ
વિભાગ – પદ્ય
શબ્દો- 142
શીર્ષક- *વણજોઈતું મૂહૂર્ત*
વણજોઈતુ મૂહૂર્ત આવ્યું આંગણે,
રૂડાં ઢોલ નગારા વાગે ઘરને આંગણે.
વધાવો ફૂલડે અખાત્રીજને ઘર આંગણે.
કુમકુમ સાથિયા પુરાવો ઘરને આંગણે,
આસોપાલવના તોરણ બંધાવો બારણે.
વધાવો ફૂલડે અખાત્રીજને ઘર આંગણે.
શ્રી કૃષ્ણે ખુશ થઈને સુદામાને દીધો અખૂટ વૈભવ ,મુઠ્ઠી તાંદુલના બદલામાં ઘરઆંગણે.
વધાવો ફૂલથી અખાત્રીજને ઘરઆંગણે.
વેદ વ્યાસજીએ ગણેશજીની સહાયથી મહાભારત લખવાના શ્રીગણેશ કર્યા.
વધાવો ફૂલથી અખાત્રીજને ઘર આંગણે.
શિવશંકરની જટામાંથી ગંગાજી ધરતી પર
પધાર્યા અખાત્રીજને દિવસે ઘરઆંગણે ,
વધાવો ફૂલડે અખાત્રીજને ઘરઆંગણે.
ત્રેતાયુગનો આજથી થયો પ્રારંભ આંગણે,
આપ્યુ અક્ષયપાત્ર પાંડવોને,સૂર્યદેવે ઘરઆંગણે.
વધાવો ફૂલડે અખાત્રીજને ઘરઆંગણે.
શ્રી લક્ષ્મીજી એ કુબેરજીને અખંડ ધનસંપત્તિ આપી, અખાત્રીજનાં દિવસે ઘરઆંગણે,
વધાવો ફૂલડે અખાત્રીજને ઘરઆંગણે.
પરશુરામનો જન્મ થયો અખાત્રીજના દિવસે,
આજ પરશુરામજયંતિથી ઓળખાય આંગણે.
વધાવો ફૂલથી અખાત્રીજને ઘરઆંગણે.
શ્રી કૃષ્ણે ચીર પૂરી દ્રોપદીની કરી રક્ષા ઘરઆંગણે,અખાત્રીજનાં દિવસે ઘરઆંગણે.
વધાવો ફૂલથી અખાત્રીજને ઘરઆંગણે.
શુભકાર્ય આજ દિન ઠેર ઠેર થાય ઘરઆંગણે,
મંગલ ગીતડાં ગવાય આજદિન આંગણે,
વધાવો ફૂલડે અખાત્રીજને ઘરઆંગણે.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
3/5/2022