ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજેેે ૪ ગધ રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : વિશ્વ કવિતા પ્રસિદ્ધિ દિવસ – ૪
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG SS NO :004
વિષય: કવિતા પદ્ય..
પ્રકાર: ગદ્ય પદ્ય મિશ્રિત
શીર્ષક: *મુજ કવિતા*
વિશ્વ કવિતા દિવસ..
તહેવારની સ્થાપનાનો નિર્ણય 1999 માં યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા નિયમિત ત્રીસમી સત્રમાં અપનાવવામાં આવ્યો. ત્યારથી, દર વર્ષે માર્ચ 21 ની વસંતઋતુમાં, કવિતા દિવસ ઉજવાય છે, જે સમગ્ર વિશ્વમાં સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે. ઘણા શહેરો અને ગામોમાં તેમના માનમાં કવિતા વાંચન, લેખકો સાથે સર્જનાત્મક બેઠકો, પ્રવચનો આપવામાં આવે છે અને નવીનતાઓની જાહેરાત કરવામાં આવે છે.
કવિ એટલે સૌમ્ય, મૃદુ , એવી કલ્પના કરીએ પણ આપણી આઝાદી પાછળ પણ કવિ લેખકની કટારનો ખૂબ મોટો ફાળો છે. દેશ દેશાવર તેઓનાં શૌર્ય ગાનથી સુષુપ્ત પ્રજા જાગૃત થઈને ગાંધીની જોડે જોડે તેમનાં સ્વપ્નોને દ્વારે પહોંચી ગઈ. દલપતરામને ક્યાં ખબર હતી કે તેઓ *ઊંટ કહે* લખશેને તેમની પાછળ
અગણિત લોકો ગણગણશે..શું ત્યારે હતું મિડિયા, નેટ કે ચેટ? ના દરિયા કે નદીમાં નંખાતા લાખથી શીલ થયેલા
કાવ્યો નર્મદનાં નામે તરી જશે..! અરે કલાપીની અંતરવેદનાં આજે આપણાં પ્રેમની વ્યથા રૂપે દિસશે..!ઝવેરચંદ મેધાણીનાં કાવ્યો શૌર્ય અર્પે છે ભીંતે ઝૂલે છે તલવાર શિવાજી કેરી ..શું આવા કાવ્યો છે..? જે સાંભળતા જ શૌર્ય જન્મે.
આદી કવિ નરસિંહની હુંડીઓ કાવ્ય રૂપે હતીને શામળશા શેઠ ભરપાય કરી જતો..મીરાં ભક્તિમાં લીન
થઈને વિરહનાં પદો ગીતો રચી ગઈ જે આજે પણ….
*એરી મેતો પ્રેમ દિવાની* રૂપે ગણગણી પ્રેમિકા દુ:ખ વ્યક્ત
કરશે…પ્રેમાનંદ નળાખ્યાન રચશેને..આખ્યાન રૂપી કાવ્યો
મળશે..
આજે ચેટ દ્વારા ગઝલો,અનેક પ્રકારનાં કાવ્યો વાંચીએ છીએ ને કવિતાનાં મર્મને હાર્દને ઓળખીએ તો આનંદ મળે..અગણિત કાવ્યો રચાયા છે મિત્રો વાંચો ને રસપાન મેળવો.કાવ્ય એટલે પ્રાસ, લય અને અલંકારિક
શબ્દો..કાફિયા અને રદીફનો મેળ.. કાવ્ય એટલે જાગૃતિ
કાવ્ય એટલે ઋતુઓનું। વર્ણન બારમાસી કાવ્યો યાદ છે? કોઈને પ્રકાર પણ ખબર છે..?જેનું મન પંખીઓના કલરવમાં પણ રમી જાય ને તે કાવ્યમાં રમી જાય..!
કોયલની પહેલી સ્વરમાળા એટલે જ વસંત ને ફાગણનું આગમન વર્ણવતું કાવ્ય..જ્યાં આંબે મોર બેસેને કોયલ પણ ગાન શરૂ કરે..આ કાવ્યનાં સૂર..મિત્રો.
વિશ્વ કવિતા દિવસે મારી એક કવિતા રજુ કરું છું,
મિત્રો..સૌ કવિ અને કવયિત્રીઓને મારી ખૂબ ખૂબ
શુભેચ્છા..
NOG SS NO:004
*વિષય: કવિતા, કાવ્ય અને પદ્ય.*
*પ્રકાર:પદ્ય*
*શીર્ષક:મુજ કવિતા*
*મુજ કવિતા*
ખળખળ થઈને વહેતાં ઝરણે,
નાદ જો સંભળાય કર્ણે,
ત્યાં રચાઈ જાઈ શબ્દો વર્ણે
એતો મુજ *કવિતા* …ખળ
ખળખળ થઈને વહેતી સરિતા
સ્વર જો સંભળાય સંહિતા,
ત્યાં સરકી જાય જિહ્વા થઈ મોહિતા,
એતો મુજ *કવિતા*…ખળ
ઘૂંઘવતા સમુદ્રના મોજા ઉછળે,
દૂરથી ભાનુ કિરણે નીર ચમકે,
વહેતી સુવર્ણ લહેરો હૈયે ઉત્કંઠે,
એ તો મુજ *કવિતા*…ખળ
તબડાક તબડાક ખરી કરે,
હૈયે શૌર્ય ડણકે જોશે,
એમાં પણ હૃદયે હર્ષ ભાસે,
એ જ મુજ *કવિતા*…ખળ
શોધી રહી પ્રેમનો અંશ
રાધા-કાના-મીરાં ત્રિકુંશ
મુજ આગોશમાં તું જ વંશ
એ જ મુજ *કવિતા*…ખળ
આજ કવિતા શુભ દિને
અર્પું કવિતા હું જગને,
મુજ ગગન ધરાએ વિહરીને,
એ જ મુજ *કવિતા*..ખળ
જયશ્રી પટેલ
૧૭/૩/૨૧
*******************†**********†**********
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- કવિતા દિન નિમિત્તે ગદ્ય, પદ્ય, લેખ..
*પ્રકાર*- લેખ
*શિર્ષક* – કવિતાનું હાર્દ
******************************
સંસ્કૃત ભાષામાં કાવ્ય માટે સાચું જ કહ્યું છે કે..
” किं कवेस्तस्य काव्येन किं कांडेन धनुष्यत:।
परस्य हृदये लग्नं न धूर्णयति यच्छिर: ।।”
અર્થાત્.. તે કવિનું કાવ્ય શા કામનું? અને તે ધનુર્ધારીનું બાણ શા કામના? જે કાવ્ય બીજાના હર્દયને અસર ન કરે? અને બાણ બીજાના માથાને ન હણે.
કાવ્ય એટલે બધા રસોનો નિચોડ.’ वाक्यं रसात्मकं काव्यम्।’ કાવ્ય ચમત્કૃતિ જન્ય અને લાઘવસિદ્ધિ સર્જતું હોય છે. વિચારોને ઘૂંટી ઘૂંટીને બનેલો અર્ક એટલે કાવ્ય. સુંદર મોતીરૂપી શબ્દોથી ગુંથાયેલી માળા એટલે કાવ્ય. ટૂંકમાં કાવ્યમાં શ્લિષ્ટતા, વિષય વૈવિધ્ય, અર્થપૂર્ણતા, ભાવ- પ્રાબલ્ય, કોમળતા, ગેયતા, કલ્પના, માધુર્ય, લય, રસિકતા યુક્ત શબ્દગુંથન કળા.
આવા સુંદર કાવ્યનાં આત્માનું વારંવાર ખૂન થાય, ત્યારે એક કવિ હર્દય ચિત્કારી ઊઠે. ‘कवे: इदं काव्यम्। ‘ અર્થાત્ જે કવિની અંત:સ્ફુરણાથી લખાયું હોય તે કાવ્ય. પણ પ્રશ્ન એ છે કે શું ખરેખર તેમ થાય છે? જવાબ છે..”ના ” ક્યારેક આ કોપી પેસ્ટના જમાનામાં બે લીટી અહીંથી તો બે બીજેથી ઉપાડી ને પુરું.. થયું શું કાવ્યનું ‘ ખૂન’. હર્દય પર હાથ મૂકીને કહીએ આ વ્યાજબી છે? જવાબ આત્મસંતોષ કારક હશે. હું એક ભાષાના શિક્ષક તરીકે, ક્યારેક વર્ગમાં ભણાવાતી કવિતાનું બાળમરણ થતું જોઉં ત્યારે.., ખૂબ દુઃખી થાવ છું.. કેવી સરસ ગાઈ શકાતી કવિતા..ને, આમ સાવ રસહીન રીતે વાંચી જવી.., પાછું પઠન પણ નહિ.., માત્ર શબ્દોને તોડી મરોડીને કરાતું વાંચન. હવે તેમાંથી કેન્દ્રવર્તી વિચારની નિષ્પત્તિ તો થાય જ ક્યાંથી? ચમત્કૃતિ તો શૂન્ય. કાવ્ય વાંચનથી રસ, ભાવત્મકતા ને સંવેદના સાથે વિચારમંથન જાગે.. તેની જગ્યાએ માત્ર કવિતા પ્રત્યે વેદનાજ પંપાળવી રહી.. જ્યારે સાચો ભાષા શિક્ષક કવિતા ભણાવે ત્યારે.. ગાવા કે આરોહ અવરોહ યુક્ત પઠનથી તાલ, ને રસ નિષ્પન્ન થાય. વર્ણનથી દૃશ્ય સજીવન થઈ જાગી ઊઠે. સ્વયં પ્રકૃતિ જ એક કાવ્ય છે. કવિતા થકી સમાજ, પ્રાણીમાત્ર ને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાઓ જાગે તો ક્રુરતા અને ગુનાખોરી ઘટે.
આશા રાખું કે વિશ્વ કવિતા દિને.. આપણે સૈા ભાષાનું અને કવિતાનું સંવર્ધન કરી તેનું પરિમાર્જન કરીએ. કાવ્યને સાચા અર્થમાં આત્મસાત કરીએ. મૌલિક અને આત્મસ્ફૂરણા સાથે લખીએ. સૈા મિત્રોને વિશ્વ કવિતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
*નામ*- *ડો. મનીષા વ્યાસ*✍️
*અમદાવાદ*
******************************************
ન્યુઝ ઓફ ગાંધી નગર
સાહિત્ય સરિતા
NOG SS No : 0052
વિષય : વિશ્વ કવિતા દિવસ
શીર્ષક : “હું કવિતા” (જીવની)
એ કવિતા ,સાંભળ ને આજે તારો જન્મ દિવસ છે,
તારે કાંઈ નથી કહેવું, કાંઈક તો બોલ….
શું બોલું હું, શું ન બોલું હું ,આજે આનંદ અપાર છે , સાહિત્યનાં રસિકો ,તેનાં કદરદાન આજે મને યાદ કરે છે ,આજે સહુ સાહિત્ય રસિકો મારા અસ્તિત્વને નવા રંગરૂપ, આકાર સાથે રજૂ કરે છે.
હું કોઈ બંધનમાં નથી, બસ જેનું હૃદય કહે તેમ , જેનાં વિચાર કહે તેમ , જેની ઈચ્છા હોય તેમ, જે સ્વેચ્છાએ લખવા ચાહે તેમ, હરખ, શોક, લાગણી, હુંફ, રાષ્ટ્રપ્રેમ, નફરત, અમીરી, ગરીબી, પ્રકૃતિ વિગેરે વિગેરે..
મે મારી મર્યાદા એટલી હદે વિસ્તારી છે કે જેને જે ફાવે તે રીતે, જેવી રીતે લખવા ચાહે તે રીતે, હું સહુ સાથે સાનુકૂળ વાતાવરણનું સર્જન કરતી જાઉં છું, બસ કલમ પકડે એટલે હું ચાલતી, અરે! દોડી જાવ છું, આજનાં જમાના પ્રમાણે હું પણ મોર્ડન બની ચૂકી છું, એકલતાનો આશરો, તૂટેલ હૃદય માટે દવાનું કામ કરતી તો ક્યારેક, હું હસતાંના મુખે હસી પણ લેતી આવી છું, હું તૂટેલાને જોડુ પણ છું અને ભેગાં થયેલાને તોડુ પણ છું, હું આમ કોમળ છું, વખત આવે ત્યારે હું કટાર પણ છું.
‘અવનવા રંગ મારા ,
હું કોઈની નહી ,
પણ હા તમે સહુ મારા..’
હું કવિતા..
