: *ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય ગ્રુપ મેમ્બર સમૂહના “ઘરના ગણેશ” ગણેશોત્સવ અંતર્ગત..*🙏
મિત્રો તમે મારા વર્તમાનપત્રમાં સ્પર્ધારૂપે ચાલતા એક સમૂહની સુંદર સુંદર રયનાઓ વાંચો છો.તેઓને ત્યાં સુંદર રાષ્ટ્રીય પર્વ રૂપે ગણેશજી પધાર્યા છે.તેઓ એ સંચાલક જીજ્ઞા કપુરિયાના અને એડમીન પેનલના સહકારથી આ વખતે *ગણેશ* વિષે સ્પર્ધા પણ કરી છે.તેનું સરસ પરિણામ પણ આપણે જોઈશું. સાથે સાથે દરેકના નાના મોટા ગણપતિના આજે વિસર્જનના દિવસે આપણે દર્શનનો લાભ લઈશું…*ગણોના સ્વમી એવા ગણપતિને કોટિ કોટિ પ્રણામ કરીએ* 🙏🙏 *મારા ને મારા વર્તમાન પત્ર તરફથી સર્વે સમૂહના ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા.*💐
તંત્રી,….🙏🌹એડમીન પેનલ..🙏🌹 *શ્રી ગણેશ*
🕉 *ગમ્ ગણપતે નમ:* જન્મ તો દેવોના પણ થયા અને તેઓ અમર પૂજક બન્યા.શુભ કાર્યની શરૂઆત એટલે જ ગણપતિ બાપાના શુભ પૂજનથી જ થાય. શિવજી સ્નાન કરવા હિમાલયથી ભીમબલી ગયા. પાર્વતીને થયું ગુફા બહાર મારા રક્ષણ કાજ હું જ મારા ઉબટનમાંથી જ એક પૂતળું બનાવી તેમા પ્રાણ પૂરીજીંવત કરૂ..તેમ કરતા જ સુંદર બાળકનું સર્જન થયું. પાર્વતી પોતે સુંદર બાળક પર વારી ગયા..તેઓ એ ગણેશનું નામ વિનાયક આપ્યું. ગુફા બહાર ગણેશ માતાની આજ્ઞાનું પાલન કરી રહ્યા હતા , અને શિવજી અચાનક જ આવી પહોંચ્યા , બાળકે અજાણતાં જ શિવજીના રૂપને જોઈ અંદર ન જવા દેવા જીદ્દ કરી.શંકર તો ક્રોધીત થયા અને બાળ ગણેશનું માથું કાપી નાંખ્યું…મા પાર્વતી દિગ્ મૂઢ થઈ જોઈ રહ્યા, સભાન થતાં ખૂબ કલ્પાંત કર્યો , શંકરને બાળક ફરી જીવીત કરી આપવા કહ્યું. એ દિવસ ભાદ્રપદની સુદ ચતુર્થી હતી..પુત્રને જીવીત કરવાની વાતથી શંકર વિચારમાં પડ્યા કારણ તેસૃષ્ટિ ની વિરુદ્ધ કાર્ય હતું..તે જ સમયે સારા ચોઘડિયાંમાં હાથણીને બચ્ચું અવતર્યુ , તેનું માથું કાપી ગણેશને લગાડી દીધું.એક વાત એમ પણ છે કે શિવે નંદીને કહ્યુંજે પહેલું મળે તેનું માથું કાપી લઈને લઈ આવો અને નંદીને હાથીનું બચ્ચું મળ્યું અને તેનું જ શીશ લઈ આવ્યા. ગણેશ જ એવા દેખાવા લાગ્યા કે પાર્વતી ડરી ગયા. શિવે તેમને વરદાન આપ્યું કે દરેક પૂજનમાં ગણેશ પ્રથમ જ પૂજાશે. ત્યારથી દરેક સારા પ્રસંગે ગણેશ સ્થાપના થાય અને શુભારંભ થાય.
