GN_26-01-22.
[1/24, 3:45 PM] Pradip: NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : ખાના ખજાના
ગ્રુપ ના દીદી માયા દીદી ની રચના ના શબ્દો ‘ કોઈના દિલ સુધી પહોંચવું હોય તો પેટ સુધી પહોંચવું પડે”.એકદમ સાચી વાત…હું મારા પરિવાર ની આ વિષયક વાસ્તવિક વાત રજુ કરું છું..
૨૦૦૫ માં મીનાક્ષી લંડન MBA ભણવા ગઈ ત્યારે મારો પુત્ર ચાર વર્ષ અને દીકરી નવ વર્ષ ની હતી..શરૂમાં કૌટુંબિક લોકો ના સહારા થી એકાદ વિક ગયું અને પછી રાંધવા વાળી થી માંડ એક મહિનો ગયો અને બંને છોકરા કહેવા લાગ્યા કે પપ્પા તમે બટાકાનું રસાવાલું શાક અને ભાત,ભાખરી બનાવો..પછી મેં જાતે રસોઈ બનાવવાનું શરૂ કર્યું અને બંને જણ ને ફાવી ગયું…જ્યારે બાળકો ને લંડન સાથે લઈ ગયો ત્યાં પરિવાર સાથે રહ્યા ત્યાં પણ ઘરની ગુજરાતી રસોઇ મીનાક્ષી બનાવતા અને મારી સાથે કંપની માં કામ કરતા ગોરા લોકો,શ્રીલંકન,પોલેન્ડના,નાઇજિરિયન ન પણ આપણી ઢોકળી,હાંડવો, થેપ્લા ખૂબ ભાવતા અને ભરેલું મિક્ષ શાક આપણા ગુજરાતીઓ ને ત્યાં બહુ ભાવતું…લંડન ના અમુક જાણીતા ના ઘરે જ્યારે અમે જઈએ ત્યારે તેઓ કહેતા કે તમે અમારા ઘરે આવી ગુજરાતી રસોઈ બનાવી આપણે સાથે જમિયે..એમ અમે લંડન માં અનેક શની,રવી વિકેન્ડ માણતા…. અમે યુરોપ ની ટુર માં ગયા અને જર્મની, સ્વિઝરલેન્ડ માં જ્યારે અમે અમારા ખાના ખજાનો ખોલી બધા ને ઢેબરા,વડા,મસાલા પુરી અને પાપડ પૌવા આપ્યા ને બધા ખુશ થઈ ગયા હતા….
ઇન્ડીયા મા આજે પણ અમે ક્યાંય પણ હરવા,ફરવા જઇએ એટલે ગાડી ની ડેકીમાં ઇન્ડકશન ઇલેક્ટ્રિક સગડી,ફ્રાય પાન,મસાલિયું,નાનું કુકર,ચોખા,દાળ અને ડુંગળી,બટાકા, મરચા,લસણ અમારી સાથે એક બોક્સ માં હોય જ…હમણાં ગોવા દસ દિવસ રહ્યા પણ રસોઈ જાતે ખીચડી,ભાખરી,શાકભાજી,આલુ પરોઠા,ઢોકળી બનાવી જમીએ નહિ તો સંતોષ થાય નહિ….. અમે સાઉથ,નોર્થ, ઇસ્ટ,વેસ્ટ ખૂબ ગાડી લઈ એક એક મહિના ના પ્રવાસ કર્યા પણ રસોડું અમારી સાથે હોય તો જ સંતોષ થાય અને હરવા ફરવા ની મજા આવે….જોકે હવે બધે જ વડા પાઉં,દાબેલી,પીઝા,પાણીપુરી ઠેર ઠેર જોવા મળતી થઈ ગઈ છે. પણ છતાં નોન વેજ અને વેજ મિક્ષ મેનુ હોટેલ માં જોતા જમવાની ઈચ્છા થતી નથી. એક ટિપિકલ સ્મેલ ના કારણે જમી શકતા નથી…મારો ૫૪ દેશ ફર્યા પછી નો અનુભવ કહે છે કે ગુજરાતી ની ઓળખ તે આપણી રસોઈ છે..