NOG SS NO:004
વિષયઃ ખાના ખજાના
પ્રકારઃ ગદ્ય
શીર્ષકઃ બ્રહ્મ ભોજન
શિયાંળાની એ રાત હતી લોકો ને પૂરતાં ઓઢવા
, ખાવાના ફાફા હતાં. બે ચાર બાળકો બિચારા તરફડિયા મારી રહ્યા હતાં. ઊંધ હરામ હતી.
તાપણું કરી સાધુ મહારાજ બેઠા હતા તેમણે વાર્તા શરૂ કરી બધાં જ સાંભળી રહ્યાં હતાં. ભોજન માટેની સુંદર
વાત હતી. માનવીની શ્રધ્ધા ઈશ્વર પ્રત્યેની કેવી અપાર હોય છે. કહેવાય છેને દાને દાને પે લીખા હૈ ખાને નાલે કા
નામ.. પણ શ્રધ્ધા હોય તો ઈશ્વર પણ આંગણે આવી જમે
તે ઉત્તમ ખાના ખજાના.તો સાંભળો ઈશ્વર કેવી ભક્તની લાજ રાખે તે…
એકવાર રાઘવપુર ગામમાં બહુ ભયંકર દુકાળ પડ્યો,આજુબાજુ બધે જ તેના છાટાં ઉડ્યા.ક્યાંય અનાજ પાણી નહિ.લોકો દુ:ખી દુ:ખી થઈ ગયા.
આ એજ ગામ હતું જ્યા સરસ મોટું કૃષ્ણનું
મંદિર હતું.નાના મોટા બધા જ અહીં દર્શને આવે.મોહન નામે એક ગરીબ છોકરો તેની મા સાથે નાની ઝૂંપડીમાં રહેતો હતો.મંદિરમાં રોજ આવે,મંદિર ધૂવે ને પાણી પણ કૂવામાંથી ભરી આપે.પૂજારીજી તેના એને બે રૂપિયા આપે તે ઘરે જતા મા માટે થોડું અનાજ લઈ જાયને ખાય.આમ તેમનું જીવન ચાલતું.રોજ કમાવું રોજ ખાવું.
આ દુકાળમાં એક વાર એવો સમય આવ્યો કે આખું ગામ બિચારું તરફડિયા મારવા લાગ્યું કેટલાય ગામ છોડી નિકળી ગયા.પૂજારી પણ મંદિર છોડી જતા રહ્યાં પણ મોહન તો મક્કમ રહ્યો. તેણે ભગવાનને રોજ પૂજાપાઠ કરી નવડાવવા માંડ્યા. રોજ ભગવાનને કહેતો જાય કે ,”*મારે ત્યાં પધારો *”હવે ભગવાનને પણ થયું કે મારે જવું જોઈએ પણ બિચારાને ખાવાના ઠેકાણા જ નથી તો મને શું ખવડાવશે..
ધીરે ધીરે ભગવાને મંદિરના પરિસરમાં થોડું થોડું આડુંઅવળું બિયારણ પડ્યું તેમાંથી અનાજ ઉગાડવા માંડ્યું.હવે મોહન થોડો સધ્ધર થયો.તેણે મંદિરમાં સરસ મજાનો દરવાજો બનાવ્યો ને પૂજારી ગામ છોડી ગયા તેની રાહ જોવા લાગ્યો.તેણે મંદિરમાં જે આવે તેને જમાડીને મોકલવાની પણ વ્યવસ્થા કરી હતી.એક દિવસ તેના ભંડારામાં અનાજ ખૂટ્યા તેને ફિકર થવા લાગી કે તે વટેમાર્ગુને જમાડશે કેવી રીતે?
તેણે તો માને કહ્યું ,” મા આજે તો ભગવાન જમવા આવવાના છે તે તમે તાટ સરસ માજીને મૂકો.”
