ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની છેલ્લે આપેલ વિષય ઉપર પાંચ ગદ્ય પ્રસિદ્ધ કરવામાં આવે છે.
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073
સંચાલક શ્રી : પ્રદીપ રાવલ (ગાંધીનગર)
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ (વડોદરા)
NOG SS NO:004
*વિષય: પ્રાણ,પ્રકૃતિ, ટેવ,કુટેવ,અને પ્રશંસા*
* વિભાગ : ગદ્ય
*શીર્ષક:*વિનંતી*(આત્મવંચના)
હે,ભગવંત!આ ધરતી પર અવતરી મારા ખોળિયામાં *પ્રાણ* પુરનાર, તું મને ધરતીનાં ખોળે આ અપ્રતિમ *પ્રકૃતિ*ની વચ્ચે ક્યાંય દેખાતો નથી! ક્યાં શોધું?
માનવનાં ખોળિયામાં એક સ્ત્રી તરીકે તે જન્મ આપ્યો,દેવી રૂપે લોકો પૂજે છે,એવી સ્ત્રી!માનવીની આ *ટેવ* પર મને ઘણીવાર હે ભગવંત! મને ક્રોધ આવે છે. જરા પણ કોઈ સ્ત્રી પુરુષ સામે ભૂલમાં પણ બીજી સ્ત્રીની *કુટેવ* બતાવે તો, પુરૂષ કેમ એને ઈર્ષાનું રૂપ સમજી લે છે.તે બોલી ઊઠે “સ્ત્રી સહજ સ્વભાવ”અરે! નીતિ-નિયમ ફક્ત પુરુષોની *ટેવ* છે.કેમ કોઈ સ્ત્રી બીજી સ્ત્રીની *પ્રશંસા* પણ કરતી હોય છે,ત્યારે તો તે *આડંબર* ગણાય જાય છે,પણ એક વાત જરૂર પુરુષપ્રધાન આ દેશે જાણવું જ જોઈએ કે,એક મંથરા કે કૈકેયીને લીધે મીરાં,સીતા કે રાધા બદનામ ન જ થવી જોઈએ. નહિતો દેવી રૂપે ભગવતી ને ન પૂજો!
હે,ભગવંત! તું દૂર દૂર આકાશે છે, છતાં અહીંથી મારો આત્મા તને-એક માત્ર તને-જ શોધવા તત્પર રહે છે.આ ભાવનાની તું સ્વીકૃતિ કર,કારણ હું સ્ત્રી છું છતાં તે મારા *પ્રાણ* સાથે વિણાયેલી *પ્રકૃતિ*છે. મારી *કુટેવો*હું નથી જાણતી,પણ મારી *ટેવ* તને પામવા જ આતુર રહે છે.સ્ત્રીની નિંદા કરનારને એટલું જ કહીશ પથ્થરની આ દેવીની મૂર્તિની પૂજા *પ્રશંસા* કરી રહ્યા છો,એજ મારી તમારી વચ્ચેની વિશ્વની નારીની *પ્રશંસા*ની પ્રતિ કૃતિ છે. તો સાચી *ભક્તિ કે પ્રશંસા* કર.*પ્રાણ અને પ્રકૃતિ*નું ઘટક બદલાય..એ જ *વિનંતી*.
*જયશ્રી પટેલ*
*૩૦/૧/૨૧*
*********†******************************
NOG SS NO.0037
વિભાગ – માઈક્રો ફિક્શન.
વિષય – પ્રકૃતિ….
શીર્ષક – પ્રકૃતિની સંવેદના.
પ્રકૃતિ, જીવસૃષ્ટિનો પ્રાણ છે. પ્રકૃતિએ અનેક વખત, રૌદ્રસ્વરૂપ ધારણ કરી, માનવને સમજાવવાના પ્રયાસ કર્યા.સ્વાર્થી માનવ,સમજીને પણ ના સમજ બની રહ્યો…! જેના ફળ સ્વરૂપે ‘કોરોના ‘ જેવી મહામારીનો જન્મ થયો.પ્રગતિનાં પંથે, આગળ જઈ રહેલો માનવ બહેરો, મૂંગો, અને આજકાલ તો ‘અંધ’ બની ફરી રહ્યો….!
