GN_21-12-21
[12/17, 6:17 PM] Prafulla Prasanna: NGO સાહિત્ય સરિતા
NG No. 39
વિષય – સાસરિયું – પિયરીયું
પ્રકાર – પદ્ય – અછાંદસ
શીર્ષક – હેતનું પરગણું
તારીખ — ૧૭-૧૨/૨૧
પિયર મારું હેતનું પરગણું, પગલાં પનોતા માંડું,
પવનપાવડી લઈને ઉડું, જ્યારે મન થાય મળવાં ઘેલું,
ચાર દિવસની જિંદગીમાં, સાચાં સંબંધ મળે બે-ચાર!
માતા-પિતાએ આપ્યાં ભાઈ-બહેન, ખુશી એની અપાર!
સાથે રમતાં, સાથે જમતાં, મીઠું ઝઘડતાં સાથે!
હસતાં રમતાં થઈ ગયાં મોટાં, દરેક પગલે સંગાથે!
સુખ-દુઃખમાં સાથે જ રહીએ, આનંદ કેવો અનોખો!
જીવનને સભર બનાવે, ભાઈબહેનનો નહિ ક્યાંય જોટો!
હોય પિયરમાં માવતર તો દોડી જવાનું મન થાય!
માબાપની આતુર આંખો, રાહ જોતી ઝાંપે મંડાય!
તોલે ન આવે હેત માવતરનું, મૂલ એનાં નવ થાય!
રગરગમાં દોડે લોહી પ્રીતનું, આંખે આંસુ ઉભરાય!
લાગણી તો વહે તનમનમાં, એનાં ફૂલ ખીલે જીવતરમાં!
સ્નેહભરી આંખો વીરાની, હૈયે હેત અપાર ભીતરમાં!
હાક પડે બેનીની વીરાને તો વાર ન લગાડે લગાર!
રેશમનાં ચાર તાર થકી, સંબંધ સ્નેહનો વીર સંગ બાંધું,
ચાર ચાર તારલાં, ને ચાર ચાર મોતી, વચ્ચે ગોટો ગુંથું,
વરસે આશિષ હ્રદયભર, બેનીનાં શબ્દે શબ્દ રસાળ!
હાથ હોય માથે ભાઈનો, દિલમાં ડર કોઈ ન થડકે!
ભાઈનું આખુંય કુટુંબ રહે સદાય બેનીનાં પડખે!
વીરનાં રખોપા, વ્હાલનું વાવેતર, જીવન થાય રળિયાત!
બે કર જોડી કરું પ્રાર્થના, વીરનું કુટુંબ રહે આબાદ!
ભાઈ તો છે છત્ર જીવનનું, બેનનો સ્નેહ વહે અવિરત!
ભાઈબહેનનો સંબંધ અતુલ્ય, ઈશ્વરની એ અમીરાત!
વિનવું હાથ જોડી ઈશ્વરને, દ્વાર પિયરનાં ખુલ્લાં રાખજે,
પ્રાર્થું પાય પડી પ્રભુને, મારાં પિયરને અમર રાખજે.
પ્રફુલ્લા “પ્રસન્ના”©
અમદાવાદ
[12/19, 11:33 PM] Puja Alka Kanani.Kutchh.Kananips.MeM.NOG: NOG S. S. નંબર 0042
વિષય- પિયરિયું/ સાસરિયું
પ્રકાર -ગદ્ય
શીર્ષક – લાગણીનાં સંબંધો
સાસરિયામાં ઉપાડેલા જવાબદારીનાં પોટલાંને હળવેકથી હેઠે મૂકી પોરો ખાવાનું સ્થળ એટલે પિયર. સતત ઘડિયાળનાં કાંટે કામ કરતી દીકરીને આરામ મેળવવાનું સ્થળ એટલે પણ પિયર ખરું ને?
