ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ વિરહ,વેદના,ચાહના વિષય અંતર્ગત આજે છ રચનાઓ ગ્રુપ મેમ્બરો ની પ્રસ્તુત છે
*
NOG SS No 077**વિભાગ:ગદ્ય**વિષય:વિરહ*
*શીર્ષક:વિરહની વેદના*
મેં બહુજ નાની ઉંમરે માબાપ ગુમાવ્યાં. મને કાયમ જ એમ લાગ્યાં કર્યું છે કે,” એ થોડુંક વધુ જીવ્યાં હોત તો હું એમનો સહવાસ વધુ માણી શકત..!” બધું જ આપણું ધાર્યું થતું હોય તો પછી ઈશ્વરને કોણ પૂછે કે પૂજે..!
મારા લગ્ન પછી મને એમની ખોટ વધારે વર્તાય છે એમ થાય કે ક્યાંક મન વિસારો કરવો હોય તો કોની આગળ કરવો..? અમે ત્રણ બહેનો ,ભાઈ નથી. બહેનો પોતપોતાના સંસારમાં પરોવાયેલી હોય .હું સૌથી નાની એટલે મને મમ્મી- પપ્પા વધારે યાદ આવતા હશે…!
એવું બને ખરું? મારો જવાબ તો *હા* જ હશે.માબાપનો વિરહ એ એવી બાબત છે કે એને માટે તમે ક્યારેય તૈયાર હોતા જ નથી..! અચાનકના વિરહની વેદના વધારે વસમી લાગતી હોય છે.
મારી મમ્મીનાં ગયા પછી મારાં પપ્પાજી બહુજ ગુમસુમ રહેતા.મમ્મીની પાછળ ફક્ત છ જ મહિનામાં એ પણ ચાલ્યાં ગયાં..!
ઉપરાઉપરી બંનેના ચાલ્યાં જવાથી મારે માટે મારી જાતને સંભાળવી કપરી વાત હતી.
મારી નાની દીકરીને તો નાના નાનીનો પ્રેમ જ ના મળ્યો..!એણે મોઢું જ નથી જોયું, બધાંય બાળકો મોસાળ જાય અને મોસાળમાં વેકેશન મનાવ્યાંની ભરપૂર વાતો કરે. હજુય એ વાતનો જીવ બાળે છે. એને મોસાળ એટલે શું..!નાના-નાનીનાં લાડ પ્યાર એટલે શું એ જખબર નથી..!
આપણાં મા-બાપ એમનાં વ્યાજનાં વ્યાજને ડબલ પ્રેમ કરતાં હોય છે એ જગજાહેર હકિકત છે. એમની વાર્તા કહેવાની રીતો, વસ્તુને પોતાની આગવી ઢબે સમજાવવાની રીતજ અનોખી હોય છે.એમનાં અનુભવનું ભાથું આપણને તો મદદરૂપ થાય જ પણ આપણાં બાળકો માટે તો એક જીવતી જાગતી યુનિવર્સિટી …!. પ્રેકટીકલનાં ભાગરૂપે રમતાં રમતાં શીખવે એવી…!
કાશ…!!હવે તો એ બંને નથી પણ એમના સંસ્કાર અને એમની રહેણીકરણી, વાતચીત કરવાની રીતભાત હજુય મારામાં ઝળકે છે.એટલે હું માનું છું કે એ બંને મારા વ્યક્તિત્વમાં અકબંધ છે, સદૈવ …અહર્નિશ..!
*મારા પપ્પાજી કાયમ કહેતાં તમે તમારા બાળકોને સારા સંસ્કારો આપ્યાં છે તે ત્રીજી પેઢીમાં દેખાવા જોઈએ..!* મારી બંને દીકરી એ વાત સાર્થક કરી રહી છે એ વાતનો મને ગર્વ છે.
