દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ કેજરીવાલનું ગેરંટી કાર્ડ જાહેર કર્યું છે. કેજરીવાલની 10 ગેરંટી નામથી જાહેર થયેલા આ કાર્ડમાં દિલ્હીવાસીઓને મૂળભૂત અને જરૂરી તમામ સુવિધાઓ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે કેજરીવાલે જણાવ્યું કે આ ગેરંટી કાર્ડના માધ્યમથી અમે અનેક યોજનાઓની આગામી પાંચ વર્ષ સુધીની ગેરંટી આપી રહ્યા છીએ. અમે પ્રજાજનોને એ બતાવી રહ્યા છીએ કે આ યોજનાઓ આગામી પાંચ વર્ષ સુધી ચાલુ જ રહેશે અને તેનો લાભ દિલ્હીવાસીઓને મળતો રહેશે.આ ગેરંટી પ્રજાને ભરોસો આપવા માટે છે. કે આગામી પાંચ વર્ષોમાં સરકાર આ 10 ગેરંટીને પૂર્ણ કરશે. આ 10 ગેરંટી આમ આદમી પાર્ટીના ચૂંટણી ઢંઢેરાથી અલગ જાહેર કરાઇ છે. આ ગેરેંટી કાર્ડમાં 10 વચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પાણી, ટ્રાન્સપોર્ટ અને વીજળી સહિતના અન્ય ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
કેજરીવાલના ગેરંટી કાર્ડ દ્વારા દરેક ઘરમાં 24 કલાક સ્વચ્છ પાણી, પ્રદૂષણ મુક્ત શહેર, મહિલા સુરક્ષા, મફત વીજળી (200 યુનિટ), ભૂગર્ભ કેબલ, ગેરકાયદેસર વસાહતો માટે માળખાકીય સુવિધાઓ, જ્યાં ઝૂંપડપટ્ટી ત્યાં મકાનો, જાહેર પરિવહન, શિક્ષણ, સ્વચ્છ દિલ્હી અને દરેક ઘરમાં શૌચાલય આપવાનું વચન આપવામાં આવ્યું છે.
********