એટલસ સાયકલ કંપનીનાં માલિકોમાંથી સંજય કપૂરની પત્ની નતાશા કપૂરનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. દિલ્હી પોલીસ શરૂઆતની તપાસમાં આત્મહત્યા ગણાવી રહી છે. રાષ્ટ્રિય રાજધાની દિલ્હીનાં ડૉ. એપીજે અબ્દૂલ કલામ માર્ગ પર આવેલા ફ્લેટમાં તેમનો મૃતદેહ પંખાથી લટકેલો મળી આવ્યો.
શંકાસ્પદ હાલતમાં મળી લાશ
કહેવામાં આવી રહ્યું છે કે સંજય કપૂરની પત્ની નતાશા કપૂરે ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. જો કે હજુ સુધી આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું. જો કે પોલીસ દરવાજો ખુલ્લો હોવાનાં કારણે આ ઘટનાને શંકાસ્પદ માનીને તપાસ કરી રહી છે.
સૂસાઈડ નોટ પણ મળી આવી
દિલ્હી પોલીસનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર 57 વર્ષિય નતાશા કપૂરની સૂસાઇડ નોટ પણ મળી આવી છે. આ ઘટનાની સૂચના પર પહોંચેલી પોલીસે મૃતદેહને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે દિલ્હીની ગંગારામ હૉસ્પિટલમાં મોકલી દીધો. પોસ્ટમૉર્ટમ બાદ નતાશા કપૂરનાં મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવ્યો. બુધવારનાં લોધી રોડ સ્થિત સ્મશાન ઘાટમાં એટલસ સાયકલ કંપનીની માલકિનનાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.
છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં આત્મહત્યાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા આ જ મહિને પહેલા અઠવાડિયે દિલ્હીનાં બુરાડી વિસ્તારમાં એક વ્યક્તિએ પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
Sureshvadher only news group
9712193266