*પદ્ય**૪* *બ*
*NG No :- 0027*વિભાગ :- પદ્ય ( અછાંદસ )શીર્ષક :- *સજનવા*
હાથ પકડી, આપ્યો હોત સાથ સજનવા,નિઃસ્વાર્થે હૈયું હોત ખોલ્યું સજનવા.
કોરા અંતરપટ ને ઠાલા દેખાવ સજનવા,કેમ નાહક ચીતરવાં ચિતરામણ સજનવા.
હાથમાં સૂરજ રાખી, દીધી દસ્તક સજનવા,છતાં ના પામ્યાં, જીવન હસ્તક સજનવા.
ખાલી ખોરડાં ને કોરા સંબંધ સજનવા,ઝાંઝવાનાં જળ પાછળ ભમ્યાં સજનવા.
આગવી ભીનાશ લઈ તમે ચાલ્યા સજનવા,આંખોમાં સપનાં થયાં બળી રાખ સજનવા.
હૈયું માંગે છે એટલું પૂછવા સજનવા,દિલના દર્દોને કેમ લૂછવાં સજનવા.
—- જ્યોતિ આચાર્ય અમદાવાદ*
******†**********************************
(*ગદ્ય* *૧)*
NG / ૦૦૨૨વિભાગ- ગદ્ય
સાથ
અક્ષયે અનામિકાના ઘરે સમાચાર મોકલ્યા કે તે સગાઈ તોડી નાખવા ઈચ્છે છે.
તેના આ પગલાંથી અનામિકાના ઘરમાં હડકંપ મચી ગયો. સૌથી વધારે દુઃખી અનામિકા થઈ ગઈ. તેણે નાનપણથી જેની સાથે રહેવાનાં સપનાં સંજોયા હતાં તે અક્ષય તરફથી લગ્નના બે મહિના પહેલાં આ રીતના સમાચાર મોકલવા એ અનામિકા માટે હ્ર્દયભંગ કરનારું હતું.
અનામિકાના પિતા હરિલાલ તરત અક્ષયના ઘરે દોડી ગયા. તે જઈને અક્ષયના પિતા કિશનરાયને મળ્યા.કિશનરાયે પણ અક્ષયના નિર્ણય ઉપર મહોર મારી. હરિલાલ તેમના મિત્ર હતા તેથી તેમણે બહુ શાંતિથી કહ્યું,” હરિ, મારી વાત શાંતિથી સાંભળ. અક્ષય હવે મારા કહ્યામાં નથી. ચંદીગઢ જઈને તે બદલાઈ ગયો છે. બે દિવસ પહેલાં જ હું તેને મળીને આવ્યો છું. મેં તેને ઘણું કહ્યું પણ તે એક નો બે ન થયો, હવે તે અનામિકા સાથે લગ્ન કરવા નથી માંગતો. મારી પણ બહુ ઈચ્છા હતી કે અનામિકા મારા ઘરની વહુ બને પણ અક્ષયની ઈચ્છા જ ન હોય તો જબરજસ્તીથી થયેલા લગ્નમાં બંને પક્ષે શોષાવાનું આવે. તેથી, તું સારો છોકરો જોઈને અનામિકાના લગ્ન કરી દે.”
હરિલાલની વિનવણીઓની કિશનરાય ઉપર કોઈ અસર ન થઈ એટલે સગાઈ વખતે અક્ષયને પહેરાવેલી વીંટી લઈને તે ઘરે પાછા આવ્યા.
અનામિકા અક્ષય સાથે લગ્ન કરવા માટે મક્કમ હતી પણ પિતાને આ રીતે ઢીલા પડેલા જોઈને કહ્યું,” હું એકવાર અક્ષયને મળીને આવું અને તે જો મને સામેથી ના કહેશે તો તમે કહેશો તે છોકરા સાથે પરણી જઈશ. તે મારા ફોનકૉલનો પણ જવાબ નથી આપતો, તેનો જવાબ તો મેળવવો પડશે.”
હરિલાલે કમને રજા આપી. અનામિકા અક્ષયને જાણ કર્યા વગર ટ્રેન પકડીને ચંદીગઢ જવા નીકળી પડી.
