૧૯૯૫ માં મુખ્યમંત્રી તરીકે ના શપથ લીધા બાદ સૌ પ્રથમ મુખ્યમંત્રી ની ખુરસી ઉપર બિરાજમાન થયા મારા હાથે તેમને તિલક કરવાનો તેમનો આગ્રહ..તેમજ મંત્રોચાર કરવાનો તેમનો આગ્રહ મારે મન ખૂબ અવિસ્મરણીય પલ હતી.શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર વતી શ્રી કૃષ્ણકાંત જહા,શ્રી શૈલેષ પંડ્યા તેમજ પ્રદીપ રાવલ ને તેમને અમોને આમંત્રિત આ સૌભાગ્ય પ્રાપ્ત કરવાની તક આપી હતી જેના અમો આજે પણ ઋણી છીએ……
૧૭/૩/૧૯૯૬ ના દિવસે જન ફરિયાદ સાપ્તાહિક ના પ્રથમ અંક નું વિમોચન તેમના નિવાસ સ્થાને કર્યું હતું તેમજ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા તેમજ તેમને પોતાની સહીથી જ મુખ્યમંત્રી ની સૂચનાથી ખાસ કિસ્સામાં જન ફરિયાદ ને ૯/૩/૯૯ ના રોજ સરકારી આવાસ પણ ફાળવવામાં આવ્યું હતું.આજે પણ જન ફરિયાદ સાપ્તાહિક દેશ વિદેશ સાથે તેમના આશીર્વાદ થી અવિરત પ્રસિદ્ધ થઈ રહ્યું છે. અખબારી આલમ માં નાના માં નાનો પત્રકાર કે અખબારી માલિક હોય ,,દરેક ને સરખા સરકારી ન્યાય થી જોવા ટેવાયેલા આ દીર્ઘ દૃષ્ટિ દરેક ના હૃદય માં સ્થાન પામેલ મહાનુભાવ ની વિદાય થી ગુજરાત ને ખૂબ મોટી ખોટ સાલશે … સત્ સત્ નમન.
જન ફરિયાદ દેશ વિદેશ (૧૯૯૬)
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક (૨૦૧૪)
તંત્રી/માલિક : પ્રદીપ રાવલ
બ્લોક : ૬૭૭/૨.ઘ ટાઇપ ,સેકટર – ૮.ગાંધીનગર