બીજું તો શું કહું?વિરહની વેદના એ તો અનુભૂતિનો વિષય છે એને ગમે તેટલું શબ્દોની રંગોલી થકી વર્ણવો પણ ભાવનાત્મક જોડાણને હ્રદયમાં સ્થાપિત ઉર્મિ થકી જ અનુભવાય. અસ્તુ.
ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ
વિરહ એટલે શું? જુદાં થવું?અલગ થવું ? દૂર થવું કે પછી જુદાં પડીને પાછા મળવાની ઘડીની રાહ જોવી? અથવા જુદાઈ અને મિલન વચ્ચેનો જે સમય છે તેને ભરપૂર માણવો. જુદાઈ ની લાગણીને સમજવી ખૂબ જ અઘરી છે. માના ગર્ભમાંથી બાળક અવતરે છે ત્યારે તે બાળક માની ગર્ભની નાળથી કપાઈને જ દૂર થાય છે અને બહારની દુનિયાના કેટલાય લોકો સાથે નવા સંબંધોથી જોડાય છે. પોતાની નાળથી બાળક દૂર થાય છે ત્યારે મા ને દુઃખ નથી થતું, પરંતુ એક આનંદની લાગણી થાય છે. આ તે કેવી જુદાઈ! એ જ રીતે દીકરી પરણીને વિદાય લે છે ત્યારે મા-બાપને સમજ નથી પડતી કે દીકરીની જુદાઈથી દુઃખી થઈએ કે દીકરી જે નવું જીવન શરૂ કરવા તરફ પગરણ માંડી રહી છે એનો આનંદ લઈએ. જુદાઈ પછી મિલન અને મિલન પછી પાછી જુદાઈ એતો કુદરતનો ક્રમ છે. કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા જાય છે ત્યારે ગોકુળ વાસીઓથી, ગોપીઓથી, જશોદા અને નંદ બાવાથી કૃષ્ણ નો વિયોગ અસહ્ય થઈ જાય છે. તેઓ કાયમને માટે જુદાં થઈ ગયા છે, ફરી ક્યારે મળશે એની ખાતરી નથી. છતાં આજે પણ કૃષ્ણની લીલાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે લાગે છે કે કૃષ્ણ તો ગોકુળથી ક્યારેય ગયાં જ નથી. એ તો આજે પણ ત્યાંના કણ-કણમાં વસે છે. દશરથ રાજાએ કૈકયીના કહેવાથી રામને વનવાસ તો આપ્યો. પરંતુ પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે દેહ ત્યાગીને રાજા દશરથે રામ સાથેની જુદાઈને મિલનમાં ફેરવી નાખી. છેલ્લા શ્વાસ સુધી રામ રામ કરતાં તેઓ રામમાં એકાકાર થઈ ગયા.રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું અને અશોકવાટિકામાં રાખ્યાં, ત્યારે રામના વિયોગને સીતાજ સમજી શકે. તે જ રીતે સમુદ્રના જળ પોતાનાજ જળથી વરાળના રૂપમાં જુદાં થઈ ને વાદળમાં ભળે છે અને પાછા વાદળથી જુદાં થઈને વર્ષાના સ્વરૂપમાં દરિયાનાં જળમાં પડે છે. આ જુદાઈ મિલન અને પાછા મિલન જુદાઇ ની અનુભૂતિજ કંઈક અદ્ભુત છે.