લગ્ન પછી દરેક સ્ત્રી કેટલાં અરમાનો અને ઉમંગ સાથે સાસરિયામાં ગૃહપ્રવેશ કરતી હોય છે. નવા વાતાવરણમાં આવી પોતાની પુરાણી દુનિયાને ભૂલ્યા વગર નવી દુનિયામાં તાલમેલ સાધીને બધાંનો સ્નેહ પામવા મથતી હોય છે. ત્યારે તેની અપેક્ષા સોના -ચાંદી કે હીરા-મોતી મેળવવાની નથી હોતી. બસ બધાંના દિલમાં રાજ કરવું એ જ મહેચ્છા હોય છે. દરેક વ્યક્તિ તેને નવાં સંબોધનથી બોલાવે છે. ત્યારે એ દરેક સંબંધને જીવવા મથતી હોય છે. વહુ, પત્ની, ભાભી,દેરાણી, જેઠાણી જેવા સંબંધને જીવનરૂપી રંગમંચ પર નવા પાત્ર રૂપે ભજવતી હોય છે. એ ભાવ સ્ત્રી માટે અદેકરો હોય છે. આ બધાં સંબંધ નિભાવતાં જાણ્યે અજાણ્યે ભૂલ થાય ને કોઈ ‘ પારકી જણી ‘ નું લેબલ લગાવે ત્યારે સ્ત્રીને ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થતું હશે ખરું ને? કારણ કે એક છોડને પણ બીજી ધરતી પર વાવતાં તેનો ઉછેર થતાં સમય લાગે. જ્યારે સ્ત્રીએ સાસરિયાંમાં લોહીના નહિ લાગણીનાં સંબંધોનું વાવેતર કરવાનું હોય છે તો તેને ઉજરતાં વાર તો લાગવાની જ. આવા સમયે સાસરિયા થોડી ધીરજ કેળવે અને મન મોટું રાખે તો દીકરીને સાસરિયામાં પણ સ્વર્ગને રચતાં વાર નથી લાગતી. એ સ્વર્ગમાં પારકા પોતાનાનો ભેદ સ્ત્રી ક્યારે ભૂલી જાય છે એની તેને પણ ખબર નથી પડતી.
આમ પિયરિયાંમાં લાડકોડથી ઉછરેલી દીકરી સાસરે જતાં નવાં સંબંધોમાં પ્રેમ અને લાગણીનાં તાણાવાણા ગુંથી એક એવા માળાની રચના કરી પોતાનું સમગ્ર અસ્તિત્વ સમર્પિત કરી દે છે.
પૂજા (અલકા)કાનાણી
[12/20, 3:59 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- પિયરીયું – સાસરિયું
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક*- જગદીવડીઓ કેમ ઓલવાય?
****************************
પ્રાચીન સમયથી તત્કાલીન સમાજવ્યવસ્થાનું સીધું પ્રતિબિંબ જે તે સમયના લોકસાહિત્યમાં ઝીલાય છે.
*દાદા હો દીકરી..વાગડમાં ના દેજો રે સઈ..વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે..*
સાવ કાચી ઉંમરે પરણાવાતી દીકરીઓનાં ભાવિનાં રંગીન સ્વપ્નો પૂરાં થાય તે પૂર્વે જ સાસરિયાં અત્યંત શારીરિક અને માનસિક ત્રાસ આપે છે.. ત્યારે પિયરના સંસ્કારોની આબરું સાચવવા તે બધું મૂંગા મોઢે સહી લે છે. ઘણીવાર સહનશક્તિની ઓટ આવે ત્યારે કરુણાંતિકા સર્જાય છે.
આવી જ એક કરુણાંતિકા મારી માએ કહેલી… મધુનાં પિયરીયાં ખૂબ સુખી ને સંપન્ન હોવાથી તે લાડકોડથી ઉછરેલી. સોળવર્ષ થતાં સમાજમાં સારું ઘર જોઇને પરણાવેલી. સાસરે શરૂમાં બધું સારું હતું. પણ પછીથી અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો શરૂ થયો. પહેલાં સંદેશાવ્યવહારનાં સાધનો ટાંચા ને તેને પત્ર લખવાની છૂટ નહીં. વાયા-વાયા દીકરીના દુઃખની પિતાને ખબર પડી. પિતૃહૃદય દીકરી માટે તડપી ઊઠ્યું ને રૂબરૂ જોવા દીકરીનાં સાસરે ગયા.
સાસરીયાંથી ડરેલી દીકરીએ પિતાને કાંઈ ના કહ્યું ને હસતાં મુખે આગતાસ્વાગતા કરી.. છતાં પિતા દુઃખને કળી ગયા..
પિતાએ સીધું જ કહ્યું કે- “તારા દુઃખના સમાચાર જાણીને બેટા, તને તેડવા આવ્યો છું.. ચાલ ઘરે તારો બાપ જીવે છે ત્યાં લગી તારે દુઃખ વેઠવાની જરૂર નથી.” ત્યારે દીકરીએ હસીને, એ બધું ખોટું છે કહીને વાત ઉડાવી દીધી.. ત્યારે બાપે દીકરીને થોડા દિવસ માટે પણ પિયર તેડી જવા આગ્રહ કર્યો, ત્યારે દીકરીએ સણસણતું સંભળાવ્યું કે- “મારાં સાસરીયાં જેવાં છે તેવાં મારાં છે જેમાં તમારે પડવાની જરૂર નથી. સુખ કે દુઃખ વેઠી જાણીશ. પિતા દુઃખી હૃદયે નીકળી ગયા.
ટ્રેનને હજું ઘણી વાર હતી.. ત્યારે નજીકમાં આવેલા સિનેમાગૃહમાં તેઓ ફિલ્મ જોવા ગયા. તે ગુજરાતી ફિલ્મ હતી *દાદા હો દીકરી* પોતાની દિકરીના જીવન જેવી જ અત્યંત કરુણ ફિલ્મ જોતાં જ પહાડ જેવા બાપનું હૃદય બેસી ગયું. દીકરીને પણ દેવ જેવા પિતા પાસે જુઠ્ઠું બોલી હૃદય દુભવ્યાનું માઠું લાગતાં આગ ચાંપીને જાત બાળી. એકસાથે પિયરમાંથી પિતાની અને સાસરેથી દીકરીની અર્થીઓ ઊઠી. સમાજમાં હાહાકાર થયો.
હવે સમાજજીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યાં છે… છતાં હજુએ સમાજમાં આવા કિસ્સા જોવા મળે છે, ત્યારે હૃદય ચિખી ઊઠે છે.. કે ક્યાં સુધી પિયરિયું ને સાસરિયું દીપાવતી આવી જગદીવડીઓ ઓલવાતી રહેશે?.. શા માટે?.. કોના પાપે?..
નામ – *ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
[12/20, 4:19 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – સાસરિયું પિયરયુ
શીર્ષક – દીકરી મારી
………………………………..
પ્રાચીન કાળથી જૂની પરંપરા આપણાં હિન્દુ સમાજમાં..!
આવ્યો કેવો રુડો અવસર હરખાતું કુટુંબ આજ..!
લીલા તોરણો બંધાય આંગણે..!
તારાં લીધે ખેલાતું કૂદતું ઘર..!
તે ઘર સૂનું થઈ જશે આજે..! મારી ચરકલી લગ્ન મંડપમાં સોભાગ્ય તણો શોળે શણગાર સજી..!
પહેરી મોસાળાનું પાનેતર મામા ઘરેથી આવેલું રૂડું..!
એ પાનેતર માં કેટલાં અરમાન
શોહે છે…!
મા-બાપની લાડકો થી ઉછરેલી કાળજાનો ટુકડો મારો…!
લાલ લીલા ભાતીગળનું…! હૈયાનો હાર સમું..!
દીકરી આજ પીયુજીને મોહવા ચાલી….!
ભાલે કર્યો કુમકુમનો ચાંદલો, ને હાથમાં પહેરે હાથીદાંતના ચુડલા…!
કાને ઝુમખા , નાકે દામણી ચમકે ..!
હાથે પિયુ નામની મહેંદી ,
ઘાંટા લાલ રંગની પીયુ સંઘનો પ્રેમ બતાવે..!
