ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજેે
પાંચ ગદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : લક્ષ્ય,ધ્યેય,માર્ગ
..સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyadnews
NOG SS No :. 0079
વિષય જીવનનું —ધ્યેય — લક્ષ
મથાળું—- ઊડાન
પ્રકાર : ગદ્ય
પ્રવિણા કડકિઆ
————
વણમાગે આ જીવન પામ્યાં. તૈયાર પરિવાર મળ્યો . ભગવાન સ્વરૂપે માતા અને પિતાને કારણે જીવન ધન્ય બન્યું .
હવે આ જીવન કેવું બનાવવું એ દરેક વ્યક્તિનાં હાથમાં છે. પેલા કૂતરા કે બિલાડીની માફક જીવવું કે પછી ,માનવ છીએ તો માનવી બનવું ?
એ દરેકનો પોતાનો સવાલ છે. જેનો ઉત્તર અંતરમાંથી મેળવી શકાય. આવ્યા એટલે જવાના એ નક્કી . આપણે ન હતાં ત્યારે પણ પૃથ્વી પર બધું સરસ રીતે ચાલતું હતું . વિદાય થશું ત્યારે પણ ક્યાંય ગોબો પડવાનો નથી .
તો વિચારો આપણા જીવનમાં પ્રગતિ
કંઈ રીતે શક્ય છે? આપણે જીવન દરમ્યાન શું મેળવવું છે?
જેમ ફૂલ ખીલીને સૌંદર્ય તેમજ સુગંધ
પ્રસરાવે છે અને અંતે માટીમાં મળી જાય છે . એ પ્રમાણે આપણે પણ જીવન દરમ્યાન તેને સાર્થક કરવાનો પ્રયત્ન કરવો. અંતે પંચ મહાભૂતોનો આ દેહ માટીમાં વિલીન થઈ જશે .
“ કંઈક આવ્યા કંઈક આવશે
નામ નિશાન ભૂંસાઈ જાશે
અહમ્ તારું વિઘ્ન કરશે
સંયમ દિલમાં ધરતો જા
આ સંસારે જન્મ ધરીને
રેતમાં પગલાં પાડતો જા “.
બસ પ્રથમ શ્વાસ અને અંતિમ શ્વાસ વયયેના ગાળાને સુંદર રીતે જીવી લઈએ. આ માનવ દેહ પ્રાપ્ત કર્યો છે, તેને એળે ન જવા દઈએ.
હમેશાં નિશાન ઊંચું તાકવું . ધ્યેયને આંબવાના પ્રયત્નમાં પાછી પાની ન કરવી . અંતે “ગીતા”માં કૃષ્ણ ભગવાને કહ્યું છે તેમ ફળની આશા ન રાખવી .
પ્રવિણા કડકિઆ.હ્યુસ્ટન અમેરિકા
*****************************************
NOG SS No : 0095
વિષય :– ધ્યેય, લક્ષ્ય
પ્રકાર :– ગદ્ય
શિષૅક :– મીરાં નો ધ્યેય ‘ વ્યસન મુક્તિ ‘
આજે મીરાંનાં પિતાના અવસાનને બાર દિવસ થયાં હતાં. હા, એનાં પિતાને કેન્સર થયું હતું ! એની માતાને પણ કેન્સર થયું હતું ને બે વષૅ પહેલાં જ એમનું પણ અવસાન થયું હતું.
મીરાં એનાં માતા -પિતાની એક માત્ર સંતાન હોવાથી એમની સેવા માટે મીરાં એ લગ્ન નહોતાં કર્યાં. એક પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ફરજ બજાવતી હતી. આજે માતા પિતા બંને ને કેન્સર જેવી બિમારીમાં ગુમાવીને એ ખૂબજ દુ:ખી થઈ ગઈ હતી .એણે નક્કી કર્યું કે મારે હવે કોઈપણ સંજોગોમાં ગામનાં લોકો ને સમજાવવું જ પડશે કે ‘ કેન્સર’ કેટલો ગંભીર રોગ છે ! અને એના માટે જ ગામનાં વડીલો, યુવાનોને વ્યસન નહીં કરવા માટે પણ સમજાવવું પડશે.