હેમલતા દિવેચા.
*****************************************
*NOG No : 0027*
વિભાગ :- ગદ્ય
પ્રકાર :- લેખ
*પોષનો પ્રભાવ*
શિયાળામાં પોષ માસ ખાસ હોય છે. કડકડતી ઠંડી સાથે આરોગ્યનો સીધો સંબંધ હોય છે. પોષ દર વર્ષે આપણી સમક્ષ સ્ફૂર્તિનો સંદેશ લઈને આવી પહોંચે છે. જે માણસ મોડે સુધી રજાઈની સોડમાં લપાઈ રહે છે એ આ આરોગ્યવર્ધક ઋતુનું અપમાન કરે છે. સૂરજ ઉગે નહીં ને અંધારું જાય નહીં એવી પળ માટે વપરાતો “ભોંભાખળું” શબ્દ એ તો શિયાળાની શોભા કહેવાય.
પોષનો પ્રભાવ વ્યાપક હોય છે. ઘરમાં ચીકી, કચરીયું વગેરે અડ્ડો જમાવી બેસે છે. દિવસ ટૂંકો થાય છે. રાત લાંબી થાય છે. ગામડામાં તો રાત્રે મોડે સુધી “તાપણું” કરીને અરસપરસ વાતોનો વિસામો પામતાં લોકોની રીતસર મંડળીઓ જામે છે.
પોષની ઠંડી કાતિલ હોય છે. આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જઈને આખી રાત જાગો તો ખ્યાલ આવે કે ખેડૂતને “જગતનો તાત” શા માટે કહેવામાં આવે છે. પોષ આપણને ધરતીપુત્રના આભારદર્શનની તક પૂરી પાડે છે. ઘરકૂકડી બનેલાને વિશાળ નજર આપે છે.
પોષ મહિનાનો મહિમા ભારતવર્ષે જોયો છે. પોષ વદમાં સ્વામી વિવેકાનંદ જેવી વિશ્વવિખ્યાત વિભૂતિએ આ દેશમાં જન્મ લીધો. એમનું પ્રચંડ આત્મબળ આજે પણ દરેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. એમના અતુલ્ય પ્રભાવ હેઠળ એક સમયે સમગ્ર સંસાર હતો. પોષ પ્રતિવર્ષ આપણને એ પ્રભાવની ઝાંખી કરાવવા આવે છે.
પોષનો સૂર્ય અતિશય પ્રભાવશાળી હોય છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં સૂરજદાદા માટે “પૃષન” શબ્દ વપરાયો છે. જેનો સીધો સંબંધ પોષ સાથે છે. પૃષન એટલે પોષણકર્તા… પોષ માસ એ આપણાં દેહનું, મનનું પોષણ કરવા આવે છે. આ ઋતુમાં સૂરજદાદાની ઉપાસના જીવનનું સોથી મોટું ટૉનિક બનીને ઉભરે છે. ગામડામાં લોકો સવારે ઓટલા પર બેસીને આ વૈભવ ભોગવે છે. હું મારી જાતને ગોરીયાવડ ગામનાં ઓટલા પરથી, ધાબળો ઓઢીને બેઠેલી જોઉં છું. એ કિશોરી ઉગતા સૂરજનાં કોમળ કિરણો પોતાનાં પાલવમાં ભરી રહી છે. ભગવાન ભાસ્કરનો એક અંશ એની અંદર સમાવતી એ બાળકી જયારે મોટી થાય છે ત્યારે એની ભીતરમાં ભરેલ એ તેજ કાયમ એનાં જીવનમાં અંધકારથી પ્રકાશ તરફ લઈ જવામાં મદદ કરે છે. એ કિશોરી જ્યોતિ આચાર્ય બનીને એ સંદેશ સૌનાં જીવનમાં ફેલાવતી રહે એની પાછળ પૃષનનો પ્રભાવ રહેલો છે.
પોષ એટલે ગરમાગરમ સ્વેટર…! પોષ એટલે ચટાકેદાર ઊંધિયું…! પોષ એટલે ડેલીમાં સળગતું તાપણું…! પોષ એટલે હાડ ગાળી નાંખતી ઠંડીની કંપારી…! પોષ એટલે ગીઝરનું હુંફાળું પાણી…! પોષ એટલે સ્વાસ્થ્યની કમાણી…! પોષ એટલે અભાવ દૂર કરી વર્તાતો એક અસીમ પ્રભાવ…!
