ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” ગણેશોત્સવ,ગણેશજી નું શાસ્ત્રોક્ત મહત્વ,દીકરી દિવસ ની રચના વિષયક રચનાઓ(૨૭-૯-૨૦૨૧)
દિવસ – ૬
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
********************************************
NOG.SS.No : 0059
વિષય:ગણેશોત્સવ.
વિભાગ: ગદ્ય.
શીર્ષક: ‘સુખકર્તા- દુ:ખહર્તા’
શબ્દો: ૩૧૬
“સુખકર્તા-દુ:ખહર્તા “.
===========
પ્યારે’ તત્વવેત્તાએ સાચું જ લખ્યુ છે કે જીવનમાં અપનાવેલો એક ઉતમ સિધ્ધાંત તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર લાવી શકે છે, અને તેનું સચોટ અને અનુપમ ઉદાહરણ એટલે વિઘ્નહર્તા ગણેશજી !
પોતાની ફરજપાલન પ્રત્યેની સભાનતા,અને તે માટે ચૂકવવી પડેલી કિંમત! અને સિધ્ધાંતની
જાળવણી સામે મળેલું અનુપમ વરદાન !
ક્રોધના આવેશનો ભોગ !
સજીવન થવું ,પણ બેડોળ
શરીર?
પ્રથમ પૂજાવવાના અમૂલ્ય આશિષ સાથે સિધ્ધિવિનાયકનું શાશ્વત બિરુદ !
ગણપતીબાપા આપણને તેનાં વિવિધ અંગોનું મહત્વ સમજાવે છે, તેને અનુસરવાનો ઉત્તમ સંદેશ આપે છે.
માનવ શરીર, પણ ધડ હાથીનું,
સૂપડાં જેવા મોટા કાન,ધ્યાનપૂર્વક સાંભળવા જણાવે છે તો ઝીણી આંખ,દરેક વસ્તુનું બારીક નિરીક્ષણ સૂચવે છે, મોટું પેટ, દરેક વાત બહાર નહીં બોલતાં,પેટમાં રાખવાનું સમજાવેછે સાથે
દરેક સારી-નરસી વાતને પચાવવાનું જણાવે છે, તો વાહન, ઉંદર, મનની નાની મોટી ઈરછાઓ ઉપર અંકુશ રાખવા જણાવેછે તો તેમને ભાવતાં મોદક , સર્વેની સાથે જીવનમાં મિઠાશભર્યા સંબંધો રાખી જીવન જીવવાનું સત્ય જણાવે છે ,સમજાવે છે અને જીવવાનો ઉપદેશ આપેછે.
ગણેશજીનું સ્થાપન કર્યા પછી જ સારા-નરસાં પ્રસંગોની શરુઆત થાય ,તેમાં પણ ગણેશવંદનાનુ મહત્વ અદકેરું છે.
દેશમાં ઉજવાતાં વિવિધ તહેવારોમાં ગણેશોત્સવનું
સ્થાન મહારાષ્ટ્રભરમાં વિશિષ્ટ છે.
હિન્દુ સંસ્કૃતિ ને વધુ ઉજાગર કરવા અને કોમી એકતા દ્રઢ કરવાનાં ઉચ્ચ આદર્શથી શરૂ કરવામાં આવેલ સાર્વજનિક ગણેશોત્સવ આજે એક અટલ
શ્રધ્ધાનું કેન્દ્રસ્થાન બન્યું છે.
ઘર ઘરમાં અને ગલી ગલીમાં
ગણેશોત્સવ મોટા પાયે ઉજવાયછે.
હા,પર્યાવરણ ને લક્ષમાં રાખી
ઈકો ફ્રેન્ડલી, ફક્ત માટીની મૂર્તિ બનાવવાને ઉત્તેજન અપાયું છે તે ઘણું આવકારદાયક કદમ છે.
હા, અવાજનું પ્રદૂષણ વઘ્યું છે સાથે સાથે ખોટી દેખાદેખી વધી છે, જે ખતરનાક છે.
એક દિવસથી, દસ દિવસ સુધી
ગણેશજીનું આગમન, પૂજન,
અર્ચના,શ્રધ્ધાના દીપકને વધુ
પ્રજ્જવલિત કરે છે .
ભાઈચારાની ભાવના વધુ દ્રઢ બને અને વિઘ્નહર્તા દેવાધિદેવ
શ્રી ગણપતીબાપા, સમગ્ર વિશ્ર્વમાં શાન્તિ સાથે રિધ્ધિ- સિધ્ધિની મહેર વરસાવે તે જ આપણા સૌની નમ્રતાપૂર્વકની પાર્થના- અરજ છે.
