*અહીંસા ભાગ – ૨*
ગતાંકથી ચાલુ………મિત્રો મેં ઘણીવાર જોયું છેકે લોકો પોતાનાથી ઊતરતાં કે ગરીબ વર્ગને એક જુદીજ દ્રષ્ટીથી જોતાં હોય છે.એ રીતે તિરસ્કાર કરવો કે અવગણી નાંખવુ , એ અયોગ્ય છે. આપણી એવી દ્રષ્ટી કે વર્તનથી એ વ્યક્તિ શરમાય જાય એવું ન કરવુ. દરેક વ્યક્તિને સમભાવ અને સ્વમાનની દ્રષ્ટિએ જોવું એ પણ એક અહિંસાનોજ પ્રકાર છે.હવે જોઈએ વર્તન દ્વારા હિંસા.વર્તન દ્વારા થતી હિંસા એટલે જો પતિ ક્યારેક પત્નીનો જન્મદિવસ ભૂલી જાય તો પત્ની સીધ્ધાં અબોલાજ લઈ લે.અબોલા લઈ લે ત્યાં સુધી તો ઠીક પણ ત્યાર પછી પોતાના વર્તન દ્વારા ડગલે ને પગલે પતિને સતત એવો અહેસાસ કરાવે કે એણે કરેલી ભૂલ અક્ષમ્ય છે.અને એ જતાવવા પતિનું કોઈ કામ ન કરે.રસોઈ ન બનાવવી,સતત મોઢું ચઢાવી રાખવું અને ઘરના વાતાવરણને ડહોળી નાંખવું. અરે! મેં આટલી નજીવી બાબતે ઘણા યુગલોને છૂટાછેડા લેતાં પણ જોયા છે.માટે મારું માનવું છે કે આવી નાની નાની બાબતોને બંને પક્ષે; ચાહે પતિ હોય કે પત્ની હોય, નજરઅંદાઝ કરવી એ પણ અહિંસાજ છે.હવે વાત કરીએ સંબંધોની હિંસાની.મિત્રો આપણે નાના હતા ત્યારે હંમેશા ‘ જા તારી કીટ્ટા, હું તારી સાથે નહીં બોલું.’ કહીને જેની પણ સાથે તકલીફ હોય ભાઈ, બહેન, મમ્મી,પપ્પા કે પછી આપણો મિત્ર કે સખી…….! હાથની ટચલી આંગળી બતાવી મોઢું ફેરવી લેતાં. નાનપણની આ ચેષ્ટા આપણને ત્યારે ખૂબજ સામાન્ય લાગતી.આ ચેષ્ટા સાથે જ્યાં સુધી બાળપણ જોડાયેલું હતું ત્યાં સુધી એની માસુમતા જળવાઈ રહેતી.એજ માસુમતા ને લીધે બીજીજ પળે પાછા હાથની પહેલી અને બીજી આંગળીઓ બતાવી બુચ્ચા પણ કરી લેતાં.પરંતુ જેમ જેમ મોટાં થતાં ગયાં તેમ તેમ માસુમિયત ગુમાવતાં ગયા અને કિટ્ટાવાળી ટચલી આંગળીને જાણે આપણે કાયમને માટે સ્ટેચ્યુ કહી નાંખ્યુ છે.ક્યારેક મિલકત માટે, તો ક્યારેક પર સ્ત્રી કે પર પુરુષ માટે, ક્યારેક ભાઈ ભાઈને જેની સાથે લોહીની સગાઈ હોય…….!એવા સંબંધોને દૂર થતાં જોયા છે.એકજ છાપરાં નીચે રહેતા હોય અને ઘરમાં બે અલગ અલગ ચૂલા સળગતાં જોયા છે.ભાઈ ભાઈ અને ભાઈબંધ સુધી તો ઠીક,સગા માબાપને પૈસા ખાતર ભલભલા ખમતીધરોને વૃધ્ધાશ્રમના દ્વાર પર મૂકી આવતાં જોયા છે. અને વગર કોઈ શસ્ત્રે સંબંધોની કત્લ કરતાં જોયા છે.ઠંડા કલેજે કરાયેલી આ કત્લો સમાજ માટે ખૂબજ ભયાવહ છે. આ પ્રકારની હિંસાઓને રોકનાર અનેક સંસ્થાઓ છે ,ટ્રસ્ટો છે.એતો પોતાનું કાર્ય કરેજ છે.પરંતુ આવી હિંસાઓને પાયાથી અટકાવવા દરેક ઘરની દિકરી અને દિકરાંઓમાં મૂળથીજ સંસ્કાર સિંચન કરવું જરૂરી છે.કે માતાપિતા પતિના હોય કે પત્નીના,ભાઈ બહેન પતિના હોય કે પત્નીના.એમનું સ્વમાન જાળવવું આપણી ફરજ છે.એમને પ્રેમ અને હૂંફ આપવા એ આપણી નૈતિક જવાબદારી છે.જે દિવસે સમાજમાં આરીતની વિચારસરણીવાળી પેઢીનો વધારો થશેને તે દિવસથી સાહેબ સમાજના એંસી ટકા વૃધ્ધાશ્રમોને તાળાં લાગી જશે.*આવી અહિંસાની ધૂણી આજે દરેક ઘર , ગલી,મહોલ્લામાં પેટાવવી જરૂરી છે.જે દિવસે આવી અંહિંસાનો યજ્ઞ ઘરઘરમાં થશે ,ત્યારે આપોઆપ દરેક જન વૈષ્ણવ થઈ જશે.અને ગાંધીજીનું આ ભજન દરેક હૈયામાં ગુંજશે.વૈષ્ણવજન તો તેને રે કહીએ,જે પીડ પરાઈ જાણે રે……પર દુ:ખે ઉપકાર કરે તોયેમન અભિમાન ન આણે રે……વૈષ્ણવજન તો તેને રે કહીએ……!©️લેખિકા : આરતી અજય મરચંટ.મુંબઈ : કાંદિવલી
.*****************************************
*NG NO: 004સૂક્ષ્મ મેઘધનુષ… કાલ્પનિક કલ્પના જ કરવી રહી સપ્તરંગી એ રંગોની મિલાવટની , હિંચકે ઝૂલતા મેઘ ફૂલ પર પડેલા ઝાંકળને જોઈ વિચારી રહ્યો હતો. ત્યાંજ તેની પર સૂર્યનું એક કિરણ પડ્યું અને સપ્ત રંગોનો ભાસ થયો.તેની આંખમાં ચમક આવી ગઈ.નાના બાળકની જેમ તે ખડખડાટ હસી પડ્યો. અંદરથી મેઘાવી બહાર આવી , પૂછી બેઠી ફરી કંઈ અલૌકિક જોયું..કે તારા મુખે અટ્ટહાસ્ય નીકળ્યું..? મેઘ બોલ્યો,”મારી પહેલવહેલી કલ્પના જ ઓચિંતી પૂર્ણ થઈ.” મેઘાવીની આંખોમાં આશ્ચર્ય જોઈ બોલી ઉઠ્યો ,”તે કોઈ દિવસ સૂક્ષ્મ મેઘધનુષ જોયું છે?” મેઘાવી બોલી,”સૂક્ષ્મ મેઘધનુષ ! મેઘ બતાવા જાય તે પહેલા તો પેલું ઝાંકળ બિન્દૂ નીચે ખરી પડ્યું હતું. જેમ તેની જિંદગી થોડા જ દિવસોમાં ખરી જવાની છે.આ અસાધ્ય રોગથી..ખરેખર કાલ્પનિક રંગો સપ્તરંગી જ હોય છે *મેઘધનુષ* જેવા.જયશ્રી પટેલ…..૩૧/૮/૨૦૨૦
*******************************************
બાસુંદી*
“ગૌરીની બા, ચાનો ટેમ થઈ ગીઓ. ફક્કડ તા
ધની, કડક-મીઠી હ.” હસીને બાને ચાનો ઓર્ડર આપતાં બાપુને જોઈ લેશન કરતી ગૌરીની ત્રાંસી નજરો મલકાઈ.તાજું દૂધ એટલે, જે-તે દિવસે આવેલું દૂધ નહીં, પણ તરત દોહીને લાવેલું દૂધ! તેમાં ડબલ ચાની પત્તી અને ભારોભાર ખાંડ! આવી બાપુની પસંદગીની ચા.ચાનો સબડકો લેતાં બાપુને જોઈ ગૌરી ચિડાઈ.”લે બે-ચાર ઘૂંટ તારાં. મીઠી છે એમ ની બોલતી, એમાં તારી માનું વ્હાલ હો છે.” કહી ગૌરીની બા માથે હાથ ફેરવતાં તેને રકાબી પકડાવી ગઈ.”બા, આ શું છે!” મીઠો ઘૂંટડો ઉતારતાં ગૌરી અકળાઈ ગઈ.”એય શું કરે છે? કેટલીવાર એક કપ ચા બનાવતાં? અને હા બાસુંદી ન બનાવી દેતી.” શહેરનાં ખ્યાતનામ વકીલ, એટલે કે તેનાં પતિ સોમેશનો અવાજ સાંભળી ગૌરીનો ધ્રૂજતો હાથ રકાબીને અડી ગયો. તેણે ખખડાટ કરી ગૌરીને સ્વર્ગનો રસ્તો છોડી મૃત્યુલોકમાં પાછાં ફરવાનો આદેશ આપ્યો. ઉકળતાં કાળાં પાણીને કપમાં ભરીને રસોડાની બહાર નીકળી, અટકી, ચામાં કંઈ નાખવાનું તો નથી રહી ગયું ને?
©️વંદના વાણી
*******************************************************
ordersસામાન્ય વહીવટ વિભાગે મોડા મોડાં ૨૫ અધિક સચિવ સંવર્ગ ૧ અને ૬૦ ઉપસચિવ ની બદલી ન ઓર્ડર કર્યાં.મોટેભાગે મહેસૂલ ના.લોકો ને નાણાં વિભાગ અને જળ સંપતિ વિભાગ માં બદલીઓ કરવામાં આવી