— જ્યોતિ આચાર્ય
અમદાવાદ
********************”*********************
સાહિત્ય સરિતા
NOG 0081
પ્રકાર: ગદ્ય/ લેખ
શીર્ષક: પ્રશંસા
પ્રશંસા તો પ્રભુને પણ પ્યારી હોય છે.પ્રશંસા એટલે ખો પણટાં વખાણ નહીં ,પણ એક ઉલ્લેખ ,એક કદર.આપણી રોજ બરોજની જિંદગીમાં આવાં પ્રસંગો વારંવાર બનતાં જ હોય છે પણ એની આપણે નોંધ નથી લેતાં. એક ગૃહિણી સવારથી સાંજ ઘરનાં દરેક સભ્યોની કાળજી લે એમને ખુશ રાખવાની કોશિશ કરતી હોય છે ત્યારે એક નાનકડો સંવાદ,” આજની દાળ બહુ મસ્ત બની હતી, ઓફિસમાં સૌએ બહુ વખાણ કર્યાં”એના દિવસભરના થાકને ઉતારી દે છે. આપણી આજુબાજુ રહેલા સાવ સામાન્ય વ્યક્તિને પણ એક નાનકડી પ્રશંસાની અપેક્ષા રહે છે. આપણે એમને દિવાળી કે વાર-તહેવારે કંઈ આપતા હોઈએ છીએ ,એવા ધોબી કે શાકવાળીને કોઈ દિવસ વધાવીએ.જેમ કે,”કાલનાં કપડાં સરસ ધોવાયાં છે”કે “પરમ દિવસની દૂધી ખૂબ સરસ હતી “આવા નાનકડાં વાક્ય એમની જિંદગી ખૂબ ઉમંગથી ભરી દે છે. આવી જ એક વાત દેવ-દેવીઓની.. એકવાર રૂપવતી લક્ષ્મીજી અને શનિદેવ વચ્ચે રૂપ વિશે મતભેદ થયો. બંને અભિપ્રાય લેવા ઈન્દ્ર પાસે ગયાં . સર્વ વિદિત હતું કે લક્ષ્મીજીનું પલ્લું ભારે છે પણ ઈન્દ્રે બંનેને બ્રહ્માજી પાસે મોકલ્યાં. વાક્ચાતુર્યમાં બ્રહ્માજી કુશળ એટલે એમણે બંનેને સામે એક વડનાં ઝાડને હાથ લગાડી આવવા કહ્યું . મનગમતાં ઉત્તરની અપેક્ષામાં બંને એ ઝાડને હાથ લગાવી બ્રહ્માજી પાસે ઊભાં રહ્યાં.બ્રહ્મા ઉવાચઃ- લક્ષ્મીજી ,આપ જ્યારે આવી રહ્યાં હતાં ત્યારે આપનું અહીંયા હતું રૂપ અવર્ણનીય હતું શનિદેવ આપ જ્યારે જઈ રહ્યાં હતાં ત્યારે ખૂબ જ માર્દવભર્યા અને શાલીન લાગી રહ્યાં હતાં. આમ બ્રહ્મદેવે બન્નેની પ્રશંસા કરી ખુશ કરી દીધાં.
તેથી જ પ્રશંસા એ જિંદગીનું અવિભાજ્ય અંગ છે એમ કહી શકાય કારણકે એ જીવનમાં તાજગી અને ઉમંગ ભરી દે છે. નાનાં બાળકથી માંડીને વૃદ્ધો સુધી હર કોઈ એક નાનકડી પ્રશંસાની રાહ જોતું હોય છે. આપણી આસપાસ આવી પ્રશંસાની ક્યારીઓ રોપી આનંદ ફેલાવીએ .સત્ય પણ સહ્ય બનાવી કહી શકીએ તો એ પ્રશંસા જ બની જાય .