મા તો વિચારમાં પડી કે દીકરા ખાવા અનાજ નથીને ભગવાનને ખવડાવવું છે.? ત્યાંતો મંદિરની ડેલીએ પાંચ સાધુ આવ્યા.મોહને તો એમની આગતા સ્વાગતા કરીને તેમને નદીએ સ્નાન કરી જમવા પધારવાનું કહ્યું .મા તો ફીકર કરી રહી કે હવે ?ત્યાં અચાનક ગાડુભરી એક માલધારી આવી ચડ્યો.તેણે ગાડુ મંદિર આગળ ઉભું રાખ્યું ને મોહનને કહ્યું ,”મારા શેઠને ત્યાં દીકરાના લગ્ન લીધાં હતા પણ શેઠના દાદીશા નું મૃત્યુ થયુંને લગ્ન બંધ રહ્યા છે તે આ બધું રાંધેલું અનાજ મંદિરે આપવાનું કહ્યું છે.”
મોહને તેને આવકારો આપ્યોને માને કહ્યું,”તમે તૈયારી કરો ને સાધુ સંતોને આ માલધારીને જમાડો હું ગામમાં પણ જેના ઘરે આજે નથી પકાવ્યું બધાને બોલાવી ને આવું.”
મા તો આશ્ચર્યથી જોતી રહી જ્યાં દાણો નહોતો ત્યાં ગામ જમે તેટલો જમણવાર? તેણે બે હાથ જોડ્યા,બધાંને જમાડવા માંડ્યાને ધીરે ધીરે ગામ જમ્યું ને પછી બે મા દીકરો જમવા બેઠા.માલધારી રજા લેવા આવ્યો.મોહને તેના પગે પડી કહ્યું ,”ભલે પધાર્યા પ્રભુ,મારી લાજ રાખી.”
માલધારી ગયો એટલે મોહન તે જયાં જમવા બેઠો હતો ત્યાં ગયો તો જુએ છે કે વાંસળીને મોરપીંછ ત્યાં પડ્યું છે.મોહન તો બહાર દોડ્યો પણ ન ગાડું દેખાય ન માલધારી..હવે તેને સમજાય ગયું કે મુરલી મનોહર જાતે પધાર્યાને મારી આબરૂ રાખી ગયાં. તેણે તેની માને બતાવ્યા બન્ને ચીજ..એ દિવસથી મોહનનાં મંદિરમાં લોકો સદાવ્રતમાં ખાતા ને અનાજ ક્યારેય ખૂટે જ નહિ.
આમ શ્રદ્ધાએ *બ્રહ્મ ભોજન* પૂર્ણ થયું.
એવો વિરપુરનો ભંડારો છે જ્યાં જલારામ બાપાએ
સદાવ્રત ખોલ્યું છે ત્યાં ખાના ખજાનો ખૂટતો જ નથી. અનાજ ન વેડફો.
થાળીમાં એંઠું ન છોડો… લગ્નમાં કે પાર્ટીમાં બગાડ ન કરો. ક્યારેય ખાવા માટે નહિ તરફડવું પડે.
અસ્તુ
જયશ્રી પટેલ
૨૩/૧/૨૨
[1/23, 10:20 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- ખાના ખજાના
પ્રકાર::- ગદ્ય
શબ્દો:- ૨૯૨
શીર્ષક:- પીરસેલી થાળી.
ખરેખર ખાનપાનની વાત આવે એમાં પણ અમારાં અનાવિલો એટલે વિવિધ મુઠીયા, ઢોકળી અને ભૂકો. સાથે જ દૂધેલી,ઢેખરા, દેસાઈ વડા,તૂરિયામાં પાતરા.
અમે તો પાતરાનાં દાંડા ફેંકી ન દેતાં એનાં પણ મુઠીયા બનાવીએ.
એક ઓછી જાણીતી વાનગી- શેરડીના રસની ખીર એનો ખુબ જ સ્વાદિષ્ટ.વિવિધ રાયતાં,કચૂંબર, ચટણી.
ખમણી, બજારમાં મળે એ ચણાની દાળની જ્યારે હું મગની દાળની બનાવું.મારી બંને ખમણીમાં માસ્ટરી.બીજી એક વાનગી તે લસણ મરચાંની ભાખરી.આ વાનગી મને મારાં જીવનસાથીએ શીખવેલી, અમારાં ઘાસવાલા પરિવારની સ્પેશ્યાલીટી.પૂરણપોળીમાં પણ વિવિધતા, હું મગની દાળની બનાવું એમાં પણ મારી સ્પેશ્યાલીટી.અમારી એક બીજી વાનગી કાકડીની ખમણી.આવી તો કેટલી બધી વાનગીઓ સાથે પાર વગરનાં અથાણાં પાપડ, એમાં પણ કેરીની મોસમમાં રસ સાથે ખાવાનાં ઢમકા પાપડ તો જાતભાતના શરબતને કેમ ભૂલાય?
આપણાં જ્યોતીન્દ્રભાઈએ પાકકલા શબ્દ પ્રયોજ્યો તેવી જ એક કળા છે થાળી પીરસવાની.થાળીમાં બધી વાનગીઓ બરાબર પીરસાયેલી હોય તો જમતાં પહેલાં જ દિલ ખુશ થઈ જાય.
અમને લગ્ન પહેલાં થાળી પીરસતાં શીખવતાં અને કહેતાં,”હીખો હાહરે જહે તાં હું કરહે મેમાનને પીરહતી વખતે.”
થાળીમાં પુરીની ડાબી બાજુથી વાનગી યાત્રા મીઠાથી શરૂ થાય.મીઠુ, ચટણી, અથાણું, કચુંબર, પાપડ, ( મારાં લગ્ન થતાં મારું સ્થળાંતર ડુંગરીથી બિલીમોરા થયું તેવી જ રીતે ભોજનની થાળીમાં પાપડનું સ્થાનફેર થયું.પિયરમાં ભોજનની થાળીમાં પાપડનું સ્થાન પાછળ હતું તે સાસરેની થાળીમાં મીઠાની પણ આગળ આવ્યું.) રાયતું, ફરસાણ, રસાવાળું શાક જે નાની ડીશમાં મૂકવાનું એની બાજુમાં સુકું કે છુટ્ટુ શાક,દાળ, ખાટુ કે કઢીની વાટકી અને આવી ગયાં પુરીની પાસે.થાળીમાં વચ્ચે મિષ્ટાન, મીઠી વાનગી મૂકવાની.આ બધાં વ્યંજનને ન્યાય અપાય જાય પછી ભાત પીરસવાનો.મોળીદાળ હોય તો ભાત ઉપર પીરસવાની પછી ઉપર ઘી મૂકવાનું.
જો પૂરણપોળી બનાવી હોય તો એની બાજુમાં નાની વાટકીમાં ઘી મૂકવાનું.બાસુદી, શીખંડ કે દૂધપાક હોય તો એની ઉપર બદામ એલચી ચારોળી પિસ્તા વ્યવસ્થિત રીતે ભભરાવવા.
મિત્રો,આટલી સરસ શોભાયમાન થાળી હોય પછી ન્યાય આપવો જ પડે.
જમીને ઉઠ્યા પછી જાતજાતનાં પાન, મુખવાસથી ભોજન પૂર્ણ થાય.
✍️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[1/24, 12:56 AM] Arti Merchant.MeM.NOG: NOG SS no.0007
વિષય : ખાનાખજાના
પ્રકાર : ગદ્ય
શીર્ષક : હું મુંબઈની ગુજરાતણ
પ્રદિપભાઇએ આ વખતે જે વિષય આપ્યો છે તે એટલો જબરદસ્ત છે કે ખાના ખજાનાથી કોઈ પણ વ્યકિત અછડતી ન રહી શકે. આપણે મિત્રો સાથે બેઠાં હોઈએ કે અડોસીપડોસી સાથે કે પછી હોય કોઈ સગાઓની સંગત, ખાણી પીણીની વાત નીકળે તો દરેકની જીભે પોતાનાં નાકાથી લઈને શહેરની ,ગલીની કોઈને કોઈ પ્રખ્યાત ખાણીપીણીની દુકાનો,હોટેલ કે પછી વસ્તુઓનાં સરનામાં મોઢે હોય.મારી આજની આ વાતમાં હું કોઈ એક પ્રાંતની કે શહેરની ખાણી પીણીની વાત નથી કરવાની.પરંતુ હું વાત કરીશ મારી.એટલે કે મારાં જેવી મુંબઈની અનેક ગુજરાતી ગૃહણીઓની.જેને બરાબર ખબર છે કે કોઈના પણ હૃદય સુધી પહોંચવાનો રસ્તો એનાં પેટથી જાય છે. ગુજરાતી ગૃહિણીના રસોઈના મેન્યુ કાર્ડમાં બધીજ વાનગીઓ એનાં આવડતાં લીસ્ટમાં હોય જ,અને જો ન આવડતી હોય તો રસોઈ શો,કે પછી યુ ટ્યુબ ચૅનલ અને બાકી છેલ્લે ગુગલ મહારાજ તો છેજ; ત્યાંથી શીખીને પણ નીતનવી વાનગીઓ બનાવી ઘરનાં સદસ્યોને ખૂશ રાખવાનો પ્રયત્ન કરે.વારતહેવાર તો ઠીક એ મોસમ પ્રમાણે પણ વાનગીઓ બનાવી ઘરનાં નાનાં મોટાં સહુનાં ચહેરા પર સ્મિત પીરસી શકે છે.જેમકે ઠંડીની ઋતુમાં સવારના નાસ્તામાં ગોળના ગરમાગરમ શીરો,મસાલા દૂધ સાથે સાઉથ ઈંડિયન નાસ્તો,જેમ કે ઉપમા,ઈડલી ચટણી સાથે બનાવે,મોસમનો પહેલો વરસાદ પડ્યો નથી ને મહારાષ્ટ્રનાં વડાપાઉં બન્યાં જ સમજો.અરે કમોસમના એક દિવસનાં વરસાદમાં પણ ઘરનાઓની ફરમાઈશ પર ભજીયાં, વડાપાઉંની સાથે લસણની તીખી લાલચટ્ટક ચટણી અથવા મિસળ પાઉં હોંશે હોંશે બનાવે.રોજ રોજ આપણાં ગુજરાતી દાળ,ભાત, શાક,રોટલી ખાઈને કંટાળે તો બપોરનાં મેન્યુમાં એ ગૃહિણી પંજાબી વાનગીઓ જેમ કે પંજાબી શાક,નાના કુલ્ચા, પરાઠા, બિરયાની,લસ્સી, રાયતું વગેરે બનાવી ઘરનાં સભ્યોને ખૂશ કરી દે.એમાં પણ આ કૉરોનાને લીધે થોડી વધારે કાળજી રાખનારી હોય તો ઢોકળાં,મૂઠીયા, પાત્રાથી લઈને પીત્ઝાના રોટલા સહીત કચોરી,સમોસા, સાબુદાણા વડાં, પનીર ટીકા,શાહી ટુકડાં, સ્પ્રિંગરોલ,ચીઝબોલ,ગ્રીલ સેન્ડવીચ……..ઓહ! કેટલાં નામ ગણાવું, હું પોતેજ હાંફી ગઈ.આ બધુંજ એ ઘરે બનાવી નાંખે.ગુજરાતી ગૃહિણી ના રસોડામાં ખાખરા પર છાંટવાના જીરાળુની સાથે સાથે પીત્ઝા,પાસ્તા, સેન્ડવીચ,દહીં પૂરી, રગડા પેટીસ પર છાંટવાના જુદાં જુદાં મસાલાઓથી એનાં રસોડાંના ખાનાઓ શોભતાં હોય છે.બાળકના કે ઘરનાં બીજાં કોઈપણ સભ્યના જન્મદિવસે સવારે સરસ મઝાનું કોઈ દેશી મિષ્ટાન્ન જેમકે લાપસી,શીરો, બાસુંદી,રબડી,ખીર તો બનાવે જ,અને સાંજે પાછી કૅક, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ વીથ જેલી,કે પછી ફ્રૂટ કસ્ટર્ડ જેવું ફેન્સી મિષ્ટાન્ન પણ બનાવી જાણે.તહેવારોની વાત કરું તો ઉતરાયણની ચિક્કી,ને હોળીની પૂરણપોળી,શિવરાત્રિની ઠંડાઈ ને જન્માષ્ટમીની બુંદી, રક્ષાબંધનમાં તો ખાસ ભઈલાને ભાવતી જબરદસ્ત વાનગી, નવરાત્રીમાં મા ને ભાવતી ખીરપૂરી, ચણાનું શાક,વગેરે બનાવે તો દશેરાના દિવસે ફાફડા જલેબી બનાવવામાં એ પાછી ન પડે.તહેવારો છોડો શ્રાધ્ધ પક્ષમાં પિતૃઓને ભાવતાં ભોજન બ્રાહ્મણને જમાડી સંતોષ માને.પછી આવે દિવાળી……!એની તો વાતજ શું કરવી.જાતજાતની પરંપરાગત તથા ફેન્સી વાનગીઓથી ઘરનું રસોડું મહેકી ઊઠે.કહેવાનું તાત્પર્ય એટલું જ કેઆ રીતે આપણી ગુજરાતી ગૃહિણીના પ્રતાપે આપણાં સહુનાં રસોડામાં ગુજરાતની સાથે સાથે દેશના બીજાં અનેક પ્રાંતો પણ જે તે પ્રાંતની વાનગીના સ્વરૂપે ધબકે છે,શ્વસે છે.તો એવી મારી મુંબઈની ગુજરાતણને સો સો સલામ.
લેખિકા : આરતી મરચંટ
મુંબઈ: કાંદિવલી
[1/24, 1:58 PM] Puja Alka Kanani.Kutchh.Kananips.MeM.NOG: NOG S.S. નંબર 0042
વિષય – ખાના ખજાના
પ્રકાર – ગદ્ય
શીર્ષક – સંજીવકપૂરને મળ્યાનું સંભારણું
ખાના ખજાના શબ્દ વાંચતાં જ મન અતીતની અટારીએ પહોંચી ગયું અને યાદોનો ખજાનો લઈને આવ્યું .
બે હજાર સોળમાં (ટાટા કેમિકલ્સ) મીઠાપુરમાં ઊર્જા રસોઈ શો અંતર્ગત, ‘માસ્ટર શેફ ‘ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનું માળખું ત્રણ સ્ટેપમાં ગોઠવાયેલું હતું. સિલેક્શન, સેમી ફાઈનલ અને ફાઈનલ રાઉન્ડ. અમે પાંચ સખીઓની ટીમ બનાવી અને ટીમનું નામ ઉડાન રાખ્યું હતું.
સ્પર્ધામાં એકવીસ ટીમે પાર્ટ લીધો હતો. પ્રથમ રાઉન્ડમાં સ્ટાર્ટર ઘરેથી બનાવી લઈ જવાનું હતું. અમે ‘બ્રેડરીંગ વિથ ક્રીમીબોલ’ અને પાઈનેપલ ડીપ બનાવ્યા હતાં. સિલેકશન રાઉન્ડમાં નવ ટીમને સેમી ફાઈનલમાં જવાનો મોકો મળ્યો હતો તેમાં અમારી ટીમ સામેલ હતી.
પછીનો રાઉન્ડ ઓન ધ સ્પોટ કુકિંગ રાઉન્ડ હતો. પાંત્રીસ મિનિટમાં અમારે આપેલી વસ્તુનો ઉપયોગ કરી અમારી રાંધણકળા,ટીમવર્ક, તેમજ ડેકોરેશન કરી અમારી શ્રેષ્ઠતા પુરવાર કરવાની હતી. ઇન્ડક્શન વાળું પ્લેટફોર્મ જરૂરી મસાલા અને સાધનસામગ્રી સાથે તૈયાર હતું. સ્પર્ધા ચાલુ થયાંનાં પંદર મિનિટ પછી મેજિક બાઉલમાં અમને સોયાબીનની વડી આપવામાં આવી હતી. તેનો ઉપયોગ પણ કરવાનો હતો. રાઈટ ત્રીસ મિનિટ પછી છ વાનગી સાથે અમારી ટીમે તમામ કાર્ય પૂર્ણ કરી લીધા હતાં. અમારી ટીમના જોરદાર પર્ફોમન્સને કારણે અમારો પ્રથમ નંબર આવ્યો હતો. અમારી આંખોમાં હર્ષનાં અશ્રુ વહેવા લાગ્યા. આ રાઉન્ડનાં જજ હતાં, ફૂડ રાઈટર,બ્લોગર, ‘ડીવાઈન ટેસ્ટ વિથ ‘ નાં પ્રણેતા અનુશ્રુતિજી. તેમને અમે બનાવેલું કાઠિયાવાડી પીઠલું બહુ ભાવ્યું હતું.
બે મહિના પછી અમારી ટીમને રસોઈ શોના ફાઈનલ રાઉન્ડ માટે મુંબઈ જવાનું થયું જ્યાં અમને જજ કરવા માટે સંજીવ કપૂર આવવાનાં હતાં. મુંબઈમાં પણ અમને આપેલી વસ્તુનો ઉપયોગ કરી વાનગી બનાવવાની હતી મેજિક બાઉલમાં આપેલી વસ્તુ સહિત. સ્પર્ધા ચાલુ થતાં જ અમારું ઇન્ડકશન બગડી જતાં, અમે થોડા ગભરાઈ ગયા હતાં પણ પછી બાજી સંભાળી લીધી હતી. સંજીવજીનાં જજમેન્ટ હેઠળ અમારી ટીમનો ત્રીજો નંબર આવ્યો હતો એ વાત યાદ કરતાં મન આજે પણ ગર્વ અનુભવે છે. સર્ટિફિકેટ,શિલ્ડ,ગિફ્ટ વાઉચર સહિત ઘણા ઇનામો મળ્યા તે ઉપરાંત અમને સંજીવ કપુરને મળવાનો,વાતો કરવાનો, ફોટા પડાવવાનો લહાવો મળ્યો.
આજે આ સંભારણું યાદ કરતાં આંખો ખુશીથી છલકાઈ પડે છે કે જે વ્યક્તિની વાનગીને,ટેસ્ટને લાખો લોકો ફોલો કરે છે એમણે પણ અમારાં કાઠિયાવાડી ટેસ્ટને બિરદાવ્યો હતો અને અમારાં ટીમવર્કથી ખૂબ ઇમ્પ્રેસ થયા હતા કે અમે ઇન્ડકશન બગડી જતાં પણ હિંમત રાખી હતી.
પૂજા(અલકા) કાનાણી
[1/24, 2:15 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS-0034
વિષય : ખાના ખજાના
શીર્ષક : ફૂડ હેબિટ
ખોરાક એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. કહે છે ને, “અન્ન એવો ઓડકાર.” આપણાં દેશમાં વિધવિધ પ્રાંતની અલગ-અલગ વાનગીઓ પ્રખ્યાત છે. એક-એકથી ચઢિયાતી ડીશ જોઈને મોંમાં પાણી આવી જાય એટલું વૈવિધ્ય છે. આપણાં રસોડાંનું મસાલિયું એટલે દેશી ઓસડિયાનો ખજાનો. આપણને નાની-નાની તકલીફ થાય ત્યારે એ દાદીમાના વૈદુથી રામબાણ ઈલાજ કરીએ છે. આજે ખોરાકમાં ઘણી અવનવી વાનગીઓ જોવા મળે છે. એમાંય જે ડીશ બનાવવી હોય તેની રેસિપી ગૂગલમાં હાજર મળે. આપણે ગુજરાતીઓ ખાવાનાં શોખીન છીએ, તેથી જ ગુજરાતી ઉપરાંત ચાઈનીઝ, પંજાબી, થાઈ, મેક્સિકન …ઘણાં ફુડ હોંશે હોંશે આરોગીએ છીએ.
પરંતુ આજે વાત કરવી છે યુવાપેઢીની ફૂડ હેબિટની. નવી જનરેશન ઘરનું પૌષ્ટિક જમવાને બદલે જંકફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. રેસ્ટોરન્ટ હોય કે નાની રેકડીઓ ખાવા માટે વેઈટીંગ જોવા મળે છે. બહાર જમવું એક ફેશન કે સ્ટેટ્સ સિમ્બોલ બની ગયું છે. યુવાપેઢી જાણે છે કે, આ ફુડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાંય ખાઓ, પીઓ અને એશ કરો એ મંત્રમાં જીવતી આ જનરેશનને કંઈ જ ફિકર નથી. ફાસ્ટફૂડની જેમ ફાસ્ટ લાઈફ જીવતી આ પેઢી હેલ્ધી ફુડથી દૂર થતી જાય છે. પહેલાંનાં જમણવારમાં લાડુ, લાપશી, મોહનથાળ જેવી મિઠાઈઓ રહેતી, આજે અનેક વાનગીઓ જોવા મળે છે, પરંતુ એ ભાવ કે પ્રેમ જોવા નથી મળતો. બુફે ભોજનમાં અને આગ્રહ કરીને જમાડતાં પરંપરાગત પંગતમાં ઘણું બદલાઈ ગયું છે. નાનાં ભૂલકાંઓ પણ 5-10 વાળા પેકેટ ખાતાં હોય છે. ઘરની રસોઈ શુદ્ધ, સાત્વિક હોવા છતાંય નથી ભાવતી. તેથી, નાની ઉંમરે જ તેઓ અનેક બીમારીઓનો ભોગ બને છે. ઘરનો પૌષ્ટિક આહાર જ સર્વશ્રેષ્ઠ અને હાઈજેનિક હોવા છતાં તે જોઈને નાકનું ટેરવું ચડી જાય છે. દર વખતે સ્વીગી કે ઝોમેટોનો ઓર્ડર આર્થિક રીતે પણ નુકશાનકારક જ છે. બહારનાં વાસી અને ફ્રોઝન ફૂડથી માત્ર ને માત્ર નુકસાન જ થાય છે.
આજની મોર્ડન યુવતીઓની વાત કરીએ તો ઝીરો ફીગરની હોડમાં તેઓ પૌષ્ટિક આહાર નથી લેતી. ઘી વાળી મિઠાઈ તો અડે પણ નહીં. આપણાં પૂર્વજો તો દેણું કરીને પણ ઘી ખાવાની સલાહ આપતાં. આધુનિકતા અપનાવવી એ કાંઈ ખોટી બાબત નથી, પરંતુ આંધળુ અનુકરણ તો ન જ થવું જોઈએ.
હમણાં એક નવો પવન ફુંકાયો છે. વીગન ફૂડનો. જેમાં પ્રાણીજન્ય તમામ પ્રોડક્ટ બંધ કરીને સાચા અર્થમાં શાકાહારી બનવું. ખરેખર “તુંડે તુંડે મતિ ભિન્ન:”
–ડૉ. રેખા શાહ
[1/24, 3:03 PM] Maya Desai.Bombay.MeM.NOG: *NOG SS No.0081*
*પ્રકાર : ગદ્ય*
*વિષય :ખાના ખજાના*
*શીર્ષક : અનોખી વાનગી*
*શબ્દો ,: ૩૪૯*
માણસનાં દિલ સુધી પહોંચવા પેટ દ્વારા જવું પડે એ વાત સૌ જાણે પણ દક્ષિણ ગુજરાતમાં એ જરા ગંભીરતાથી લેવાય તેથી દર ઋતુમાં અધધ વાનગીઓ. ઊંધિયા વિશે તો આખાં ગુજરાતમાં વિવિધ રીતો પ્રચલિત છે પણ આ દક્ષિણ ગુજરાતની વાનગી એટલે ઉબાડિયું! હા,ઉ અને યુ ઊંધિયાનાં જ અક્ષરો તેથી સામગ્રી લગભગ સરખી જ પણ બનાવવાની રીત જુદી.
આ માટે કાળી પાપડી મળે તો સારું નહીં તો કોઈ પણ પાપડી, રતાળુ કંદ ,બટેટા અને શક્કરિયા લેવામાં આવે .આ બધાંને એક વિશિષ્ટ મસાલામાં રગદોળી એક નાનાં મોંઢાવાળા માટીનાં માટલાંમાં ભરવામાં આવે છે .આ સ્વાદિષ્ટ મસાલો એટલે આ ઋતુનો રાજા લીલું લસણ,લીલી સુગંધી કોથમીર, લીલાં મરચા, આદું,લીલી હળદર ! બધાં જ શાકને સ્વચ્છ કરવા જરૂરી કારણ કે પાપડી સિવાય બધાં જ કંદમૂળ,ભરપૂર માટી સાથે લઈ ઘરમાં આવે.એક મહત્વનું એક અંગ એટલે કલેરની ભાજી..એની નવાઈ એટલે કે એ ક્યાં ય બજારમાં ન મળે , આપમેળે ઉગેલી એક વનસ્પતિ.એનાસિવાય ઉબાડિયું સ્વાદિષ્ટ ન બને.
સૌથી પહેલાં પેલાં માટલામાં આ કલેરની ભાજીનું એક પડ કરવામાં આવે.એના પર પાપડીનું એક થર ઉપર જણાવેલ મસાલો રગદોળી ,હા, પાપડીમાં અજમો નંખાય ,વાયડી વધુને.ત્યાર બાદ, બટેટા.છાલ સહિત એમાં બે કાપા પાડી ઉપરવાળો મસાલો ઠાંસીને ભરવામાં આવે.એને ગોઠવ્યાં બાદ કંદ અને શક્કરિયાનાં મોટાં ટુકડાં મસાલા સાથે રગદોળી ગોઠવાય. આ વાનગી ખુલ્લી હવાની છે હં કે.ખુલ્લી જગ્યામાં માટલાની ઊંચાઈ જેટલો ખાડો ખોદી છાણાંથી અગ્નિ પેટવવામાં આવે.
તૈયાર થયેલ માટલામાં ઉપર બાકીની પાપડી ભરી પાછી કલેરની ભાજી ગોઠવી બંધ કરાય અને ઊંધું કરી એને પેલાં અગ્નિમાં મૂકાય.ચારે બાજુથી સળગાવી એને તાપ અપાય, જરા પણ ઉતાવળ નહીં ચાલે.. ઈંતજાર બાદ જે ખાવા મળે એનો જીભમાં સ્વાદ રહી જાય એની ગેરંટી.
આ અનોખી વાનગીમાં એક ટીપું તેલ-ઘી ન હોવાથી અને એક લલચાવે એવો સ્વાદ હોવાથી સૌની માનીતી વાનગી છે.ઘરે તમે માટલું લાવી શકો પણ ચારે બાજુથી જરૂરી તાપનો કોઈ પર્યાય નથી, પેલી અગત્યની કલેરની ભાજી વિના તો જામે જ નહીં.ગૃહિણીઓએ એમ તો કૂકરમાં બનાવવાની નાકામ કોશિશ કરી પણ ખેર!
તેથી આંગળા ચાટી ખાવું હોય તો દક્ષિણ ગુજરાત જવું જ પડે. પોંકપાર્ટીની જેમ ઉબાડિયા પાર્ટી યોજાય છે , સાથે તીખી લીલાં લસણની ચટણી અને છાશ..કલ્પના કરો કે આ બધું કુદરતનાં ખોળે બેસી માણવાનું! ચાલો તો…રાહ કોની જુઓ છો, ઠંડી ગાયબ થાય એ પહેલાં!
©️#માયા દેસાઈ
મુંબઈ ભારત.