પારેવડાં પોતાનાં બચ્ચાંને જ્યાં સુધી પાંખો ન આવે, તે ઉડતાં ન શીખે ત્યાં સુધી જ પોતાની હૂંફ આપે છે. પણ જેવું તે ઉડતાં શીખે છે તેવું જ તે પક્ષી પોતાનાં બચ્ચાંને ચાંચ મારી મારીને પોતાનાથી દૂર થવાના સંકેત આપે છે. અને એ બચ્ચું આખરે પોતાની જનેતાથી જુદું થઈને પોતાના માટે નવું વૃક્ષ શોધી લે છે. આને આપણે જુદાઈ કહેશું કે સ્વતંત્રતા? જ્યારે બીજી તરફ નદીના બે છેડા, દરિયાના બે કિનારા સદીઓ સુધી સાથેને સાથે રહે છે.છતાં તે ક્યારેય એકબીજાને મળતાં નથી. દૂર ક્ષિતિજમાં નિહાળો તો લાગે છે જાણે ધરતી અને આકાશનું ત્યાં મિલન થાય છે. પરંતુ આ મિલન કોઈ સદીમાં થયું નથી. ઊંચા પર્વતોને નીહાળવાથી હંમેશા લાગ્યા કરે તે ગગનને મળવા સદીઓથી ઝઝૂમે છે. પરંતુ પર્વત અને ગગનનું મિલન ક્યારેય શક્ય નથી. આ સર્વેને છતાં પણ જાણે મિલનની એક આશ છે અને એ મિલનની આશમાં નદી ક્યારેય પોતાના કિનારા છોડીને જતી નથી. દરિયા એ પોતાના આ વિરહની વેદનાને પોતાની અંદરજ ખારાશ બનાવીને સમાવી લીધી છે.એ પર્વતો આજે પણ ગગન સાથેના મિલનની આશામાં ને આશામાં ગગન તરફ મીટ માંડીને અડીખમ ઊભાં છે.વિરહની ખરી વેદના તો કોઈ પ્રેમી પંખીડા પાસેથી જ જાણવા મળે. આ વિરહની વેદના કેટલી અસહ્ય છે તે જણાવવા કવિ ‘કાન્તે’ લખ્યું છે કે ,*સાંજ પડે દિન આથમે, ચકલી બેઠી રોઈ,**ચાલો ચકવા જઈએ, જ્યાં સાંજ ન પડતી હોય*.©️લેખિકા : આરતી મરચંટમુંબઈ : કાંદિવલીી
NOG સાહિત્ય સરિતા NOG SS No :0080 પ્રકાર – ગદ્ય (લઘુકથા ) શીર્ષક – વેદના ======****===== “હેપ્પી બર્થડે ડે ટુ યુ.. હેપ્પી બર્થડે ડિયર ઇવા….. ” કેક કપાઈ, બધાએ ઇવાને શુભેચ્છાઓ આપતા આપતા સાથે ફ્રેન્ડ્સ પોતે લાવેલ ગિફ્ટ પણ આપતાં જતા હતા. પછી મ્યુઝિકનાં સથવારે બધા ફ્રેન્ડ્સએ ઇવા સાથે ડાન્સ પણ કર્યા. અલગ અલગ ગેમ રમવાની પણ બધાને મજા આવી. ગીરાએ અગાઉથી જ પાઉંભાજી બનાવીને તૈયાર જ રાખી હતી. વારાફરતી બધાંને જમવાનું આપી રિટર્ન ગિફ્ટ આપી ઇવાની બધી ફ્રેન્ડ બાય બાય કરી કિચનમાં આવતી હતી ત્યાં વચ્ચે જ પાઉંભાજીની પીરસેલી પ્લેટ સાથે રાજ ગીરા સામે અથડાયો. ” બહુ ઉતાવળ તને તો જમવાની, મારી રાહ પણ નથી જોવાતી? ” ” અરે, આ.. તો.. મમ્મી માટે લઈ જાઉં છું અંદર.. એમને રાતે મોડું જમવાનું ફાવતું નથી.. ને.. એટલે. ” હાથમાંથી પ્લેટ ઝૂંટવી લઈને સીધી અંદર જઈ એમાંથી અડધા કરતા વધારે ઓછું કરી આવી, ને પાઉં ને બદલે સવારની બનાવેલી એક રોટલી મૂકી દીધી. “અરે, આમાં કેમ આવું કર્યું? ” ” એ તને સમજ ન પડે ! રાતે મમ્મી આવું બધું ખાય ને પછી પેટ બગડે ! અને તબિયત બગડે તો તું સેવા કરીશ?” નીલાબેન રૂમમાંથી બહાર ચોકમાં હીંચકા પર જઈ બેઠાં. ત્યાં સામેના ઘરે વિયાયેલી બિલાડી પોતાનાં બચ્ચાને મોઢામાં પકડી કૂદકો મારી ચોકમાં આવી. નીલાબેનનું મન ભારે થઈ ગયું, રાજ નાનો હતો ત્યારે સ્કૂલમાં ડબ્બામાં એને સારો નાસ્તો આપતી, પોતે ટાઢી રોટલીથી… ! છોકરું છે, એને સારુ જોઈએ, ને ! આપડે તો હાલે… ! બહાર ગામ ભણવા મૂક્યો, ઘરેથી સુખડી, ચેવડો, પૂરી.. બધો જ નાસ્તો મોકલી દેતી, થતું કે ઈ બિચારાને બે દિવસ વધારે ચાલે ને ! હું તો અમથી ક્યાં કાંઈ નાસ્તો જ કરું ! દરેક વખતે મન મનાવીને.. ” ને આજે…! ” આવું બધું વધારે ખાસે તો તબિયત બગડશે ! એટલે… ” શબ્દો નીલાબેનના દિલમાં શૂળ બનીને ખુંચી ગયા. રાજ પ્લેટમાં બે ચમચી ભાજી ને એક રોટલી લઈને નીલાબેન પાસે ગયો “મમ્મી જમી લે.” ના, મને જરાય ભૂખ નથી ” વેદના ભર્યા સ્વરે બોલતી મમ્મીની સામે રાજ એકીટશે જોઈ રહ્યો. બિલાડી પોતાના બચ્ચાને ચાટતા ચાટતા મ્યાઉં મ્યાઉં કરી નીલાબેનને ઘસાવા લાગી. નીલાબેનનો હાથ બિલાડીને પંપાળવા લાગ્યો.
* વર્ષા જાની * ભાવનગર
NOG સાહિત્ય સરિતાNOG SS No : 0063વિષય : વિરહની વેદનાપ્રકાર : ગદ્ય (આર્ટિકલ)શીર્ષક : અત્ર તત્ર સર્વત્ર
जातं वंशे भुवनविदिते पुष्करावर्तकानाम्जानामि त्वां प्रकृतिपुरुषं कामरूपं मघोनः।तेनार्थित्वं त्वयि विधिवशादूरबन्धुर्गतोहम्यात्रचा मोघा वरमधिगुणे नाधमे लब्घकामा।। – कवि कालिदास
મહાકવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’ એ વિરહની વેદનાને સાક્ષાત કરતું મહાકાવ્ય ગણી શકાય.અહીં શ્રાપિત યક્ષ, પોતાના મનની વિહ્વળતા અને વિરહની આગને જળબિંદુઓથી તરબતર ઈન્દ્રના અનુચર વરસાદી વાદળો દ્વારા પ્રેમિકાને પહોંચાડવાની કોશિશ કરે છે.’વિરહ’ શબ્દનો પ્રેમી યુગલો સાથે બહુ પુરાણો અને સર્વસ્વિકૃત નાતો છે.પરંતુ,વિરહની વેદનામાંથી નવજાતથી લઈને વૃદ્ધ, કે કોઇપણ સજીવ યેનકેન પ્રકારે પસાર થાય જ છે.નવજાત શિશુની આંખોમાં આપણે માતાને શોધતી વિહ્વળતા જોઈએ છીએ, એજ રીતે વૃદ્ધ માતાપિતાને મૂડી અને વ્યાજની રાહમાં ઝુરતા અને પીડાતા પણ નિહાળ્યા જ છે.અરે, પાલતું પશુને પણ ક્યારેક વધુ સમય માટે એકલા મૂકી દીધા હોય,તો એની આંખો પણ ભીની થઈ જાય અને ફરી મળીએ ત્યારે જાણે વળગી પડે છે.વળી, પ્રવાસમાં મજા માણતાં માણતાં પણ ઘરની સુગંધ,વસ્તુઓ કે આંગણાનાં વૃક્ષો પણ યાદ આવે છે. પોતાના પુસ્તકોની સુવાસેય આકર્ષિત કરે ને ઘર તરફ દોડી જવા પ્રેરિત કરે જ છે ને…એટલે જ જ્યાં-જ્યાં પોતિકાપણાની લાગણી છે, ત્યાં ત્યાં એનાથી દૂર જવાની કે ગયાની તીવ્ર વિરહરૂપી વેદના છે.
– રીટા ભાયાણી
શીર્ષક :તારા વિના
“રામ બાણ વાગ્યા હોય તે જાણે. વિરહની વેદના અનુભવીને જ ખબર હોય. બાકીવાતો તો ઘણી કરીશકાય. જે ઘરમાં પવન પણ પૂછીને આવતો હોય તે ઘરમાંવાવાઝોડુંઘુસી જાય તો કેવી હાલત થાય ? એવી હાલત થઈ હતી.
ખેર, એ ઈતિહાસ ઉખેળવામાં હવે કોઈ ફાયદો નથી ! તારા વિના હવે જિંદગી પૂરી કર્યા વગર છૂટકો પણ નથી. કુટુંબ અને મિત્ર મંડળની સહાયથી કટોકટીના એ વર્ષો ગુજાર્યા. જીવનમાં પ્રભુને મોતની પણ યાચના કરી હતી. તારી સાથેના સુંદર વર્ષોની ભીની ભીની મહેક આજે પણ જીવનમાં વર્તાય છે. જે બાકીની જિંદગી જીવવા માટે પૂરતીછે. ઈશ્વરનું અર્પિત આ જીવન લાંબુ છે તો તેની પાછળ સર્જનહારનું કોઈ પ્રયોજન જરૂર હશે. એ સોનેરી દિવસો, બાળકોથી ઘરમાં થતો કલબલાટ આજે પણ કાનમાં ગુંજે છે. તારો સદા વરસતો પ્રેમ અને લાગણીની ગંગામાં ભરપૂર સ્નાન કર્યું હતું. ખબર નહી કયા ગુનાની સજા પામી અને એકલતામાં જિંદગી ગુજરી રહી છે. સારું છે બાળકો ખૂબ સંસ્કારી અને લાગણિશીલ છે. તેમનો હર્યો ભર્યો સંસાર જોઈ જીવાય છે. તારા વિના સંસારની મધુર બગિયાનાં ફુલોની સુગંધ પામું છું. સુંદર ફળો પ્રભુની પ્રસાદી સમજીને માણું છું. સમય જતા વિરહની વેદના હળવી થઈ છે. કિંતુ હ્રદયમાં એ ટીસ કાયમને માટે અનુભવું છું.
તને મળવાની પ્રતિક્ષામાં દિવસો ગુજરે છે. ક્યારેક તો એ પાવન ઘડી આવશે ?
પ્રવિણા કડકિઆ….હ્યુસ્ટટન*
****************************************
NOG SS No : 0013શબ્દ :વેદના .શીર્ષક:કોને કહુ આ વેદના?
પહોંચ્યો હજી તો ઘરના દ્વારેઉતરીને એમ્બ્યુલન્સમાંથીટોળા વળ્યા આજુબાજુ ને ચારેબાજુએક જ સવાલ પાછા આવી ગયા ?અમને તો એમ કે ……..
કોને કહું આ વેદના ?
સગાવહાલા આવતા થયા ઘરેહવે કરજો ખાસ કાળજી.અમારા બાજુવાળા,અને અમારાઉપરવાળા હમણાં જ ગયા.કોઈ સ્મશાને પણ ન જઈ શક્યું.
કોને કહું આ વેદના ?
ફોન થયા આવતા કોઈ વાતેશરમાતા નહીં.૫૦૦૦ મોકલાવું ? જરૂર હોય તોબીજે દિવસે ફોન પર્ ફોનભીખુભાઈ જેવા પાસે પૈસા માંગ્યા!એ પણ ખાલી ૫૦૦૦/રૂપિયાઅમને ફોન કરવો જોઈએ ને૫૦,૦૦૦ તો આમ જ આપી દેત૫૦૦૦/ માટે ખાલી ઈજ્જત ગુમાવી.
કોને કહું આ વેદના ?
ભગવાન તને પણ થતીહશે ને આવી વેદના ?
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય સરિતા ગ્રુપ સમાચાર[12/29, 9:27 AM] Pradip Raval: ગ્રુપ ના સન્માનીય સભ્યો ને ફરી છેલ્લી વાર વિનંતી કરું છું k નિર્ણાયક એક વાર તમારી કૃતિ.રચના માથી ભૂલ કાઢે અને તમને તમારી રચના ક્યાંય મૂકો તો સ્વચ્છ,સુંદર લાગે તેવું બહુમૂલ્ય આપના સાહિત્ય ની સેવા કરતા હોવ અને તમે તમારા સ્વચ્છંદી સ્વભાવ થી ગ્રુપ માં તેમને દુઃખ થાય તેવું વર્તન કરતા હોવ તો જરા પણ ચલાવી લેવામાં નહિ આવે અને તેવા સભ્ય ને ગ્રુપ માથી દૂર કરવા ની ફરજ પડશે..ભૂતકાળ માં મે પોતે આપણાં સભ્યો લખતા બંધ થઈ ગયા તો આયોજન.જોહુકમી ની ખામી સ્વીકારી આજે જાતે હું સંચાલન.આયોજન દરેક નું માન જળવાય તે રીતે કરી રહ્યો છું.ઉપરાંત સહિય વિશ્વ માં આપની રચના નવ દેશો સુધી ફોટા સાથે આપણાં ગ્રુપ સભ્ય ના નાતે પણ મૂકી રહ્યો છું..જેથી ખાસ ધ્યાન આપજો કે કોઈને પણ દુઃખ થાય તેવું વર્તન ગ્રુપ માં ના કરશો..જયશ્રી બેન ને આપડે સહમતી થી વિનંતી કરીને બોલાવી ને આપડી રચના ચેક કરવાનું કહ્યું છે અને તેમણે આપડા ગ્રુપ ના લેખક પ્રેમીઓ ને બિરદાવી હા પાડી પછી આપડે અછાજતું વર્તન ના થાય,છાયા શાહ(હીર છાંય) પહેલા કહી ચૂક્યા છે કે તેઓ ૩૧ મી પછી આ ગ્રુપ છોડી ચાલ્યા જવાના છે..તેમના અંગત કારણો સર તેમને આજે પણ ગ્રુપ માં કહ્યું કે સ્વભાવ ના હોવાથી નિયમો તોડી જાઈ રહી છું. હવે સ્વેચ્છાએ જઈ રહેલ ને આપડે રોકી નહિ શકીયે.અત્યાર સુધી સરસ કૃતિઓ તેમને પણ ગ્રુપ ને આપી છે..આપડા સભ્ય તેઓ ૩૧)૧૨)૨૧ સુધી તેઓ રહેશે અને સ્વેચ્છાએ તેઓ પાછા આવવા તેઓ મને કહી પણ શકશે.પૂર્વ નિર્ણાયક પણ અંગત કારણોસર વ્યસ્તતા બતાવી હાલ ગ્રુપ માથી નીકળી ગયા છે તેઓ પણ અનુકૂળતાએ આવી શકે છે.સૌ ને આજના દિવસ ની શુભકામના….પ્રદીપ રાવલ[12/29, 9:33 AM] Jayshree Patel. Sahityakar: જો એ સ્વેચ્છા એ પણ પાછા આવશે તો સાહિત્યનું આવું અપમાન મને સ્વીકાર્ય નથી..અસંતોષ તેમને છે તેથી તેઓને જે કરવું હોય તે કરે..મે મારી ફરજે તેમને પણ *સ્વાસ* શબ્દની ભેટ મોકલી બ્લોક કરી દીધા છે. એક પક્ષી મહાનતા ન શોભે.