*‘બે જણને જોઈએ કેટલું?’*
દિકરી ને જમાઇ લઈ ગયાઅનેદિકરાને વહુ લઈ ગઈ.અંતે તોઆપણે બે જ રહ્યા.
એક છાપું,એક દૂધની થેલી નેરોજ એક માટલું પાણી,બઉ થ્યું.ચા-ખાંડના ડબ્બા,કોફીની ડબ્બી પણમાંડ ખાલી થાય.
‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે નેમહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી.
સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.જમવામાં શાક હોય તોદાળ વિના ચાલેને ફક્ત દાળ હોયતોય ભયોભયો!
ખીચડી એટલેબત્રીસ પકવાન ને છાશ હોય પછી જોઈએ શું!‘સો ફ્લાવર, ત્રણસો દૂધી, અઢીસો બટાકા,ચાર પણી ભાજી,આદુ-લીંબુ-ધાણા’થ્યું અઠવાડિયાનું શાક. ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને પાચ કિલો ચોખાનાખ-નાખ થાય!ન કોઈ ખાસ મળવા આવેપછી મુખવાસનું શું કામ!
નાની તપેલી, નાની વાડકી, નાની બે થાળી, આમઆઠ-દસ વાસણો માંડ વપરાય તે એક ‘વિમ’ બે દોઢ મહિને માંડ ઘસાય.
વળી રોજ ધોવામાં હોયચાર કપડાંતે કિલો ‘નિરમા’મહિને કાઢ્યો ન ખૂટે!
કોપરેલની એક શીશીએક મહિનો ચાલે નેપફ-પાવડર તોગ્યાં ક્યારના ભૂલાઈ…?
પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, આપો એટલાં ઓછા.ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો લાવ લાવ થાય.
એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને બધાંબે-ત્રણ વરસે ઊડીને આવે. ‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’ કહી જાય.તે પલકારામાં બે જણપાછાં હતાં એવાં થઇ જાય.
પછી પાછીઈ જ રટણ પડઘાય, ‘બે જણને જોઈએ કેટલું?’ દિકરીને જમાઇ લઈ ગયાઅને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો આપણે બે જ રહ્યા.
💕💘💕
આજનુ સનાતન સત્ય. …ઘર ઘરની કહાણી. ..
*નોકરીમાંથી રીટાયર્ડ થયા પછી આજ થવાનું છે સૌએ યાદ રાખવુ* *🌾સેવા જોહાર🌾*******************************************
સુખની શોધમાં…
આપણે મોટા ભાગના લોકો વૈજ્ઞાનિક જેવા હોઈએ છીએ , જે સતત કશું શોધતાં જ રહે છે,કદાચ એને સુખ નામ આપ્યું છે.જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ કશુંક નવું વધુ સારું હશે એ શોધવામાં જિંદગી કાઢી નાખીએ છીએ.ચાલો,સુખને શોધીએ સૌ…એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, “બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.”ભાઈ બોલ્યા, ‘‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને મજા પડે એવું ‘કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.”મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ એમની પાછળ દોડતો રહ્યો.ખૂબ પ્રયત્ન કરી એ પીછો કરતો રહ્યો. મુલ્લા ખાસ્સું દોડી લીધા બાદ રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા.થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો એમની પાસે પહોંચ્યો.બેગ જોઈ ખુશ થઈ તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’ મુલ્લાએ શાંતિથી કહ્યું,”કેમ ? તમારા સવાલનો જવાબ આપવા . તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી”. કાઆવું શા માટે?માનવી સુખને વસ્તુ માને છે ? કાં તોપછી એ સુખને પૈસા,મિલકત કે પદ સાથે જોડે છે?સુખ એ એક માનસિક સ્થિતિ છે જે સ્વયંને કેળવી પ્રાપ્ત કરી શકાય.એક અનુભૂતિ જે માણી શકાય પણ માપી ન શકાય, ગણી ન શકાય .. .બસ, ફક્ત મનગમતી ચોકલેટની જેમ ચગળી શકાય.. હાલ જે એક અભૂતપૂર્વ પરિસ્થિતિમાંથી આપણેસૌ પસાર થઈ રહ્યાં છીએ ત્યારે , શાંતિથી વિચારી જોજો…કે આપણે ભાગ્યે જ કોઈ વસ્તુ વિના ચલાવીલેવાનું શીખ્યા .એ વસ્તુ ન હોવાથી મન વ્યગ્ર થઇજાય, ભલે ને એ મુખવાસ હોય કે મિષ્ટાન્ન.કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના સૌથી નાના દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’…..આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે ક્યારેક મારી પાસેપોતાની જગ્યા નથી… મારી પાસે કાર નથી… મારી પાસે સારી નોકરી નથી… એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાંખી લેવી. તમે ન વિચારી શકો તો લો આ રહ્યું લિસ્ટ…ઈન્કમટેક્સ ખાતાની જેમ આ શોધી કાઢ્યું છે , જુઓ!1. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)2.તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, અર્થાત તમે અત્યંત બીમાર નથી. (વિશ્વમાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે.)3. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા સમર્થ છો (જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો નથી કરી શકતાં.)4. તમારા ઘેર વીજળી છે જેના અગણિત ઉપયોગથીજીવન સરળ બન્યું છે. (જે વિશ્વના 18 કરોડ ઘરમાં નથી.)5. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જેના દ્વારાતમે દુનિયાના એક છેડે થી બીજા છેડા સુધી વિસ્તરીશકો છો(વિશ્વના198 કરોડ લોકો પાસે મોબાઈલ જ નથી,સારો હોવાનું તો બાજુ પર )6.તમને પીવાનું સ્વચ્છ પાણી ઘેર બેઠાં મળી રહે છે( જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું, માઈલો સુધી ચાલીને બેડું પાણી દુર્લભ છે)7. આજ સવારે તમે ઊઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવું દરરોજ થતું હોય છે.8. તમે આ બધું વાંચવા,અનુભવી શકવા માટેશિક્ષણ મેળવી શકવા નસીબદાર છો. (વિશ્વના 140 કરોડ નિરક્ષર છે .) — છે ને આઠ અજાયબીઓ તમારી પાસે !! મોજથીજીવી લો,જાન હૈ તો જહાન હૈ!એક શાંતિ ભર્યા ઘરમાંઆરામથી મનગમતું ગીત સાંભળતા કે સરસ પુસ્તક વાંચતા વાંચતા નયનો ઢળે એવું તો કરોડપતિઓ પણ ઝંખી રહે છે …બસ,તો પછી નસીબને સરાહો, મહેનતથી ન ડરો ..અવિરત ઈશ્વરનો આભાર જ આવીઅજાયબીઓ બક્ષે.સવારે ઊઠતા , રાતે વીરમતા એનીકૃપાને વધાવીએ ….*આભાર *કહીને .ઈસસે જ્યાદાઔર ક્યા ચાહિયે ? જીવન મસ્તીથી જીવીએ ,મસ્ત થઈને જીવીએ.. જીવંત રહ્યાનો જલ્લોષ મનાવીએ!આ સુખ બીજાં સાથે વહેંચશો, તો બેવડાશે , ખાત્રી છે મારી …
#માયા દેસાઈ મુંબઈ, ભારત.#
******************************************
🌷સાચી ભેટ🌷
વૈશાખની ગરમી હતી હું અક્ષરધામ ગાંધીનગર જોવાગયેલ , ગરમી હોવાથી શેરડીનોરસ પીવા મંદિરના ગેટ સામેનાગલ્લા પર જઇ એક ગ્યાસનો ઓર્ડર આપ્યો બાજુમાં જ ફુલ ના હાર વેચનારમાળી હતો એક સજ્જન ગાડીમાંથી ઉતર્યા અને એક સો રુપીયાનો હાર લીધોતેવામાં એક નવ વર્ષ નું બાળકેસજ્જન ને પગે લાગી વિનંતીકરી કે મારે રસ પીવો છેભુખ લાગી છેતો સજ્જને ધક્કો માર્યો ત્યાં મારો રસનો ગ્લાસ આવ્યોજે મેં પેલા બાળકને પિવડાવ્યોબાળક ખુશ થતો ચાલ્યો ગયોતેની ખુશીનો મને સંતોષ થયોને મેં બીજાે ગ્લાસ મંગાવી પીધોપેલા અમીર ભાઇના હાથમાંહાર હતો અને મારી સામે ધૃણાથી જોતા રહ્યા અને બબડતાં બોલ્યા તમારા જેવા જભિખારી ઓને માથે ચઢાવે છેમેં હસતાં જણાવ્યું કે ભાઇ તમને પથ્થરની મૂર્તિમાં પરમાત્મા દેખાય છે પરંતુ આબાળકમાં દેખાતા નથીઆપના એકસો રુપયાના હારથી મંદિરના ભગવાન રાજીથાય કે ના થાય પરંતુ મને સંતોષ છે કે બાળકનો અંતરાત્મા તો જરુરરાજી થયો હશે જસાચેજ ગરમી માં પણ મારા“મન” માં ખુશી અને ઠંડક થતાંમંદિરના ભગવાન ને દિલથી
🙏પ્રણામ કરી ધન્ય થયો
🌷”મન” 🍁કેનેડા 🍁🇮🇳૦૪-૧૧-૨૦૨૦🇨🇦******************************************
🙏મા યાને જનની🙏
જનની છે મમતા ની મૂરતસાક્ષાત પ્રભુની જ સુરત
જગમાં ના મળે એની જાતકરે બાળકના દિલમાં પ્રભાતઅમી ભરેલી હોય તેની આંખડીઠારે સંતાન કેરી આંતરડીદેવ માનવ જનની ખોળો ઝંખેબાળને નિહાળી માનું હૈયું હરખેવર્ષે ઘડિક આકાશથી વાદળીમાડીનો સ્નેહ બારે માસ જીવધ ઘટ થાય ચંદા ચાંદનીરહેતો પ્રેમ વાત્સલ્ય પ્રકાશજીઆશિષ દિલથી હેતભર્યાં દેતીમળે ખોળો મા તણો એ વિનંતી🙏”મન”🙏🍁કેનેડા 🍁 🇮🇳૦૫-૧૧-૨૦૨૦🇨🇦*************************************†***
NG 0078પ્રકાર – ગદ્યવિષય – દિવાળી
દિવાળી વિશે ઘણાં આર્ટીકલ, વાર્તાઓ, લેખો, કવિતાઓ, ગઝલો લખાઈ ગઈ છે અને શ્રીરામના ચૌદ વર્ષના વનવાસની વાર્તા પણ ઘણી જૂની થઈ ગઈ છે ત્યારે હું કહીશ કે દિવાળી એટલે શું? ઘરમાં રંગોળી, દીવડાઓનું અજવાળું, ઝગમગતી લાઇટિંગ, લક્ષ્મીજીની પૂજા કરવા ખાતર કરી લીધી. શું એ દિવાળી છે?? ક્યાંક દીવા તળે અંધારું તો નથી ને? જ્યાં જે ઘરમાં સંબંધોની સાચી કદર હોય, તકલીફ એકને થાય પણ એની વ્યથા, પીડા સૌ કોઈ અનુભવી શકે તો શું એ દિવાળી નથી? આજ પણ સીતા જેવી ઘણી સ્ત્રીઓને જો અગ્નિપરીક્ષા આપવી પડતી હોય તો દિવાળી નહિ પણ હોળી કહી શકાય. લાગણીઓની હોળી, વિશ્વાસની હોળી, પતિ-પત્નીના સંબંધોમાં ભાવનાની હોળી. પોતાની નગરીમાં આવતા જ શ્રી રામને વનમાંથી આવતા જેવો આનંદ થયેલો તેવો આનંદનો અનુભવ પોતાના શહેરમાં, પોતાના ઘરમાં આવતાં એવી જ ખુશીની અનુભૂતિ થાય તો એ દિવાળી છે. દિવાળી આવી તો ઘરનો ખૂણેખૂણો સાફ થશે. પણ મનનો? મહેમાનો આવશે. મીઠાઈ અને ફરસાણ પીરસાશે પણ કોઈ કારણથી કે કોઈ ભૂલથી છૂટી ગયેલા – તૂટી ગયેલા સંબંધો જોડવાનો સામેથી આપણે પ્રયત્ન કરીશું તો એ સાચી દિવાળી હશે. રાક્ષસ કુળનો નાશ થઈ ગયેલો પણ આજેય રાક્ષસી તત્વોનું અસ્તિત્વ તો છે જ અને ખૂબ જ હાવિ થઈ ગયા છે . એ તત્વો નાશ પામે તો દિવાળી મનાવવાનો આનંદ આવે. ઘરમાં ખૂબ જ સુંદર રંગોથી સરસ રંગોળી તો બની જાય પણ અંદર વાતાવરણમાં એવા સુંદર ભાવરુપી રંગનું ખાલીપણું હોય તો ત્યાં શું દિવાળી ? જ્યારે સાચે રામરાજ્ય જેવું વાતાવરણ દેશમાં સર્જાશે. ઘરેઘરે પ્રેમ,એકતા સામ્રાજ્ય જમાવશે. લક્ષ્મણ, ભરત સમ ભાઈ હશે ત્યારે સાચી દિવાળી મનાવાશે.
– શ્વેતા’ તલાટી