હવે તૈયાર પેકેટ આવી ગયા અને યુ ટ્યુબ માં બનાવવા ની લાઈવ રેસિપી ને કારણે બધા જ આપણી ગુજરાતી રસોઈ નો સ્વાદ પોતાની હાથે રસોઈ બનાવી માણી શકે છે…સાચે જ માયા દીદી….કોઈ ના પ્રેમ સુધી પહોંચવા તેના પેટ સુધી પહોંચવું જરૂરી….મારો ખુદ નો અનુભવ કહે છે કે આપના ખુદ હૃદય ને ઓળખવા આપણા જ પેટ ને જોઈતો સંતોષ આપવો પણ જરૂરી…ગુજરાતી મોજ ખાના ખજાના…. ઘર્ ઘર્ ની મોજ ખાના ખજાના…અને હવે.NOG ની મોજ ખાના ખજાના…
સંચાલક : પ્રદીપ રાવલ
[1/24, 4:10 PM] Aruna Trivedi.MeM NOG: *NOG SS NO : 0036*
*પ્રકાર – ગદ્ય*
*શીર્ષક :- ખાના-ખજાનામાં સંતોષ*
*ખાના-ખજાનામાં સંતોષ*
અમારું વતન ધંધુકા તાલુકાનો ભાલપ્રદેશ. સૂકો પ્રદેશ. લીલોતરીનું નામ નહિવત પરંતુ પ્રજા પેટપ્રેમી.શિયાળામાં ઘઉં-ચણા ખૂબ થાય. જમીનનો કસ ચૂસીને એકદમ મીઠાં. ગામમાં પ્રવેશતાં જ ચણા ભૂંજાવાની સુગંધ મનભરીને ખાવા પ્રેરે.
વાત કરવી છે જાદરિયાની. ઘઉંનો લીલો પોંક અને ચણાનો લીલો પોંક સૂકવી ગ્રાઈન્ડ કરી ઘીમાં શેકી સાકરમાં બનાવાતી આ વાનગી એલાયચીની સુગંધથી તરબતર હોય છે. તાજું હોય ત્યારે શીરાની જેમ ચમચીથી ખાવાનું અને પછી તેના ચોસલાં ભૂખ લાગે ત્યારે. આના કારણે સવારનો નાસ્તો શીરો, રાબ, શેકેલી લાપસી દૂધમાં કે લાડવાં જેવી પરંપરાગત વાનગીઓ હોય છે.
પુત્રી અને પુત્રવધુ પણ ઘરને અનુરૂપ ખાવા-ખવડાવવામાં શોખીન ! મકાઈનાં ગુલાબજાંબુ, ઢોસા, પીઝા-બર્ગર જેવી વાનગીઓ બનાવે, ખાય-ખવડાવે અને ધરાઈને ફોટા પાડી મીડિયામાં વહેતાં કરે.
મારા મનની ખરી વાત હવે આવે છે. આ તો થઈ આપણાં ખાના-ખજાનાની વાત. હું ગવર્નમેન્ટ સ્કૂલમાં ટીચર હતી. એક વખત સમતોલ આહાર વિશે ગુજરાતી ભોજન સમજાવતી હતી ત્યારે સહજ જ રોટલીમાં ઘી ચોપડવાની વાત કહી, ત્યાં જ એક બાળક કહે, “હા, હા, આપણે ત્યાં મહેમાન આવે ત્યારે ઘી વાળી રોટલી ખાવાની મઝા આવે છે.” હું સ્પીચલેશ.એક બાળકની માતાનું થોડાં સમય પહેલાં અવસાન થયેલું.તેનાં પિતા GIDC માં મજૂરી કરે એટલે ઘેર ના હોય મધ્યાહ્નભોજન થોડું મોડું હોય. સ્વાભાવિક જ પૂછ્યું, ” બેટા, તું શું જમીને આવે છે?” કહે, “મને લસણીયો બનાવતાં સરસ આવડે છે અને મારા ભાઈને રોટલા બનાવતાં આવડે છે. અમે બેય ટેસથી ખાઈ લઈએ છીએ.”
