પહેલી મે,ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સૌકોઈ દેશ વિદેશ અને રાજ્યો મા વસતા મારા ગુજરાતીઓ ને ” શુભ દિન આયો” જેવી અઢળક શુભેચ્છાઓ..સ્વભાવગત પ્રજા હિત માં ચૂપ રહી નહિ શકું એટલે કેટલુંક ગમતું ના ગમતું સહન કરજો.
ગુજરાતીઓ એ દેશ અને વિદેશ માં અનેક ક્ષેત્રો માં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને સફળ રાજકીય.આર્થિક.વ્યવસાઇક.વૈજ્ઞાનિક.શિલ્પી.સાહિત્ય અને સંસ્કૃતિ ના રખેવાળો પરંપરાગત રીતે ગુજરાત ને ગૌરવ અપાવે તેવા ગાંધી સરદાર ની ભુમી તરીકે બિરુદ અપાવડાવ્યું છે અને હજુ પણ અપાવી રહ્યા છે..મોદી,શાહ ગુજરાત ની કેન્દ્રીય રાજકીય કક્ષાએ સર્વોચ્ચ સ્થાન તે પણ એક ઇતિહાસ જ છે.અંબાણી અદાણી.અજીમ પ્રેમજી લક્ષ્મી મિત્તલ અને અનેક ઉધોગપતિઓ પણ ગુજરાતી વ્યવસાઇક ક્ષેત્રો માં શિરમોર કહેવાય…ફરક એટલો કે તેઓ પોતાની આવડત.બુદ્ધિમત્તા અને વારસો જાળવી પોતાના બલબુતા ઉપર આવીને પ્રેરણાત્મક બની રહ્યા જ્યારે છેલ્લા ૨૫ વરસ થી આવેલા અભણ માત્ર અહિતિહાસીક સંસ્કૃતિ.પૂર્વ યોજનાઓ અને પૂર્વ રાજ ને માત્ર પોતાની અશિક્ષિત બુદ્ધિથી તેમાં નાના મોટા સ્વાર્થી ફેરફાર કરી પોતાને નામે ચઢાવવા ના અભરખામાં ગુજરાત ને બદનામ કરી સ્વ પ્રગતિ ખાતર આજે અઢી લાખ કરોડ ના દેવામાં તેમજ ગુજરાત નું પ્રત્યેક ઘર આજે આર્થિક કટોકટી અનુભવે તેવી દિશામાં શાશન ચલાવી રહ્યા છે. આંગળી ના વેઢે ગણી શકાય તેવા આપણી સામે રખડતા નબળી , મધ્યમ પરિસ્થિતિ વાળા આજે વૈભવી ઠાઠ માં રાચી રહ્યા છે કે જેમનો કોઈ ધંધો રાજકારણ સિવાય આજે પણ કાઈ નથી. કેવળ મોદી શાહ ની સત્તામાં પ્રજાને ભય વિના પ્રીત નહિ નું શાશન આં હિન્દુ રાષ્ટ્ર ના બહાને આવી પડેલી સ્વાર્થી ભગવી જમાત કરી રહી છે..કોઈપણ ક્ષેત્ર નો ગુજરાતી શૂરવીર.શિરમોર આજે પોતાનું કાઈ પણ કૌતુક બતાવવું હોય તો આં અભણ શાશન ના સ્ટેમ્પ સેનાપતિઓ ના દલાલો ને કગરી
,પગ મા પડી તેમના કહેવા પ્રમાણે ભ્રષ્ટાચાર કરી તમે આગળ આવી કંઇક બતાવી શકો..હાલમાં ગુજરાત નું યુવા ધન સરકારી અણધડ નીતિઓ ના કારણે પરિવારો ને દેવામાં નાંખી વિદેશો માં ભણવાના બહાને સેટ થઇ ગયા છે અને આં અભણ શાશન ના પરિવાર ના નબીરાઓ પણ બાપ ની જંગિર ઉપર આજે લંડન.અમેરિકા.કેનેડા.ઓસ્ટ્રેલિયા.ન્યુઝીલેન્ડ વૈભવી ઠાઠ માં ભાની અને સેટ થઈ રહ્યા છે..મોદી શાહ પણ પૂર્વ શાશન ના લોકો નું રાજકારણ શીખી ને તેમાં જોહુકમી કરી ગુજરાત ના ૧૨ વરસ ના લોહિયાળ કલંકિત શાશન કરી આખરે દિલ્હી ની ગાદી ઉપર જીત મેળવી રાજ્ય બાદ દેશ ની જનતા ને પણ હથેળી માં ચાંદ ની જેમ દીવા સ્વપ્નો આપી શાશન કરી રહ્યા છે. એક પછી એક અખતરા રૂપી અણધડ શાશન ના કારણે દેશ ની અર્થવ્યવસ્થા.