ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતા.મૌલિક રચનાઓ
વિષય/ શીર્ષક : “સરદાર વલ્લભભાઈ પટેલ”વિભાગ : ગદ્યNG 0052
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
સરદાર નામ પ્રમાણે જ અસરદાર, વ્યકિતત્વ જ એવું કે તેમની આગેવાનીમાં સહુ સહભાગી બનવા ચાહે, જોડાવા ચાહે.ચાહે તે હોઈ મહાત્મા કે હોઈ નહેરુ, એક અટલ મનોબળ અને મજબૂત સમી ધરોહર એટલે સરદાર,રજવાડા ભેગાં કરવાનાં હોય ,કે પછી પત્રમાં પોતાની ધર્મ પત્નીના મોતના સમાચાર જ કેમ ન હોય.તેમને કોઈ શબ્દો કે પરિસ્થિતિ ડગમગાવી શકે જ નહી.એવું અટલ મનોબળ તો સરદાર વલ્લભભાઈ પટેલનું જ હોય શકે.કર્મ અને ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી જાણે એક એવું નોખું પાત્ર એટલે સરદાર,સરદાર એટલે આગેવાન, નામ પ્રમાણે જ તેમણે બિરુદ લોકોએ આપ્યુ , અને સાચ્ચા અર્થમાં સરદારની વ્યાખ્યાને તેમને સાબિત કરી બતાવી.આજનાં નેતાઓ સત્તાની મોહમાં એટલા બધાં લાલચું અને સ્વાર્થી બની જતા આપણે જોઈએ જ છીએ અને જોતાં આવ્યા છે પણ હા સરદાર નેતા બન્યા પછી પણ પોતાનાં માટે ફૂટી કોડી વાપરી ન હતી અને આ જ વાત તેમની રાષ્ટ્ર પ્રત્યેની સાચી ભકિત સાબિત કરવાં પૂરતી થઈ પડે તેમ છે.
સરદારે તો ત્યા લગી કહી દીધું હતું કે “મારી સિફારીશ લઈને કે મારું નામ લઈને કોઈપણ મારાં પરિવારનો સભ્ય આવે તો તેને નોકરીએ રાખવો નહી.” તેઓ સત્તા પર હોવાં છતાં આવી કોઈ પ્રવૃતિને માન્ય રાખી નહોતી અને આ વાત જ તેમની મહાનતા પૂરવાર કરવા પૂરતી છે.
પોતે ઉચ્ચ હોદ્દા પર હોવાં છતાં તે સાધારણ વસ્ત્રો જ પહેરતા ,કોઇક એ તો તેમને એટલે સુધી પૂછી લીધું હતું કે “તમે આટલાં સાધારણ વસ્ત્રમાં જ કેમ ?” નેતા તરીકે તમારે વધુ સારાં વસ્ત્રો પહેરવાં જોઈએ.
તેમનો જવાબ એટલો જ સરળ અને સીધો રહેતો કે “મારો દેશ હાલ ગરીબી ,ભૂખમરા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે અને હું ટીપટોપ ફરું તો કેટલાં અંશે તે વાજબી કહેવાશે?”
આ હતા સરદાર વલ્લભભાઈ પટેલ.જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમની સંપતિ માનવામાં ન આવે તેટલી સાધારણ ત્રણ આંકડા પૂરતી જ સીમિત રહી હતી.સરદાર જયા સુધી જીવ્યા ત્યા સુધી દેશ માટે જ જીવ્યા તેમણે કયારેય પોતાનાં અંગત સ્વાર્થ માટે , રાષ્ટ્ર પ્રત્યે કે ન તો પોતાની ક્રોંગ્રેસ પાર્ટી સાથે દગો કર્યો હતો.
ઈતિહાસકારો તો ત્યાં સુધી કહે છે કે જો નહેરુની જગ્યા પર સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો ….ભારતની દશા અને દિશા આજે અલગ જ હોત..ખેર હવે આ વાતો હવે ભૂતકાળ બની ગઈ છે.કરમની કઠણાઈ તો જુઓ કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જે વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે તેનો વિરોધ પણ કરે છે તો કોણ ? તેમની જ ક્રોંગ્રેસ પાર્ટી.
સરદાર માટે જેટલું લખવામાં આવે કહેવામાં આવે તેટલું ઓછું પડે તેમ છે.સરદાર પટેલ જેવી અસાધારણ વ્યક્તિઓ પૃથ્વી પર ભાગ્યે જ જોવા મળે, અને છેલ્લે ગુજરાતી હોવાનો આપણે ગર્વ પણ લેવો રહ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી હતા.જેનો લાભ આખાં દેશને મળ્યો.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️સંજય તરબદા “સાંજ”✍🏻વડોદરા
*નોંધ : સરદાર વલ્લભભાઈ પટેલના આ લેખમાં ,જો હું કદાચ ન્યાય ન આપી શક્યો હોઉં તો ,તે માટે ક્ષમા ચાહીશ..ભૂલ ચૂક લેવી દેવી🙏🏻
****************************************
NOG no : 0063વિભાગ : મૌલિકરચનાપ્રકાર : ગદ્યશીર્ષક : સરદાર
તેજસ્વી ચમકદાર આંખો, સાવજસરીખા જડબાં સાથે, જ્યારે નવજાત શિશુને નડિયાદ મુકામે મામા ડુંગરભાઈના હાથમાં દઈ, સૂયાણીએ વધાઈ ખાધી : ‘લ્યો ભાઈ, લાડબાઈએ સાવજ જણ્યો.’ મામા ડણક્યા : ‘તે સાવજને ઘરે તો સાવજજ જન્મે ને.’જી..હા ૧૮૭૫ના ઓક્ટોબર મહિનાની ૩૧ તારીખે બારડોલી નિવાસી ઝવેરભાઈ અને લાડબાઈને ઘરે પુત્રરત્નના પગલાં થયા. નામ રાખ્યું વલ્લભ.આ પુત્ર જેને આપણે શ્રી વલ્લભભાઈ પટેલ એટલે કે સરદાર તરીકે ઓળખીએ.કુશાગ્ર બુદ્ધિ ધરાવતા વલ્લભભાઈનું રાષ્ટ્રપ્રેમના સંસ્કારોનું સિંચન તો, બાળપણથીજ પિતા પાસે થયું. અડગ મનોબળ માતાએ સિંચ્યુ ને બહારથી કઠોર દેખાતા વલ્લભભાઈને હ્રદયની રુજુતા શીખવી.જે આગળ જતાં લોકો સુધી પહોંચવા માટે ઉત્તમ માધ્યમ બની.ચુસ્ત કૉંગ્રેસી,વ્યવસાયે વકીલ અને પ્રખર વક્તા વલ્લભભાઈની દેશને સર્વપ્રથમ ઓળખ ઈસ્વીસન ૧૯૨૭માં અંગ્રેજો દ્વારા ખેડૂતો પાસેથી લેવામાં આવતા કરવેરાના વિરોધ માટે કરેલા આંદોલનથી થઈ. જેને આપણે ‘બારડોલી સત્યાગ્રહ’ તરીકે ઓળખીએ છીએ. આ સત્યાગ્રહ વખતેજ એમની અનોખી રણનીતિ પરની પકડ તથા નેતાગીરી કૉંગ્રેસી વડાઓએ નોંધી. પ્રચંડ લોકપ્રિય આ નેતાને મહાત્મા ગાંધીએ નામ આપ્યું ‘સરદાર’.અખૂટ રાષ્ટ્રપ્રેમ, કુશળ વ્યુહકાર,મજબૂત મનોબળ અને બહારથી કઠોર છતાં કોમળ હ્રદયી સરદારે ત્યારબાદ તો, દેશની સ્વતંત્રતા અને ત્યારપછીના અનેક વિકટ પશ્નોને કુનેહપૂર્વક ઉકેલ્યા.એમાં રજવાડાઓનુ વિલિનીકરણ હોય કે પછી હૈદરાબાદ અને જુનાગઢનો પ્રશ્ન હોય, આંગળી ટેઠી કરી ઘી કેમ કાઢવું એનું ઉદાહરણ એટલે કાશ્મીરનું ભારતનું અવિભાજ્ય અંગ બનવું.આવા અસંખ્ય પ્રશ્નોના નિરાકરણ લાવી ભારતના પ્રથમ ગૃહમંત્રી બનનારા દેશના સાચા રાહબર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને શત્ શત્ નમન.
– રીટા ભાયાણી મીઠાપુર.
*************************************
NOG NO-oo31ન્યૂઝ ઓફ ગાંધીનગરવિભાગ-ગદ્યશીર્ષક-શરદપૂનમની રાત આજથી વીસ વર્ષ પહેલાં શરદપૂનમની રાતે ગામના ચોકમાંથી સહિયરો સાથે ગરબા રમી પાછી ફરી રહેલ ચંદાને રસ્તામાં ઠેસ વાગતા એ સહિયરોથી થોડી પાછળ રહી ગઇ અને એ ઠેસને કારણે એના જીવનમાં એવું કંઇક અજુગતું બન્યું કે એ શરદપૂનમની અજવાળી રાત પછી તેના જીવનમાં કાયમ માટે અંધારું છવાઈ ગયું. મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય રાજકોટ
**********************************
NOG number – 0068વિભાગ – પદ્યમૌલિક રચના શીર્ષક – શરદ પૂનમ
‘ ચાંદ ‘ ની આ સોળ કળાએખીલવાની , યાદ મને તારા પર પ્રેમ વરસાવવાની, વરસાદની મોસમની છે આ ભીની રાતડી,શરદ પૂનમની રાતડી સૌને યાદ રહેવાની…
મને લાગી લગન તને સ્નેહ કરવાની ,મારા માટે તું ખુશનસીબ જ રહેવાની,’ ચાંદ ‘ ની અમૃતવર્ષામાં મોહિત થશું બંને,લાગી લગન તારા ખાલી દિલને ભરવાની…
કેવી મજા આ ખુશનુમા દ્રશ્યને નિહાળવાની,કેવી મજા સાથે દૂધ પૌઆ ખાવાની,તરસ્યો છું તને મળવા આ રાતમાં,શરદ પૂનમની ચાંદની ” ચાંદ “ને ગમવાની…
પૂનમની રાત્રિમાં આ ચાર આંખો મળવાની,શું મજા રાતડીમાં હાથમાં હાથ પરોવવાની,ચહેરો બનશે તારો ચાંદ જેવો નિરાળો,ભૂલી જઈશ હું મારી જ જવાની!!..
✍ નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