આ યાદ આવતાં થાય છે કે, ખાના-ખજાનાનો સાચો સ્વાદ વાનગી કરતાં સંતોષ અને મનનાં વિચારોમાં હોય છે.
અરુણા ત્રિવેદી
અમદાવાદ
[1/24, 4:11 PM] Kalpanaben Trivedi.MeM.NOG: NOG SS No. 19
નામ… કલ્પનાબેન ત્રિવેદી
ગામ… સુરેન્દ્રનગર
શબ્દ… ખાના ખજાના
શીર્ષક… ખોરાક એ જ ઔષધ
પ્રકાર… લેખ
આમ તો દરેક ઘરને એક રસોડું હોય જ છે ઝૂંપડીમાં પણ એક ખૂણામાં ચૂલો સળગતો હોય છે. માનવી જ્યારથી વિકસિત થયો ત્યારથી એ અનાજને જુદીજુદી રીતે પકાવીને ખાતો થયો. એમાં એણે નવતર પ્રયોગો કર્યાં. જેનાં કારણે આજે આપણે હજારો વાનગીઓ બનાવીને આરોગીએ છીએ. આહાર એ જ ઔષધ. આમ જોવા જાવ તો દરેક વાનગી,અને મરી મસાલાં શરીરને ફાયદાકારક છે. એનો અતિરેક ન થવો જોઈએ.
દરેક પ્રદેશ.. વાતાવરણ, અને અન્ન ઉત્પાદન માટે અલગ અલગ વિશિષ્ટતા ધરાવે છે. એ મુજબ જે..તે પ્રદેશની વાનગીઓ વખણાય છે. જ્યાં ડાંગર પુષ્કળ પાકે છે ત્યાં ઢોસા,રસમ,ઇડલી,પુલાવ, વિ.વખણાવાનું જ.કાઠિયાવાડી સૂકા પ્રદેશમાં બાજરીનો રોટલો,લસણની ચટણી, માખણ,ઘી,જેવી વસ્તુઓ વધારે વપરાવાની.ભારત દેશ ખાના ખજાના માટે ખૂબ પ્રસિદ્ધ છે. પંજાબના લોકો મકાઇની રોટી,સરસવનું પંજાબી શાક,લચ્છી વિ.મુખ્ય ખોરાકમાં લે છે. બંગાળના લોકો ભાત સાથે અન્ય વાનગીઓ આરોગે છે.
રસોડામાં તમામ મસાલા ગુણકારી છે. દરેકને આ બાબતે જાણકારી છે જ.એટલે તો આપણાં દાદીમાના નુસખાઓ પ્રખ્યાત છે. પોષક આહાર કે જે ધાન્ય, કઠોળ,લીલાં શાકભાજી, દૂધ,અને તાજાં ફળો છે.. એ આરોગવા હિતાવહ છે. જીભને તો બધાં રસનો ચટાકો જોઈએ. જ્યારે જે ઋતુ હોય એ મુજબ જમવામાં આવે તો બિમારીથી બચી શકાય.બાકી જમવાનું લિસ્ટ જુઓ…
લાડુ,લાપસી,રબડી,દૂધપાક, પુરણપોળી,ગુલાબજાંબુ, ખીર,હલવો,
પુરી,થેપલાં, મૂઠિયાં, દાળઢોકળી,ખાંડવી, પાતરાં,રસમલાઇ,ઢોસા, ઢોકળાં, ભરેલાં શાક,પાપડ, ચટણી,અથાણું, દાળ,ભાત,પુલાવ,સલાડછાશ, …….પ્યારી ખીચડી…..આનો કોઈ પાર નથી. સુપાચ્ય અને પૌષ્ટિક આહાર લેવો. દરેક મસાલાના ગુણો જાણી યોગ્ય ઉપયોગ કરવો. જંકફૂડ થી દૂર રહેવું.