“ગણપતીબાપા મોરિયા,
પૂઢચ્યા વર્ષી લવકર યા”.
‘જય ગણેશ, જય ગણેશ
પ્યારે’ એકદંત જય ગણેશ’.
©️ જયકાન્ત ઘેલાણી.’ પ્યારે ‘.
********************************
NOG SS No : 102.
શીર્ષક:-ગણેશોત્સવ, શાસ્ત્ર વિધિવિધાન ,ગણેશજી ગવ નું મહત્વ.
પ્રકાર:- ગદ્ય.
વિષય:-. શ્રી ગણેશજી નું મહત્વ.
વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ નીર વિઘનમ કુરુમેદેવ કાર્યેષુ સર્વદા.
ભગવાન ગણપતિની વંદના સાથે ભગવાન શ્રીનું મહત્વ ,પૂજન વગેરે અંગે આપણે જાણકારી મેળ વીએ.
કોઈપણ કાર્યકર્તા જગતના તમામ લોકો જેનો પ્રથમ પૂજન કરે છે, ગણપતિનું સૌપ્રથમ પૂજા અને વંદન કરવામાં આવે છે. તેના ઘણા બધા નામો છે . વક્રતુંડ, મહાકાય, સૂર્ય જેવા ઘણા પ્રભાવશાળી આમ તો 108 કરતાં પણ વધારે નામો છે. શિવપુરાણ તેમજ અનેક પુરાણો અને ધર્મગ્રંથો માં ગણપતિજી વિશે ઘણા બધા ઉલ્લેખો જોવા મળે છે. દુનિયાના બધા દેશોમાં તેનું પૂજન થાય છે ગણેશ પૂજન વિના કોઈપણ કાર્ય પૂર્ણ થતું નથી.
શિવ અને પાર્વતીના પુત્ર, કાર્તિકેયના ભાઈ, રિદ્ધિ-સિદ્ધિના પતિ અને લાભ શુભ તેના પુત્ર છે.
હે ગણપતિ તમે સર્વના કરતા,ધરતા,સર્વ વ્યાપી, જ્ઞાનવિજ્ઞામયી,આનંદમયી,બ્રહ્મા,વિષ્ણુ,મહેશ,સૂર્ય,ચંદ્ર,વાયુ,અગ્નિ,છો.
હાથીની સૂંઢ વિશાળતા,મોટા કાન સર્વ શ્રોતા,ચાર હાથ શુભ કાર્ય સૂચક,વાહન મૂષક,ચતુરાઈથી કાર્ય કરતાનું સૂચક છે.
સત્તા,સમૃદ્ધિ,સંપતિ,વિદ્યા,અને સર્વ સુખદાતા,તેવા શ્રી ગણપતિને વંદન.
રતીલાલ વાયડા.
૨૦/૯/૨૦૨૧. સોમવાર.
નવી મુંબઈ.
************************†****†*
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- ગણપતિ દાદાનો ઉત્સવ.. પૂજા.. આરાધના
*પ્રકાર*- પદ્ય
*શીર્ષક*- મંગલમૂર્તિ મોરયા
******************************
મંગલમૂર્તિ નામ તમારું, પાર્વતીના વહાલા પોયરા..
શિવજીના છોરા તમે ને રિદ્ધિ સિદ્ધિના સાંવરિયા..
વિઘ્નવિનાયક, શુભ વરદાયક ગણપતિ બાપ્પા મોરયા..
માતા-પિતાની પ્રદક્ષિણા ફરી ચોસઠ તીર્થ છે બોલીયા..
પ્રથમ પૂજનના થયા અધિકારી, દેવોના ગણ બનીયા..
બળવાન બુદ્ધિશાળી દાદા, મહાભારતના છો લહિયા..
લંબોદર પીતાંબરધારી, અંકુશ ખડક હાથ ધરીયા..
સુખકર્તા દુઃખહર્તા સ્વામી, મીઠા મોદક ચોરીયા..
મૂષક વાહનની કરી સવારી, ત્રિભુવનમાં રહ્યા વિહરીયા..
અંતરમાં ભક્તિસાગર છલકે, કરુણા કરજે મોરયા..
ભાવે કરી તારું પૂજન કરીએ, આશિષ દેજો બળિયા..
ગજાનન ગણપતિ બાપ્પા, કરે પ્રાર્થના તુજ છૈયા..