*ગણેશના બાર નામ ખૂબ જ પ્રખ્યાત છે.*૧ ગજાનન૨ એકદંત૩ ગજકર્ણક૪ વિઘ્નહર્તા૫ સુમુખ૬ કપિલ૭ લંબોદર૮ વિકટ૯ વિનાયક૧૦ ધૂમ્રકેતુ ૧૧ ગણાધ્યક્ષ૧૨ ભાલચંદ્ર
ગણેશજીની અનેક પ્રચલિત વાતો આપણે સાંભળી છે.પણ હાસ્ય સભર એક સુંદર વાત કરું છું…
લગ્ન કરવાની ગણેશજીને ઉતાવળ પણ રૂપ જોઈ કોઈ તૈયાર ન થાય ,તેથી ગણેશને બીજાના લગ્ન પણ જુએ તો બહુ જ ગુસ્સો આવે ને તેથી દેવ દેવીના લગ્નમાં તે અને મૂષકજી વિઘ્ન નાંખે. માતા પિતા બ્રહ્માજી પાસે ગયા,તેમણે બે પુત્રી રિધ્ધિ અને સિધ્ધિ માનસ પુત્રી તરીકે ઉદભવ કર્યો.તે બન્નેને બ્રહ્માએ શિક્ષણ આપવા ગણેશને કહ્યું ને બન્ને ગણેશનું મન ભટકાવી દેતી..હવે બધાં જ દેવી દેવતાના લગ્ન થવા લાગ્યા..ગણેશ તો સમજી ગયા તેથી વધુ ગુસ્સે થયા પણ બ્રહ્માએ હવે પોતાની માનસ પુત્રીઓ તેમની સાથે પરણાવી દીધી .તેથી તેઓ શાંત થયા. * જુઓ ભગવાનને પણ પરણવાના કોડ જાગે..તેમને પણ કન્યા નમળે. ભગવાન પણ ઈર્ષા કરે..ભગવાન પણ ગુસ્સો કરે.* હસવું આવે છે ને મિત્રો…મારા બાપ્પાની વાત સાંભળીને… કહેવાય છે કે કળિયુગમાં *ભવિષ્ય પુરાણ*મુજબબાપા ફરી *ધુમ્રકેતુ* કે *ધુમ્રવર્ણા* રૂપે અવતરશે..*મિત્રો પ્રાર્થના કરો બાપા આ કાળમાં આવેને કોરોનાનો નાશ કરે*
વિસર્જન પણ થશે મારા દેવા ગણેશ લોકો પર્યાવરણને નુકશાન કરે છે તેથી દુ:ખ થાય છે. માટે તેની મર્યાદાને બાંધ દેવ , મારી મનથી તને પ્રાર્થના છે..તારા નામ ના ગુણ પ્રમાણે અમારા વિધ્ન લોકોની અંધ શ્રધ્ધાનો તું અંત લાવ…મારી તને રોજ વિંનતી ને શુભ મંગલ કામના …
*વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ*,*નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કર્યે સુ સર્વદા*…🙏🙏અસ્તુ.🌹🕉 શાંતિ..🙏🙏🙏🌹🌹🌹
જયશ્રી પટેલ……૩૧/૮/૨૦૨૦…..નિર્ણાયક શ્રી
******************************************
જન ફરિયાદ દેશ,વિદેશ સાપ્તાહિક (૧૯૯૬)ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક (૨૦૧૪) મારું દૈનિક વર્તમાન પત્ર છે,મારી સાથે સમસ્તમારા વાંચક મિત્રોને અને મારા સ્પર્ધક મિત્રોને મારા નમસ્કાર.🙏 આજે ગણપતિનું વિસર્જન અને મારા સ્પર્ધક સમૂહના મિત્રોને ત્યાં આવેલ બધાં જ જુદા જુદા સુંદર*ગણેશજી*ના દર્શન કરી અમે બધાં પાવન થયા છીએ.મારે ત્યાં પણ *વર્ષો જૂની પૌરાણિક ગણેશ ની મૂર્તિ જે અમોને ૧૦/૩/૧૯૯૬ ના દિવસે અમારા ઘર ના આંગણ માંથી નીકળી આવી હતી..જે અમારી સર્વ સામાજિક.આર્થિક વૃદ્ધિ નું નિમિત્ત બની છે * જે અમારા ઘરના સભ્યની જેમ અમારા ડ્રોઈંગ રૂમમાં અમારી સાથે હર હંમેશ હોય છે .જેને રોજ અમારા આંગણાંમાં થતું *જાસૂદનું ફૂલ* અને *ધરો* અમે કાયમ ચઢાવીએ છીએ. જે અમારો રોજિંદો ક્રમ બની ગયો છે .અમારો કૌટુંબિક વ્યવહાર તે મૂર્તિ સાથે છે. આવતા જતા અમે હાજરી પુરાવી આગળ નીકળીએ છીએ .પ્રવાસમાં પણ અમારી સાથે લઈ જઈએ છીએ. અમે આંગણે પધારેલા બાપાનું વિસર્જન નથી કરતાં તેઓને વિદાય નહિ પણ હૃદયમાં વસાવીને અમે પૂજીએ છીએ.