[1/24, 5:07 PM] Dipti Patel.MeM.NOG: NOG SS no :- 0010
વિષય :- ખાના ખજાના
પ્રકાર :- ગદ્ય
શીર્ષક :-
જગતમાં મોટા ભાગના લોકો પરંપરાગત જુદી જુદી ખાવા બનાવવાની રીત અને સ્વાદથી વૈવિધ્ય વસ્તુઓ ખાવાની મજા માણતાં હોય છે. એમાંય અત્યારના ડિજિટલ જમાનામાં જે જોઈએ તે ગણતરીની મિનિટોમાં મળી જાય છે. જ્યારે ખાના ખજાનાની વાત છે તો વિસરાતી વાનગીઓનો સમાવેશ કરવામાં આવે તો કેવું સારું… બધાંના લેખ વાંચીને એવું અલગ પીરસવાનું વિચાર્યું… ઘણું બધું યાદ આવ્યું પણ છેલ્લે આ ખાના ખજાના આપણને પહોંચાડનારને મનગમતી વાનગી વિષે લખવાનું મન થયું.
મંદિરમાં સવાર પડે પ્રભુજીને સેવા સાથે ભોગ ધરાવવામાં આવે છે.
સેવા રસમાં મઝા રહે, મનમાં ઉમંગ અપાર,
પોતાને હાથે કરે, વિવિધ ભોગ સિગાર,
એક કરું, બીજું કરું, ત્રીજું કરવા જાય,
ચોથું તે પણ હું કરું, અંગ ઉલટ ના માંય.
જન્માષ્ટમી નિમિત્તે પંજરી થી લઈને સોભાગ્ય સૂંઠ, ઘેબર, બાબર, જલેબી, ગુંજા, મેવાતી, ખરમંડા, ખપચી, કપૂરનાડી, સૂતરફેણી, શિખોરી, દહીંવડા, માખણ વડાં, ઉપરેટા, ચંદ્રકળા, મનોહર, ચંદરસા, દેહરવડી, શિખરણ વડી, પુવા, માલપુઆ, તવાપુરી, તિલગુડ, ચિકુલી, આદાપાક, તલપાપડી, તિલવડી, ઢેબરી, ખીર, સેવના લાડુ, છુરી, ગુલગુલા, જાત જાતની પૂરી, મેવા પૂરી, સાટા, ઠોર, દૂધ પૂરી, થપડી, ખીરના ગુંજા, કચોરી, ખંડરા, મેસુબ, અડદીયા, તીનકુડા, બુંદીના લાડુ, બીજી ચિરોજી લાડુ, મગના પનોલા, ફેના રોટી, ઈમરતી, મીઠો ભાત, ઘાંસના લાડુ, ઊકર, અમૃત રસાવલી, લીટી, અદ્ભૂત વિલાસ, સુરજ રોટી, મદન મોદક, બુડલકા આવી જાતજાતની વાનગીઓ ઠાકોરજી માટે બનતી હોય છે. શબ્દ મર્યાદિત હોવાથી દરેક વાનગીની રેસિપી લખી નહીં શકાય.
પાંચેક રેસિપી લખીને જણાવું છું.
(૧) ઉપરેટા :- મેંદાના લોટને પાણીમાં ખૂબ કઠણ લોટ બાંધી તેની રોટલી જેવી પાતળી પૂરી વણી પછી ખૂબ ઘીમાં સારી રીતે ફેણેલો ચોખાનો લોટ (સાદો) તૈયાર રાખવો તેનું પરત તે પૂરી ઉપર લપેટી ગોળ વીટો કરી ગોળ લુવો કરી તેની ફરી પાતળી મોટી પૂરી વણી ઉપર મુજબ ચોખાના લોટનું પરત દઈ તેની ખાજા જેવી મોટી પૂરી વણી ઘીમાં તળી ત્રણ ગણી આકરી ચાસણી પાવી.
(૨) ચંદ્રકળા :- ઉપરેટાની રીત મુજબ જ પૂરી કરી તેની વચ્ચે કાણું પાડી ઘીમાં તળી ઉતારતાં ગરમ હોય ત્યારે જ ખાંડ ભભરાવવી.
(૩) ફેના રોટી:- ચંદ્રકળાની માફક મેંદાના લુવાની રોટલી કરી તેને શેકી ઘીમાં બોળી દેવી.