રાજકીય વ્યવસ્થા અને સામાજિકતા તૂટી રહી છે. વિદેશી સત્તાઓ સાથે પોતાના સ્વા વિચારો થી હાથ મિલાવી ફૂટ નીતિ ના કારણે આજે પણ તેઓ સફળ થઈ રહ્યા નથી અને જુઠ્ઠા ઇતિહાસ ને દોહરાવી એક જૂથ ના સો જૂથ બોલી પ્રજાના પૈસા પાયમાલ કરી ટકી રહ્યા છે.દેશ નો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય આફત આવે ત્યારે પોતાની જનતા ને થાળીઓ.તાળીઓ વગાડી દીવા પ્રગટાવવા ના ખેલ કરાવે..? કે જે દેશ ની પ્રજા એ દેશ ના હિન્દુ દેવ દિવીઓ,૧૨ જ્યોતિર્લિંગ.૫૧ શક્તિપીઠો માં સદીઓ થી દીવા.પૂજા.પાઠ.યાત્રાઓ કરી આં દેશ ને અનેક મહામારી માથી માત્ર શ્રદ્ધા થી ઉગાર્યો છે..તેને આં સામાજિક નિષ્ફળ.કુદરતે આગળ વંશ કબૂલ નથી કર્યો તેવા વ્યક્તિ પ્રધાનમંત્રી નીબખુરસી ઉપર બેઠા બેઠા સલાહ આપી રહ્યા છે કે જેને ગુજરાત ને અઢી લાખ કરોડ ના દેવા મા મૂકી આજે પણ ગુજરાત નું પ્રત્યેક ઘર દેવાદાર બનાવી દીધું છે.જે ૨૪ વરસથી ગુજરાત મોડલ ના સ્વપ્ના બતાવી મન કી બાત ના ખેલ કરી રહ્યા છે. અનેક ઇ એન.આર.આઇ પણ આં મોદીજી ના પ્લાન થી ચાલીને પાયમાલ થઈ ગયા છે પણ બોલી ના શકે તેવી કફોડી સ્થિતિ મા વિદેશ માં વસે છે કે જેઓ ગુજરાત ના આર્થિક ઘરેણાં હતા. અનેક ગામો.શહેરો ની દિવાળી અને નવરાત્રીનો તેમના આર્થિક સહયોગ થી ચાલતી..આજની આં વૈશ્વિક મહામારી માં હજુ પણ આં ધન ધડા વગર ના સ્ટેમ્પ શાસકો ભણતર ના હોય તેવા મંત્રીઓ.માત્ર ભણેલા,ગણેલા અધિકારીઓ ના સલાહ સૂચનો પર રાજ કરી અખતરા કરી” પડે તેવી દેવાશે”ની જેમ શાશન ચલાવી રહ્યા છે.તેમના આકાઓ દેશ ના શહીદો ના નામે યોજનાઓ બનાવી કરોડો રૂપિયા લૂંટાવી રહ્યા છે..ગુજરાત માં પણ ૩૦૦૦ કરોડ ના પૂતળા બનાવી અનેક ફ્લોપ ઉત્સવો વાર્ષિક યોજનાઓ કાયમી બનાવી માત્ર પ્રજા ને ઉત્સવ રૂપી ગુચ્વાડા માં બેધ્યાન કરી ગુજરાત ને અનેક વર્ષો પાછળ ધકેલી રહ્યા છે..ગુજરાત નો ખેડૂત આજે પણ પાયમાલ છે..હાલમાં માત્ર બીપીએલ. એપી એલ કાર્ડ ધારકો ના ૬૬ લાખ લોકો ના આંકડાને વારે તહેવારે ગરીબો ને મદદ ના બહાને સરકારી અનાજ રાહતો સિવાય કશું આપી શકવાને શક્તિમાન નથી. આજે ગુજરાત સ્થાપના દિને ગુજરાત નું એક એક ઘર છેલ્લા બે મહિનાથી કોઈપણ સ્થિર આવકો વિના રોજિંદા બીલો ઘેર બેઠા ભરવા અશક્તિમાન હોવા છતાં અનેક યાતનાઓ વેઠી રહ્યું છે.ધંધા,રોજગાર બિલકુલ ઠપ્પ.આંતર રાજ્યોના મજૂરો જતા રહ્યા હોવાથી રાજ્યના કિસાનો ઊભો પાક હોવા છતાં વાઢી શકતા નથી અને આશરે ૨૦૦૦ કરોડ નું નુકશાન બતાવી રહ્યા છે..વીજળી.પાણી ના બીલો માં સરકારે કોઈ રાહત આં કોરોના સંબંધી આપી નથી. સરકાર આધારિત શિક્ષણ ની હાટડીઓ વાળા ને સરકારે પૂર્વ પૂરી ફી ૧૨ મહિના મા હપ્તે પણ લેવાના આદેશો કર્યા અને વગર ભાનાવ્યે ત્રણ મહિનાની ફી વાલીઓ એ ભોગવવાના વાર આવ્યા..આમાં ક્યાંથી ફ્રી શિક્ષણ આવ્યું? મોંઘી દાટ હોસ્પિટલો ને પણ કોરોના બીમારીમાં લાખો રૂપિયા ઉઘરાવવાની છૂટ આપી અને આજે પ્રજા લૂંટાઈ રહી છે.સરકારી હોસ્પિટલો માં કેન્દ્રીય પેકેજ દ્વારા શુશોભનો કરી કોવિદ ૧૯ ના વોર્ડ બનાવી ૧૦.૦૦૦ જેવી બેડ અને ૫૦૦૦ જેવા વેન્ટિલેટર(દાંનથી આવેલ) સગવડ કરાઈ છે.ગુજરાત ની સ્વૈચ્છિક સંસ્થાઓ એક મહિનાથી સ્થાનિક ગરીબો ને ખવડાવી અનાજ નીંકિત આપી રહી છે. સરકાર ઉધોગપતિઓ.કોન્ટ્રાકટર.વહેપારી એશો સીએશન પાસે થી સીએમ અને પીએમ ફંડ ના નામે ઉઘરાઈ ચૂકી છે. સસ્તા અનાજ માં પણ ભ્રષ્ટાચાર.સડેલા અનાજ વહેચાઈ રહ્યા છે.લોક ડાઉન ના બહાને પ્રજા સવલતો આપવામાં બહાને માત્ર જોહુકમી થી ઘરમાં બેસાડી સરકારી મનઘડત પ્રજા ના સલાહકારો ને પૂછયા વિના નિર્ણયો લેવાઈ રહ્યા છે.મહાનગરો માં સંક્રમણ આંતરિક અવરજવર અને લોક ડાઉન ની ઢીલી નીતિ ને લીધે એવરેજ રોજના ૨૫૦ કેસ વધી રહ્યા છે અનેરીજ ના મૃત્યુ દર પણ સાજા થવાના દર ની સામે વધી રહ્યો છે નેતાઓ તેમના દિલ્હી ના આકાઓ ની સૂચના પ્રમાણે અધિકારીઓ પાસે કામ કરાવી ને ગોદી મીડિયા થી પ્રજા માં સંદેશ ફેલાવી રહ્યા છે. સરકારી મેડિકલ ની સ્ટાફ.ડોકટર .નર્સ . કમ્પાઉન્ડર.અધિકારીઓ.સફાઈ કામદારો.શાકભાજી વાળા કરિયાણા ના વેપારી..સ્વયમ સેવકો.સામાજિક નેતાઓ.૧૩ જેવા મીડિયા કરમી,એસ આર.પી ના ૧૦૦ જેવા જવાન..પોલીસ બેડામાં અસંખ્ય લોકો..નગરપાલિકા.મહાનગર પાલિકા ના કર્મ ચરીઓ.. ડે.કમિશનર જેવા પણ આજે કોઈ ચોક્કસ ગાઈડ લાઈન વિના કોરોના પોઝિટિવ આવી ગયા છે..ભાજપ ના રાજકીય નેતાઓ સરકારી તંત્ર ને સાથે રાખી તેમની વોટબેંક માં કરિયાણા ની કીટ વહેચી રહ્યા છે. અમિત શાહ જેવા ગાંધીનગર ના સાંસદ તેમની સાથ વિધાન સભામાં હજાર બારસો લેખે કીટ વિતરણ કરાવી ચૂક્યા છે અને કમલમ વાળા ૬૦.૦૦૦ કીટ વિતરણ ના સાચા જુઠ્ઠા દાવા કરી રહ્યા છે. કોરોના ઉપર કાબૂ હોય તેવી કોઈ કામગીરી સરકાર ની સફળતા બતાવતી હોય તેવું હાલમાં લાગતું નથી કેમકે આજે ૩૭ માં દિવસે પણ ૪૭૨૧ પોઝિટિવ કેસ છે અને ૨૩૬ ના મૃત્યુ થયા છે.૩૨૬ કેેસ નવા. વિરોધ પક્ષ તેેંની રીતે વિરોધ કરે છે પણ શાશક સરકાર હજી સુધી ગુજરાત ના સાચા બિન રાજકીય કે રાજકીય સાચા સેવકો સાથે બેસી પરિણામ લક્ષી યોજના બનાવી શકી નથી…અંત મા મારા પત્રકારત્વ ના ૩૦ વરસ ના અનુભવ માં કહી શકાય કે રૂપાણી સરકાર પ્રજા ઉપર માત્ર અખતરાઓ કરી રહી છે જેને હું “પડે તેવી દેવાશે ” રૂપાણી અખતરા સરકાર નું ઉપનામ આપી ચૂક્યો છું અને વાસ્તવિકતા હું ભાગ,૧.૨.૩ લખી પણ ચૂક્યો છું….આજે ભાગ ૪ લખાયો. ફરી સૌને પોત પોતાની આર્થિક .શારીરિક..રક્ષણ જાતે પોતાની બુદ્ધિ થી જ રાજકીય અભ્યાસ કરીને કરવું તેવી મારી વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત….પ્રદીપ રાવલ.એક હિ આગ.જન ફરિયાદ ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક.ગાંધીનગર.(9824653073)