ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની છ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પ્રેમ ની અભિવ્યક્તિ,પ્રેમ એકરાર,પ્રેમપત્ર.
સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા -૧
વિષય : પ્રેમની અભિવ્યકિત,પ્રેમનો એકરાર,
શીર્ષક : “અતૂટ પ્રેમ”
પ્રકાર : ગદ્ય
NG0052
રીયા : “નથી બોલતી તમારી સાથે”
અરે !આમ કેમ કરે છે તું?
“નિત્ય શું થયું આને ,કાંઈ કહે તો ખરો?”
“મને જ નથી સમજાતું કે થયું છે શું મમ્માને…”
“હું તારી મમ્માને ઓળખું છું,તે વધુ સમય મારાથી નારાજ રહી શકે જ નહીં.થોડો સમય વિતશે એટલે તે સામેથી બોલશે,તેનો મને પૂરો વિશ્વાસ છે.”
વાહ ડેડ આટલો બધો કોન્ફીડન્સ. તાળી પાડતા નિત્યે “મમ્મા ન તો તમારી સાથે વાત કરી રહી છે,અને ઉપરથી તે નારાજ છે,છતાં તમે આ રીતે બોલી શકો છો.કેવી રીતે ? ”
તને નહી સમજાય,આજ તો રહસ્ય છે અમારા વચ્ચે.
“ઠીક છે હું ચાલ્યો મારા સ્ટડી રૂમમાં,હું ખોટી માથાકૂટમાં પડવા નથી ઈચ્છતો.
સંજીવ મનમાં વિચારે છે “કદાચ આને ખબર તો નથી પડી ગઈ ને ?જો કે ખબર પડવાની પણ કેવી રીતે,મારા સિવાય બીજું ક્યા મારા પ્લાન વિષે જાણે જ છે.”
(સંજીવ અને રીયા વચ્ચેનો પ્રેમ વર્ષોથી અતૂટ રહ્યો હતો,’એક જિસ્મ દો જાન’ એકને તકલીફ પડે તેની અસર સામે દેખાય ,ખાલી દેખાડો કરવા પૂરતો તેમને વચ્ચે પ્રેમ નહોતો,સંજીવ તકલીફમાં હોય, કાંઈ ટેન્શનમાં હોય, તે બધું વગર કીધે રીયા સમજી જતી.
રીયા સંજીવ કરતા વધુ ભણેલી ગણેલી,ઉંમરમાં પણ થોડી મોટી.
ઈશ્વરની દયાથી સંજીવ સારો એવો બિઝનેસ જમાવી સેટલ થયો હતો.
રીયા ક્યારેય સંજીવને પૂછ્યા વિનાં એક ડગલું આગળ વધતી નહી.સંજીવ પણ બિઝનેસથી લઈ ગમે તે નિર્ણય લેવાનો હોય તેમાં રીયાની સંમતિ સલાહ, અભિપ્રાય જરૂર લેતો.)
સંજીવ : “રીયા ઓ રીયા ક્યાં છે?સાંભળ તો ખરી. રીયા મૌન રહેવાની કોશિશ કરવાનો ઢોંગ કરી રહી હતી.
સંજીવે બીજી વાર ,ત્રીજી વાર અવાજ લગાવ્યો, આખરે રીયાથી રહેવાયું નહી ,તે સીધી રૂમમાંથી બહાર દોડતી આવી “હમમમમ….બોલો સંજીવ.”
નિત્ય આ બધું ચૂપકેથી જોઈ રહ્યો હતો.
મને ખબર છે કે ,તને કહ્યાં વિનાં આજે મે સરપ્રાઈઝ આપવાનો પ્લાન ઘડ્યો છે,અને તેમાં હું તારી સંમતિ લેવાની ભૂલી ગયો છું,એટલે જ નારાજ છે ને?
રીયાએ, મોં નીચું રાખી હકારમાં માથું ધુણાવ્યું.
નિત્ય તેનાં મમ્મા, પપ્પા વચ્ચેનાં અતૂટ પ્રેમને સમજી ચૂક્યો હતો.
