GN_06-6-20
( ન્યૂઝ ઓફ ગાંધીનગર આજનું પેપર વાચવા ઉપર આપેલ તારીખ ઉપર ક્લિક કરીને વાંચી શકાશે)
*. વૃક્ષા રોપણ બાળ વિભાગ ના ત્રણ બાકી લેખ..*![](https://janfariyadnews.com/wp-content/uploads/2020/04/IMG_20180715_080951-02.jpeg)
(૧). *વિભાગ: બાળ વિભાગ*
*શીર્ષક: વૃક્ષ નુ મહત્વ*(ગદ્ય)
*_વૃક્ષ ને આભાર, વૃક્ષ ને આભાર_*
*_વૃક્ષ રોપી જીવન કરો સાકાર_*
*_વૃક્ષ ને આભાર, વૃક્ષ ને આભાર_*
*_વૃક્ષ છે જીવવાનો આધાર _*
*_વૃક્ષ વાવો જીવન બચાવો_*
5જૂન વૈશ્વિક પર્યાવરણ દિવસ છે છોડ પ્રત્યે ઉદાર અને સન્માનભર્યું વર્તન કરવું જોઈએ ગ્લોબલ વોર્મિંગ અક મોટી સમસ્યા બનો ગઇ છે પર્યાવરણની કાળજી રાખવી જરૂરી છે એના માટે લોકો ને જાગૃત થવુ જોઈએ વૃક્ષ પ્રતી કરુણા દેખાડવી વૃક્ષ માટે મારી ઇચ્છા છે કે છોડ પ્રત્યે સારુ વર્તન રાખીએ એ પણ માનવ જાતીની જેમ કુદરત નો અગત્ય નો ભાગ છે
આજ ના આધુનિક કાળમાં માનવી ખુબ પ્રગતિ કરી રહ્યા છે નવા નવા આવિષ્કાર કરી રહ્યા છે મોટાપ્રમાણમાં ઈમારતો, ફેક્ટરી ઓ બાંધવામાં આવે છે જેને કારણે
મોટા પ્રમાણમાં વૃક્ષ કાપવામાં આવે છે
આપણા ભારતમા ફક્ત 35 અરબ વૃક્ષ છે વૃક્ષ નુ પ્રમાણ ઓછું થવાને કારણે હવામાન માં કાર્બન ડાયોક્સાઇડ નુ પ્રમાણ વધે છે જેનુ પરીણામ વૈશ્વિક તાપમાન માં જોવા મળે છે.
ભારતમાં દર વર્ષે આશરે 70,000 વૃક્ષ કાપવામા આવે છે ખૂબ જ મહત્વની ઔષધો આપણ ને વૃક્ષ માંથી મળે છે. આજ ના યુગમાં અનેક વૃક્ષ વિલુપ્ત થાય છે. વૃક્ષ નુ ઓછું થવાનુ પરીણામ વરસાદ માં પણ થાય છે. કદાચ ભવિષ્યમાં એવું ન બને કે વૃક્ષો વિલુપ્ત થઇ જાય વૃક્ષ વીનાનુ જીવન ની કલ્પના પણ કરી ન શકાય. આપણે ફક્ત વૃક્ષ નથી કાપતા આપણે લાખો પક્ષી ઓના ધરો પણ નષ્ટ કરી રહ્યા છે વાતાવરણમાંથી ઓક્સિજન પણ નષ્ટ કરી રહ્યા છે *હે વૃક્ષરાજ તને આભાર*
✒_ડોડીયા ધાર્મિક
(R.C. Patel High School)
(૨). *બાળવિભાગ*
*વિષય: વાર્તા*
**શીર્ષક:વૃક્ષારોપણ*
આ એક ઘણા સમય પહેલાની વાત છે.એક ચંપકવન નામનું જંગલ હતું. સિંહ ત્યાં નો રાજા હતો. જંગલોને બચાવવા તેણે વૃક્ષારોપણ વિશે પ્રતિયોગિતા રાખવાનું વિચાર્યું .
સિંહે એક દિવસ દરેક પ્રાણીઓને બોલાવી પ્રતિયોગિતાની ઘોષણા કરી.સિંહે પ્રતિયોગિતા વિશે કહ્યું કે,”બધાં જ પ્રાણીઓએ પોતાની મનપસંદ જગ્યાએ વૃક્ષો લગાવવાના છે.છ મહિના પછી હું દરેકના વૃક્ષ જોઈશ.જેનુ પણ વૃક્ષ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હશે તેને ઈનામ આપવામાં આવશે”.
દરેકે કહ્યું કે,”આપણા જંગલમાં આટલા બધા વૃક્ષો છે તો પછી શું કામ વૃક્ષો ઉગાડવા?” સિંહે કહયું, “તમે બધા જ ઝાડ પરથી ફળ તોડીને ખાઓ છો,તે તમને ખોરાક રહેઠાણ આપે છે તો આપણી ભાવિ પેઢીને પણ આપણે વૃક્ષોની ભેટ આપવી જોઈએ.”
જંગલમાં બધાએ વૃક્ષો ઉગાડ્યા,પરંતુ ગજ્જુએ વૃક્ષો ન ઉગાડયા.છ મહિના પૂર્ણ થયા.બધા જ પ્રાણીઓ સિંહની ગુફા આગળ ઊભા હતા. બધા જ પાણીઓ ઉત્સુક હતાં પરિણામ જાણવા.