ચંદીગઢમાં અક્ષય જ્યાં રહેતો હતો ત્યાં પહોંચી તો તેને સમાચાર મળ્યા કે અક્ષય હોસ્પિટલમાં છે. ત્યાં પહોંચી ત્યારે તે એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો.
અક્ષય અનામિકાને જોઈને ચિંતામાં પડી ગયો તેણે કહ્યું,” અનામિકા, મેં પહેલાં જ સમાચાર મોકલી દીધા અને સગાઈની અંગુઠી પણ પાછી મોકલી દીધી. હવે હું આ પરિસ્થિતિમાં તારી સાથે લગ્ન નહીં કરી શકું.”
આંખોમાં આંસું સાથે અનામિકાએ કહ્યું,”શું આપણો પ્રેમ આટલો કાચો હતો કે તારો એક પગ ન હોય તો હું તારો સાથ છોડી દઉં. આપણો સાથ તો જન્મોજન્મનો છે. શું મારો એક્સિડન્ટ થયો હોત તો તું મને છોડી દેત? તો તેં કેવી રીતે ધારી લીધું કે હું તારો સ્વીકાર નહી કરું.”
અનામિકાએ અક્ષયનો હાથ પકડી લીધો અને બંનેના આંસુઓ હોસ્પિટલના તે વોર્ડને ભીંજવતા રહ્યાં.
✍ જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
********†******************†*†*********
*૨)*
NOG NO. 55વિભાગ : ગદ્યપ્રકાર : ટૂંકી વાર્તાશિર્ષક : જીવન સંગિની
” ખબર નહિ પણ હર્ષ.. આવું પગલું કેમ ભર્યું?કરોડપતિ બાપની એકની એક ઓલાદ અને એટલો ભણેલો ગણેલો . દેખાવડો તો એટલો કે જાણે કામદેવની મૂર્તિ… ન્યાતનું એક ઘર બાકી નહી હોય કે કન્યાનું માંગુ ન આવ્યું હોય અને ઇ… ઈ… હે ભગવાન….”
અમદાવાદની સુસ્ત બપોરમાં a.c. માં બેઠા બેઠા કંઇક પંચાતિયા અને નાતિલાઓ કકળાટ કરતાં હતાં, પણ હર્ષ તેની જીવન સંગિની પસંદ કરી ચુક્યો હતો, સુવર્ણા ને તે ઘણા સમયથી ઓળખતો હતો, તે જ તેના માટે શ્રેષ્ઠ છે તે જાણતો હતો અને તેની જિંદગી સુધારવા માટે આ જ રસ્તો હતો, કે તેને પોતાની જીવન સંગિની રૂપે સ્વીકૃત કરી સમાજમાં એક સ્થાન અપાવવું અને એટલે જ તેણે તેનો હાથ પકડ્યો હતો , જીવનભર સાથ આપવા માટે..
તો શું થયું , જો સુવર્ણા એક રૂપ જીવિની હતી……
શ્રદ્ધા ભટ્ટ .વાપી
******************************************
૩)*
NOG 0048વિભાગ – પદ્ય*શીર્ષક – સંગાથ*
સિટી હૉસ્પિટલના સ્પેશિયલ વોર્ડના રૂમ નંબર ૧૩માં રહેલી શાલિનીની હાલત જોઈને તેના મા-બાપ અને મિત્રો સૌ ચિંતાતુર હતાં. શાલિની ફક્ત શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ ક્ષતવિક્ષત થઈ ગઈ હતી.
જીવનમાં મા બાપ પછી જેના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો, તે સુહાસ જ એની આ હાલત માટે જવાબદાર હતો. શાલિની અને સુહાસ બંને કોલેજના સમયથી એકબીજાને પ્રેમ કરતાં હતાં. ત્રણ વર્ષનો સમય સરસ રીતે વીત્યો અને ટૂંક સમયમાં તેઓના લગ્ન થવાના હતાં. પરંતુ, થોડા સમયથી સુહાસનો સ્વભાવ વિચિત્ર થવા લાગ્યો હતો. તે શાલિની જોડે અણછાજતી માંગણી કરતો, જેને શાલિની સમજણપૂર્વક નકારી દેતી. વારંવાર મળતા નકારાને કારણે, સુહાસ ગિન્નાયો અને કોઈક નબળી ક્ષણે તેણે શાલિની જોડે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો.
