!! કૃષિ કાયદો મોકુફ શા માટે? રદ્દ કેમ નહિ? !!
…
* કૃષિ આંદોલનકારીઓ પર 4° ઠંડીમાં ઠંડા પાણીનો મારો, લાઠી ચાર્જ અને સડક ખોદી ખેડૂતોને અટકાવી દેવા.
* આંદોલનને તોડવા તેને બદનામ કરવું, તેના માટે મિડીયાને આંદોલન પાછળ લગાડી દેવુ.
* રાતોરાત ખેડૂત સંગઠનો બનવા અને સરકાર સાથે તેની સહમતી અને બિલનું સમર્થન.
* ૬૦ કરતા વધારે લોકોના મૃત્યુ, અનેક મંત્રણાઓ, પણ કોઇ મંત્રણા સફળ નહિ.
આંદોલન ભયજનક સપાટીથી ઉપર ચાલવા લાગ્યું ત્યાં સુધી સરકારે કોઇ પગલા લીધા નહિ. માત્ર સમજાવ્યા કર્યું કે કૃષિ આંદોલન ખેડૂતોના હિતમાં છે. જે સમજાવવામા આવે છે તેને કાયદાકીય જોગવાઈ તરીકે કેમ સમાવિષ્ટ કરવામાં આવતા નથી? જ્યારે અંબાણી-અદાણીનો વિરોધ શરુ થયો ત્યારે વડાપ્રધાન હાથ જોડી મંત્રણા કરવા તૈયાર થયા. અને એ ઉદ્યોગપતિઓએ સ્પષ્ટતા કરવા આગળ આવવું પડ્યુ. કરોડો રુપિયાના હોર્ડિંગ્ઝ લગાવી ખેડૂતોને કેમ ગેરમાર્ગે દોરાયેલા બતાવવામાં આવે છે? આમ કરવાથી લોકોના મનમાં ખેડૂતો જડ વલણવાળા ચિતરાશે.
એક તરફ ખેડૂતો આપણને ૨૫ રુપિયે કિલો ઘઉં પડે એ માટે લડે છે. અને બીજી બાજુ, એ લોકો છે જે આપણને ૧૫૦ રુપિયે કિલો ઘઉ વેચવા માગે છે. કમનસીબે સરકાર એની કઠપુતળી બની ગઇ છે. આમ આપણે ખેડૂતોને સપોર્ટ કરી આપણી લડાઇ લડી રહ્યા છીએ.
એક તરફ ચાર કૃષિ વિશેષજ્ઞોની ટીમ બનાવી કાયદાનો અભ્યાસ કરવા કમિટી બનાવાઇ છે. આ એક નરદમ નાટક જ છે. કેમ કે એ ચારેય કૃષિ બિલના સમર્થકો છે. બિલાડીને દુધની ચાકરી સોંપવામાં આવે તો શું થાય? એમની ભક્તિ સરકાર તરફી રહી તો એમને કોઇ બોર્ડ/નિગમના અધ્યક્ષ બનાવી દેવામાં આવશે અથવા રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવશે. સરકાર વિરુદ્ધ જશે એના હાલ જજ લોયા જેવા થશે.
છેલ્લો ખેલ સૌથી ખતરનાક છે. દોઢ માસ સુધી કૃષિ કાયદા મોકુફીની અમલવારી થશે તો આંદોલનનું હાલ પુરતું વિસર્જન થશે. ત્યારે દોઢ વર્ષ સુધી દિલ્હી બોર્ડર પર બેઠા રહી વિરોધ કરવાનો કોઇ મતલબ નહિ રહે. અને દોઢ વર્ષ પછી આ કાયદો એજ સ્થિતિમાં આમલમાં આવશે અને આંદોલન ફરી ઉપડશે ત્યારે તે આજ જેટલું અસરકારક પણ કદાચ નહિ રહે. આથી સરકારની મેલી દાનત સાકાર થશે અને ખેડૂતો બેહાલ થશે. લોકો લાચાર થશે અને સરકારના માનીતા ઉદ્યોગપતિઓ સંગ્રહખોરી કરી માલામાલ થશે.
આપણે નોટબંધી, GST અને આંધળા લોકડાઉનના માઠા પરિણામો જોઇ-ભોગવી ચૂક્યા છીએ. બેરોજગારી રેકોર્ડ સપાટીએ અને GDP તો ICU માં છે. હવે ખેડૂતોનું આંદોલન નિષ્ફળ જશે તો આગામી સમયમાં પણ કોઇ આંદોલન સફળ નહિ થાય. કેમ કે આ આંદોલન સંસારનું સૌથી મોટું આંદોલન ગણાવાઇ રહ્યું છે. કદાચ કોઇ આંદોલનને આમ આટલું વિશ્વભર માંથી સમર્થન નથી મળી રહ્યું. મતલબ વખતે શાહી લગાવેલી આંગળી સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી દેશભક્તિ બતાવી. હવે એ જ આંગળી સરકાર તરફ ચિંધી સાચી દેશભક્તિ બતાવો.
…
#લાસ્ટ_પંચ: બાયડેને RSS ની વિચારધારા ધરાવતા કેટલાક સભ્યોને પોતાની પ્રમુખશાહી સંસદીય સમિતિ માંથી હાંકી કેમ કાઢ્યા? શપથ ગ્રહણમાં મોદીને આમંત્રણ કેમ નહિ? આ બન્નેની છબી દેશ બહાર સારી નથી?