GN_23-7-20 (News of Gandhinagar daily PDF.( 📰 for open click on date )
****†**†*********************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય વિભાગ મા આજે બાળ રચનાઓ………
*छलांग*
छलांग लंबी थी, कठिन थी,
नीचे खाई भी गहरी थी,
पर इस बार, बारी मेरी थी।
सबकी बातें सुनी थी,
किसी की अच्छी, बहुतों की बुरी थी,
पर इस बार, बारी मेरी थी।
बहुतों की विचारशैली के बाहर थी,
जगह बनाने को खूब लड़ी थी,
क्योंकि इस बार, बारी मेरी थी।
कुछ खुश थे कि मैं हारी थी,
अचंभित हुए ये जानकर-
कि बाज़ी मेरी थी।
Heer A. Nimavat
11th.. std…Mithapur
************†***************** ************
*બાળ વિભાગ.*
*•ભારત તહેવારોનો દેશ છે•*
નવરાત્રી અને હોળી, સંક્રાંતી અને દિવાળી,
સૌ ભારતના તહેવારો, મનાવીયે હળીમળી!
હા, ભારતને તહેવારોનો દેશ પણ કહેવાય છે, કારણ કે આ આખી દુનિયામાં ભારતમાં છે એટલા તહેવારો ક્યાંય નથી ઉજવાતા! દિવાળી, મકર સંક્રાંતી, હોળી, નવરાત્રી, ઓનમ, દશેરા, પર્વ પર્યુષણ, ગુડી પાડવા, ગુરુ પૂર્ણિમા વગેરે તહેવારો ઉજવાય છે, જેથી આપણને વિવિધતામા એકતાના દર્શન થાય છે. આ એક્તાથી જ દેશ વિકસિત બની શકે છે! આ એક્તારૂપી પર્વ સૌને સાંકળી રાખે છે, જેના કારણે આપણે સઘળા તહેવારોને ખુશી-ખુશી મનાવીએ છીએ!
પરંતુ ભારતમાં આટલા બધા તહેવારો મનાવાય કેમ છે? તેનું કારણ આપણો જ એક દેશ છે જે પ્રત્યેક ધર્મને સુખથી સ્વીકારે છે!આપણા બંધારણે ‘સર્વધર્મ સમભાવ’ જેવી ખૂબ જ નાજુક લાગણીને સ્થાન આપ્યું છે! ખરેખર, આપણા દેશમાં હિંદુ, મુસલમાન, સિખ, ખ્રિસ્તી, બંગાલી વગેરે ધર્મો છે, જેના કારણે આપણે બધા તહેવારો મનાવી શકીએ છીએ!
બધા તહેવારોની ઉજવણીને આપણે માન આપવું, એવું નહી કે આપણા જ ધર્મ ના પર્વ ઉજવવા!
આપણો સૌનો ધર્મ એક જ છે: માનવતાનો, એકતા રાખી તહેવારોના દેશમાં બધા પર્વ હસી-ખુશી મનાવીયે!
~*ૠજુ અપૂર્વ શાહ*…ધોરણ – ૮
****************************** **********
*વિભાગ: બાળ વિભાગ*
*શીર્ષકઃ ભારત તહેવારોનો દેશ છે*
એકધારા જીવનથી આપણે કંટાળી જઈએ છીએ. આપણને જીવન શુષ્ક લાગવા માંડે છે.વર્ષ દરમિયાન આવનાર આવતા તહેવારો આપણા જીવનને તાજગી અને ઉમંગથી ભરી આપે છે. ઉત્સવો, તહેવારો ઊજવ્યા પછી આપણો કામ કરવાનો ઉત્સાહ વધે છે. તહેવારો ઊજવવાથી આપણા સામાજિક સંબંધો વધે છે.આપણી રાષ્ટ્રીય ભાવના પણ વધે છે.
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીથી આપણી રાષ્ટ્રીય ભાવના વિકસે છે. ઈ. સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો. તેની યાદમાં ૧૫મી ઓગસ્ટ નો દિવસ ‘સ્વાતંત્ર્યદિન’ તરીકે ઊજવાય છે. ઈ.સ. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીના દિવસને ‘પ્રજાસત્તાકદિન’તરીકે ઊજવવામાં આવે છે. ગાંધીજયંતી, બાલદિન, શિક્ષકદિન વગેરે તહેવારો આપણ ને આપણા દેશના મહાન નેતાઓની યાદ અપાવે છે. આપણે તેમનાં જીવન અને કાર્યોને યાદ કરી તેમાંથી પ્રરણા મેળવીએ છીએ.
કેટલાક તહેવારો ધાર્મિક હોવા છતાં બધા જ ઘર્મોના લોકો તેને આનંદ અને ઉલ્લાસથી ઊજવે છે. તેથી તે સામાજિક તહેવારો બની રહે છે. રક્ષાબંધન, ઉતરાયણ, દિવાળી, ભાઈબીજ,
હોળી, નવરાત્રી વગેરે તહેવારો સમાજના બઘા જ ધર્મના લોકો ઉત્સાહપૂર્વક ઊજવે છે.
આપણે આપણી સંસ્કૃતિનું જતન કરવા માટે તેમજ આપણી રાષ્ટ્રીય અને ધાર્મિક ભાવના વિકસાવવા માટે તેમજ આપણી રાષ્ટ્રીય અને ધાર્મિક ભાવનાને વિક્સાવવા માટે પણ તહેવારો ઊજવવાનું આવશ્યક છે.
ધાર્મિક ડોડિયા (STD 10th)
****************************** ***********
શીર્ષક: ભારત તહેવારો નો દેશ છે
વિભાગ: બાળ વિભાગ
આપણું ભારત દેશ બિન સંપ્રદાય દેશ છે.દેશ માં વસતાં લોકો ને પોતાના પસંદ તહેવાર ઉજવવાની અને પોતાના ધર્મ પડવા ની છુટ છે.જેમ કે હિંદુ લોકો હોળી,જન્માષ્ટમી, ઉતરાયણ વગેરે તહેવારો ઉજવવે છે. મુસ્લિમ, જૈન,પારસી,ઈસાઈ વગેરે પોત પોતાના ધર્મ અનુસાર તહેવાર ઉજવે છે.
હોળી ના દિવસે સાંજ ના ગામ ના પાદરે લોકો હોળી દહન કરે છે. બીજા દિવસે નાના મોટા બધા લોકો ગુલાલ અબીલ થી એક બીજા ને રંગ લગાડે છે.
જન્માષ્ટમી મહોત્સવ માં ગામનાં રસ્તે ધૂમધામથી રવાડી કઠવા માં આવે છે
ગણેશ મહોત્સવ માં ગણપતિ ની મુર્તિ પધરાવવા માં આવે છે. અને નવરાત્રી તો નવા આનંદ ઉમંગનો સંચાર કરે છે. મકરસંક્રાતિ ૧૪ તારીખ નાં ઊજવવા માં આવે છે. તે દિવસે પક્ષીઓ ને દાણા ગાયને ઘાસ કુતરાઓ ને રોટલા વગેરે દાન કરવા માં આવે છે.અને નાના બાળકો પતંગ ઉદાડે છે.
ગુજરાત રાજ્ય માં નવરાત્રી બહુ ધૂમ ધામ થી ઊજવવા એ છે.મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ બંગાળ માં દુર્ગા પૂજા રાજસ્થાનમાં હોળી આમ વિવિધ રાજ્યોમાં રાજ્યો અલગ અલગ તહેવારનું અનેરું મહત્વ છે.
આમ ભારતમાં એક તહેવારોનો દેશ કહી શકાય.
સંગાર ગાયત્રી રમેશ ભાઈ (ઉઠાર)
ધોરણ :૧૦
****************************** ************
*એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com
****************************** ************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