‘મારી વાતને અહીં જ વિરામ આપવાં ચાહીશ,મારા જન્મ દિવસે આપ સહુએ ઉદાર હૃદયે જે પ્રેમ આપ્યો તે બદલ આપની હું આભારી છું.’
સંજય તરબદા “સાંજ”✍🏻
વડોદરા
************†***************†************
NOG SS No.- 0076*
વિષય :- લેખ
પ્રકાર :- ગદ્ય
શીર્ષક :- કવિતા એટલ શું?
આમ તો સાહિત્ય સાથે સંકળાયેલા સૌને કવિતા એટલે શું એ ખબર જ હોય, અરે સાહિત્ય સાથે જોડાયેલા ન હોય તે પણ કવિતાથી અજાણ થોડાં હોય? પણ છતાં ઘણાંને સવાલ થતો હોય કે કવિતા એટલે શું? ઘણાં એમ માનતા હોય કે બસ બે ચાર શબ્દો ગોઠવીને લખી નાખો એટલે બની ગઈ કવિતા…!
નાં એવું જરાય નથી, એના પણ નિયમો હોય છે, એક ચોક્કસ રીત હોય છે, જેમ રોટલી બનાવવા માટે માપસર પાણી જોઈએ તો જ યોગ્ય લોટ બાંધી શકાય અને પછી તેને વણવા માટેની પણ એક કળા હોય તો જ સરખી ગોળ રોટલી વણાય, અને પછી શેકવામાં પણ કાળજી રાખવી પડે તો જ સરસ મજાની ફૂલીને દડા જેવી રોટલી બને… આ કવિતાનું પણ કાંઈક એવું જ છે. યોગ્ય રીત, શબ્દોની યોગ્ય ગોઠવણ, લય, રસ, ભાવ, વગેરેનો સુવ્યવસ્થિત સમનવ્ય એટલે કવિતા. જો કે અહીં મારે અત્યારે એના નિયમો વિશે વાત નથી કરવી, મારે વાત કરવી છે એની વ્યાખ્યા વિશે.
આમ તો કવિતાની વ્યાખ્યા શક્ય જ નથી, કવિતાને માણવાની હોય, એને પ્રેમ કરાય, એના શબ્દો મનને તરબોળ કરવા જોઈએ.
જો કે “કાવ્યાલંકાર” નાં રચયિતા ભામઃ એ સૌ પ્રથમ વખત કાવ્ય (કવિતા) ની વ્યાખ્યા આપી… એમના મત અનુસાર શબ્દ અને અર્થનું સહીતત્વ એ કાવ્ય છે. એટલે કે શબ્દ અને અર્થનું એકરૂપ થવું એટલે કાવ્ય. તો “વિશ્વનાથ” નામના કાવ્યશાસ્ત્રી એ “સાહિત્યદર્પણ” માં કહ્યું છે કે “રસયુક્ત વાક્ય તે કાવ્ય.”
કવિતા વિશે સૌ કોઈ અલગ અલગ વ્યાખ્યા આપી શકે છે, જેમ કે…
*બે શબ્દો વચ્ચેનું મૌન એટલે કવિતા,*
*કલ્પનાની કેડીએ રૂમઝૂમ કરતી ચાલતી લાગણીની કતાર એટલે કવિતા,*
*સાહિત્યની દુનિયાની સૌથી નાનું છતાં ઉત્તમ ઘરેણું એટલે કવિતા,*
હું કહું છું કે દિલમાં છુપાયેલી / ધરબાયેલી લાગણીઓને સુંદર રીતે વ્યક્ત કરવાનું માધ્યમ એટલે કવિતા. હૃદયની વ્યથાને શબ્દોનું રૂપ મળે અને એ વાંચવાથી/ગાવાથી રસની લ્હાણી થતી હોય એવું લાગે તો સમજી લ્યો એ કવિતા છે.
જેમ સ્ત્રીને સમજવી અઘરી છે તેમ કવિતાને પણ સમજવી કઠિન છે. કવિતા તો આત્માની માતૃભાષા છે. જેમ આત્માની ઓળખ માટે સાધના કરવી પડે એમ જ કવિતાને સમજવા માટે પણ એમાં છુપાયેલો ભાવ સમજવો પડે.
✍🏻પારૂલ ઠક્કર “યાદ”
ભાવનગર