સંજય તરબદા “સાંજ”✍🏻
વડોદરા
******†*********************************
ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતા – 1
NOG SS No.- 0050
વિષય- પ્રેમપત્ર….
મારા પીયુ માટે…
………………………..
કાંઈ પણ સંબંધોન કરું તો નાનુંને અઘરુંલાગે .
પેલા ફિલ્મી ગીતની જેમ…” તું પ્યાર કા સાગર હૈ, તેરે એક બુંદ કે પ્યાસે હૈ.”
તને પત્ર,સંદેશ,ઈમેલ, મેસેજ, તાર ,કોલ તો એકજ મન હ્રદયનો ઉભરો તારા સુધી પહોંચાડવાનો છે. સ્વરૂપ બદલાયું સંદેશો પહોંચાડવાની ગતિ વધી પ્રેમની વાતો વધી હ્રદયથી લખાયેલા હોય એટલે પ્રેમની લાગણી ચાસણીમાં ડબોળેલી ડબોડબ ને લખેલા અક્ષરો અવિનાશી ને જયારે વાંચીએ ત્યારે ડબલ જોશમાં મનો હ્રદયમાં છવાઈ જાય છે વમળો. અવણૅનીય બને છે.હ્રદય આભાં તો એની સાથે જ છે. પણ પ્રેમમાં દૂરી આપણને મજબૂત બનાવે છે.
અલગ વિચાર,અલગ મત,અલગ સ્વભાવ પણ આત્માતો એક જ છે. એમાં કેસર ભળ્યું જાણે.. મારા કાવ્યને લેખ તારા વગર અધૂરા જાણે. મનમોહક,રસપ્રદ,તારી ફરિયાદ, નખરાં,ઝઘડા માંગણીઓ, ગુસ્સો ,
પ્રેમ,ખીજાવવું ,શિખામણ આપવી ,
રીસાવું બધું મારાથી તો જોડાયેલું છે.
તારા વગરની લાગણી શુષ્ક ને નીરસ , જયાં ફકત વાચા જ છે જીવનનો… ટહુકો પ્રેમનું ફરકે છે ફુદકડું ને ફૂંદક ફૂદંક કરે મનડું સાચો પ્રેમ અરિસા જેવો પડછાયા જેવો .
અરિસો જૂઠું બોલે પણ પડછાયો સાથ ના છોડે. આત્માથી થાય છે બાહ્ય સુંદરતા નહીં આંતરીક સુંદરતાથી. દરેક ખામીઓને સ્વીકારી લીધી મેં તો જીવનનું ખાતર નાખ્યાં વિના પ્રેમનું વૃક્ષ મોટું ના થાય હોં !
ભૂલ તારી નહીં પરતું ભૂલ મારી છે એમ સમજવું એજ પીયું તારો સાચો પ્રેમ છે.ચંચળ ને પવિત્ર છે.બાંધેલો વિશ્વાસ ના દોરો એક બીજામાં ભળી જાવું મહત્વ છે.સાચો પ્રેમ તારો કોઈને ના રોકી શકે.પ્રેમને વિશ્વાસની દોરી કયારે કરમાતી નથીં.જીવન તમારું જો બીજું નામ તો એ માત્ર પ્રેમ ને પ્રેમ જ છે.જીવનને ભવ્ય બનાવજો.પ્રેમનું હાર્દ સમજજો.ટૂંકમાં અશ્ક એટલે પ્રેમ કરવાની માટેની લાગણી રોમેન્ટિક પ્રેમાલાપો માટે વ્યકત થાય છે.કૃષ્ણને વાંસળીનો અલૌકિક પ્રેમ તેમ મારો ને મારા પતિનો પ્રેમ….!
આંખોમાં આંસુ આવે જયારે તમે ના હોવ સાથે
ખુશી હતી હમારી
જયારે તારી સાથે હોઈએ.
જિંદગી મારી તેમને યાદ કરતાં.
શમણામાં પણ પ્રણયની મજા માણી લઉં.
જે મળ્યું એ સ્વીકારી લીધું
જીંદગીંમાં પ્રેમને ખાતર.
રાગીની શુકલ”રાગ”
(મુંબઈ.કાંદિવલી.)
