Press Brief 13.05.2020 Gujarat 17.00 hrs
(Gujarat corona latest Report.Jayanti Ravi)
GN_14-5-20 (NEWS of Gandhinagar PDF)
[5/13, 9:48 AM] Uday Vaisnav: *મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આજે સવારે 11 વાગ્યે રાજ્ય મંત્રી મંડળ ની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાશે*
*કોરોના સંક્રમણ ના આ સમયમાં પણ પ્રજાહિત ના કામો ના નિર્ણયો અને પગલાં અસરકારક સામૂહિક ચર્ચા મંથન થી લઈ શકાય તે માટે સતત 7 મી કેબિનેટ બેઠક આ રીતે વીડિયો કોન્ફરન્સ માધ્યમ થી મુખ્ય મંત્રીશ્રી ની પ્રેરણા થી યોજાઈ રહી છે*
*નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા ગાંધીનગર થી મુખ્યમંત્રીશ્રી સાથે તેમજ મંત્રી મંડળના અન્ય મંત્રીશ્રીઓ સંબંધિત જિલ્લા કલેકટર કચેરી મારફતે આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ સહભાગી થવાના છે*
[5/13, 12:14 PM] Uday Vaisnav: *મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આજે રાજ્ય મંત્રી મંડળ ની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ*
[5/13, 3:12 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જાહેરાત*:-
*કોવિડ-19 કોરોના વાયરસની મહામારીની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ-ઊદ્યોગ-વેપાર-ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રોના પૂર્નનિર્માણ-પૂર્નગઠનની ભલામણો સૂચવવા ઉચ્ચસ્તરીય સમિતીની રચના*
……
*વૈશ્વિક મહામારીના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન-આર્થિક ગતિવિધિઓ પૂર્વવત બનાવવાની નવી દિશા બતાવશે-ગુજરાત*
…..
*ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા સમિતીના અધ્યક્ષ*
*વિવિધ આર્થિક ક્ષેત્રોના ૬ તજ્જ્ઞોનો સભ્ય તરીકે સમાવેશ*
…..
*સમિતી સર્વગ્રાહી તલસ્પર્શી કાર્યયોજના એકશન પ્લાન સાથેનો ભલામણ અહેવાલ
એક મહિનામાં સરકારને સોંપશે*
…….
*આ સમિતિના કાર્યક્ષેત્રો*
*સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનના અંદાજો મેળવી સેકટર સ્પેસીફીક પૂર્નનિર્માણની ભલામણો કરશે*
*અંદાજપત્રની રાજકોષિય-ફિઝકલ-આર્થિક સ્થિતીની સમીક્ષા અને સુધારાત્મક પગલાં સૂચવશે*
*રાજ્યમાં શ્રમિકોની સરળ ઉપલબ્ધિ વ્યવસ્થાઓ અંગે સૂચનો આપશે*
*આર્થિક અને નાણાંકીય રીવાઇવલ માટેનો શોર્ટ ટર્મ-મીડીયમ ટર્મ અને લોંગ ટર્મ એકશન પ્લાન સૂચવશે*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સમિતીના અધ્યક્ષપદે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડૉ. હસમુખ અઢિયાની નિમૂણંક કરી છે. ૬ સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ શ્રી મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ શ્રી પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી શ્રી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. શ્રી એમ. થેન્નારસનની નિયુકતી કરી છે.
પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-19ની આ વૈશ્વિક મહામારી સામે ગુજરાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અન્ન સુરક્ષા, આરોગ્ય રક્ષા અને અન્ય ક્ષેત્રોમાં શ્રેણીબદ્ધ પ્રોત્સાહક પગલાંઓ લીધા છે.
ગુજરાત દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિનું એક મહત્વપૂર્ણ રાજ્ય તથા મેન્યૂફેકચરીંગ હબ છે ત્યારે કોવિડ-19ની આ મહામારીને પરિણામે રાજ્યની એ ગતિવિધિઓને વ્યાપક અસર પહોંચી છે.
આ મહામારીના સંકટથી રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, MSME સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતીને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતી રચવાનો નિર્ણય કર્યો છે.
ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને રચાયેલી આ સમિતીએ તલસ્પર્શી કાર્યયોજના એકશન પ્લાન સાથે પોતાની ભલામણોનો અહેવાલ રાજ્ય સરકારને એક મહિનામાં આપવાનો રહેશે.
સમિતી આ અંગેનો વચગાળાનો અહેવાલ ઇન્ટરીમ રિપોર્ટ બે સપ્તાહમાં સરકારને સોંપશે.
આ ઉચ્ચસ્તરીય સમિતી રાજ્યમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપશે.
સમિતીના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજ્યની રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતીની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.
એટલું જ નહિ, કોવિડ-19 મહામારી પછીની ઉદભવનારી સ્થિતીમાં રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતી ભલામણો કરશે.
રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ઊદ્યોગોને ઉત્પાદન માટે શ્રમિકો-લેબર એક મહત્વપૂર્ણ પરિબળ છે.
કોરોના વાયરસની હાલની સ્થિતીમાં ગુજરાતમાંથી મોટાપાયે આવા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં ચાલ્યા ગયા છે ત્યારે શ્રમિકોની ઉપલબ્ધિની વ્યવસ્થાઓ સુધારણા માટેની બાબતો પણ આ સમિતીના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
આ ઉચ્ચસ્તરિય સમિતી અન્ય રાષ્ટ્રોમાંથી પોતાના એકમો બીજા દેશ-રાષ્ટ્રમાં ખસેડવા ઇચ્છતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત કરવા માટેની યોગ્ય નીતિ ઘડતરની ભલામણો પણ રાજ્ય સરકારને કરશે.
એટલું જ નહિ, રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા રિવાઇવલ માટે ઇમીજીયેટ – ત્વરિત, મીડીયમ ટર્મ – ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ – લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતી તૈયાર કરશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉચ્ચસ્તરીય સમિતીની રચના કરીને રાજ્યના ઊદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પૂન: ધબકતા કરવા તથા કોવિડ-19ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશા દેશને બતાવી છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/13, 3:25 PM] Uday Vaisnav: Gujarat Information Bureau
Government of Gujarat
13th May , 2020 G097
CM: Economic Revival Committee to be headed by Dr. Hasmukh Adhia
*****
Gandhinagar, Wednesday: Chief Minister of the state Mr. Vijay Rupani has decided to constitute a committee to deliberate on economic revival measures including fiscal restructuring; under post COVID-19 pandemic scenario and provide comprehensive suggestions.
The committee will have experts form diverse economic fields to deliberate on the aforesaid measures. The 6 member committee will be headed by Dr. Hasmukh Adhia, Former Finance Secretary, Government of India. Other members of the committee include Prof. Ravindra Dholakiya, Ex-Professor, IIM-A; Mr. Mukesh Patel, Senior Tax Consultant; Mr. Pradeep Shah, Financial Expert; Mr. Kirit Shelat, IAS(Retd.) and Mr. M.Thennarasan, VC and MD, GIDC, Government of Gujarat.
It is to be noted here that the state government headed by the Chief Minister has taken a number of welfare measures in areas of food security, healthcare and sector specific activities. However, the COVID-19 pandemic has affected the state and its economy to a large extent. The demand and supply chain have been crippled and the informal sector and the MSMEs have taken a major blow. Gujarat has a large migrant workforce. However, the pandemic has compelled them to return to their respective home states. The disruption caused by COVID-19 has affected an industrially developed state like Gujarat, which has in turn affected the nation too.
The committee headed by Dr. Adhia will submit a comprehensive action plan with necessary inputs within one month and an interim report will be submitted within two weeks. The committee will assess sectoral and sub-sectoral losses and provide necessary measures for revival. The committee will also review the fiscal status and budgetary position of Gujarat and provide suitable suggestions for improvement. This will include revising and revision of fiscal deficit estimate and the current tax administration in the post COVID-19 scenario.
In addition to that, it will analyse the availability of labour and provide necessary recommendations to improve labour availability in the state considering a large scale movement of migrant workers to their respective home states amidst the pandemic. Further, it will devise a strategy to create an ambient environment to attract foreign companies looking to relocate their base from other countries. It will also provide a comprehensive action plan (immediate, medium term and long term) for economic and fiscal revival.
****
[5/13, 4:34 PM] Uday Vaisnav: ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે
૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના :-
…….
પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલ
કુલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો- ૨૬૨ ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ
……
ઉત્તરપ્રદેશ-ઓરિસ્સા-બિહાર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ-ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં
બુધવારે રાત સુધીમાં ગુજરાતની વિશેષ ટ્રેન રવાના થશે
…….
સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન સહિતની વ્યવસ્થાઓ સાથે
શ્રમિકો પોતાના વતન જવા રવાના થાય છે
……
મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૨૬૨ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૩ લાખ ૯૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનિકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાંથી આવી ૬૪૦ વિશેષ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પરપ્રાંતિય-શ્રમિકોને વતન રાજ્ય જવા માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ ૨૬૨ ટ્રેન એટલે કે ૪૧ ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી રવાના થઇ છે.
આજે વધુ ૩૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે, એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાંથી મળીને કુલ ૬૪૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવેલી છે. તેમાં એક માત્ર ગુજરાતે ર૬ર ટ્રેન એટલે કે ત્રણ આંકડાનો ફિગર પાર કર્યો છે. આવી દોડાવવામાં આવેલી ટ્રેનના કુલ ૪૧ ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી દોડી છે.
શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ કે, મહારાષ્ટ્રમાંથી ૯૯ (૧પ ટકા), પંજાબથી ૮૧ (૧૩ ટકા), રાજસ્થાન ર૭ (૪ ટકા), કર્ણાટક ૩૬ (પ ટકા) અને તેલંગાણા ૩૩ (પ ટકા) ટ્રેન રવાના થઇ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલ મંગળવારે રાત્રી સુધીમાં ગુજરાતમાંથી ૨૬૨ ટ્રેનો રવાના કરવામાં આવી છે. જે સાથે કુલ ૩.૩૪ લાખ પરપ્રાંતીયો શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં કોઈ પણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.
આજે બુધવારે અન્ય ૩૭ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. જેમાં ઉત્તરપ્રદેશ માટે ૨૭, બિહાર માટે પાંચ ટ્રેન, ઓરિસ્સા માટે ૩ ટ્રેન અને મધ્યપ્રદેશ-છત્તીસગઢ માટે ૧-૧ ટ્રેન દોડશે. અમદાવાદથી ૧૦ ટ્રેન, સુરતથી ૧૨ ટ્રેન, રાજકોટથી ૪ ટ્રેન, વડોદરાથી ૩ ટ્રેન તથા અન્ય જિલ્લાઓમાંથી ૧-૧ મળીને આજે રાત સુધીમાં રવાના થનાર ૩૭ ટ્રેનમાં વધુ ૫૬,૮૦૦ પરપ્રાંતીયો – શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્યમાં જે શ્રમિકો પહોંચ્યા છે અને આવી ટ્રેન મારફતે પહોંચી રહ્યા છે તેનો આંક ૩ લાખ ૯૦ હજાર જેટલો થવા જાય છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/13, 5:41 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને
રાજ્ય મંત્રીમંડળની સાતમી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠક*
……
*પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કરેલા ર૦ લાખ કરોડના રાહત પેકેજ અંગે આભાર વ્યકત કર્યો*
*રાજ્યમાં કોરોના સંક્રમણ અને આરોગ્યલક્ષી પગલાંઓ – લોકડાઉન અમલીકરણ અને અનાજ વિતરણની સ્થિતીની જિલ્લાવાર સમીક્ષા હાથ ધરાઇ*
*અન્ય રાજ્યોના શ્રમિકોને વતન રાજ્ય પહોચાડવા ટાઇમ બાઉન્ડ પ્રોગ્રામ કરી અમલીકરણની જિલ્લા કલેકટરોને તાકીદ*
……
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે પ્રધાનમંત્રીશ્રીએ કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાંથી વેપાર-ઊદ્યોગ ધંધા-રોજગાર પૂન: વેગવંતા બનાવવા જાહેર કરેલા ર૦ લાખ કરોડના રાહત પેકેજ અંગે આભાર વ્યકત કર્યો હતો*.
આ પેકેજની નાણા મંત્રીશ્રી દ્વારા વિસ્તૃત જાહેરાત બાદ ગુજરાતમાં આ પેકેજનો લાભ વેપાર-ઊદ્યોગ રોજગાર સહિત નાના-મધ્યમ ઊદ્યોગો, છેવાડાના માનવીઓ અને જરૂરતમંદ વ્યકિતઓ સુધી ઝડપભેર પહોંચે તે અંગે પણ કેબિનેટ બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.
આ પેકેજના રાજ્યમાં અમલીકરણ માટેની રણનીતિ નક્કી કરવાની દિશામાં પણ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તથા મંત્રીમંડળના અન્ય મંત્રીશ્રીઓ જિલ્લા મથકોએથી આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના વાયરસ સંક્મણ અને તેની સામેના આરોગ્યલક્ષી પગલાંઓ, લોકડાઉનની અમલીકરણ સ્થિતી તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થાની જિલ્લાવાર સમીક્ષા કરી હતી.
તેમણે જિલ્લા કલેકટરોને જણાવ્યું કે પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાંથી જે અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો એકવાર પોતાના વતન રાજ્ય જવા ઇચ્છે છે તેમના માટે હાલ મોટા પાયે ટ્રેન ચલાવીને વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ એવી પણ તાકીદ કલેકટરોને કરી કે, આવી ટ્રેનનું હજુ પણ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા નગરોમાંથી વધુ સઘન રીતે આયોજન કરવા અને યુ.પી., બિહાર, ઓડિશા, ઝારખંડ જેવા રાજ્યોના શ્રમિકોને વતન રાજ્ય જવા ચોક્કસ ટાઇમ બાઉન્ડ પ્રોગ્રામ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવે.
મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમ, પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ જ્હા અને અન્ય વરિષ્ઠ સચિવો સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલના તાપી સમિતી ખંડથી આ વિડીયો કોન્ફરન્સીંગ બેઠકમાં જોડાયા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/13, 11:52 PM] Uday Vaisnav: પ્રવર્તમાન લોક ડાઉન સ્થિતિમાં વિદેશ માં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકાર ના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈત થી લઇ ને આવેલું ખાસ વિમાન અમદાવાદ હવાઈ મથક આવી પહોંચ્યું ..