દુંદાળા દુઃખભંજન દેવા, ભવ પાર ઉતારો નૈયા..
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
********************************
NOG SS No : 0001
શીર્ષક :– ગણેશ પરિવાર અને ગણેશ પૂજન
આપણે સૌ જાણીએ છીએ કે ભાદરવા સુદ ચોથનો દિવસ એટલે ગણેશચતુર્થી .પૂરા દસ દિવસ ગણેશની સ્થાપના, પૂજન , અર્ચન બધું જ દેશ — વિદેશમાં પણ ધામધૂમથી કરવામાં આવે છે, અને અગિયારમાં દિવસે એમનું વિસર્જન કરવામાં આવે છે .ઘણી જગ્યાએ દોઢ દિવસ , ત્રણ, પાંચ , સાત , નવ કે અગિયાર દિવસની પણ સ્થાપના કરવામાં આવે છે.
ગણેશજીનું પૂજન કોઈપણ તહેવાર કે શુભ કામમાં સૌથી પહેલાં કરવામાં આવે છે.આથી એમને વિઘ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીના સર્જન વિશે પ્રદેશ મુજબ જુદીજુદી માન્યતાઓ અને કથાઓ જોડાયેલી છે. પરંતુ ગણેશનાં વિવેક રૂપી દર્શન કરાવતી પણ ઘણી કથાઓ જોડાયેલી છે.
આવી જ એક પ્રસિદ્ધ કથા છે જેમાં નારદજીએ શિવજીનાં બંને પુત્ર ગણેશ અને કાર્તિકેયને ઝડપથી પૃથ્વીની ત્રણ પરિક્રમા કરીને આવવાનું કહ્યું અને જે સૌથી પહેલાં પરિક્રમા કરીને આવે તેને કેરી આપવાનું વચન આપ્યું. કાર્તિકેય તો પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા. ત્રીજી પરિક્રમા પુરી કરવામાં હતા ત્યારે જ ગણેશજીએ પોતાના માતા – પિતાની ત્રણ વાર પરિક્રમા પુરી કરી અને કહ્યું કે પોતે જીતી ગયા છે. કાર્તિકેયે જ્યારે પુછ્યું કે કેવીરીતે ? તો ગણેશજી બોલ્યા , તમે તો બાહ્ય દુનિયાની પરિક્રમા કરી છે અને મેં મારી દુનિયાની પરિક્રમા કરી છે જે મારા માતા – પિતા જ છે .નારદજીએ ગણેશજીને કેરી આપી એથી અસંમત થયેલા કાર્તિકેય દક્ષિણમાં ચાલ્યા ગયા. તામિલનાડુમાં કાર્તિકેય મુરુગા તરીકે ઓળખાય છે.
.ગણેશજીને દક્ષિણમાં વિદ્વાન બાળક અને બ્રહ્મચારી માનવામાં આવે છે. તો ઉત્તર ભારતમાં ગણેશને બ્રહ્માની બે પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ નામની પત્ની છે એવી માન્યતા છે અને શુભ – લાભ નામના બે પુત્ર છે એવી પણ માન્યતા છે.
આમ શિવજીના પુત્ર , રિદ્ધિ સિદ્ધિ ના પતિ તરીકે ગણેશજીને હિંદુ દેવી દેવતાઓમાં સૌથી પ્રથમ સ્થાન અપાયું છે. ગણેશનું વાહન ઉંદર છે જેને મૂષક પણ કહે છે .ગણોના સ્વામી હોવાનાં કારણે એમને ગણપતિ પણ કહે છે .સર્વ સંકટના હરનાર હોવાથી વિઘ્નહર્તા પણ કહે છે. હાથી જેવું શિશ હોવાથી ગજાનન પણ કહેવાય છે .
આમ ગણેશજીના અનેક નામ છે .પરંતુ આ બાર નામ મુખ્ય છે.
સુમુખ , એકદંત , કપિલ , ગજકર્ણક , લંબોદર , વિકટ , વિઘ્નહર્તા , ધૂમકેતુ , ગણાધ્યક્ષ , ભાલચંદ્ર , ગજાનન .
તેમના પિતા – શિવ , માતા – પાર્વતી , ભાઈ – કાર્તિકેય , બહેન – ઓખા , પત્ની – રિધ્ધિ સિદ્ધિ , પુત્ર – શુભ લાભ , વાહન – મૂષક ,
પ્રિય ભોજન – મોદક , પ્રિય – દુર્વા અને લાલ રંગના ફૂલ .
જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે , તેમ અમારા સર્વે સંકટ , વિઘ્નોનો નાશ કરનાર ભગવાન ગણપતિનો જય હો ..
પ્રદીપ રાવલ ‘ સંચાલક ‘.
********************************
” દીકરી દિવસ ની રચનાઓ ”
******************†*************
N.O.G.S.S. 0102
વિષય:-વર્લ્ડ ડોટરસ ડે.
પ્રકાર:-ગદ્ય.
*શીર્ષક:-વહુ કે દીકરી.”
આજે દુનિયા દીકરી દિવસ મનાવે છે , ત્યારે મારે આ એક સત્ય ઘટના આપ સમક્ષ રજુ કરવી છે.
મારે એક દીકરી અને દીકરો છે દીકરી પરણીને સાસરે ગઈ દીકરાનાં લગ્ન થયા અને દીકરી ની જગ્યાએ દીકરાની વહુ એ તેની ખોટ પૂરી પાડી છે.
મારી બીમારી અંગે મારે જામનગર હોસ્પિટલમાં દાખલ થવું પડયું .મારી પત્ની રોજ દીકરી ને ત્યાંથી ચા-પાણી જમવાનું બધુ લાવે અને મારી પાસે બેસતી.
તે મને ટિફિન દેવા માટે સ્કૂટર પર મારા દીકરી ના દિકરા સાથે આવી અને તેનો સાડીનો છેડો સ્કૂટરમાં અટવાઇ જતાં તે પડી ગઈ અને તેના પગના થાપા નું હાડકું તૂટી ગયું .તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી અને થાપામાં ઓપરેશન કરવું જરૂરી બન્યું .દીકરી, જમાઈ,તેનો પરિવાર સૈા કાળજી રાખતા.
ડોક્ટરે તેને એક મહિના સુધી પથારીમાં જ રહેવાનું સૂચન કર્યું .હવે રોજનું તેનું કાર્ય કરવા માટે મારા પુત્રએ કોઈ બાઈ ને કામ માટે રાખવાનું સૂચન કર્યું .ત્યારે મારા દીકરાની વહુએ કહ્યુંકે કોઈને રાખવાની જરૂર નથી, અને હું બધું કાર્ય કરીશ .અને ત્યાર પછી તો રોજબરોજ તેની સેવા કરતી રહી. બાથરૂમ, સ્નાન કરાવું ,કપડા બદલવાતેનેખાવા-પીવાનું સમય સમય આપવું.વગેરે કાર્યો તેણે એક મહિના સુધી સંભાળી લીધા ,અને હવે એક દીકરી ની ખોટ પૂરી કરી સાસુ તરફ મા જેવો પ્રેમ રાખીને તેને સેવા સુશ્રુષા કરી .તો આજ ની વહુ પણ એક સારી દીકરી બની અને સાસુ સસરા ની સેવા કરેછે. અમે પતિ-પત્ની બંને વૃદ્ધ છીએ તેઓની સાથે જ રહીએ છીએ સવારથી ગરમ નાસ્તો ચા પાણી બંને ટાઇમ જમવાનું આ તમામ કાળજી તે રાખે છે . તે એમ.કોમ. સુધી ભણેલી ઘણી બધી બાબતોમાં કલાપ્રિય હોવા છતાં પણ અમારા ઘરનું તમામ તંત્ર ચલાવે છે. પૌત્ર કોલેજમાં છે.આનંદથી રહીએ છીઅે. સાસુ પણ તેને વહુ ન ગણતા દીકરી માને છે. આજના દિવસે દીકરીઓને સમર્પિત.
રતીલાલ વાયડા.
૨૫/૯/૨૦૨૧ રવિવાર.
નવી મુંબઈ.
********************************
NOG.SS.No 0098
विषय:- बिटिया दिवस।
प्रकार:- पद्य।
बेटियां
थोड़ी नटखट, थोड़ी चंचल
थोड़ी नादान होतीं हैं,
माँ की ममता,पिता का
अभिमान होतीं हैं !
🌹बेटियां घरों की शान होती हैं🌹
कोयल की कूक
वीणा की तान होतीं हैं,
संगीत के सातों स्वर
सरस्वती का वरदान होतीं हैं!
🌹बेटियां घरों की शान होती हैं🌹
मन की शांति
दिल का सकून होतीं है,
कलाई की राखी
दूज का तिलक होती हैं!
🌹बेटियां घरों की शान होती हैं🌹
Happy Daughter Day
🌹🌹🌹🌹🌹
✍️
लीना शर्मा।
हालोल।