*આવો સૌ મારે આંગણે મારા ગણેશ ને મળવા..સુંદર**આરતી સહ..*
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | માતા જાકી પાર્વતી પિતા મહાદેવા || એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી | મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી || અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા | બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા || દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |કામના કો પૂરી કરો જગ બલિહારી ||
****** સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો, દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો,હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો, મહિમા કહે ના જાયે લાગત હું પદ કો… જય દેવ જય દેવ… જય દેવ જય દેવ…
જય દેવ જય દેવ જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા, ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ… જય દેવ જય દેવ
ભાવભગત સે કોઈ શરણાગત આવે, સંતતિ સંપતિ સબહી ભરપુર પાવે, ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે, ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે… જય દેવ જય દેવ… જય દેવ જય દેવ…
જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા, ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ… જય દેવ જય દેવ.🙏🙏 અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરી ,શ્રીધરં માધવમ ગોપીકા વલ્લભમ જાનકીનાયકં રામચન્દ્રં ભજે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે… હરે ક્રીષ્ના હરે ક્રીષ્ના, ક્રીષ્ના ક્રીષ્ના હરે હરે…
આવો પધારો સૌ મારે ઘરે…🙏*પ્રસાદ લેવા.**પ્રદીપ રાવલ.*આપની સાથે નો મેમ્બર ,NG NO : 001
*******************************************
જય ગણેશ*
*”सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची,**नुर्वी पूर्वी प्रेम कृपा जयाची,**सर्वागीण सुंदर उटी शेंदुराची,**कंठी झळकेमाळ मुक्ताफळांची,*
*जयदेव जयदेव* *जयमंगल मूर्ती।**दर्शनाचे मनोकामना पुर्ती।”*
ખરેખર મિત્રો, આ આરતી આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે અને આપણી ભાવી પેઢીને પણ આજ વારસો આપણે આપીને જઈશું એતો નિશ્રિત જ છે.
આપણે અહીં ગણપતિબાપા વિશે નથી લખવાનું એતો બધાં બધું જ જાણે જ છે . આપણાં આ વિઘ્નહર્તા અને પ્રથમ વંદનીય ગૌરીપુત્ર શ્રીગણેશ વિશે કોઈને કંઈ કહેવાની જરુર જ નથી એતો ગુગલ મહારાજ કહી જ દેશે! આપણે અહીં આ કોરોનાકાળના બદલાવની વાત કરવી છે.મિત્રો , આપણાં દેશમાં બાળ ગંગાધર તિલકે ગણેશોત્સવની શરૂઆત કરી ત્યારે આમનો હેતુ ફકત અને ફકત સામાજિક એકતાનો હતોપણ પાછળથી આ ઉત્સવ પ્રોફેશનલ બની ગયો ! ચારેબાજુ હુસાંતુસી અને ગણેશજીની ઊંચાઈ વધારવામાં આ સાર્વજનિક ગણેશોત્સવે તો રીતસરની હોડ જ મૂકી છે ,આ ઉત્સવની જ્યારે શરૂઆત થઈ ત્યારે માટીની નાની મૂર્તિ ઘરે અથવા સાર્વજનિક બધાં વાજતે ગાજતે આપણાં આ આરાધ્ય દેવની પધરામણી કરતાં ,ભાદરવા સુદ ચોથને દિવસે એમની વિધિવત સ્થપાના કરી અને અનંત ચૌદશનાં દિવસે વાજતે ગાજતે વિસર્જન કરી દેતાં .
શું આજે આધુનિકયુગમાં આ પ્રથાની મજા પહેલાં જેવી રહી છે ખરી? આજે ફકત દેખાડો જ થાય છે , આજે મને એ વાતની ખુશી છે જે કામ આપણે આટલાં વર્ષોથી ન કરી શકયા એ આ કોરોનાએ કરી દીધું!
આપણે તો આપણાં તહેવારોમાં પણ અંધશ્રધ્ધા અથવા રૂઢિવાદી વિચારો સામેલ કરી દીધાં! મિત્રો, મને એક સવાલ છે કે શું લોકમાન્ય તિલક કહીને ગયાં કે આટલા જ કદની પ્રતિમા લેવાની ? તમે એકવખત જે કદની મૂર્તિ લો છો એનાથી મોટી જ લેવાની નાની નહીં! આ બધાં નિયમો તિલક બનાવીને ગયાં? આ તે કેવી આસ્થા ? મિત્રો , આસ્થાની વાત આવી તો લાલબાગનારાજાને યાદ કરવા જ પડે ,એમાં પણ મહિલા સાથે જે બેહુદા વર્તન થાય છે એ તો જગજાહેર છે! કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહીને જે ભક્તને ગણપતિના અદભૂત રૂપના દર્શન થાય છે એનું વર્ણન શબ્દમાં કરવું મુશ્કેલ છે. હું પોતે આ મન્નતનાં ગણપતિના દર્શન કરવા જાઉં છું . આ વખતે એમણે પણ મૂર્તિની ઊંચાઈ ઘટાડી છે તો શું એનાથી ગણેશજી કોધિત થઈ જશે?આજે ખોટી માન્યતા બધી જ કોરાનાકાળમાં દૂર થઈ ગઈ!આજે ઘરે ઘરે બાપાની નાની મૂર્તિ અને સાથે ઈકોફેન્ડલી મૂર્તિ સાથે ઘરે જ અથવા કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કર્યુ , કેટલું સરસ શું આ કરવાથી તમારી બાપા પ્રત્યેની શ્રધ્ધા ઓછી થઈ ગઈ?
આપણે સમુદ્રમાં જે મૂર્તિનું વિસર્જન કરીએ છીએ બે દિવસ પછી તમે જોશો તો ખબર પડે જે પ્રતિમાનું આટલી શ્રદ્ધાથી ભકિત કરી એની શું દશા થાય છે! તમે એ દ્રશ્ય જોઈ નહીં શકો . આતે કેવી આસ્થા? આજે કોરાનાએ આપણને સુધરવાની એક તક આપી છે જોઈએ આપણે ક્યાં સુધી એને અપનાવીએ છીએ કે પછી હતાં ત્યાનાં ત્યાં!મને યાદ છે અમે નાના હતાં ત્યારે અમે ચીકણીમાટીમાંથી બધાં. મિત્રો મળીને ગણપતિની મૂર્તિ જેવી આવડે એવી બનાવી પુજા કરતાં અને એની સાથે કપડાં અથવા કાગળથી ડેકોરેશન કરતાં અને આરતી માટે પણ વારા હોય અને ભજન કીર્તનનાં સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરતાં જેમાં વેશભૂષા જેવી અનેક પ્રકારની સ્પર્ધાનું આયોજન પણ હોય અને છેલ્લે દિવસે ઢોલી પણ ફિક્સ જ હોય બધાં જ વાજતે ગાજતે ચોપાટીનાં દરિયામા મૂર્તિ પધરાવવા જતાં એમાં જે મજા હતી તે આજે લાખો રૂપિયા પૈસાના વ્યયમાં નથી. મિત્રો , કહેવાનો તાત્પર્ય એ છે કે આજે કોરોનાકાળમાં પર્યાવરણનું ધ્યાન રાખીને આપણે ઉજવ્યો એ ખરેખર સરસ વાત જ છે આપણાં ઈષ્ટદેવ પણ વધારે ખુશ હશે કારણ આપણે પર્યાવરણ અને જીવસૃષ્ટિ બન્નેનું ધ્યાન રાખીને સારુ જ કામ કર્યુ છે અને ગણેશજી પણ સારા સ્વચ્છ પાણીમાં વિસર્જન થવાથી ખુશ હશે.ચાલો કોરોનાના નામ પર આપણામાં સુધારો આવ્યો તો ખરો ! હવે આને આગળ વધારવું એ આપણાં જ હાથમાં છે . આપણે આ સૃષ્ટિને સુંદર બનાવવા આપણો અમૂલ્ય ફાળો આપશું તો પરમેશ્વર રાજી નહીં થાય ??
છેલ્લે…
*घालीन लोटाघण वंदीनचरण ।**डोळयांनीपाहीन रुप तुझे।*
*प्रेमे आलिंगन**आनंदेपूजन ।**भावे ओवाळीन म्हणेनामा।**ગણપતિબાપા મોરિયા*
સંચાલક: જીજ્ઞા કપુરિયા .”નિયતી”…31/8/2020
જન ફરિયાદઅેક લોક ઉપયોગ દેૈનિક છે🙏