*NOG No-0032**ન્યૂઝ ઑફ ગાંધીનગર**પ્રકાર: પદ્ય* *વિષય : દિવાળી*
••••••••••••••••••••••••••
અંતરની અમાસ ઝંખે યાદો કેરા દીવડાં ..!દીવડાંની જ્યોત થકી,આંજી લીધી આંખડી.કાજળ તો રહી ગયું કોર,દીવડો ઝગમગે જ્યોતિ ડગમગે……
આસો માસ એટલે ઉત્સવની ટોળી.દિવાળીના રંગોએ કરી ઉજાણી ઉજાસ.જાણે અગિયારસ બારસ અને ધનતેરસનું આસોપાલવનું પૂજન. કાળીચૌદસે “મા” કાલિકાનું પૂજન.
આસો માસ એટલે ઉત્સવની ટોળી લેજો હૈયાને હરખે હિંચોળીદીવડાં લઈને આવી દિવાળી,પૂરજો આંગણે રુડી રંગોળી.
આસો માસ એટલે ઉત્સવની ટોળી.શણગાર્યુ આખુ ગગન વિશાળ,ફટાકડાનાં નવરંગ રંગોથી.અમાસની અંધારી રાતને અજવાળીકરીને આવી દિવાળી.
આસો માસ એટલે ઉત્સવની ટોળી.સાથિયા પૂરાવો દરવાજે દીવડાં પ્રગટાવો..આજ રુડી દિવાળી આવી…અમાસની અંધારી રાતે ઝગમગ તારલીયા ચમકે.લાભ શુભ સાથે રૂડા સાથિયા સોહાય.
આસો માસ એટલે ઉત્સવની ટોળી.ઝગમગતા દિવડામાં આનંદ ઉત્સવ ઉજવાય.ઘેર ઘેર અવનવા રંગોના સાથિયા જોઈ જોઈ મન હરખાય..આજ આંગણે દિવાળી આવી સાથે આનંદ ઉત્સવ લાવી.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*મીના માંગરોલીયા મીનું**અમદાવાદ*….5/11/2020
********†*********†********************
NOG No-0011**ન્યૂઝ ઑફ ગાંધીનગર*
*વિષય : દિવાળી*નીત નવા રૂપ રંગે નવી દિવાળી આવી,ચોતરફ ખુશીઓ સંગ આનંદ એ લાવી.
યુવાનો ને બાળકોને ગમતાં ધૂમ ધડાકા,દાદા દાદી માટે મંદિરમાં ભકિત લઈ આવી.
એ નાચો , ઝુમો ને દિલથી ભેટો એકબીજાને,ગાઓ ને ગુણગુણાવો મધુર ગીતનું ગુંજન લાવી.
રંગોળી પૂરો ને દીવડાંથી ઘર ને શેરી સજાવો,ફૂલજરી ઊડે ને ફૂલડાં વેરતી દિવાળી આવી.
તન મન નો દિલનો મેલ હટાવી દિલથી કહો,શુભ લાભ પાથરતી રંગીન દિવાળી આવી. ✍️મનોજકુમાર પંચાલ✍️ ‘મન’- © પાલનપુર*
********************†********************
NOG No ;0077**પ્રકાર:ગદ્ય*
*શીર્ષક:રાવણ મોક્ષ માટે દીપાવલી* .
મારાં દ્રષ્ટિકોણથી રાવણ એક બળવાન, ગુણી અને તેજસ્વી પાત્ર હતું. રામાયણનું એવું પાત્ર, જેનામાં અવગુણ કરતાં ગુણોની પાત્રતા વધુ ચડિયાતી હતી…! છતાંય એની એક નાની સરખી ભુલથી ઈતિહાસમાં વગોવાઈ ગયો.
એના મૃત્યુને બીજી રીતે જોઈએ તો મને એવું લાગે છે કે એ ઈચ્છા મૃત્યુ ને વર્યો !એણે હાથે કરીને આ બધી જફા વહોરી લીધી…!એ જાણતો હતો કે સાક્ષાત વિષ્ણુ ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરીને શ્રીરામના સ્વરૂપે અવતર્યા છે,તો હું શું કામ એમનાં હાથે જ મોક્ષ પ્રાપ્તિ ન કરું ?મને લાગે છે કે રાવણના માનમાં પણ દીપાવલી મનાવવી જોઈએ. શ્રીરામને અયોધ્યામાં રાજા બનાવવામાં રાવણનો ય ફાળો તો ગણાય જ…!શ્રીરામનું અયોધ્યા ગમન અને રાજાધિરાજ બનવાના માનમાં તો આપણે દીપાવલી ઉજવીએ છીએ તો રાવણનાં મોક્ષ માટે કેમ નહીં..?
એટલે મારા દ્રષ્ટિકોણથી મારા શબ્દોમાં , મારી વાત રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
રાવણ એક જ્ઞાની બ્રાહ્મણ હતો.તે મહા પરાક્રમી, મહા પ્રતાપી, તેજસ્વી, ઓજસ્વી, રૂપવાન,ચારે વેદોનો જ્ઞાતા અને સંગીતનો જાણકાર હતો.તેનામાં શિષ્ટાચાર અને ઊંચા આદર્શોવાળી મર્યાદા હતી.તેણે સીતાજીને કહ્યું હતું કે, “હે સીતે !જો તું મારા પ્રતિ કામભાવ નથી રાખતી તો હું તને સ્પર્શ ના કરી શકું.”
મારી દ્રષ્ટીએ રાવણે એક એવું પાત્ર હતું કે જેને લીધે શ્રીરામનું ચરિત્ર આટલું બધું બળવાન બન્યું અને નિખરીને ઉભાર પામ્યું. એને કારણે આપણને હનુમાનજીના બુધ્ધિ ચાતુર્ય અને બળવત્તર પ્રતિભાનો પરિચય થયો…!એને ને લીધે જ તો વિભિષણની સારપ ઉજાગર થઈ..!
એકવાર મંદોદરી ભક્તિમાં લીન હતી .વીણાનો તાર અચાનક તુટી ગયો તો રાવણે પોતાની નસ કાપી એનાંથી વીણાનો તાર બનાવી દીધો..!
રાક્ષસી માતા અને ૠષિ પિતાનું સંતાન હોવાથી બે પરસ્પર વિરોધી વિચારધારાઓ એને વલોવતી રહેતી.
તેનામાં મોટામાં મોટો અવગુણ ફક્ત એનો અહંકાર હતો.એનાં અહંકારને વશ કરવો એના પોતાના માટે ય કઠીન હતો .એટલે જ્યારે સ્વયં ઈશ્વર જન્મ ધારણ કરી પૃથ્વી પર અવતર્યા ત્યારે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા એણે કરી.એમના હાથે મૃત્યુ લેવું એમ મન બનાવી લીધું. મૃત્યુ બાદ પોતાના ભાઈને લંકાની રાજગાદી મળે એ આશયથી ,ભવબંધનના ફેરામાંથી મુક્તિ મળે એટલે સાક્ષાત વિષ્ણુનો અવતાર એવાં શ્રીરામનાં હાથે મોક્ષ પ્રાપ્તિ કરી…!
સાક્ષાત શ્રીરામ રાવણને જોઈને મંત્ર મુગ્ધ થઈ ગયાં હતાં. રામ બોલ્યાં હતાં કે રૂપ,સૌંદર્ય, ધીરજ,તેજ,ઓજ,કાંન્તિ અને સર્વ લક્ષણયુક્ત…,”હે રાવણ,તું અધર્મી ના હોત તો દેવલોકનો સ્વામી બની જાત…!બીજું પ્રમાણ શું જોઇએ…?
એટલે મને લાગે છેકે રામજીએ રાવણનો વધ કર્યો એના માનમાં આપણે જો દિવાળી ઉજવતાં હોઈએ એના કરતા મને એવું લાગે છે કે આટલા મહા જ્ઞાની ,મહાદેવ ભક્ત રાવણનાં અહંકારને ભસ્મીભુત કરાવવા રાવણ સ્વયં મનથી તૈયાર થયો એ બહું મોટી વાત અને શ્રીરામ માટે બહું મોટી ઉપલબ્ધિ કહેવાય…! તો આવા ગુણી,વિરલા અને પરાક્રમી રાજા રાવણની યાદમાં પણ આપણે દિવડાં પ્રકટાવી એને પણ વીરાંજલી કે શ્રધ્ધાંજલિ આપવી જોઈએ એવું નથી લાગતું?બાકી સ્વેચ્છાએ રાવણે ,શ્રીરામનાં હાથે મોક્ષ પ્રાપ્તિની કામના કરી હતી. તો એનાં મોક્ષગમન માટે પણ દીપાવલી મનાવવી જોઈએ જ.
ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ*