ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે
છ ગદ્ય રચનાઓ આપેલ વિષય ના ત્રીજા દિવસે પ્રસિદ્ધ કરવામાં આવી છે
વિષય . શિક્ષણ,અભ્યાસ,તાલીમ,કેળવણી
.. સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
NOG SS. No. 0098
विभाग: गध्
विषय: शिक्षण, तालीम, केलवनी,
शीर्षक:शिक्षा प्रणाली।
जीवन में शिक्षा का बहुत महत्व है। इसलिए वर्तमान समय में साक्षर होना बहुत ही अनिवार्य है। गुरु विधार्थी जीवन का मार्ग दर्शक होता है, और विद्यार्थी इस देश का भविष्य।
आज का परिवेश बिल्कुल भिन्न हो गया है। हमारी जीवन शैली, महंगाई, अत्यधिक महत्वकांक्षाएं,होड़, संयुक्त परिवार से एकल परिवार का होना, शैक्षणिक क्षेत्र में विज्ञान या तकनीक का हस्तक्षेप बढ जाने से बच्चों के कंधों पर पुस्तकों का बोझ लाद दिया है, जिसके तले बच्चों का बचपन दब गया है। बच्चों की व्यस्त दिनचर्या व शैक्षणिकता के साथ साथ उनके जीवन में तनाव पैदा कर दिया है। बच्चे जिज्ञासु प्रवृत्ति के होते हैं। उनकी जिज्ञासा दादा-दादी,नाना-नानी, माता पिता की जगह अब मोबाइल फोन, इंटरनेट, लेपटॉप, कंम्पयूटर द्वारा दूर होती है। बच्चों को अपने प्रश्नों के उत्तर उन्हें तथ्यात्मक जानकारी की तुरंत खोज गूगल द्वारा मिल जाने से सुविधाजन लगने लगती है।
वर्तमान समय में हमारे देश में आज तक कोई स्थिर शिक्षा प्रणाली लागू नहीं हो सकी है। शिक्षा के क्षेत्र में नये नये प्रयोग जरुर होते हैं,पर आज तक सफलता नहीं मिली है।
वर्तमान शिक्षा प्रणाली साक्षर बनाने के साथ साथ सपने तो जगाती है,पर उन्हें पूरा कर पाने का पथ निर्देश नहीं करती। कभी कभीअसमर्थ योजनाएं युवा पीढ़ी के मन में असंतोष का भाव व पथ भ्रष्ट करतीं हैं। उन्हें नैतिक मूल्यों,हताशा,निराशा व सामाजिक सरोकार के प्रति उदासीन करती है। बच्चे अपराधिक प्रवृत्ति की गर्द में चले जाते हैं।
शिक्षा का उद्देश्य यही होना चाहिए कि हमारी शिक्षा प्रणाली सरल व स्थिर हो। जिससे बच्चे आत्मनिर्भर बनें। और व्यक्तिगत उन्नति के साथ साथ समाज और राष्ट्र की उन्नति भी करें।
✍️
लीना शर्मा… हालोल।
*********†*******************************
NOG SS No.0081
પ્રકાર : ગદ્ય
વિષય : શિક્ષણ,તાલીમ
શીર્ષક : શિક્ષક એક શિલ્પી
શિક્ષણ કે તાલીમનો વિષય ચર્ચામાં આવે ત્યારે સૌની આંખો એનાં સર્જનકર્તા શિક્ષક તરફ જ ફંટાય.એના
માથે એક ભગીરથ જવાબદારી હોય છે, એક સંસ્કારી અને મૌલિક પેઢીને ઘડવાની.એ જે કંઈ શીખવે એ સત્ય હોય અને જ્ઞાનવર્ધક હોય એ જરૂરી છે.આ માટે વિશ્વામિત્ર અને સાંદિપની જેવા શિક્ષક હોવાની અપેક્ષા રખાય છે,પણ એમનાં સ્તરને હંમેશા માસ્તર કે પંતુજી કહી અવગણાય.
આ વિશે એક *શિક્ષકની* લાગણીઓ માંડવાની એક નાનકડી કોશિશ કરી છે, જેમાં એનાં કાર્ય તેમ જ સમાજ પ્રત્યેની નિષ્ઠાનો ભાવ આલેખાયેલ છે..
– ભલે હું માસ્તર રહી, પેલાં ડોક્ટર,આ વકીલ, નામાંકિત અર્થશાસ્ત્રીની પાયાની કેળવણીમાં મારો ફાળો છે.
– મારાં વેતન અંગે મને કોઈ ફરિયાદ નથી કારણકે હું આવનારી પેઢી તૈયાર કરી રહી છું, સંસ્કાર, નીતિ અને
મૂલ્યો સીંચીને. લાંચ રૂશ્વત અને અનીતિથી મેળવેલ ટકતું નથી એ મારી પહેલી શીખ છે.
– મારી નોકરીમાં રજાઓ જરૂર વધુ મળે પણ એમાં આવનારા વર્ષની તૈયારી કરીએ અને કંઈક નવું આપવા મથીએ.
– સખત મહેનત સિવાય સફળતા માટે કોઈ પર્યાય નથી એ મારાં વિદ્યાર્થીઓને ગળથૂથીમાં પાઉં છું.
– મારાં નાનાં આવાસ વિશે મને કોઈ રંજ નથી કારણ કે મારાં વિદ્યાર્થીઓ વિશ્વની ઊંચી ઈમારતો માટે મહત્વની કડીરૂપ છે.
– બદલાતી રહેતી શિક્ષણ નીતિઓથી કેટલીક વાર વ્યથિત થઈ જાઉં છું કારણ કે એનાં લીધે વિદ્યાર્થીઓ
મૂંઝવણ અનુભવે છે અને કેટલીક વાર પાયાનાં પાઠ શિખવાડવા સમય નથી રહેતો.
-શિક્ષણ નીતિઓ ઘડનારાંને મારી એક વિનંતી એ છે કે ભારતનાં ગૌરવવંતા ઇતિહાસની વિદ્યાર્થીઓને ઓળખ કરાવે એવાં પ્રકરણો ઉમેરાય અને માતૃભાષા માટે દરેક વિદ્યાર્થીને માન થાય એવી વ્યવસ્થા કરાય.
– મારાં શિક્ષક હોવા વિશે મને ગર્વ છે કારણ કે હું રસ્તા પર ચાલતી હોઉં ત્યારે મોંઘીદાટ ગાડીમાંથી ઊતરી મારાં વિદ્યાર્થીઓ મને ભેટી પડે છે.
– મારાં આ વ્યવસાયે ભલે મને મોટાં માન અકરામ ન અપાવ્યાં પણ મારાં વિદ્યાર્થીઓ આજે ય મારી સાથે જોડાયેલાં છે એ મારો મોટો શિરપાવ છે.
હા,ભલે ‘ માસ્તર’ કહેતાં ,પણ ‘મા’થી જેનું ‘સ્તર’
ઊંચું છે એ છું હું !!માનવને ઘડનાર અને કંડારનાર *શિલ્પી!*
# માયા દેસાઈ
મુંબઈ ભારત.
**************************************
NOG SS No : 0082
વિષય: શિક્ષણ, અભ્યાસ, તાલીમ, કેળવણી
શીર્ષક: પરિશ્રમ અને જીવનમાં તેનું મહત્વ,
પ્રકાર: ગદ્ય
જીવન એક સુંદર અને ભગવાન દ્વારા આપણને મળેલ અપ્રતિમ સોગાદ છે,
શિક્ષણ પ્રાપ્ત કરવું એ એક
દરેકનાં જીવનની જરૂરિયાત છે,
જેવી રીતે આપણે જૂના વાસણને માંજીને ચળકાટ વાળું બનાવીએ છીએ તેમ શિક્ષણ આપણને જીવન જીવવાની કળા શીખવે છે, અભ્યાસું વ્યક્તિ ક્યારેય જીવનમાં નિષ્ફળ થતી નથી,
તાલીમ એ એક શિક્ષણનો
ભાગ છે, અનુભવનો નિચોડ અને આધાર માનવીને પોતાના જીવનના ધ્યેય અને સંકલ્પને પરિપૂર્ણ કરવામાં મદદ કરે છે.
ડિગ્રી ધારી વ્યક્તિ હંમેશાં સમાજમાં પૂજાય છે, આપણાં સમાજને ઉત્તેજન અને નવસર્જન હંમેશાં વિદ્વાન વ્યક્તિ દ્વારા જ માર્ગદર્શન પૂરું પાડી શકે છે.
કેળવણીથીજ વ્યક્તિ પોતાના રોજિંદા વ્યવહાર અને સામાજિક વિટંબણામાં યોગ્ય નિર્ણય કરી શકે છે.
આપણું જીવન જ એક સરસ તાલીમી પ્લેટફોર્મ છે, જીવનનાં સપ્ત પ્રવાહમાં સદાય ભળતા રહી આપણાં જીવનનાં તમામ ધ્યેય અને મુકામ પ્રાપ્ત કરવા એ આપણાં માટે એક ખુબજ મોટું સીમાચિન્હ છે.
ચાલશે થોડી ઢીલાશ પણ નહિ ચાલે શિક્ષણમાં કચાશ, ચાલશે થોડી આળશ પણ નહિ ચાલે કેળવણીમાં
હતાશ, ચાલશે થોડું નાદુરસ્ત
પણ નહિ ચાલે શિક્ષણમાં ઉદાસી, ચાલશે થોડી રૂકાવટ પણ નહિ ચાલે અધૂરી તાલીમ, ચાલશે થોડો આરામ
પણ નહિ ચાલે અધૂરો અભ્યાસ.
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
******************************************
NOG SS No – 0011
સાહિત્ય સરિતા
વિભાગ- ગદ્ય
પ્રકાર- લેખ
શબ્દ:- શિક્ષણ, કેળવણી, અભ્યાસ, તાલીમ
*શીર્ષક:- જીવનની કેળવણી*
શિક્ષણ માણસને જીવન જીવવા માટે આગળ વધવા માટે , સફળ થવા , પોતાનો વિકાસ કરવા, શાંતિમય અને સ્વસ્થ જીવન જીવવા માટેની તક પૂરી પાડે છે. શિક્ષણ લેવાથી માણસમાં ભણતર આવે છે.
જીવન શૈલી સારી બનાવવાં માણસને ગણતર અને ઘડતરની જરૂર છે. તે જિંદગીમાં માણસને કેળવણીમાંથી મળે છે.
જીવનમાં ભણ્યાં પછી જીવન ઉપયોગી કાર્યો તથા બોલવાની પદ્ધતિ ,વ્યક્તિત્વ વિકાસ , સમાજનાં, માનવીય વ્યવહારો માટે જીવનશૈલી સારી બનાવવાં કેળવણીથી ઘડતર થવું જરૂરી છે.
માણસનું ઘડતર ભણતર સાથે થયું હોય. પણ ગણતર ના હોય તો તે ભણેલો માણસ જિંદગીમાં સફળ થઈ શકતો નથી. ભણતરની સાથે ગણતરથી બીજા લોકોને સમજી શકશે. સમાજમાં સજજન વ્યક્તિ તરીકે સ્થાન પામી શકશે.
હાલ વ્યક્તિત્વ વિકાસની તાલીમનાં વર્ગોમાં માણસને ઇન્ટરવ્યું વખતે કઈ રીતે આપવું ? કઈ રીતે લોકો જોડે કામ લેવું ? એ વિશે મોટીવેશનલ સ્પીકરો દ્વારા તાલીમ અપાય છે.
માણસનાં જીવનમાં કેળવણી માટે શિક્ષણ અને તાલીમ જરૂરી છે. એ ચોક્કસ વાત થઈ ગઈ છે. જિંદગી તાલીમ લેવાથી માણસનાં કાર્યો અને જીવનશૈલી વિશેષ બની રહે છે.
પશુ, પંખીઓ શિક્ષણ અને તાલીમ લે છે. જીવન કેવી રીતે જીવવું?- જીવનની કેળવણી.
શિક્ષણ જ્ઞાન બાબત અને તાલીમ જીવન વ્યવહારની વાત છે. બંનેનાં સમન્વયથી કેળવણી બને છે.
માણસનાં વ્યવહારનાં અભ્યાસમાં માતૃભાષામાં શિક્ષણ અનિવાર્ય બન્યું છે.
માણસને સપનું આવે તો માતૃભાષામાં જ આવે છે. અચાનક કોઇ વ્યક્તિ સાથે વાત માતૃભાષામાં જ કરી શકે છે. માણસ સભાનપણે વાત કરવા બીજી ભાષા વાપરી શકે છે. શિક્ષણ, તાલીમ ,કેળવણી અને અભ્યાસ માટે માતૃભાષા ખૂબ જ મહત્વની બની રહે છે.
– મનોજકુમાર પંચાલ
‘મન’©️
પાલનપુર
*****************************************
NOG SS No :- 0053
સાહિત્ય સરિતા
શબ્દ:- શિક્ષણ, અભ્યાસ, કેળવણી, તાલીમ
વિભાગ:- ગદ્ય
પ્રકાર:- લેખ
શીર્ષક:- જીવન કૌશલ્યો
જીવનમાં શિક્ષણની જરૂરિયાત ખૂબ જ રહેલી છે. જીવન જીવવાનાં કૌશલ્યો શિક્ષણ થકી જ શીખવા મળે છે. જીવનમાં આગળ વધવા માટે , સફળ ,સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે તથા સતત વિકાસશીલ રહેવા માટે જરૂરી એવાં કૌશલ્યો જીવનશૈલીમાં ઉતારવા માટે જીવન કૌશલ્ય શિક્ષણની જરૂર પડે છે.
જેનાથી એવી વ્યવસ્થા પ્રસાર થાય કે જીવન કૌશલ્યો વિશેનું માર્ગદર્શન અને કેળવણીનાં પૂરતા સ્ત્રોત પૂરા પાડી શકાય. જેથી શિક્ષણનાં હેતુથી વિદ્યાર્થીઓ બાળપણથી જ જીવન કૌશલ્યોને સમજમાં ઉતારે અને વર્તનમાં મૂકીને તેની સાથે પોતાની અંગત ,સામાજિક અને દુન્યવી રીતે આયોજન દ્વારા સતત વિકાસ પામે.
માણસ તેમની શારીરિક,માનસિક ક્ષમતાઓનો વધુને વધુ ઉપયોગ કરીને વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધે એ હેતુ રહેલો છે.
જીવન કૌશલ્યો એટલે એવા કૌશલ્યો, શક્તિઓ, આવડતો કે જે વ્યક્તિને માનવીને રોજિંદા જીવનનાં પડકારો ને હકારાત્મક રીતે ઝીલવા જીવન જરૂરિયાતોને કુશળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવે.
જીવન કૌશલ્યો નીચે મુજબ છે.
– સ્વ જાગૃતિ
– સમાનુભૂતિ /પરાનુભૂતિ
-સમસ્યા ઉકેલ
-નિર્ણયશક્તિ
– અસરકારક પ્રત્યાયન
– આંતરમાનવીય વ્યવહાર
– સર્જનાત્મક ચિંતન
– વિવેચનાત્મક ચિંતન
– સંવેગાનુકૂલન
– તનાવ અનુકૂલન
સ્વજાગૃતિ દ્વારા આપણી જાત, ચારિત્ર્ય, શક્તિઓ, મર્યાદાઓ, ઈચ્છાઓ અને અણગમતી બાબતો વિશે સ્વની જાગૃતિ આવે છે.
સમાનુભૂતિ /પરાનુભૂતિઓ કૌશલ્ય એટલે આપણે અન્ય વ્યક્તિઓનાં જીવનની પદ્ધતિઓ વિષે વાકેફ ન હોવા છતાં તેની પરિસ્થિતિ વિશે અનુભૂતિ કરી શકીએ જે આપણા કરતાં ભિન્ન છે. એને સમજી સ્વીકારવા આપણને મદદરૂપ થાય છે.
સમસ્યા ઉકેલ એટલે વ્યક્તિ પોતાના કોઈપણ ચોક્કસ સમસ્યાનાં જે વિકલ્પોમાંથી સર્વ શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી શકે. ગમે તેટલાં અવરોધો આવે છતાં પણ એ વિકલ્પથી હકારાત્મક ઉકેલ મેળવવાની પદ્ધતિ છે.
સમસ્યા ઉકેલ પદ્ધતિથી જે વ્યક્તિમાં હોય તે જીવનમાં હંમેશા સફળ થાય છે.
