*ચોટીલમાં ગુજરાત સરકાર દ્વારા 23 જાન્યુઆરી નારોજ અવરોહણ આરોહણ સ્પર્ધા*
ગુજરાત સરકાર દ્વારા 23 જાન્યુઆરી ગુરૂવારના રોજ અવરોહણ આરોહણ સ્પર્ધા ચોટીલમાં સૌપ્રથમવાર યોજાનાર છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પર્ધકો સિવાય અન્યોને મંદિરના પગથિયાં પર ચડવા-ઉતરવા પર ગુરૂવારે સવારે 6 થી 11 સુધી પ્રતિબંધ લાદી દીધો છે. ગુજરાત સરકાર રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોટીલા ચામુંડા ડુંગર પર આરોહણ સ્પર્ધાનું આયોજન 23મીને ગુરુવારના રોજ કરાયુ છે. જેમાં ગુજરાતભરમાંથી 153 જેટલા જુનિયર ભાઈ-બહેનો દૌટ લગાવાના છે. ત્યારે અન્ય યાત્રિકોને માતાજીના ડુંગરના પગથિયાં પર ચડવા તેમજ ઉતરવા માટે સવારે 6 વાગ્યાથી 11 સુધી સ્પર્ધક સિવાય અન્ય કોઈએ ચડવું કે ઉતરવું નહિ તે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગર દ્વારા પ્રતિબંધ લગાવ્યો છે.
********