મીરાં એ શાળામાં આવીને આજે પોતાનાં જ વગૅનાં બધાં બાળકોને એક સવાલ પૂછ્યો,”બાળકો તમારાં ઘરમાં કે આસ – પડોશમાં કોઈને વ્યસનની આદત છે ? જેવી કે બીડી, સિગારેટ, હુક્કો, તમાકુ, બજર, છીંકણી ? “
તરતજ બધા બાળકો એકસાથે જ બોલી ઉઠ્યા, “ હા હા બેન છેને ! “
કોઈનાં દાદા હુક્કો પીવે છે ,તો દાદી છીંકણી સૂંઘે છે. કોઈનાં પપ્પા બીડી પીવે છે તો કાકા તમાકુ ખાય છે. આમ ગામમાં લગભગ ઘરેઘરે વ્યસન કરતાં લોકો છે.
મીરાં એ બાળકો પાસે એક નાટક તૈયાર કરાવ્યું અને એ નાટક હતું, “ વ્યસન થી થતું નુકસાન “ .અને પછી ગામમાં સરપંચને વાત કરીને એક ગ્રામસભાનું આયોજન કરીને બધાં જ ગ્રામજનોની વચ્ચે આ નાટક ભજવાયું. અને જ્યાં નાટક સમાપ્ત થયું ત્યાંજ સૌ પ્રથમ સરપંચ ઊભા થયાં ને બાળકો તેમજ મીરાં બેનનો આભાર માન્યો અને સાથે સાથે પોતે આજથી હુક્કો નહીં પીવે એવો નિયમ પણ લીધો.
અને ત્યારપછી તો એક પછી એક સૌએ ઊભા થઈને હવેથી અમે પણ કદી વ્યસન નહીં કરીએ એવી પ્રતિજ્ઞા લીધી.
આજે મીરાં એ પોતાનું લક્ષ્ય પાર પાડ્યું હતું. પોતે ભલે પોતાનાં માતા – પિતાને બચાવી ના શકી પણ ગામનાં બધાં જ લોકો જે વ્યસન કરતાં હતાં એમને એક કુટેવમાંથી બહાર લાવીને એમનું જીવન બચાવ્યું છે એનો મીરાં ને અનહદ આનંદ છે.
જાણે આજે એને ગામનાં દરેક વડીલો રૂપે પોતાનાં માતા – પિતા પાછા મળ્યાંનો સંતોષ છે.
દીપિકા ચાવડા ‘ તાપસી. ‘
******************************************
NOG SS No : OO94,
વિષય, ધ્યેય, લક્ષ્ય.
પ્રકાર ,લઘુવાતાઁ
શીર્ષક :રાંકનુ રતન
✍
રાધા ગરીબ ઘરમાં જન્મેલી,મા રેવાની સાથે લોકોનાં કપડાં વાસણના કામે સંગાથે જતી..સહેજ મોટી થતાં તેને ખબર પડી મારી મા એક
ચુંટાયેલા પ્રતિનિધિના ઘરે કામ કરે છે..રાધા બારમા ધોરણમાં હતી. મા એ ભણાવવા ખૂબ મહેનત કરી હતી .બાપની છત્રછાયાથી અળગી રાધા આગળ આવી…
સુમનભાઇના બંગલામાં કામ કરતા એક વાર રાધાએ હિંમત કરી સુમનભાઇ ને પૂછ્યું, “સર આ સરકારની યોજનામાં અમારે ઘર બનાવવું છે.”
સુમનભાઇ એની વાત પર ધ્યાન ન આપી વાત ઉડાવી દીધી.. રાજકારણના પૂરા રંગે રંગાયેલા સુમનભાઇનું ખરાબ વર્તન રાધાને ખૂંચ્યું. સમયાંતરે રાધા ભણી અને નોકરી મેળવી અને રેવાને સુમનભાઇના ઘરનાં ઢસરડાંમાંથી મુક્ત કરી..હવે એને સરકારની સહાયની જરૂર ન રહી મકાન જાત મહેનતે બનાવ્યું ,પણ મનમાં નિર્ણય લીધો ગરીબોને હું આ બધાં લાભ મળે છે એ માટે લોકોને જાગૃત બનાવીશ એમને મદદ કરીશ..
અને આમ ગરીબોની મદદ કરવા આગળ આવી.. કહેવાય છે ને દિલ પર લાગેલા ઘાવ એક સુંદર મંઝીલ તરફ વળે છે.
પરેશા ભટૃ.
***************************************
N.O.G. સાહિત્ય સરિતા ગૃપ
NOG SS No.0059.
નામ: જયકાન્ત ઘેલાણી પ્યારે”.
વિષય શબ્દો :લક્ષ્ય-ધ્યેય-માર્ગ.
વિભાગ. ગદ્ય.
શીર્ષક. ” સખત પરિશ્રમ –
– પલ્ટે પ્રારબ્ધ ને “.
—
સુવિખ્યાત ગ્રીસ ફિલોસોફર
શ્રીમાન એરિસ્ટોટલ કહ્યું હતું
” માનવી સામાજિક પ્રાણી છે,
– તે સમાજ વગર ન રહીં શકે”.
હું! આજે તેમાં થોડાં પણ જરૂરી
શબ્દો ઉમેરતાં આનંદ અનુભવુ છું કે,”ધ્યેય- લક્ષ વગરનો માણસ ન
હોય શકે”.
ધ્યેય-લક્ષ્ય ,માનવ સ્વભાવગત
ગૂણો છે. હા, દરેક માનવીનાં ધ્યેય
લક્ષ્ય, તેનામાં રહેલી વિચાર શક્તિ,સમય અને સંજોગોને આધિન જુદાજુદા રહેવાના અને
હોવાના.ધ્યેય- લક્ષ્યમાં,સફળતા કે નિષ્ફળતાનો આધાર જે તે
વ્યક્તિની નિષ્ઠા અને પરિશ્રમ ઉપરજ નિર્ભર રહેછે.
આપણો ઈતિહાસ પુરાવા સાથે
સાક્ષી પૂરેછે, જેમકે, ધર્નુવિદ્યા
શીખવાના શોખીન એકલવ્યને
ગુરૂ દ્રૉણાચાર્યે ,અકળ કારણોસર
શીખવાડવાની ના પાડી હતી, છતાં
પોતાના ધ્યેય-લક્ષ્યને પૂર્ણ કરવાં
એકલવ્યે,ગુરૂ દ્વૉણાચાર્યની માટીની પ્રતિમા બનાવી,તેની પૂજા કરી,અટલ શ્રધ્ધા સાથે, ગુરૂ દ્રોણાચાર્ય પાસેથીજ ધનુર્વિધા પ્રાપ્ત કરી હતી.
બાણાવળી અર્જુને પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ એક વિચક્ષણ દ્રષ્ટિ કેળવી,માછલીની આંખને લક્ષ્ય બિન્દુ બનાવી, આંખ વિંધી, અજોડ સિધ્ધિ
મેળવી હતી.
હિન્દુ મહા સમ્રાટ વીર રાણાપ્રતાપે
પણ પોતાની પાસે રહેલી સીમિત લશ્કરી સામગ્રી વચ્ચે પણ મોગલ સલ્તનતને શૌર્યતાથી ઝનૂનપૂર્વક લડત આપી હંફાવી હતી.આ તેનો પ્રયાસ તેમને અમરત્વ આપી ગયો છે.
ચાલો, ભૂતકાળ છોડી વર્તમાન જોઈએ ,આપણાં રાષ્ટ્રપિતા ગાંધી
બાપુએ,હિંસા સામે અંહિસાનાં
શસ્ત્રથીજ આઝાદી અપાવી છે ને ?લક્ષ્ય સિધ્ધ કરવાં,
સાધન કરતાં, તે માટેનો તમારો અડગ પુરૂષાર્થજ મુખ્યછે. આપણાં પંતપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સીમીત સાધનો હોવાછતાં,આતકંવાદનો અને
રાષ્ટ્રનાં દુશ્મનોનો સંહાર કરવા કેટલા કૃતનિશ્ચયી છે ,જે તેમના લક્ષ્ય બિન્દુને ઉજાગર કરેછે. તો આપણી સરહદોનું રક્ષણ કરતા સ્થળ,જળ અને વાયુસેનાનાં જવાનો કપરાં સંજોગોમાં પણ પોતાના દેશનું રક્ષણ કરવાં
શહિદી માટે પણ તૈયાર હોય છે ને ?
લક્ષ્ય સિધ્ધિ માટે આપણી કહેવતો પણ ઘણો બોધ આપે જ છે:
* ‘મન હોય તો માળવે જવાય’.
* ‘સિધ્ધિ તેને જઈ વરે,
જે પરસેવે ન્હાય’.
* પરિશ્રમની પાંખે ઊડી,
– માનવ પોતાના પ્રારબ્ધ ને
– પલ્ટાવી શકેછે.
આત્મ નિર્ભર ભારત જીંદાબાદ.
જયહિદ— વંદેમાતરમ.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે”
મુંબઈ. ૨૫.૦૨.૨૦૨૧.
