ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ, રચના
વિષય : ” ધર્મ – અધર્મ ‘ ” દરકાર – બેદરકાર ” વિષયક..રચનાઓ દિવસ – ૬
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંદોટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG.S.S. NO.0098
प्रकार:- गद्य
विषय;- धर्म-अधर्म
शीर्षक:- परोपकार
हमारे देश (भारत) का जनजीवन धर्म और आध्यात्म से ओत-प्रोत है। ऐसे कई पर्व व त्यौहार हैं,जिनकी नींव में मुख्य रूप से धर्म और आध्यात्मिक भावनाएं मिलती हैं। कर्तव्य परायणता जैसे अनेक नैतिक मूल्यों,अनेक पौराणिक तथा ऐतिहासिक आख्यान इसके साक्षी हैं।
संसार का प्रत्येक धर्म, धर्म से जुड़ी पौराणिक कथाएँ, ग्रन्थ हमें न्याय, नैतिकता,दया, करूणा का पाठ पढ़ाती हैं। विश्व में , समाज, राष्ट्र व इतिहास में महान इंसानों के अनेकों उदाहरण हैं।
ऐसे कितने ही संत हुए, जिन्होंने मानवजाति के कल्याण की कामना करते हुए कर्म किए। कर्म तभी श्रेष्ठ होता है,जब वह मन से संचालित हो। जो दूसरों के हितार्थ तथा स्वार्थ-निरपेक्ष रहकर किया गया हो।
परहित सरिस धर्म नहिं भाई।
अर्थात:- परोपकार से बढ़कर कोई
दूसरा धर्म नहीं है।
पर पीड़ा सम नहिं अन्याई।
अर्थात:- दूसरों को पीड़ा देना ,अन्याय करना ये पाप समान है।
अतः परोपकार ये सभी धर्मों का मूल प्रेरक है। जब हम अपनी सामर्थ्य व क्षमतानुसार निष्काम भाव से किसी पीड़ित, दीन-हीन या जरुरतमंद व्यक्ति की सेवा करते हैं , उसके जीवन में ख़ुशियाँ लाते हैं, तो हमारा वहीं कर्म भला धर्म ही तो है। मनुष्य की परोपकार की भावना ही सबसे बड़ी मनुष्यता है। सिर्फ मनुष्य ही नहीं प्रकृति भी हमें परोपकार के अनेकों रुप दिखाती है। अतः हमें प्रकृति और परमात्मा के प्रति समर्पित रहकर परोपकार की भावना लिए हुए कर्म व धर्माचरण करते रहना चाहिए।
✍️
लीना शर्मा..हालोल।
********************************
NOG.SS.NO :0001
વિષય :– દરકાર –
બેદરકાર
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ સ્વતંત્રતા કેટલી ?”
આપણે માતા પિતા હોવાનાં નાતે આપણા બાળકને કેટલી સ્વતંત્રતા આપીએ છીએ ? શું એમને પોતાનાં નિર્ણય પોતાની રીતે લેવાની છૂટ આપીએ છીએ ? માત્ર કહીએ છીએ કે અમે અમારા સંતાનોને બધી જ છૂટ આપી છે પણ ખરેખર આપી નથી હોતી . એક એવા ડર સાથે સિલેક્ટીવ છૂટ આપીએ છીએ કે સંતાનો પોતાની જવાબદારીમાં બેદરકાર હોય છે .જ્યાં સુધી આપણાં કુટુંબની પ્રણાલીકાને અનુસરે ત્યાં સુધીની જ સ્વતંત્રતા આપીએ છીએ .આમ ક્યાંક ને ક્યાંક આપણી માન્યતા અને મત સંતાનોને વારસામાં આપીએ છીએ અને એ પ્રમાણે જ એમણે જિંદગી જીવવી જોઇએ એવો દુરાગ્રહ પણ રાખીએ છીએ .
જ્યાં સુધી શાળામાં હોય ત્યારે તેને ગમતી પ્રવૃત્તિ , રમત ગમત ,નાટક આ બધામાં રસ લઈને તેને મદદરૂપ થઈએ છીએ .ઉચ્ચ અભ્યાસમાં પણ પસંદગીનો અવકાશ આપીએ છીએ .અહીં સુધી તો બરોબર છે .સંતાનને સ્વતંત્રતા આપી , જેવો અભ્યાસ પુરો કરીને નોકરી કે ધંધો શરૂ કરે એટલે છેલ્લી જવાબદારી પાર પાડવાની ઉતાવળમાં લાગી જઈએ છીએ , અને એ પણ એટલે કે ક્યાંક સંતાન પોતાની જાતે પાત્ર પસંદ કરીને લગ્ન ના કરી લે ! ખરી પરીક્ષા જ અહીં થાય છે .જે સંતાનને બધી સ્વતંત્રતા અત્યાર સુધી આપતા હતા એમાં હવે માપ દંડ શરૂ થાય છે .
દીકરો હોય તો તેનો માપ દંડ અલગ અને દીકરી હોય તો તેને કેટલી સ્વતંત્રતા આપવી એની ગણતરી શરૂ થઈ જાય છે. દીકરો પોતાની જ જ્ઞાતિની યુવતીને પસંદ કરે એવી ઈચ્છા મા બાપને હોવા છતાંય કમને પણ દીકરાને જ્ઞાતિનાં વાડા તોડીને અન્ય યુવતી સાથે લગ્ન કરવાની છૂટ આપે છે .જ્યારે દીકરીએ તો જાણે ઘોર અપરાધ કર્યો હોય અને એનાં કારણે પોતાની આબરૂનું જાણે નીલામ થઇ ગયું હોય એવો ભાવ જન્મે છે .
દીકરી નાની હોય ત્યારે ઢીંગલી પસંદ કરવાની એને છૂટ હતી. અત્યારે એને પણ પોતાનો જીવનસાથી પસંદ કરતી વખતે જ્ઞાતિ ,ધર્મનો ભેદ આડો ધરી દઈએ છીએ. આપણે જેને દીકરીનાં જીવનસાથી તરીકે પસંદ કરીએ છીએ તે ખરેખર આપણી દીકરીને પ્રેમ આપી શકશે કે નહીં તે પણ જાણવાની આપણે દરકાર નથી લેતાં .જેને આપણે આપણાં જીવની જેમ ઉછેરી,પછી દીકરીને એનો પતિ સન્માન આપશે કે નહિ?
સંચાલક : પ્રદીપ રાવલ
તા.૦૫/૦૭/૨૦૨૧.
********************************
NOG SS No : 0048
વિષય – ધર્મ – અધર્મ, દરકાર – બેદરકાર
*શીર્ષક – સમજણ*
રીટાબેનનાં એકમાત્ર સંતાન નીવનાં લગ્ન તેની જોડે કામ કરતી રીવા જોડે થયાં. ઘરની આર્થિક પરિસ્થિતિ સધ્ધર થાય એ માટે રીવાએ નોકરી ચાલુ રાખી. રીટાબેનને આ બંને કારણથી રીવા માટે થોડો અણગમો, પરંતુ રીવા સમજદારીથી બધું સાચવી લેતી.
ત્રણ વર્ષનાં દાંપત્યજીવને તેમનાં આંગણે લક્ષ્મીનું આગમન થયું. નીવ અને રીવા બંને નોકરી કરતાં હોવાથી નાનકડી ઢીંગલીની સારસંભાળ અને કાળજી રાખવાની જવાબદારી રીટાબેન પર આવી, જે તેમને ન ગમતું. તે કહેતાં, “આ ઉંમરે મારે ધર્મ કરવો કે તમારાં સંતાનને સાચવવું ? હું ભલી ને મારો ભગવાન ભલો.” આવું કહી તેઓ થોડાં દિવસો થાય એટલે જાત્રાએ ઉપડી જતાં. નીવ અને રીવા સમજાવતાં, “મમ્મી, ભગવાનનાં દર્શન કરવાં એ જ સાચો ધર્મ નથી. પરિવારની વ્યક્તિઓને પડતી તકલીફોનો વિચાર ના કરો અને ભગવાનને ભજો તો ભગવાન પણ ખુશ ન થાય.”
રીટાબેન આ બધું ધરાર અવગણતાં અને પોતાની મરજી પ્રમાણે કરતાં. નીવ અને રીવાએ તેમને સમજાવવાનું છોડી પોતાની દીકરીની સારસંભાળ માટે એક આયાબેન રાખ્યાં.
સમય પસાર થતાં ક્યાં વાર લાગે ! નીવ અને રીવાની દીકરી બારેક વર્ષની થઈ. હવે એ સમજણી થઈ હોવાથી પોતાનાં કામકાજ જાતે કરતી. વૃધ્ધાવસ્થાનાં આરે રીટાબેનની તબિયત નરમ ગરમ રહેવા લાગી. તેઓને નીવ-રીવા અને દીકરીની હાજરીની ઝંખના રહેતી. પોતે ભૂતકાળમાં કરેલ વર્તન યાદ આવતાં ક્યા મોઢે તેમની અપેક્ષા રાખે એ વિચારતાં.
ત્રણેય જણ સમજદાર હતાં, એકબીજાનાં વ્યસ્ત સમયપત્રકને ધ્યાનમાં રાખી, તેઓ વારાફરતી રીટાબેન જોડે સમય પસાર કરી તેમની કાળજી લેતાં. નાનકડી પૌત્રી અને દીકરા-વહુને અનઅપેક્ષિત રીતે પોતાનું ધ્યાન રાખતાં જોઈ રીટાબેનને ધર્મ અને દરકારનો સાચો અર્થ સમજાયો.
પ્રકૃતિ શાહ ‘પ્રીત’
*******************************”
NOG SS No – 0050
વિષય – ધર્મ -અધર્મ
શીર્ષક- ધર્મ શું છે
………………………………..