( જીવન કૌશલ્ય શિક્ષણ-GCERT નાં પુસ્તકનો સહારો)
– ચેતનાબેન પંચાલ
‘ચેતના’
પાલનપુર
******************************************
NOG SS No :0022
વિષય : શિક્ષણ
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : ગુરુદક્ષિણા
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
“મેનેજરસાહેબ છે?” બેંકમાં પ્રવેશેલા મનજીભાઈ પૂછ્યું .
ચપરાસીએ પોતાનો કાન ખોતરતાં કહ્યું,”હા, શું કામ હતું?”
“મારા ઘરની જપ્તીનો કાગળ આવ્યો છે. મારે તેમને મળીને હપ્તા ભરવા મુદત વધારવી હતી.”
“થોડું મુશ્કેલ છે! પણ હું પૂછી જોઉં.”
થોડીવાર પછી તે ચપરાસી બહાર આવ્યો અને કહ્યું, “મેનેજરસાહેબ પાસે આજે ટાઈમ નથી અને આવતીકાલે બહાર જવાના છે. તમને આવતા અઠવાડિયે આવવા કહ્યું છે.”
અપમાનિત થયેલા મનજીભાઈએ મેનેજરની કેબિન તરફ જોયું અને નિરાશવદને બહાર નીકળ્ર્યા.
“સંપૂર્ણ જીવન મેં શિક્ષણને સમર્પિત કરી દીધું. હાઈસ્કૂલમાં ચોત્રીસ વર્ષ નોકરી કરી, ક્યારેય ટ્યૂશન કે ક્લાસિસ શરૂ ન કર્યા. ગરીબ વિદ્યાર્થીઓને ઘરે મફતમાં ભણાવ્યાં એની સજા તો મળવી જોઈએ ને! વિરેન સાચું કહેતો હતો કે ભાઈ લક્ષ્મી સરસ્વતી કરતાં મોટી છે. બધાં તેને જ મહત્વ આપે છે. હું જ પાગલ હતો કે સરસ્વતીને પૂજતો રહ્યો. મમતા પણ મારા જેવી જ ગાંડી હતી જે મારો સાથ નિભાવતી રહી.”
તેમનો દીકરો રમેશ અભાવમાં જ ઉછર્યો. એ અફસોસની ભરપાઈ કરવા,રમેશને બીજા દેશમાં જઈને સ્થાઈ થવા માટે તેમણે પૈતૃક ઘર ઉપર મોટા રકમની લોન લીધી. નિવૃતિ સમયે મળેલી રકમથી તેમણે થોડીઘણી રકમની ભરપાઈ થઈ પણ લોનની પૂરી ભરપાઈ થઈ નહોતી.
છેલ્લા બાર મહિનાથી રમેશ પૈસા મોકલી શક્યો નહોતો. લાગલગાટ આઠ મહિનાથી બેંકનો હપ્તો ન ભરાવાને લીધે બેંકે ઘર જપ્તીનો પત્ર મોકલ્યો હતો.
બીજા અઠવાડિયે જ્યારે મનજીભાઈ બેંકમાં ગયા ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તેમના પગે લાગ્યો અને તેમના હાથમાં તેમનાં ઘરનાં કાગળ મુકતાં કહ્યું,”સર, મને ઓળખ્યો? હું દિનેશ, તમારો જ વિદ્યાર્થી છું. હું આ બેંકનો મેનેજર છું. પાછલા અઠવાડિયે તમે આવ્યા હતાં પણ હું જાણીજોઈને તમને મળ્યો ન હતો. હવે આપની લોનની ભરપાઈ થઈ ગઈ છે. મેં આપણા સ્કુલના માજી વિદ્યાર્થીઓનાં ગ્રુપમાં ટહેલ નાખી અને અમે બધાએ અઠવાડિયામાં રકમ એકઠી કરી લીધી. તમે મારા જેવા સેંકડો સક્ષમ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. તમે ભૂલથી પણ આને ઉપકાર ન માનતા,આ અમે આપેલી ગુરુદક્ષિણા છે.”
મનજીભાઈની આંખો ભરાઈ આવી.
જયોતિન્દ્ર મહેતા…