(૪) ગુલગુલા :- ગુલાબની પાંદડી ઝીણી કરીને ઘીમાં સાંતળી તેને જલેબીની જેમ ચાસણી પાવી.
(૫)પુવા :- ઘઉંના એક શેર લોટમાં પા શેર ઘીનું મોણ નાખી તેમાં અડધો શેર ગોળ ભેળવી કઠણ કણક બાંધી કાળાં મરી તથા ઈલાયચી મેળવી રાત્રે ઠાકી રાખી બીજા દિવસે ખૂબ ઘીમાં પૂડલા લોઢી પર તળવા.
વ્યસન વાન વૈષ્ણવ તણી, એ સેવાની રીત,
જય હો સૂપડે ટોપલે, ડગલે પગલે પ્રીત.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
[1/24, 5:10 PM] Leena Sharma.MeM: NOG.S.S.No.0098
પ્રકાર:- ગદ્ય
વિષય:- ખાના ખજાના
શીર્ષક:- ખસ્તા કચોરી
“ખાના ખજાના “વિષય પ્રમાણે ખાવા-પીવા ના શૌખીન અને નવી નવી વાનગીઓની રેસિપી મળે તો બનાવવાના શૌખીનો ની તો આ ગ્રુપમાં લહેર જ પડી ગઈ, અને પડે પણ કેમ નહીં…. સીઝન પણ ખાવા પીવાનો છે મિત્રો. બધા મિત્રોને રચના વાંચી વાંચીને મોઢામાં પાણી આવી ગયું કેમકે હું પણ ખાવાના શોખીન છું .ચાલો હું પણ અમારા યુ.પી .એમ.પી .ની પ્રખ્યાત એક સરસ વાનગી વિશે જાણ કરાવી દઉં જેનું નામ છે “ખસતા કચોરી”
આપ બધાએ એનો સ્વાદ ક્યારેક ને ક્યારેક લીધો હશે જાણું છું .આ “ખસતા કચોરી “ખાવામાં બહુ જ સારી હોય છે .ચાર પાંચ દિવસ સુધી ચાલે છે એટલે કે કોઈ બર્થ ડે પાર્ટી ,કીટી પાર્ટી , માંગલિક પ્રસંગ હોય તો કે સફરમાં જવાનું હોય તો પહેલાથી જ આપણે બનાવીને રાખી શકાય.
“ખસતા કચોરી” અડદની દાળ અને મગની દાળની બને છે મેદાનો લોટ અને ઘઉંનો લોટ વાપરવામાં આવે છે આને બનાવવામાં બહુ જ મહેનત લાગે છે જે પાકકળામાં માહિર હોય તેજ બનાવી શકે છે બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે બહુ ધીમી આંચ પર તૈયાર થાય છે. કચોરી બની જાય પછી તો શૌખીનોની ની આગળ ધૂમ મચાવી દે છે .”ખસતા કચોરી “ને ચા સાથે પણ ખવાય ખીર (દૂધપાક )સાથે પણ ખવાય દહીં ,સેવ મમરા ,ચટણી નાખીને મસાલા કચોરી બનાવીને પણ ખવાય તો દોસ્તો આ છે મજાની” ખસતા કચોરી.”
મિત્રો મારે મારા મનની એક વાત કહેવી છે કે આપણા ઇન્ડિયન ફૂડમાં એટલી બધી વેરાઇટીઓ છે કે આપણે હજી પણ કંઇક ને કંઇક ખાવાનું રહ્યું જ હશે.
અેટલે કે આપણે ગમે તેટલું ફાસ્ટ ફૂડ ખાઈ લઈએ પણ આપણા ઇન્ડિયન ફૂડ માં જે મજા છે તે બીજા બધા ફૂડમાં નથી એટલે કે આપણું ઈન્ડિયન ફૂડ શ્રેષ્ઠ જ નહીં સર્વ શ્રેષ્ઠ છે.
✍️
લીના શર્મા
હાલોલ.