**†**************************************
NOG SS No ; 0022
વિષય : પ્રેમપત્ર
વિભાગ : ગદ્ય
પ્રકાર : પત્ર
શીર્ષક :
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
પ્રિય પત્ની ડિમ્પલને,
(હવે એમ ન વિચારતી કે અપ્રિય પત્ની કોણ?)
આજે ૧૪ ફેબ્રુઆરીના દિવસે યુવાનોના પત્રો જોઈને મને પણ જોશ આવી ગયો કે તને પ્રેમપત્ર લખું અને હાથમાં મોબાઈલ લઈને બેસી ગયો. કાગળ અને પેનના દિવસો નીકળી ગયા અને હવે પ્રેમપત્રો મોબાઈલના નોટપેડ કે વોટ્સઅપમાં લખાય છે.
અઢાર વર્ષનો થયેલો આપણો દીકરો પણ કદાય કોઈને પ્રેમપત્ર લખી રહ્યો હશે. ( હોય હવે ઉંમર જ એવી છે ને! તું ઝાઝી ચિંતા ન કરીશ.)
હું તને સારી રીતે જાણું છું અને અત્યારે જ કલ્પના કરી રહ્યો છું કે આ પ્રેમપત્ર વાંચતી વખતે તારા ચહેરા પર કેવા ભાવ હશે પણ ખબરદાર! જો એવો ભાવ લાવી તો! પ્રેમની કોઈ ઉંમર થોડી જ હોય છે? પ્રેમ તો જેમ જેમ ઘૂંટાતો જાય તેમ તેમ વધુ નશીલો અને વધુ કાતિલ થતો જાય છે.( આ વાક્ય વખતનું સ્મિત નક્કી ઘાયલ કરનારું હશે.)
લોકો કહે છે કે ઉંમર સાથે સુંદરતા ઓછી થઈ જાય છે અને પ્રેમ પણ, પણ તારી ઉંમર વધવાની સાથે તારી સુંદરતા પણ વધી છે અને મારો પ્રેમ પણ. તું મારા માટે આદત થઈ ગઈ છે અને તારો પ્રેમ જરૂરિયાત. તારા વિનાનાં જીવનની કલ્પના પણ નથી કરી શકતો.
તારી મદહોશ કરનારી સુગંધ અને તારું કાતિલ સ્મિત આજે પણ મારા મનને લુભાવે છે. તું, તારી જીદ, તારું હાસ્ય, તારો ક્રોધ બધું જ મને પ્રિય છે અને તે બધું જ તને સંપૂર્ણ બનાવે છે. તું મને તારા ગુણ અને અવગુણો સાથે મને પ્રિય છે કારણ ફક્ત પ્રેમ છે. હું ફક્ત તારા અને તારા માટે જ જીવું છું.
હું તારો અને તું મારી જન્મોજન્મ માટે.
લિ.
ફક્ત તારો અને તારો જ
જ્યોતિન્દ્ર
***********†********†**************†
NOG સાહિત્ય સરિતા ( ૧ )
NOG No. S .S . 0059.
વિભાગ ગદ્ય
વિષય . ‘પ્રેમપત્ર’.
શીર્ષક . ” પ્રેમપત્રની પરિભાષા “.
વ્હાલા મિત્રો,
ગુજરાતી મૂળાક્ષરના ૨૧માં
અક્ષર ‘પ’ થી શરૂ થતાંબે શબ્દો
પ્રેમ અને પત્ર, જુદા જુદા અર્થ દર્શાવેછે પરંતુ જયારે બને શબ્દ સાથે જોડાય છે ,ત્યારે વિશ્ર્વનાં એક ઉતમ સંબંધને ઉજાગર કરવાની ક્ષમતા ધરાવતો શબ્દ બનેછે, જે સમગ્ર માનવ સૃષ્ટિનો પ્યારો શબ્દછે, “પ્રેમપત્ર”.