ધર્મ એટલે ભેદની ભયભીતોને ભાંગે, ભ્રમણામાં ના નાખે. અભય આપે માણસને ભ્રમથી દૂર કરીને બ્રહ્મ સુધી લઈ જાય. સત્ય ,પ્રેમ, કરુણા ત્રણ હોય ત્યાં ધર્મ . સત્ય માણસને અભય આપે છે. પ્રેમ માણસ પાસે સમર્પણ કરાવે ને કરુણા માણસને અહિંસક રાખે. સત્ય, પ્રેમ અને કરુણા રૂપી ત્રણ પૈડાવાળી સાઇકલ ને ફેરવવી ના પડે. બીજા ધક્કો મારે જ્યાં દેખાય ત્યાં સનાતન ધર્મ. હિન્દુ હોય, મુસ્લીમ હોય, એ ઈસાઈ કે કોઈપણ ધર્મ હોય પછી.
ઓરડામાં મંદિર હોય ને તમે પૂજાપાઠ ના કરો. તો તમે અધાર્મિક છો. ના તમારામાં સત્ય હોવું જોઈએ, પ્રેમ હોવો જોઈએ અને કરુણા હોવી જોઈએ. મહાદેવને બીલીપત્ર ચઢાવી એ શિવરૂપી ધર્મના ત્રણ નેત્ર. એક આનંદ હોય અનુપમ. ત્રિદલં ત્રિગુણાકારં એક બીલીપત્ર શિવાર્પણમ. આ બીલીમાં પણ સત્ય, પ્રેમ અને કરુણા છુપાયેલા છે. ગાંધીજીએ પણ કહેલું છે “સત્ય એ જ પરમાત્મા છે”. ઈશુએ પણ કહેલું છે” પ્રેમ જ પરમાત્મા છે”.
ધર્મ એટલે વ્યક્તિના સર્વાગી વિકાસ માટેનું પ્રથમ પગથિયું. અનુશાસની પાઠશાળા જ્યાં સકારાત્મકતાની સાથે શિસ્તનું સિંચન થાય છે. ધર્મનો અંતિમ હેતુ અવગુણો નાશ કરી ગુણોનું સિંચન કરીએ.
ઉપવાસ કરવાનો હેતુ શારીરિક અને માનસિક શુદ્ધિ. પાચનતંત્ર સારું રહે અને ઊર્જાનો સંચાર કરે. દાન ધર્મ નો નિયમથી પરોપકારનો ગુણ ને ત્યાગનો ગુણ શીખવાડે છે. ધર્મ ડરાવવા માટે નહીં પણ નિર્ભય બનાવે આપણને .
ધર્મ આપણને આંધળું અનુકરણ ના કરો કે ના કરવા દો. કોઈને મજબૂર ના કરો. રીતિરિવાજોને સમજો એનું મન સમજો. અનુકરણ અને અનુસરણ વચ્ચેની પાતળી ભેદરેખા ને સમજો. જે કરવાથી જાન-માલ કે બીજાને નુકસાન થાય કે સંકટમાં આવે કોઈને એને અંધશ્રદ્ધા કહેવાય.
ધર્મને સમજો ને પચાવો સારી રીતે તો ધર્મ મહાન છે.
રાગીની શુક્લ” રાગ”
મુંબઈ, કાંદિવલી
*******************************
NOG SS NO.0031
વિષય:- ધર્મ અધર્મ
વિભાગ:- ગદ્ય
પ્રકાર-ટૂંકી વાર્તા
શીર્ષક:- સાચો ધર્મ
તે દિવસ રોનકના દાદાની પુણ્યતિથિ હતી.ઘરમાં તિથિની પૂજા ચાલી રહી હતી. દાદાજીનાં ફોટા સામે વિધ વિધ મિઠાઈ,મેવા, ફળનાં થાળ ધરાવવામાં આવ્યા હતાં.
પૂજા પૂરી થવામાં જ્યાં થોડીવાર હતી ત્યાં રોનકના ઘરનાં આંગણે બે ભિક્ષુક જેવાં બે નાના ટાબરિયા આવ્યાં. તે સખત ભૂખ્યાં હોય તેવું લાગતું હતું. આ જોઇ કોલેજમાં ભણતાં રોનકે દાદાજીની સામે ધરાવેલ ફળનાં થાળીમાંથી ફળ લઇ પેલાં બાળકોને આપ્યાં. આ જોતાં જ પૂજા કરાવતાં મહારાજ અને કુટુંબીઓ રોનક પર બૂમો પાડવા લાગ્યાં કે એણે પૂજા પૂરી થયાં પહેલાં થાળીમાંથી પ્રસાદ બીજાને આપી અધર્મ કર્યો.
આ સાંભળતાં જ રોનકે કહ્યું, ” અધર્મ હું નહીં તમે લોકો પેલાં ભૂખ્યા બાળકોને કંઇ ખાવાનું ન આપી કરી રહ્યાં હતાં. પૂજા પાઠ બધું આપણે શ્રધ્ધાથી કરીએ પરંતુ સાચો ધર્મ તો જરૂરિયાતમંદ વ્યક્તિને સમયે મદદ કરવી તે છે. પૂજા પાઠ કરવાથી ભગવાન જેટલાં રાજી નથી થતાં તે કોઇને મદદ કરવાથી રાજી થાય છે.”
મેઘલ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