સજી સોળે શણગાર ચાલી માંડવે..!
છોડી માતા-પિતાની માયા ,
જીવનની ઉર્મિઓને ભરી ખોળે..!
જીવન મહેકાવવા પીયુ સંગ, જીવનની જીજીવિષાઓ જાગી…!
ઢોલ નગારાં વાગતાં માંડવે ચોરીના ફેરા ફરવા એજ સાચો ધર્મ..!
પરાયાને પોતાનાં કરવાં..! હેતનું ઝરણું વરસાવવા..!
બન્ને કુળને તારવા ચાલી મારી ચરકલી…!
તારા સૌભાગ્યને વધાવજે..! સદાય સોભાગ્યવતી બનીને રહેજે…!
પિયરના સ્મરણોને અંતરમાં સમાવી,
બેઉં ઘરની મર્યાદા નિભાવજે…!
પોતાપણું કરવાં માટે એ પારકાને મનમાં ધરી ભીંજાય છે..!
એ દિલ મહીં પોખાય છે..!
મારાપણાની ભાવના અદભુત..!
ભેદોને ભંડારીને ત્રોફાય છે…!
ઘૂઘરીનાં રણકારમાં મન પિયુ તણું મોહાય..!
પ્રીતનું પહેર્યુ પાનેતર આવી મંગળ ફેરા ફરવા સાત વચનો, સાથ ફેરામાં દીપતુ સિંદૂર ધારણ કરવા પીયુ હસ્તે…!સોહાગી શણગાર કરી આવી..!
નવવિવાહિત બનવા,
સોભાગ્યવતીનાં આશિષ લેવાં..!
છોડી પિયરની માયાને બે ઘરને શોભાવવા..
સપનાં સાકાર કરવાં..!
દીકરીને માવતરની ચિંતા સાસરે પણ હોય..!
એને મન થાય ત્યારે આવી શકે મારી ચરકલી..!
પપ્પાના ઘરે આવવા ના જોઈએ કોઈની રોકટોક..!
રાગીની શુક્લ “રાગ”
[12/20, 5:20 PM] Mina Mangroliya.MeM.NOG: NOG.SS.NO:0032
વિષય: સાસરિયું પિયરિયું
શીર્ષક: *ભાભીમા*
કોયલથી પણ મીઠો મધુરો ટહુકો ,
મુખેથી બોલશો, જયારે ભાભીમા.
ભાવ એના ભરપૂર મિસરી જેવા ,
દિલથી બોલશો, જયારે ભાભીમા.
મારી “મા”ને વિસારે મારા ભાભીમા,
એવી ભાભીમાની લાગણીઓ.
વાત્સલ્યનો દરિયો મારા ભાભીમા,
સમયને વિસારી દે મારા ભાભીમા.
પલમાં હસાવે ,પલમાં મનાવે,
એવા છે મારા ભાભીમા.
જુગલજોડી છે અમારી સખીઓની,
એવા છે મારા ભાભીઓ.
લક્ષ્મી- જગદંબા- અન્નપૂર્ણાનો અવતાર,
એવા છે મારા ભાભીમા.
હથેળીમાં રાખે એવા છે મારા ભાભીમા,
“મા”ની ખોટ ના સાલે એવા મારા ભાભીમા.
મીના માંગરોલીયા મીનુ
20/12/2021
[12/20, 5:57 PM] Kaumudi.Soni.MeM.NOG: NOGG SS No.- 0075
વિષય :સાસરિયું-પિયરીયું
પ્રકાર : ગદ્ય(લેખ)
શીર્ષક: સાસરિયું-પિયરીયું
સાસરિયું –પિયરીયું
આપણી જીવનવ્યવસ્થામાં સાસરિયું અને પિયરીયું એટલે જાણે પ્રચંડ વેગે વહી જતી સમય નામની નદીનાં સામસામે કાંઠે વસેલાં બે જુદાં નામધારી ઘર.