પ્રેમપત્ર, બે જુદા સંબંધોને એક કરવાની ઉત્તમ ઉર્જા ઉત્પન્ન કરેછે, પછી તે સંબંધ બે યુવાન હૈયાનો હોય કે,ભાઈ-બહેનનો,
પિતા-પુત્રીનો હોય કે ગુરૂ-શિષ્યનો
કે પછી બે મિત્રોનો,તે ગદ્ય હોય કે પદ્ય,
છંદમા હૉયકે, દૂહામા,શેરમા હૉયકે શાયરીમાં, વાતમા હોયકે વાર્તામા, સમજોને પ્રેમપત્રની બાંસુરીનાં સૂર બાળકથી વૃધ્ધમાં, ઉન્નમાદના તાર ઝણ ઝણાવી જાયછે.
જો સંશોધન કરવામાં આવેતો,
દરેકને પાકી ખાત્રી જરૂર થાયકે
પ્રેમપત્ર, ફક્ત ને ફક્ત સાચા પ્રેમથી લખાયછે અને સંવેદનાની આંખેજ વાંચી શકાયછે.પ્રેમપત્રમાં ભાષા કરતાં
ભાવનાનું વિશેષ મહત્વછે.
‘પ્રેમપત્ર’,પત્રરૂપે લખવાની શરૂઆત થઈ તે પૂર્વે પણ પ્રેમપત્રો લખાયા જ છે, તેના ઉતમ ઉદાહરણ એટલે
શ્રી કૃષ્ણ રાધાનો પ્રેમ, મીરાં- કૃષ્ણનો પ્રેમ, રામ-સીતાનો પ્રેમ,
શબરી- રામનો પ્રેમ,
કૃષ્ણ- સુદામાનો પ્રેમ,
ગાંધીજીનો અહિંસા ઉપરનો પ્રેમ,
પ્યારે’, આપણો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ
અરસ પરસની પ્રેમ-લાગણી ને ભકિત ભાવનાનેજ ઉજાગર કરેછે.
હા,આદમ-ઈવ,હીર- રાઝાં કે, રૉમિયૉ-જૂલીયેટનાં પ્રેમના યાદગાર સંભારણા આજેલપણ અમર છે.
પ્રેમની પરિભાષા સમયે સમયે
બદલાતી રહેછે પરંતુ” પ્રેમપત્ર”,
અમરછે..
અપને યારોકો,મેરા પ્યાર.
લિ.
“પ્યારે”.🌈🌹
©️જયકાન્ત એસ ઘેલાણી.
‘ પ્યારે’.૧૪.૦૨.૨૦૨૧.
****************************************
સદગુરુ કૃપા હી કેવલમ.
NOG SS NO 0093.
વિષય- પ્રેમની અભિવ્યક્તિ.
શીર્ષક- કેમ પ્રેમમાં આટલો વિરોધાભાસ!
કરુણા એક સીધીસાદી નાના શહેરની યુવતી હતી,પણ તેનાં મામાને શહેરમાં મોટો ધંધો હતો અને તેમને કોઈ સંતાન નહોતું.એટલે કરુણા ને તે દીકરી માનતા હતાં. બધાંનું માનવું હતું કે, તેમના નિધન બાદ કરુણા ને જ તેની મિલકત મળશે. કરુણાનાં મામા, એટલે કપિલ ભાઈ શ્રોફ, અને તેમની ઓફિસમાં ઘણા બધાં યુવાનો કામ કરતા હતાં, એમાંના ઘણાંને કરુણા સાથે લગ્ન કરવાની લાલચ હતી. પરંતુ કૌશલ ખૂબ જ દેખાવડો અને હેન્ડસમ હતો, એટલે કપિલ શ્રોફ મનોમન એવું ઈચ્છતા હતાં કે એની સાથે તેની ભાણી નાં લગ્ન થાય.આ બાજુ કૌશલની પણ મનોમન ઈચ્છા હતી, કે આ બધી જાયદાદ તેના નામે થઇ જાય. એટલે પોતે પ્રેમ જાળ બિછાવી અને કરુણાને ફસાવવાનું કાવતરું કર્યું, કરુણા સાવ ભલી ભોળી હતી, તે કૌશલની જાળમાં આવી ગઈ, અને સાથોસાથ મામા પણ આવી ગયા. તેમણે પોતાની ભાણીનાં આવું વિચારીને તાત્કાલિક લગ્ન પણ કરી આપ્યા. લગ્ન પછી થોડો વખત બધું પ્રમાણમાં સરખું ચાલ્યું.કપિલ શ્રોફ પણ તેનાથી ઈમપ્રેસ હતાં, એટલે જમાઈ થતાં થોડો પાવર પણ વધ્યો, મિટિંગો પણ વધી અને બહારગામના પ્રેઝન્ટેશન માટે પણ તેને મોકલવાનું શરૂ થયું. કૌશલને ધંધાની અમુક પોલિસી વિશે પણ જ્ઞાન થવા લાગ્યું. ઉપરાંત હવે તે એવું વિચારવા લાગ્યો કે કપિલ શ્રોફનું આયુષ્ય તો લાંબુ છે, એટલે એમ દાવ નહીં પડે. કંઈક જુદું જ કરવું પડશે, એમ વિચારી બેંગ્લોરની મિટિંગ ગોઠવી આમ પણ વેલેન્ટાઈન ડે બે દિવસમાં આવે છે એટલે…. સાથે મજા કરીશ.
ભલી ભોળી કરુણા આ બધી વાતથી અજાણ હતી, અને પતિને સાચો પ્રેમ કરતી હતી. કોઈ કોઈ વાર તેને પતિનું વર્તન સમજાતું ન હતું. પરંતુ બધું જ ભૂલી તે રોજ સવારથી રાત સુધી તેની પસંદગી પ્રમાણે જ જીવતી હતી. તેને બેંગ્લોરમાં કોઈ જાતની તકલીફ ન પડે, એ માટે થઈને તેનું પેકિંગ કરતી હતી, ઇસ્ત્રી કરેલાં કપડાઓ બેગમાં ગોઠવતી હતી, એમાંથી લેડીઝ રૂમાલ નીકળે છે, એકમાંથી ઈયરિંગ નીકળે છે, તો ક્યાંક લિપસ્ટિકનો ધોવાયા છતાં ડાઘ દેખાય છે.એક સ્ત્રી માટે આનાથી વધુ દુઃખદ બીજું શું હોય શકે.પરતુ એ બધું નજર અંદાઝ કરી એણે એકદમ વ્યવસ્થિત રીતે પેકીંગ કર્યું, અને યાદ કરી કરીને પતિની આદત મુજબ બધું જ ગોઠવી દીધું.આમ પણ હવે એની પાસે પોતાના પ્રેમને અભિવ્યક્ત કરવાં આની સિવાય ક્યાં કોઈ માર્ગ હતો. આજે તેને વારંવાર એ 14 ફેબ્રુઆરીનો દિવસ યાદ આવતો હતો,જ્યારે તેમના લગ્ન થયા ન હતાં. કૌશલ તેને લેવા લાલ કલરની ગાડી લઈને આવ્યા હતાં, અને શહેરથી દૂર એક મોંઘી હોટલમાં ડિનર માટે બહાર લઈ ગયાં હતાં. જ્યાં તેમણે બધાંની સામે કેટલું પ્રેમથી પ્રપોઝ કર્યું હતું, અને પોતે શરમાઈ ને તેની બાહોમાં સમાઈ ગઈ હતી, અને હવે તો… એક ગરમ નિસાસો ..એનું મોઢું પણ ઘણી વાર તો અઠવાડિએ કે પંદર દિવસે જોવા મળે છે. કરુણા વિચારતી હતી કે ક્યો પ્રેમ સાચો! પ્રેમી કૌશલનો!! કે પતિ કૌશલનો !!
ફાલ્ગુની વસાવડા
***********************************†*****
*NOG SS No.0081*
*પ્રકાર : ગદ્ય*
*વિષય : પ્રેમપત્ર*
*શીર્ષક : જમાઈને પત્ર*
ચિરંજીવી સુયશકુમાર,
પ્રાર્થના કરતી વખતે જેમ આપણી જાતને ઈશ્વરને સોંપી દઈએ છીએ એટલી જ શ્રદ્ધાથી મારી દીકરી તમને સોંપી છે. મારી દીકરીને મેં શક્ય એટલાં સંસ્કાર સિંચ્યા છે, તેથી આપને એના વર્તન વિશે કોઈ ફરિયાદ નહીં રહે. ઘરમાં સ્ત્રીઓની બહુમતી હોવાથી એણે પુરુષ તરીકે તેના પિતાને જ આદર્શ માન્યા છે. તમે એની જિંદગીમાં સૌથી મહત્ત્વનાં બીજા નંબરે આવતા પુરુષ છો .તમારો સરળ , શાંત સ્વભાવ એને જરૂર સ્નેહ અને રક્ષણ માટેની હૂંફનો આસ્વાદ કરાવશે જ.
એ તમારી પાસે ક્યારેય કિંમતી ભેટની જીદ નહીં કરે.એ તમારી પાસે ફક્ત સ્નેહ માંગશે. એને હંમેશા પ્રતિભાવની જ અપેક્ષા રહે છે. મારી દીકરી મારું અભિમાન છે .એ તમારાં ઘરની પણ શાન જ બનશે એની મને ખાતરી છે.તમે એની દરેક રીતે કાળજી લેશો જ પણ મા છું ને !
મારી નોકરીને લીધે ક્યાંક એને સમય આપવામાં અન્યાય થયો હશે એમ મને ડંખતું રહે છે,પણ મારી દીકરીને એ વિશે કોઈ જ ફરિયાદ નથી, જે મને ગુનાહિત લાગણી આપે છે.
એને તમે ક્યારેય એકલી ન પડવા દેશો.એને એકલતા પસંદ નથી. એની સાથે ખૂબ વાતો કરજો. બસ, એને એકલાં રહેતાં નથી આવડતું. એને વાતો કરવા સતત કોઈની જરૂર પડે છે. વાતો કરવા માટે એને મોબાઈલ અપાવી દીધો પણ સમય ઓછો
આપી શકી. વાતો નહીં કરી શકવાના કારણે મારી સાથે રીસાઈ જતી.તમે એને રીસાવા ન દેતાં.ફક્ત અને ફક્ત પ્રેમથી જ એ મનાય જશે.હા,જરા લાંબું
ચાલશે પણ સોડાના ઊભરાની જેમબધું ઉભરાઈનેઠીક થઈ જશે.
એને દલીલમાં તમે નહીં જીતી શકો.મેં એને ઘણીવાર સમજાવી છે,વાતને ઠંડામગજથી સમજવા.તમારો સાનુકૂળ થવાનો સ્વભાવ જોઈ હું ખરેખર ખૂબ ખુશ થઈ . ઈશ્વરનો ખૂબ આભાર કે તમારી સરસ બેલડી બનાવી. એવું તો નહીં માંગું કે મારા કાળજાનાં ટુકડાને રડાવતા નહીં ,પણ પ્લીઝ એને એકલી ના રડવા દેતાં. તમારા રૂમાલથી એનાં ગાલ લૂછજો,એ તમારો રૂમાલ પણ નહીં લે ,રડતી વખતે.
તમારા હાથમાં એનો હાથ મૂક્યો ત્યારે એને દાનમાં નથી આપી, તમારાં ગોત્રમાં સમાવેશ કરવા વિનંતી કરી છે. યાદ છે ને, લગ્નની એક વિધિમાં તમે સાસુનો (મારો) છેડો પકડી ભેટ માંગી ત્યારે મેં હસતાં હસતાં ભેટ આપી કહ્યું હતું,” કરોડો રૂપિયાની મારી દીકરી આપી પછી બીજી કોઈ પણ ભેટની શું વિસાત !”તેથી આ મારાં વ્હાલનાં દરિયાનું તોફાન ચલાવી લેજો અને તમે બંને શિવ – પાર્વતી જેવું દામ્પત્ય ભોગવો એ જ અભિલાષા.લગ્ન એ બે વ્યક્તિ સાથે જ બે કુટુંબ વચ્ચે સેતુ સમાન પવિત્ર વિધિ છે .આપ પણ અમારાં કુટુંબનાં સન્માનનીય સભ્ય બન્યાની ખુશી છે.
સદાય આપ બન્નેને આશિષ આપતી,
લિ.
માયા મૉમ..