*****************************************
NOG SS NO-0091
પ્રકાર: ગદ્ય
વિષય: માર્ગ
શીર્ષક: સારથી બનો સંતાનનાં
કોલેજ કરતાં બાળકનાં માતા-પિતાની સાથે મારે એક વાત શેર કરવી છે. તમે તમારાં બાળકને તેની ઇચ્છાથી તેની આવડતથી તેને તેની મંઝિલ બનાવવા દો. તમે તેનાં પર કોઈપણ પ્રકારનું પ્રેશર ન આપો. તેણે જે લક્ષ વિચાર્યું છે તે બરાબર છે કે નહીં તે જોવાની જવાબદારી તો તમારી જ છે. તે બીજાનું જોઈને પોતાનું લક્ષ્ય નથી વિચારતો ને કે તેનો મિત્ર CA કરે છે તો મારે પણ CA કરવું. મારી ફ્રેન્ડ ડાન્સર બને છે તો મારે પણ બનવુ, પરંતુ તે જે બનવા ઈચ્છે છે તેમાં તેની આવડત અને તે પ્રમાણેની લાયકાત તેનામાં છે કે નહીં તે ચોક્કસ ચકાસો. હું મારી જ વાત કરું તો મારા મોટા દીકરાને ફૂટબોલમાં રસ છે. તે સ્પોર્ટસમાં આગળ જવા ઈચ્છે છે, તો મેં પહેલા તેને લગતી બધી તપાસ કરાવી કે આગળ તેનું ભવિષ્ય કેવું છે અને હાલ તે બીબીએ સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં ભણે છે. થોડું આપણે તેના નસીબ પર પણ છોડવું પડે, પરંતુ ભવિષ્યમાં આપણે એવું સાંભળવું ન પડે કે મારે જે બનવાની ઈચ્છા હતી તેમાં તમે લોકોએ મદદ ન કરી. દરેક મા-બાપને એક જ વિનંતી તમારા બાળકનાં સાચા માર્ગદર્શક તમે જ બનો, તેને સાચો માર્ગ બતાવો. બીજું કે ધોરણ 12 પછી તેનો રસ્તો જાય છે બેચલર ડિગ્રી અને પછી માસ્ટર ડિગ્રી, પરંતુ બેચલર ડિગ્રીથી આગળ નીકળતાં માર્ગમાં બે ફાંટા પડી જાય છે, એક જાય છે માસ્ટર ડિગ્રી તરફ અને બીજુ ફ્રેન્ડશીપ, lovelife વગેરે વગેરે……. બાળકને સમજણ હોતી નથી કે પોતાને કયો રસ્તો પકડવો. બીજાનું અનુકરણ કરી કદાચ ખોટા રસ્તે પણ જઈ શકે. નાના બાળકને જમાડતી વખતે કે ભણાવતી વખતે જેમ તેને ગમતી વસ્તુઓનું પ્રલોભન આપતાં તેમ આ ઉંમરનાં બાળકોને પણ એ રીતે પ્રલોભન આપો. મેં એક લેખમાં વાંચ્યું હતું જે હું તમારી સાથે શેર કરું છું. બાળકોને એવું સમજાવો કે બેટા દરેક છોકરી પોતાના સપનામાં કે કલ્પનામાં એક રાજકુમાર જ જુએ છે, અને છોકરો હંમેશાં રાજકુમારી જ ઈચ્છે છે. ગરીબ અને મધ્યમ વર્ગના છોકરા-છોકરીનાં કોઈ સપનાં જોતું નથી, અને આપણાં જેવાં મધ્યમ વર્ગીય પરિવારને તો આ સપનાં જોવાનો પણ હક નથી. એટલે જો તમારે બીજાનાં સપનાં બનવું હોય તો એ પ્રમાણે તમારે તમારું કરિયર બનાવવું પડે જેથી તમે તમારા સપનાં તો પૂરા કરી જ શકો સાથે બીજાનાં સપનાં બની શકો. આ ઉંમર એવી છે કે આવી રીતે તેના મિત્ર બનીને સમજાવી શકાય. બાકી પેલો રાહુલ ડોક્ટર બન્યો અને પેલી રાધિકા પ્રોફેસર બની. તેવી વાતોથી તો ઘરમાં ઝઘડાં કજિયા અને વિખવાદ થાય, અને ગુસ્સામાં આવીને તે ખોટું પગલું પણ ભરી શકે. એટલે એટલું જ કહેવાનું કે તમે તમારા સંતાનનાં સાચા મિત્ર બનો, સાચા સારથી બની તેને સાચો માર્ગ બતાવો .
Best of luck
જિજ્ઞાસા યુ જોષી
“શુક”