[1/24, 5:49 PM] Bhahvati Panchmatiya.MeM.NOG: NOG SS NO. ૬૦
વિષય : ખાના ખજાના
પ્રકાર : ગદ્ય [આર્ટીકલ ]
શબ્દો : 307
શીર્ષક: સ્વાદીલા શહેર જામનગરની સેર
ખાવું એ આપણી મૂળભૂત જરૂરિયાત છે. ખોરાક જીવન આપે છે. એ આપણે સૌ સુપેરે જાણીએ છીએ. ભગવાને માણસની જીભમાં જે સ્વાદગ્રંથિઓ મૂકી છે તેને અનુકૂળ વાનગીઓ મળી જાય તો એથી રૂડું બીજું શું હોઈ શકે?
આહારની એક જ વસ્તુમાં અનેક જાતનાં અલગ અલગ મસાલા અને કુકિંગ પ્રોસેસ કરીને આપણે તેને વધુ સ્વાદિષ્ટ બનાવીએ છીએ. દા.ત. બટેટા. તો એની કેટલી વસ્તુઓ આપણે બનાવીએ છીએ! તેમાં મુખ્ય છે: શાક. તો એની પણ કેટલી અલગ અલગ રીતો છે! કાચા બટેટાનું શાક….નોર્મલ અને ફરાળી. બાફેલાં બટાટાની સૂકી ભાજી….એ પણ નોર્મલ અને ફરાળી એમ બે રીતે. આ ઉપરાંત તેનાં ભજીયા, બટેટાવડા, બફ વડા, ચિપ્સ પણ ખરી. તો વળી તેને અનેક પ્રકારની વેફર સ્વરૂપે સૂકવીને પણ ઉપયોગમાં લઈએ છીએ.
આ તો થઈ એક માત્ર બટેટાની અમુક વાનગીઓની વાત. હવે જામનગરની ફેમસ વાનગીઓ જોઈએ તો લીસ્ટ લાંબુ છે. તેમાં મુખ્ય છે: દિલીપના ઘૂઘરા, ગીગાભાઈની ભેલ, ત્રિકમભાઈનો મેસુબ, જૈન વિજયની કચોરી, બજરંગ અને જલારામનાં ખમણ, ઉમીયાજીના ભજીયા, રસ પાઉં, ઘૂંટો, અંબિકા ડેરીનું ઊંધિયું, રસ મસાલા ખારી બિસ્કીટ, બ્રેડ કટકા…..વાંચીને જ મોં માં પાણી આવી ગયું ને, મિત્રો?
તો ચાલો આજે ત્રિકમભાઈનાં મેસૂબ વિષે થોડી વાત કરીએ. જામનગરમાં એક બર્ધન ચોક નામે વિસ્તાર આવેલો છે. ત્યાં ત્રિકમભાઈ બેચર નામનાં એક કંદોઈની દુકાન છે. તે દુકાન આજકાલની નહીં પણ એકસો ત્રેપન વર્ષ જૂની છે. ત્યાંનો મેસૂબ જામનગરના રાજા જામરણજીતસિંહજીબાપુને એટલો ભાવી ગયો કે જ્યાં આ દુકાન આવેલી છે તે આખું બિલ્ડીંગ, તેમણે ત્રિકમભાઈને આપી દીધું. અહીંથી આસપાસનાં ગામોમાંથી પણ દૂર પડતું હોવા છતાં લોકો મેસુબ ખરીદવા ત્રણ ત્રણ પેઢીથી આ જ દુકાને આવે છે. તેમની દુકાનમાં રાજા રણજીતસિંહજીનો ફોટો પણ છે. તેમને દરબારી કંદોઈ કહેવામાં આવે છે કારણકે તેમની મીઠાઈઓ રાજમહેલમાં જતી. આમ, પરમ્પરાગત સ્વાદ હજુ લોકોની દાઢે વળગેલો છે. મેસૂબ જેવાં જ ફેમસ અહીનાં તીખા ઘૂઘરા છે. તેની વાત ફરી ક્યારેક કરીશું.
અસ્તુ.
ભગવતી પંચમતીયા ‘રોશની’