જે કુટુંબમાં જન્મ લીધો, કેળવણી, શિક્ષણ અને સંસ્કાર પામી મોટા થયાં, કારકિર્દી ની શરૂઆત કરી તે પિયર . આ મંગળ વારસો લઈ નૂતન સંસારયાત્રાના આરંભ માટે જીવનસાથીના કુટુંબની ચોખટ પર ગયા તે સાસરિયું. આપણી સામાજિક વ્યવસ્થા એવી ગોઠવાઈ છે કે લગ્ન નામનાં પુલ દ્વારા જ પિયરીયેથી સાસરિયે પહોંચાય. લગ્ન સંબંધ જ આપણું પિયરીયું અને સાસરિયું નક્કી કરે.
આ તો થઈ લગ્નસંસ્થાની વાત પણ સામાજિક પ્રથા મુજબ લગ્ન બાદ નવવધુએ માબાપનું કુટુંબ છોડી, પતિના કુટુંબમાં જઈને રહેવું પડે, ભળવું પડે અને પોતાનું જીવન સાસરાનાં કુટુંબને અનુકૂળ થાય તેમ ગોઠવવું પડતું હોય છે. જો નવવધૂનો સાસરિયા સાહજિક સ્વીકાર પ્રેમથી કરે , મન ,વર્તન અને વ્યહવારને નવા પરિવેશમાં ઢાળવા માટે તેને પૂરતો સમય આપે તો અંતે બધું શુભ મંગલ થાય અને એક સુખી માળો સર્જાય. પરંતુ વાસ્તવમાં બહુ ઓછા કુટુંબોમાં તેમ બનતું હોય છે. તેનાં ઘણાં કારણો છે.
દરેક માબાપ ખૂબ પ્રેમ અને લાડકોડથી પોતાનાં સંતાનનો ઉછેર કરતાં હોય. તેમાંય દીકરીનું વિશેષ જતન કરશે કેમ કે યુવાન થતાં જ તે પોતાનો માળો બાંધવા અન્ય ઘેર જતી જ રહેવાની છે. માબાપનું દુર્લભ હેત, કેળવણી અને ભાઈ બહેનના લોહી અને લાગણીનાં અમૂલ્ય સંબંધોને પાછળ છોડીને જતી પરિણીતાને નવી જીવન વ્યવસ્થામાં ગોઠવાતાં વાર લાગે છે. મહિયરની માયા ઝટ છૂટતી નથી કારણકે તે બધા સંબંધો લોહીનાં સંબંધો છે. જ્યારે સાસરિયામાં તો માત્ર પતિ જ પોતાનો લાગતો હોય, તેનાં માતાપિતા, ભાઈ બહેન સહુને પોતાનાં બનાવવાનાં હોય છે. આથી તેના માટે સાસરિયામાં સમાવાનું કપરું હોય છે.
જો શ્વસુરપક્ષે પણ વહુને પોતાનાં કુટુંબમાં સમાવી લેવાના પ્રયત્નો થાય, પોતાના ઘરના વ્યહવાર અને જીવન પદ્ધતિમાં ભેળવી લેવાના પ્રયત્નો થાય , તેની અવગણના ન થાય તો નવદંપતિની ગાડી સડસડાટ ચાલતી થઈ જાય.
વર માટે તો સાસરિયું એટલે સ્વર્ગ કેમકે કદીક આવતાં જમાઇરાજને સાસરામાં અદકેરાં માનપાન મળે છે. પોતાની લાડકીને જીવનપર્યંત સાચવનાર જમાઈની દીકરા કરતાં પણ વિશેષ સરભરા થતી હોય છે. અલબત્ત અપવાદ દરેક કિસ્સામાં રહેવાનાં જ. આતો થયી સાંસારિક વાત પણ અધ્યાત્મની દ્રષ્ટિથી વિચારતાં મને કબીર સાહેબના પેલા ભજનની પંક્તિઓ જ યાદ આવે.
” વો દુનિયા મેરે બાબુલકા ઘર, યે દુનિયા સસુરાલ
જા કે નજરે મિલાવું કૈસે, ઘર જાઉં કૈસે ,
લાગા ચુનરી પે દાગ મિટાવું કૈસે……
કૌમુદી સોની