શાલિનીની સહનશીલતા ખૂટી અને તેણે સુહાસને કહ્યું, “હવે ફરીવાર આવી માંગણી કરીશ તો મારે આ સંબંધનો અંત કરવા વિચારવું પડશે. આ બધું લગ્ન પછી જ શોભે.” આનાથી સુહાસ સમજવાને બદલે વધારે જડ બન્યો અને તેણે શાલિનીની સુંદરતાને નષ્ટ કરવા તેના પર ઍસિડ એટેક કર્યો. શાલિનીનો ચહેરો અને હાથ બંને ખરાબ રીતે દાઝી ગયાં.
શાલિનીના ઘરની આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવાથી તેઓ પ્લાસ્ટિક સર્જરી કરાવી શકે તેમ ન હતું. શાલિની અને તેના મા બાપને ભવિષ્યની ચિંતા સતાવતી હતી. ઍસિડ એટેકના લગભગ અઠવાડિયા પછી સુરેશ શાલિનીને મળવા આવ્યો. સુરેશ શાલિની જોડે કોલેજમાં હતો અને શાલિની ને પસંદ કરતો હતો. પરંતુ શાલિની અને સુહાસના સંબંધને કારણે તે પોતાની લાગણી વ્યક્ત ન કરી શક્યો. સુરેશે હૉસ્પિટલમાં શાલિની પ્રત્યેના પ્રેમનો એકરાર કરી તેનો જીવનભરનો સંગાથ માંગ્યો.
મહિના પછી શાલિની અને સુરેશના લગ્ન થયાં અને બીજે દિવસે શાલિની પ્લાસ્ટિક સર્જરી માટે હૉસ્પિટલમાં દાખલ થઈ.
✒️ *પ્રકૃતિ શાહ “પ્રીત”
********************************************
*૪)*
*ચિત્ર પરથી સ્પર્ધા**ન્યુઝ ઓફ ગાંધીનગર*શિર્ષક : *ટ્યુનીંગ*વિભાગ : *ગદ્ય**NG0052*
કનૈયાલાલ : ઓય સાંભળને “હવે આપણે પહેલાં જેવાં યુવાન તો નથી રહ્યા.ન તો પહેલાંની જેમ હરીફરી શકીએ તેવી હાલતમાં છે,કેમ કે હવે ઉંમર ખૂબ વધી ગઈ છે ,આ ચહેરાં પર કરચલીઓ અને શરીરે સાથ આપવાનું છોડી દીધું છે.પહેલાં જેવી સ્ફુર્તિ હવે ક્યા ?”
આ ઉંમરે ચાહવા છતાં પહેલાંની માફક મેચ સાથે રમી શકવા હવે અસમર્થ થયાં છીએ.
આજે આ સ્ટેડિયમમાં તારી સાથે બેસી પુરાણી યાદો તાજા થતી હોય તેવું લાગે છે.
મમતા બહેન : “તમને યાદ હોય તો આપણી કોલેજની તે પ્રથમ મુલાકાત,”
કનૈયાલાલ : અરે ! હા કેમ નહી , સ્પોર્ટસ કોમ્પીટીશન વખતે થયેલી તેની જ તું વાત કરે છે ને ?
હા,તે જ તો….
તે સમયે આપણી જોડી ટેનિસની રમતમાં કેવી અવ્વલ નંબરે પહોંચી હતી ,તે દિવસથી આપણાં વચ્ચે એક અલગ જ પ્રકારે ટ્યુનીંગ બની ગયેલું, જુઓ તે ટ્યુનીંગે આપણને કોમ્પીટીશન તો જીતાડી જ જીતાડી અને મઝાની વાત તો તે છે કે આટલાં વર્ષો બાદ પણ આપણી મધ્યમાં તે જ પ્રકારનું ટ્યુનીંગ જળવાઈ રહ્યુ છે.જેનો મને આજે અપાર આનંદ છે.
સિત્તેરની વયે પહોંચેલા કનૈયાલાલ માયાબહેનના હાથોમાં હાથ પરોવી પૌત્રની મેચ જોતાં જોતાં પોતાનો ભૂતકાળ વાગોળી આનંદની ક્ષણો વ્યતીત કરી રહ્યા હતા.
*સંજય તરબદા “સાંજ”*✍🏻*વડોદરા*