[1/21, 12:22 AM] Nikhil Kinariwala.MeM: NOG SS No : 0110
વિષય: ખાના ખજાના
પ્રકાર: ગદ્ય – માહિતી લેખ
શબ્દ: *૩૪૯
શિર્ષક: સુરતી વાનગીઓ – સ્વાદનો ખજાનો
‘ખાના ખજાના’ વિષય ઉપર લખવાની વાત આવી અને મૂળ સુરતી જીવ એટલે સ્વાભાવિક રીતે સુરતી વાનગીઓ ઉપર પ્રથમ પસંદગી ઉતરે. ‘કાશીનું મરણ અને સુરતનું જમણ’ પણ કંઈ એમ જ નથી કહેવાતું. સુરતી લાલાઓ ખાણીપીણીની મોજ માટે ખુબ જાણીતા છે. ખાવાની શોખીન અને દિલથી બાદશાહ એવી સુરતની પ્રજા અવનવી વાનગીઓ માણવાનું ચૂકતી નથી. વળી તહેવારોની ઉજવણી તો ખાણીપીણીની જમાવટ વગર શક્ય જ નથી.
સુરતની ઉત્તરાયણ સાથે શિયાળામાં સુરતી ઊંધિયું પણ અતિ પ્રસિદ્ધ છે. સુરતી ઊંધિયું સ્વાદ અને સોડમનું અદ્ભુત મિશ્રણ છે. આ સ્વાદમાં ખાસ કરીને સુરત નજીકના કતારગામની ૩ દાણાની પાપડી, લીલવાના દાણા અને રતાળુના કંદની વિશિષ્ટ મીઠાશ સમાયેલી હોય છે. તલ,કોપરું,લીલા મરચાં અને કોથમીરનો મસાલો સુરતી ઉંધીયાના સ્વાદને આગવી ઓળખ આપે છે. સાથે ભરેલા રવૈયા, બટાકા, શક્કરિયાં અને કેળાં તો ખરાં જ. આ સુરતી ઊંધિયું બનાવવાની પદ્ધતિમાં તેનો લીલો મસાલો, પાપડી-દાણા તથા કંદને એક ચોક્કસ રીતે સ્તર બનાવીને રાંધવા મુકાય છે જેથી બધી જ સામગ્રી તેની મીઠાશ ગુમાવ્યા વગર સરસ રીતે રંધાઈ જાય. આ રીતે તૈયાર થયેલા સુરતી ઊંધિયાની મીઠાશ કંઈક અલગ જ હોય છે. આ સુરતી ઊંધિયાની લિજ્જત પુરી અને જલેબી સાથે એકવાર જરૂર માણવી જ જોઈએ.
શિયાળામાં મળતો સુરતનો પોંક અદ્ભુત મીઠાશ ધરાવતી ચોક્કસ પ્રકારની જુવારમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાસ ‘આંધળી વાણી’ની જાતની જુવારની ખેતી સુરતની આજુબાજુના પ્રદેશોમાં કરવામાં આવે છે. આ જુવારનો ઉપયોગ ફક્ત પોંક તૈયાર કરવા માટે જ થાય છે. માત્ર સુરતમાંથી જ નહીં પરંતુ ગુજરાતના અને ક્યારેક વિશ્વના જુદા જુદા ખૂણેથી આ તાજા છડેલા પોંકનો આસ્વાદ માણવા લોકો આવે છે.આ તાજા પોંકની ખાવાની મજા ખાસ તૈયાર કરાયેલી ચટાકેદાર લીંબુ મરીની સેવ અને તીખી સેવની સાથે છે.
બીજી એક સુરતની પ્રસિદ્ધ મીઠાઈની વાનગી એટલે માવા અને ધીની ડ્રાયફ્રૂટ અને કેસર ઈલાયચી સાથેની અલગ-અલગ પ્રકારની ઘારી. વર્ષોથી ચંદી પડવાની રાત્રે ચંદ્રમાની શીતળ ચાંદનીમાં સુરતના રહેવાસીઓ સુરતની અતિપ્રસિદ્ધ ધારી અને ભૂસું લઈ સ્નેહી-સ્વજનો અને મિત્રો સાથે ખુલ્લામાં અને ક્યારેક રોડ ફૂટપાથ ઉપર બેસીને ઉજાણી કરે છે.
આ તો વાત થઈ સુરતની ઓળખ આપતી મુખ્ય વાનગીઓ જે વર્ષોથી સચવાયેલી છે અને લોકોના દિલ પર રાજ કરે છે. આ ઉપરાંત મુખ્યત્વે સુરતનાં ઈદડા-ખમણ,ખમણ નો લોચો અને સુરતના પારસીઓની વર્ષો જૂની બેકરીઓના બટર બિસ્કિટ અને નાનખટાઇ પણ અતિશય પ્રખ્યાત છે. સાચે જ સુરતની ખાણીપીણી એ સ્વાદનો ખજાનો જ છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
[1/21, 7:27 AM] Varshaben Desai.MEM.Baroda: NOG:SS No. 0097
વિષય : ખાનાખજાના
પ્રકાર: ગદ્ય
શીર્ષક: બે પુરી એક વડુ
કહેવાય છે કે—કોઈના પણ દિલ સુધી પહોંચવાનો સીધો અને સરળ રસ્તો પેટ છે.લાગણી અને ભાવથી સ્વ હસ્તે બનાવેલ વાનગી ખાનારના દિલને પ્રેમથી તરબતર કરી જ દે.કોઈ અપવાદ હોય શકે.
શીર્ષક સંલગ્ન વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં વસતી અનાવિલ જ્ઞાતિમાં દીકરી-જમાઈ લગ્ન પછી પહેલી વખત વંદા થવા પિયર આવે ત્યારે રવાના લાડુ અને બેસનના લાડુ,રવા-મેંદાની ખુબ મોણની સાધારણ કડક પુરી અને ઘઉં-જુવારના તીખા વડાનો મોટો કરંડિયો આપવાનો રિવાજ હતો.
સાસરીમાં જેઠાણી-નણંદ નવી વહુની સાથે કુટુંબીઓ અને સંબંધીઓને ત્યાં
પુરી,વડા અને લાડુ વહેવાર મુજબ વહેંચવા નીકળે. મૂળ હેતુ નજીકથી નજીકનાઓ(?!)ની ઓળખાણ થાય.
વહેવારમાં “બે પુરી ને એક વડું”નો વહેવાર ઝાઝો.
દ.ગુજ.ની બીજી વાનગી તે શેરડીના રસની બનાવેલ દુધેલી(રી). રસને ઉકાળીને થોડોક ચોખાનો લોટ પ્રમાણસર દુધમાં ઓગાળી,ઉકળતા રસમાં મીક્ષ કરી,ઠારીને એ પર જાયફળનો પાવડર અને ખસખસ ભભરાવવામાં આવે અને ખાતી વખતે દરેક પીસ પર ઠરેલું ઘી લેવામાં આવે
શિયાળાની સિઝનમાં નવસારી થી વલસાડ સુધી બહુ વેચાતી અને ખવાતી તેલ ધી વગરની વાનગી.
લીલી તુવેરના ઢેખરા પણ દ.ગુંજ.ની ખાસ વાનગી. ઘઉં-જુવાર અથવા કણકી-કુરમાના લોટને, થોડાક વધારે લીલા આદુ મરચાં અને આગળ પડતા ગોળ અને રોજિંદા મસાલાના ઉકળતા પાણીમાં કંસારની જેમ બાફવા. લીલી તુવેરના મીઠામાં બાફેલા દાણાને હળવા
છૂંદીને મિકસ કરી તેલમાં તળવા. માઈક્રોવેવમાં ગ્રીલ પણ કરી શકાય.
આવી ઘણી વાનગીઓનો ખજાનો દ.ગુંજ.માં ભર્યો પડ્યો છે. શબ્દોની મર્યાદા ધ્યાનમાં રાખવી પણ જરુરી ખરી જ.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા
[1/21, 7:40 AM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર
ગૃપ.
NOG NO; S.S.0059.
વિષય:ખાના-ખજાના.
પ્રકાર:ગદ્ય- લેખ.
શીર્ષક: આક્રમણ ? સાવધાન !
શબ્દૉ: ૩૪૬.
મારા વ્હાલા વાંચક મિત્રો,
આક્રમણ શબ્દ વાંચી ને જરાપણ ડરવાની કે ગભરાવવાની જરૂર નથીજ.
આપણને એડમીન ટીમે આપેલ વિષય,**ખાના-ખજાના* ની વાનગીઓનુ આ આક્રમણછે, અને દરેક વાનગીઓ,આપણી સ્વાદ લોલુપતા આગળ, નત મસ્તકે, નમ્રભાવે પોતાનું અસ્તિત્વ મિટાવવા તૈયારછે ! આ તો વગર લડીયે જીતનો તાજ* મેળવવાની
અમૂલ્ય વાતછે.
રોચક વિષયથી,આવેલી અનેક રચનાઓના નવી વાનગીઓના આક્રમણથી એક નવી કહેવત ‘પ્યારે’ ને મળીછે,
હા,આપ સર્વેએ તેની ચર્ચામાં જોડાવવું પડશે !
તૈયારછોને મિત્રો?
હાં, ચર્ચામા આવો ત્યારે આપ દરેક,એક વાનગી જરૂર લાવશોજી.
તોનવી કહેવત……..
‘પ્યારે’જે-જે,ખાશે તાજી વાનગી, ભાગશે જીવનમાથી તેની માંદગી !
ખાના’શબ્દ આમ તો હિન્દી શબ્દ છે,અર્થ ભોજન/જમવું સૂચવેછે.
આપણી રાષ્ટ્રભાષા હિન્દી, અને આપણા ભારતના ગુજરાતની અણમોલ ‘અતિથિ દેવો ભવઃ’ની વિશાળ ભાવના,પરોણાગતીનાં કારણે, ‘ખાના’શબ્દ,આપણા શબ્દકોષ પરિવારનું મનભાવન વ્યજંન બની ગયેલ છે,
છે ને શબ્દનો જાદુ !
ઈતર ભાષીને, આપણા દ્વારા પૂછાતો પ્રશ્ર્ન,’ખાના ખાયા’ ?
‘ખજાના’શબ્દ સાંભળતાં સૌની આંખ સામે,મશહૂર અલીબાબાના ‘સીમ સીમ ખૂલ જા’ની સાથે ખજાનો પણ આખસામે આવેને ?
અઢળક વાનગીઓનો ખજાનો મળી ગયોછે, આપણાં અહોભાગ્યેજ ગણાયને ?
આપણાં સભ્યોએ જુદા જુદા પ્રાન્તની, અવનવા નામો ધરાવતા વિવિધ વ્યંજનોનો ખજાનો આપણી સમક્ષ પીરસી દીધો છે.
તેમાં, રોટલા,ફાફડા-જલેબી
પૂરણપોળી, ઉંધીયુ,ઘારી -ઘેવર
સુતરફેણીછે તો વિવિધ જાતનાં
લાડુ,મગજ શિરો જેવી અનેક મિઠાઈઓ તેમજ મઘ મઘતાં, તમ તમતાં,ચટાકેદાર ફરસાણોછે,તો સાથે બંગાળી મિઠાઈ,
મિસ્ટી દોઈ,રસગુલ્લા, સંદેશ ,સાથે તેલભાજા અને મસાલેદાર મુડી ખરીજ !
હલકા ઈડલી -ઢોસા સાથે મહારાષ્ટ્રનાં વડા -પાંઉ, અમૃતનો અહેસાસ કરાવે એવું પિયુષ, પંજાબી છોલે-ભટુરે સાથે ગાજર હલવો,મીઠી- મધુરીલસ્સી પણ હોય! તો કરછની દાબેલી કયાં દૂર છે?
ટૂંકું ને ટચ, દેશના દરેક રાજ્યોની અવનવી વાનગીઓ,ભાતીગળ ભારતદેશનુ નેતૃત્વ સંભાળે છે.
પચરંગી પ્રજા વચ્ચે ભાઈચારાની ભાવના ઉજાગર કરે છે.
સમસ્ત વિશ્ર્વની પ્રજાનાં હ્દયમાં ભારતની દરેક વાનગીઓ માન- સન્માન સાથે અદકેરો પ્રેમભાવ વરસાવેછે.
ખાટી -મીઠી,તૂરી-તીખી અનેક વેરાયટીઓ, આપણી સ્વાદિષ્ટ વ્યંજનની આદતને પૂર્ણ કરવાં આપણા આગમન સાથે,પોતાનો
ભોગધરવા તલપાપડ થઈ રહી છે.
તો ચાલો,પ્યારે’,
ખાના ખાઓ અને મોજ કરો.
હા,આપણી જુની, સો ટચના
સોના જેવી,કહેવતનો અર્થ પણ જીવનમાં કેળવવો જરૂરી .
‘કોઈ દી,ખાધે,ખૂટશે નહી,ખાના,
પ્યારે’ખવરાવે ખૂટશે નહી ખજાના
દાને દાને પર લીખાહૈ,
પ્યારે’ ખાનેવાલેકા નામ !
©️જયકાન્ત ઘેલાણી – ‘પ્યારે”.
[1/21, 9:13 AM] Jyotindra Maheta.MeM.NOG: NG/022
વિષય: ખાના ખજાના
પ્રકાર: ગદ્ય
શીર્ષક: રસોઈયોગી
મનુષ્યના શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો છે આંખ, કાન, નાક, ત્વચા અને જીભ. આ જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાનપિપાસાએ જગતમાં સારી અને નરસી બાબતોને જન્મ આપ્યો. અવનવાં કપડાં, મકાનો, ઘરેણાં અને અલગ અલગ પ્રકારની વાનગીઓ.
આજે આપણે વાનગીઓ વિશે વાત કરીએ. કોને શું ભાવે એ વિશે તો એ વ્યક્તિ જ કહી શકે. તૃણ્ડે તૃણ્ડે મતિ ભિન્નાની જેમ દરેક વ્યક્તિને જુદી જુદી વાનગીઓ ભાવે. એક વ્યક્તિને દરેક વાનગી ભાવે અથવા એક વાનગી દરેક વ્યક્તિને ભાવે એવું ક્યારેય બનતું નથી. આપણી જીભ છત્રીસ પ્રકારના રસ પારખવા સક્ષમ હોય છે. કોઈને શાકાહારી વાનગી ભાવે, કોઈને માંસાહારી વાનગી. કોઈને તીખું ભાવે, તો કોઈને ગળ્યું, તો કોઈને ખાટું. એ તો ‘જૈસી જીસકી સોચ’ જેવું.
આ જ કારણસર જન્મ થયો પાકકળાનો. બાકી કળા કરતાં આ કળા સૌથી વધુ મહત્વની છે કારણ જીવવા માટે ભોજન સૌથી મહત્વનું છે. (ખબરદાર, કોઈએ હવા કે પાણીની વાત કરી છે. હવા અને પાણીના શુદ્ધિકરણમાં કળા ક્યાં આવી!)
રસોડામાં રસોઈ બનાવનાર સ્ત્રી કે પુરુષ (હોટેલમાં શેફ હોય છે અને ઘરે શોખથી રાંધનારા પણ હોય છે.) કોઈ યોગીથી કમ નથી, કદાચ યોગીથી પણ ઊંચા છે. કોઈ ધ્યાન ધરનાર યોગી બધી વાતો ભૂલીને એક ઈશ્વરમાં ચિત્ત પરોવે છે, જ્યારે રસોઈયોગી (ધ્યાનયોગીની જેમ માનથી ન બોલાવી શકીએ!) બધી વસ્તુઓ યાદ રાખીને એક વસ્તુમાં ચિત્ત પરોવે છે. તેલ બરાબર આવ્યું? જીરું કે રાઈ? મસાલો બરાબર શેકાયો? પાણી વધારે તો નથી પડ્યું? મીઠું બરાબર છે? લોટ ઢીલો તો નથી બંધાયો? ચાસણી બે તારની થઈ કે ત્રણ તારની? રવો બરાબર શેકાયો? શાક બરાબર બફાયુ છે? ચટણીમાં કંઈ ઓછું તો નથી?
આવી અનેક ન દેખાતી બાબતોને ધ્યાનમાં રાખીને સમય સમય ઉપર મસાલા ઉમેરીને વાનગી બને. આમાં એક ભૂલ અને તે ચાખનારનારના ચહેરા ઉપર અણગમાના ભાવ. સંપૂર્ણ વિધિ યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવાથી જ એક સ્વાદિષ્ટ વાનગી બને છે અને તે વાનગીને ગ્રહણ કરનારના ચહેરા ઉપર આનંદ અને તૃપ્તિ જોયા પછી વાનગી બનાવનાર રસોઈયોગીને ઈશ્વર પામ્યા જેવી અનુભૂતિ થાય છે.
આ અનૂભૂતિનો આનંદ લખનારે પણ મેળવ્યો છે, પણ છેક મોડે મોડે, ચાળીસ પછી. તેથી મારી દરેક વાચકને વિનંતી છે કે જીવનમાં પાકકળા જરૂર શીખો અને અવર્ણનીય આનંદ મેળવો.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
[1/21, 10:33 AM] Babu Sangada.પત્રકાર: NOG :-109
બાબુ સંગાડા “મહેક”
વિષય :-ખાના ખજાના
શિર્ષક :-વૈંવિધ્ય
પ્રકાર :-ગધ
આપણી સંસ્કુૂતિ વૈવિધ્યસભર છે,અહી ગામપરગામ ભાષા ,રીતિરિવાજો,વેષપહેરવેષમાં બગલાવ જોવા મળે,સાથે ખાણીપીણીમાં પણ,આ બધા વચ્ચે હું ગ્રામ્યસંસ્કુૂતિની વાત કરવા માંગું છું અહીં ઘણા મિત્રો શહેરની સુધરેલી સંસ્કુૂતિની વાત કરવાના છે.
ગ્રામ્યસંસ્કુૂતિ એટલે ભાતીગળ ,અહીં બદલાવ ખરો પણ આખે આખુ બદલાઈ નહીં સુધારા સાથેનું હોય,ગુજરાતના ગામડા તરફ નજર નાખીએ તો મધ્યગુજરાતમાં મકાઈનો રોટલો,બાજરીનો હોય,ઉત્તર તરફ જઈએ તો મકાઈનો રોટલો ,સાથે બાજરી ઘઉંનો હોય ,દક્ષિણ તરફ જઈએ તો ચોખ્ખાના લોટનો રોટલો.શાકની વાત કરીએ તો ગામડામાં ત્રુતુ પ્રમાણે શાકભાજીમાં બદલાવ જોવા મળે,ચોમાસુ હોય એટલે તમને ભાજી વધારેમાં વધારે ખાવા મળે”એટલેતો ગામડાના માણસોમાં લોહતત્વોની ખામી ખાસ કરી ઓછી જોવા મળી,બીજી વાત કરુંતો અહીં કોઈપણ વસ્તુ તાજી મળે,વેચાતી વસ્તુનો આગ્રહ ખાસ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે.ભાજીની વાતની વાત કરું તો “ખાસ કરી આપણને જરખલીની ભાજી,કસોટીની ભાજી,ઢેલાનીભાજી,અવાર નવાર હાથવગી મળી જતી હોય છે.
પહેલાથી પ્રસંગોપાત અહીં પ્રિય ખાણા તરીકે મકાઈનું થુલ્લુ,અડદનીદાળ અને તેમા દેશી ઘી લગ્નપ્રસંગે રંધાતુને મહેમાનો,તેમજ જાનૈયા ,પેટઠોકી ખાતા હોય છે.એની લિજ્જત લેવી લ્હાવો જ હોય,સમયાંત્તર બદલાવ આવ્યો આજે ઘઉંનું થુલ્લુ જ કહેવાય પણ નામ બદલી દીધું કંસાર બની ગયો,જે સ્વાદે ગળિયો હોય,પણ હજી પરિવારોમાં મોટા દિવસોમાં પરિવાર પુરતુ થુલ્લુ બનતુ હોય છે.લોકો હોશે હોશે ખાતા હોય છે.સમયના બદલાવ સાથે સુધારો આવતા હવે કેટલીક વાદંગીઓ બનતી થઈ છે.પણ મજા તો એમા જ હતી,
શેકેલા ને બાફેેલા ખોરાકમાં પણ આપણને તફાવત જોવા મળે એમ આ વાસ્તવિક ખાણું જે એમના જીવન સાથે વણાઈ ગયેલું જેનાથી કોઈ હાની કયારે ના થાય ,આજે ધીરે ધીરે માણસ સંસ્કુૂતિથી વિમુખ થતો ગયો તેમ તેમ તે કેટલીક બાબતોથી દૂર થતો ગયો.એટલે તો આજના રોગો સામે ટકી શકતો નથી.
ખેર પણ જીવનની સુંદરતા ખાણીપીણી ,આચારવિચારથી શોભે છે એ વાત પાક્કી છે.
બાબુ સંગાડા…મહેક
[1/21, 3:39 PM] Hemlatta Divecha.MeM: OG SS NO – 0037
વિષય – ખાના ખજાના.
વિભાગ – માઈક્રો ફિક્શન.
શીર્ષક – શિખામણ.
ગર્ભશ્રીમંત પરિવારને ત્યાં દીકરીનો લગ્ન પ્રસંગ હોવાથી, આખો પરિવાર ત્રણ દિવસથી વાડીએ પ્રસંગની મજા માણી રહ્યો હતો. દીકરીને વળાવતી વેળાએ,માતાએ દીકરીને કહ્યું, “બેટા આજ સુધી તું અમારું ધ્યાન રાખતી રહી છો, એવું જ ધ્યાન તારા સાસરિયામાં જઈને સૌનુ રાખજે. ”
દીકરી માતાને ભેટી કાનમાં કહ્યું કે મમ્મી ત્રણ દિવસથી બા ઘરે એકલા છે.જમ્યા હશે કે નહિ?
હેમલતા દિવેચા ( હેમ )