*કાણાને કાણો નવ કહીએ કડવા લાગે વેણ હળવે રહીને પૂછીએ શેણે ખોયા નેણ?*
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
***************************************
*ન્યુઝ ઓફ ગાંધીનગર*
*NG-0011*
*સાહિત્ય સરિતા*
*વિભાગ- ગદ્ય*
*પ્રકાર:- વાર્તા*
*ટાસ્ક: પ્રકૃતિ*
*શીર્ષક: મિશન- પ્રકૃતિ*
પ્રકૃતિને પાંચ વર્ષ પુરા થતાં છઠ્ઠા વર્ષે આકાશભાઈ ગામની શાળામાં તેને પ્રવેશ માટે લઈ ગયા. શાળાનાં આચાર્યશ્રીને પ્રકૃતિનાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પાંચ છોડ ભેટ આપતાં કહ્યું કે,” દર વર્ષે મારી પ્રકૃતિએ એક છોડ વાવેલ છે. હાલ આપની શાળાને પાંચ છોડ ભેટ આપું છું.”
આ વાત સાંભળી આચાર્ય સાહેબને ખૂબ જ આનંદ થયો. આકાશભાઈનાં મિશન પ્રકૃતિ અંતર્ગત પ્રિન્સિપાલને પાંચ છોડ ભેટ આપ્યાં. પછી છઠ્ઠા વર્ષે છ છોડ…. સાતમું વર્ષે સાત.. આઠ વર્ષ…ચૌદ વર્ષની પ્રકૃતિ થતાં શાળામાં દરેક જાતનાં છોડ વૃક્ષો મોટા થઈ ગયા હતાં.
શાળામાં પ્રવેશતા જ લાગતું જાણે રણમાં એક સુંદર બગીચો ખીલી ગયો હોય.
ધીમે ધીમે પ્રકૃતિ મોટી થતાં તે ભણી-ગણીને કૉલેજની પરીક્ષા પાસ કરીને જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી. પછી તેને પોતાના જ તાલુકામાં મામલતદાર તરીકેની નોકરી મળી. ત્યાં પણ પ્રકૃતિએ પોતાના જન્મદિવસે તેની ઉંમર મુજબ વૃક્ષારોપણ કરતી અને બીજાં છોડ લોકોને દાનમાં આપતી.
આ વાત આખા તાલુકામાં મહેંક બનીને પ્રસરી ગઇ. પ્રકૃતિનાં મિશનને સૌ લોકોએ ઉત્સાહભેર ઉપાડી લીધું. પોતાના તાલુકાનાં રણપ્રદેશમાં બે લાખ વૃક્ષો વાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તેની કામગીરીને જોઈને તેને જિલ્લામાં અને પછી રાજ્યમાં સારાં ઉચ્ચ પદ પર નિયુક્ત કરવામાં આવતી.
એકવખત પ્રકૃતિને રાજ્યમાં એવી જગ્યાએ નિયુકત કરવામાં આવી કે જ્યાં વૃક્ષો પુષ્કળ હતાં. પણ લોકો ખૂબ વૃક્ષો કાપતાં. લોકોને વૃક્ષો પ્રત્યે પ્રેમ કે લાગણી ન હતી. ત્યાંનાં લોકો માટે વૃક્ષો એક આવકનું સાધન થઈ ગયા હતાં. પ્રકૃતિએ ત્યાં જઈને લોકોને સમજાવવા મિટીંગો,સંમેલનો ,નાટકો, ભવાઈ કરી.
પ્રકૃતિએ ચોપાનિયાંમાં , સમાચારપત્રોમાં, ટીવી, રેડિયોમાં તથા દરેક ગામની શાળાઓમાં ,પંચાયતની કચેરીઓમાં, જાહેર સરકારી કચેરીઓમાં “વૃક્ષો વાવો ને ઈનામ મેળવો” તથા પ્રકૃતિ મિશનની વાત સમજાવી.
આમ ,ત્રણ ત્રણ વર્ષની અથાગ મહેનતથી એ શહેર નંદનવન થઈ ગયું. જે લોકો વૃક્ષને આવકનું સાધન માનતાં રહ્યા. પણ વૃક્ષો કાપીને નહીં ,પરંતુ એનું જતન ને સંવર્ધન કરીને મિશન પ્રકૃતિને પૂર્ણ કરતાં રહ્યાં.
મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર