ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ના મેમ્બરો ની આજે ગદ્ય રચનાઓ.www.janfariyadnews.com
NOG સાહિત્ય સરિતા (1)NOG : No. 0059નામ : જયકાન્ત એસ ઘેલાણીવિભાગ : ગદ્ય- લેખ. શબ્દ :”વિરહ,વેદના,ચાહના”. શીર્ષક :’સમજ શક્તિ ‘.
આપણાં જાણીતા સર્કલમાંથી, કોઈ સુખી માણસનાં મોઢેથી તેનાં ભૂતકાળનાં દુઃખની હકીકત જાણીએ,ત્યારે આપણાં મુખેથી અનાયાસે શબ્દો સરી પડે, ભાઈ, આતો સુખ-દુ:ખની ઘટમાળછે. દરેકના કર્મને આધીન, જીવનમાં સુખ-દુ:ખ આવે, અને જાયછે. કોઈને પહેલાં સુખ, પછી દુ:ખ,તો કોઈને પહેલાં દુ:ખ, પછી સુખ,સમજોને, સુખ દુ:ખની છે ઘટમાળ એવી દુ:ખ પ્રધાન, . સુખ અલ્પ થકી ભરેલી. કર્મનો આ શાશ્ર્વત નિયમછે. સમગ્ર જીવસૃષ્ટિનાં જીવોને, લાગુ પડેછે.રંક ને રાજા સર્વે એક સમાનછે. આજનાં આપણાં આર્ટિકલ માટેના શબ્બ્દો વિરહ,વેદના અનેચાહના, મારી દ્રષ્ટિએ, આ ત્રણે શબ્દો એક બીજાની કડીરૂપે પુરક છે.પ્રથમ ચાહના આવે, જે વ્યકિત પ્રત્યે આપણને ચાહના હોય,તે સમય અને સંજોગોને આધીન આપણાંથી આગળ-પાછળ થાય એટલે આપણને તેનો વિરહ સતાવે, અને વિરહની પાછળ વેદના ઉભી જ છે,વિરહ અને વેદના તો એક સિક્કાની બે બાજુ જ છે,જયાં વિરહ ત્યાં વેદના. આપણાં શાસ્ત્રોમાં પણ ચાહના વિરહ અને વેદનાની સમજણ આપતાં અનેક દ્રષ્ટાંતો દર્શાવ્યાજ છેને ?દરેક ધર્મનાં ધર્મગુરુઓ પણ આપણને તેનાં ઊપદેશમાં ખાસ સમજાવેછે કે સંબંધોમાંમારું એટલું દુ:ખ વધારે. જે વ્યકિત પ્રત્યે આપણી ચાહના વધારે તેટલો તેનો અલ્પ વિરહ પણ આપણને પહાડ જેટલો લાગતોહોય છે, અને તેની વેદના તો અસહ્ય.જીવંત સૃષ્ટીમાં ફક્ત માનવને જ અથાગ વિચારવાની શક્તિ ઈશ્ર્વરે આપી છે. તે સુખી જીવન માણી શકે છે અને અન્યને પણ આનંદદીત કરી શકેછે ,અને તે માટે ફકત અને ફક્ત મમત્વ એટલેકે મારા તારાનો ભાવ છોડી દરેક સંબંધોને અલિપ્ત ભાવે નીભાવવા જરૂરી બનેછે.સમય સમયે સંબંધો બંધાતા જશે, તે ઊદયમાં પણ આવશે તેને સમજદારી પૂર્વક , ચાહના, વિરહ. અને વેદના ને વિરક્ત ભાવે વેઠવા- સમજવાં અને નિભાવતા શીખવું જરૂરી બની રહેછે. વિરહ , વેદના અને ચાહના, આ ત્રણે તાળાંની એક માત્ર ચાવી,એટલે અલિપ્ત ભાવે જીવન જીવવું, જે કર્મબંધન ઓછું કરાવશે તેજ ભવ ભ્રમણનાં ફેરા ઓછા કરાવશે અને જીવંત અવસ્થામાં મોક્ષનો અનુભવ કરાવશે. ચાલો આપણે પણ વિરહ,વેદનાઅને ચાહના ને અલિપ્ત ભાવે જાણી,માનવ જીવનનો સુખદ આનંદ માણીએ અને તેને વહેંચીએ.
©️જયકાન્ત એસ ઘેલાણી.✒️ “પ્યારે”.બોરીવલી. 23.12.2020.
=================================
NOG.SS No.0073પ્રકાર..ગદ્યશીર્ષક.. વેદના માઇક્રોફિક્શનમેટરનીટી હોમનાં ઓપરેશન થિયેટરમાંથી સ્ટ્રેચર પર સૂતેલી નેહાને બહાર લાવવામાં આવી ત્યારે એના હાથ પેટ ઉપરજ હતા અસહ્ય વેદના એના આખા શરીરમાં હતીને એની આંખનાં આંસુ જાણે એ પાપને ધોઇરહ્યા હતા જે એણે આજે કર્યું હતું,પુરુષ પ્રધાન દેશમાં આજેપણ શિક્ષિત સમાજના શિક્ષિત દીકરાને સાસુ સસરાને ને આખા ઘરને એમનો વારસદાર જોઈતો હતો બે દીકરીઓ પછી તો આવખતે દીકરો જ હશે,વહેલા બતાવી દો તો દવાકરવાની ખબર પડે,બેટા મને માફ કરી દે જે હજુ આજે પણ મારામાં એવી હિંમત ના આવી કે હું બોલી શકું સામનો કરી શકું! તું મારો અંશ છે,ને હું તારો સ્વીકાર કરીશ ભલેને ત્રીજી કેમ ના હોય ને પેટ પર હાથ ફેરવતા ફેરવતા પોતાની બે માસુમ દીકરીઓ સામે જોઈ લાચાર બની એમને તાકતી રહીને મનમાં નિર્ણય કર્યો કે બેટા હું તમને લાચાર નહીં બનવા દઉં મારા જેવી તો નહિ જ.
નયના પટેલ..વડોદરા…
***************************†*************
*NOG. સાહિત્ય સરિતા (૧)NOG SS No. 0029વિભાગ:ગદ્યવિષય: વેદનાશીર્ષક: “વહેતી વેદના”
“વહેતી વેદના”
આજ ફરી એક અસ્થિકળશ આવ્યો છે. હે રામ! ફરી એક શહીદ?
શું વાત કરું મારી વેદનાની!મારી પાસે મારા ખળ ખળ ખળ ખળ વહેતા પાણીના પ્રચંડ અવાજ સિવાય શબ્દો નથી ,એટલે દેવથી માંડીને માનવ સુધી દરેક જણે મારો બેહદ દુરુપયોગ કરી લીધો છે.
હું સ્વર્ગમાં વસતી ત્યારે મારી અનુમતિ કે ઈચ્છા જાણ્યા પૂછ્યા વગર મને યુગો પહેલાં સ્વર્ગથી પૃથ્વી પર ઉતારી. ત્યાર બાદ તો માનવજાતે મારી પવિત્રતાને પળ પળ અપવિત્ર કરી છે. ખેર! મારી વાત નથી કરવી. આ વાત ઈતિહાસના એક પાત્રની છે.
પણ આ સ્વાતંત્ર્યની લડાઈએ અગણિત વીરબહાદૂરોનો ભોગ લીધો. દર બે ચાર દિવસે બ્રિટીશ કંપની સામે બળવામાં માર્યા ગયેલા શહીદના અસ્થિ હું વહાવીને એને સ્વર્ગારોહણ કરાવું છું. પણ.. આજે?આજે માનવતા પરવારી જ ગઈ જાણે. એ અહિંસક લડાઈ લડતો માનવ, પોરબંદરનો વકીલ, માતૃભૂમિ માટે એકલે હાથે, કોઈ શસ્ત્ર વગર, પોતડી પહેરીને આખી બ્રિટીશ સલ્તનતને એકલે હાથે હંફાવીને હાંકી કાઢનાર વીરલાને પ્રાર્થનાસભા દરમ્યાન કોઈ શેતાન વિંધી ગયો.
બસ, મેં ફરી એક અસ્થિકળશને મારામાં વિસામો આપ્યો છે. પણ આજે એક પ્રાર્થના પ્રભુને કરી છે કે,”આવા મુઠ્ઠી ઉંચેરા માનવને ફરી ફરી વધુ સશક્ત બનાવીને જગકલ્યાણાર્થે જરૂર જન્મ આપજે. હા, હું તો મારી વિધાતાને જાણું જ છું એટલે વહેતી રહીશ.”
-લીના વછરાજાની.
******************************************
NOG SS No :0022વિષય : વેદનાવિભાગ : ગદ્યશિર્ષક : હવે બસ !લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
રત્નાકર દિગ્વિજય પોતાનો સામાન સમેટી રહ્યા હતા અને વિદ્યાર્થીઓનું એક ટોળું તેમના ઘરની સામે આવીને ઉભું રહ્યું. આજે બધા શાંત હતા અને બધાંની આંખો શરમથી ઝૂકેલી હતી. હજી થોડા દિવસ પહેલાં જ આ ટોળાએ તેમના ઘરે પથ્થર ફેંક્યા હતા.
રત્નાકર તે પથ્થરો વાગ્યા તેની વેદના નહોતી થઈ જેટલી વેદના એ વાતથી થઈ હતી કે તે પથ્થરો તેમના વિદ્યાર્થીઓએ ફેંક્યા હતા જેમના માટે પોતાનું જીવન હોમી દીધું હતું.
પ્રોફેસરમાંથી પ્રિન્સીપાલ પદે પહોંચેલા રત્નાકર પાછળ પચ્ચીસ વર્ષની યશસ્વી કારકિર્દી હતી જેમાં તેમના હાથ હેઠળ અસંખ્ય વિદ્યાર્થીઓ ભણ્યા અને જીવનમાં સફળ થયા.
તૈયાર થઈ રહેલા રત્નાકર બહારથી બોલી રહેલા વિદ્યાર્થીનેતા અભિજીતના શબ્દો સાંભળી રહ્યા હતા,”સર, અમને માફ કરી દો, અમે ભૂલ કરી જે સારિકા મેડમ અને પ્રિયાની વાતમાં આવી ગયા. અમને અને કોલેજને છોડી જશો નહીં.”
રત્નાકરે ગેરરિતી આચરી રહેલી પ્રાધ્યાપિકા સારિકા સામે પગલાં લીધા અને તેણે એક વિદ્યાર્થીની પ્રિયા સાથે મળીને રત્નાકર ઉપર શિયળભંગનો આરોપ કર્યો અને બધા વિદ્યાર્થીઓ તેમ જ પોલીસતંત્ર તેમના વિરોધમાં આવી ગયું. અખબારો અને ન્યુઝ ચેનલોએ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા.
અંતે સત્ય બહાર આવ્યું અને તેમનો વિરોધ કરનાર દરેક જણનું માથું શરમથી ઝૂકી ગયું.
તૈયાર થઈ ગયેલા રત્નાકર દિગ્વિજય દરવાજો ખોલીને બહાર આવ્યા અને ગણગણાટ કરી રહેલા વિદ્યાર્થીઓમાં સોપો પડી ગયો .સાડી પહેરીને બહાર આવેલા રત્નાકરે સ્ત્રી સુલભ શૃંગાર કર્યો હતો. તેમણે બધા વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું,”હવે બસ! મને અફસોસ છે કે જીવનમાં એવા લોકોની સેવા કરી જેમણે મારા ઉપર થયેલા આરોપો ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી દીધો. ઘણાં વર્ષોથી મને ઓળખતાં લોકો પણ મારા વિરોધમાં આવી ગયા. પણ હવે બસ! હું મારા લોકો વચ્ચે રહીશ અને તેમની સેવા કરીશ.”
ભાવહીન ચેહરા સાથે રત્નાકર ત્યાંથી આગળ વધ્યા.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
* NOG SS NO.0031વિષય-વિરહની વેદનાવિભાગ-ગદ્યલઘુવાતૉશીર્ષક:- અફસોસ નીલા હમણાં જ વૃધ્ધાશ્રમમાંથી પોતાના માત-પિતાને મળીને ઘરે આવી.ઘરે આવી તે રડતાં રડતાં અફસોસ કરવા લાગી કે “મારા પતિને પોતાનાં મા-બાપને આ પાછલી જિંદગીમાં આ ઘરમાં આરામથી હસી ખુશીથી રાખવાની કેટલી ચાહના હતી? પણ મારે સાવ સ્વતંત્રતા જોઇતી હતી એટલે મેં રોજ કકળાટ કરી તેમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવવા મજબૂર કર્યા.અને મારા આ નિર્ણયથી મારા પતિ કેટલા મા-બાપના વિરહની વેદનામાં પીડાય છે એ મને હવે સમજાય છે.કાશ! મેં મારા પતિને આમ મજબૂર ના કર્યા હોત તો મારી ભાભી પણ મારા ભાઇને મજબૂર ના કરી શકી હોત.
મેઘલ ઉપાધ્યાય’મેઘુ’રાજકોટ*
***************************†*************
*NOG SS NO: 004**વિષય: *વેદના,વિરહ અને ચાહના**શીર્ષક: *લીટી*
*લીટી*
નાનપણથી જોતી આવી હસ્તરેખાઓ વાંકી ચૂકી સીધી ને એક બીજાને જોડતી. મનન કરી વિચારું ત્યાં સમજ આવી કે તે તો ભાગ્ય રેખાઓ છે..કોઈએ કહ્યું કે ,”તે રેખાઓથી જ નસીબ લખાય છે..”
ત્યાં પિતાજીના રંગોની લીટીઓ ભળી અને..સમજદારીમાં ઉમેરો થયો કે આ રંગોની રેખાઓ જો જોડાય તો એક સુંદર ચિત્ર નિર્માણ થાય..!
શાળામાં શીખવવામાં આવ્યું બે રેખાઓ ન મળે તે સમાંતર રેખા ને જ્યા ત્રણ ખૂણે મળે તે ત્રિકોણ ને ચાર ખૂણે સરખી દોરાય તે ચોરસ ને નાની મોટી બની જાય તે લંબ ચોરસ..તેમાંથી પ્રમેય ને ભૂમિતિ શીખી.
સમયના વહેણમાં પરિસ્થિતિએ ભાગ્ય રેખાઓ ક્યાંય પ્રમેયની જેમ તો ન મળી પણ ધીરે ધીરે તે પ્રારબ્ધની રેખાનો ભરોસો ઓછો થતો ગયો પણ પુરુષાર્થની લીટી એવી ફાવી ગઈ ,હાથના પુરુષાર્થથીપ્રારભધ્ધની લીટીઓ તરફ જોવાનું ભૂલાય ગયું ને રંગીન લીટીઓ ગમવા માંડી..જેમાં રંગમાં સ્વેદનું પાણી મિશ્રિત હતું..તે સમાંતર લીટીઓ કે ક્યાંય ભેગી નથી થતી પણ સાથેજ ચાલ્યા કરે છે..હાથની પ્રારબ્ધની લીટી ને હાથના પરિશ્રમની લીટીઓ…! એકદમ તે તૂટી અને *વિરહની વેદના*જોડાય. જોડાયેલી એ લીટીઓમાં હવે કોઈ નવી રેખાની ઉમ્મીદ જ નહોતી ત્યાં એક નવા વર્ષે એક એવી રેખા જોડાય કે તે તો લીટીઓનાં રૂપમાં મારી જ હથેલીમાં વર્ષોથી જ જોડાયેલી હતી..એક *ચાહના* *રૂપમાં હવે વિરહની વેદના ને ચાહના રૂપમાં સ્વીકારવી કે નહિ તે તો મારા મનમાં જ યુધ્ધરૂપે જોડાય..
*ફરી ક્યારેક એ યુદ્ધને પણ નિરૂપીશ સમય સાથે એ *લીટી* જોડાશે ત્યારે.*
જયશ્રી પટેલ ૨૯/૧૨/૨૦૨૦