” પુસ્તકો વહેચાય છે વેચાતા નથી”….તેનું કારણ સાહિત્ય ના નકલી વારસો નો રાજકીય જમાવડો છે…પ્રદીપ રાવલ
..વિશ્વ.પુસ્તક દિનનિમિત્તે સરકારી સાહિત્ય અકાદમી ને વાંચન કોષ બીજ યુવાપેઢી માં રોપી શકે તેવા કિસાન રૂપી લેખકો ની ભરતી કરવી જોઈએ, રાજકીય ખભા વાળા સાહિત્ય ચોરી કરીને પુસ્તકો લખનાર રાવણ યુગ ની સેના, સેનાપતિ થકી પોઠિયા રૂપી વાનરસેના ની નહિ, પુસ્તકો થકી સાહિત્ય સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા આપણા બહૂર્મુખી જ્ઞાન વાળા પ્રતિભાશાળી વિશ્વ વિખ્યાત વ્યક્તિત્વો જે આપની વચ્ચે હયાત છે તેમનું માંન સન્માન જળવાય તે અતિ આવશ્યક કેમકે શહીદો પછીની રાજનીતિ તો રાજકીય નેતાઓ સાહિત્યનું કન્યાદાન સરકારી તિજોરી માંથી કર્યા જ કરશે….કેમકે ભાવ.ઉર્મિઓ સાથે લખેલું ફરી લખાશે નહિ એ કલમો હવે ઉઠસે નહિ.તેને પણ ઘડપણ ની અસર છે.તખલ્લુસ નામો તેમની ઓળખ રહી ગઈ.. આજે વિશ્વ પુસ્તક દિન મારો ભાવ રજૂ કરતા……પુસ્તકો થકી સાહિત્ય સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા આપણા બહૂર્મુખી જ્ઞાન વાળા પ્રતિભાશાળી દેશ.વિદેશ માં વસતા પુસ્તક પરબ ના પ્રતાપભાઈ પંડ્યા.રમાબેન પંડ્યા .ચંદ્રકાંત મિસ્ત્રી.યશવંત મહેતા.માધવ રામાનુજ જેવા કે મેઘાણી ના પુત્ર જેવા નામી અનામી અનેક વ્યક્તિત્વો જે આપની વચ્ચે હયાત છે તેમનું માંન સન્માન જળવાય તે અતિ આવશ્યક..કેમકે ભાવ.ઉર્મિઓ સાથે લખેલું ફરી લખાશે નહિ એ કલમો હવે ઉઠસે નહિ.તેને પણ ઘડપણ ની અસર છે.કલાપી ઉમાશંકર જોશી હવે પાકશે નહિ..હયાત આપની વચ્ચે ના ને વાર તહેવારે એમના કર્મ ને જો ના વધાવી શકીએ તો નવી પેઢી ની જીભે સાહિત્ય લાવતા આપણાં માં ઊર્જા રૂપી ખાતર કોણ નાખશે…..હાલના રાજકીય સાહિત્ય ની જાળવણી કરી રહેલા માં તો ખાતર વિનાના કોષ દેખાય છે .. હમણાં જાણ્યું કે ૧.૩૦.૦૦,૦૦૦ કલાકારો માટે સરકારે ફાળવ્યા…બોલો આવા કલાકારો નું કયું માપદંડ કોણ નક્કી કરશે. આમાં..ઈ સાહિત્યિક બુદ્ધિવાળા ની અભ્યાસી કમિટી રચાઈ તે બધા કોણ ?.આજકાલ તો નિવૃત્ત અધિકારીઓ દ્વારા જ વિદ્યાપીઠો.અક્ષર જ્ઞાન સરકારી સહાય ની સંસ્થાઓ અને અધકચરા જ્ઞાન વાળા સરકારી ટેબલે સરકારી ચાલુ પગારે ભાગ્યું તૂટ્યું એક બીજાના શબ્દ કોષ ની ઉઠાંતરી કરી બની બેઠેલ સાહિત્યકારો રૂપી કવિઓ ની સાહિત્યિક સંસ્થાઓ માં બોલબાલા છે.કોઈપણ સરકારી સાહિત્ય ઉઠાવી લ્યો અને જુવો તો જાણે સાહિત્ય ના વંશજ બની બેઠા હોય તેમ તેમના જ નામો આગળ.પાછળ જોવા મળે..કોઈ દિવસ સરકાર માં ન્યાયિક પ્રશંશનીય નોકરી કરી પરિણામ લાવ્યા હોય તેવો દાખલો જોવા મળે નહિ..કેવળ નેતાઓ ની પટાવાળી કરી સરકારી ખભે ઐયાશી જીવન જીવ્યા હોય અને પરિવારો ને સત્તા ના જોરે સુખ સગવડો પાર પાડી હોય તેવા તેમના ચિત્ર વિચિત્ર ઇતિહાસ છે..કોઈ મોઢે ના કહે પાછળ બોલે.અમારા જેવા નિસ્વાર્થ તેમને ખુલ્લા પાડી સાહિત્ય નો સાચો આયનો બતાવે….. જેમાં સાચા સાહિત્યકારો શોધે જડશે નહિ કેમકે આની કોઈ યુનિવર્સિટી નથી..અનુભવે જ પ્રીતિ પ્રાપ્ત થાય. ……આતો સવાર સવાર માં “જયશ્રી” શુભાશિત થકી ટોકી ગઈ કે પુસ્તકો ઉથલાવવા નું મન થાય તો મન નું ગ્રંથાલય પણ નાનું પડે”
મારા ૩૦ વરસ ના પાટનગર અને લંડન આવાસ થકી પત્રકારત્વ કરતા ચિત્ર વિચિત્ર.સગવડિયા.આગામી.સાચા.ખોટા…..સરકારી ખભે તૈયાર થયેલા અને અનેક નેતાઓના પોઠિયા થકી જાણીતા અખબારો માં નેતાઓ ની ખુશામત ખોરીના પડદા પાછળ અનુભવે સાહિત્ય ની ચોરિંકરીને બની બેઠેલા કવિઓ.સાહિત્યકારો ના રાફડા રૂપી અનેક અનુભવો જોયા……..સાહિત્ય ની ચોરીઓ પણ પકડી અનેક લોકો નું ધ્યાન દોરતા .માફી માંગવા ના નાટકો જોયા….ખોવાઈ જવું..પાછા આવી જવા ના ખેલ જોયા….પ્રણયો માં શબ્દો થી જિંદગી બનાવેલા જોયા…લોકો ના ઘર ભાંગી પોતાના ઘર બનાવતા પણ જોયા..શરમ.ઈજ્જત.લાજ વિનાના નફ્ફટ પણ ઘણા સામાજિક કલંકિત જીવન જીવતા કવિ.સાહિત્યકારો જોયા કે જેમને માટે તમે ગમે તેટલું પારિવારિક સાથે ઉઘાડું કરો તોયે કોઈ સુધાર તેમના કે તેમના ચિત્ર વિચિત્ર પરિવાર મા આવે જ નહિ….મોટાભાગના અમારા અખબારી આલમ માં પણ સાહિત્ય વિભાગો મા લેખો આવે , અધકચરા જ્ઞાન ના લેખો જોવા મળે…કેટલા સાચા ખોટા ઇતિહાસ બતાવાય….નરેન્દ્ર મોદી જેવા પણ બેચાર વર્ષ મા મુખ્યમંત્રી બન્યા બાદ બોલો એક સાહિત્યકાર ના ખભે સંપાદન કરાવી સાક્ષી પુસ્તક વિમોચન કર્યું અને ગુરુ દક્ષિણા માં નરેન્દ્રભાઇ દિલ્હી જઈ પદ્મ શ્રી આપી ઋણ અદા કર્યું…બોલો આ સાહિત્ય ના આયના માં હજુ કેટ કેટલી વાસ્તવિકતા મન ના ગ્રંથાલય માં કેદ છે.અનેક હજુ છેલ્લી અવસ્થામાં માં પણ અભરખો પૂરો કરવા જાત જાત ના સરકારી ખભે પેંતરા રચે છે..સરકાર ના દલાલ રૂપી બની બેઠેલ સાહિત્ય ના વંશજો નવરા પડે એટલે વિદેશી નાના કદ ના પૈસા વાળા સાહિત્યિક વ્યક્તિને શોધી એકાદ વિદેશમાં કાર્યક્રમ કરાવે અને વિદેશ સફર માની આવે અને પાછા ભારત આવી પ્રવાસી દિવસ માં તેમને સન્માન અપાવી ઋણ અદા કરે….બોલો આવી જિંદગી જીવવા ટેવાઈ ગયેલા આધુનિક સાહિત્યકારો જ્યાં પાકી ગયા હોય ત્યાં સાચા કવિઓ.લેખકો.સાહિત્યકારો બિચારા પડદા પાછળ ઢંકાઈ જાય..વિદેશો માં પણ આજ સ્થિતિ છે. તેમાં પણ સાચા ૧૦%. વિદેશ માં સાહિત્ય ની જાળવણી કરી રહ્યા છે..ત્યાં પણ નકલી સાહિત્યકારો ના પૈસા ના જોરે રાફડા ફાટયા છે…જોકે.બધેજ કોરોના એ પૃથ્વી ઉપર આવીને મનુષ્ય ની આંખો ખોલવાનો સારો પ્રયત્ન કર્યો છે.આત્મમંથન નો અવસર એટલે લોક ડાઉન કહી શકાય…
.આજે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે સૌ કોઈ સાહિત્યિક વારસા ની જાળવણી કરનાર ને વંદન અને આધુનિક યુગ ના બની બેઠેલ લોકો થી દુર રહી સાહિત્યિક સાતત્ય જળવાઈ રહે તેમાટે થનગનતા સાચા,શબ્દ પ્રેમીઓ ને સલામ…….દિવસે દિવસે આધુનિક યુવા પેઢી માં અહમ ભાવ છોડી પોતાના નામ ને આગળ ના રાખી ને માત્ર સાહિત્ય ની જાળવણી કેમ થાય અને કેમ પુસ્તકો લખાશે, વંચાશે, વેચાશે, વહેચાસે તેવી ભાવના સાથે ચાલતા લોકો ને મારો સંપૂર્ણ ટેકો……સત્ય થી બીવો નહિ..સત્ય ને.બહાર પાડી પોતાની સમાજ પ્રત્યે ફરજ ” સત્તાના આયના રૂપી” બહાર પાડી અદા કરો..૯૦ ટકા ને નહિ ગમો પણ ૧૦ ટકા થી ખુશ રહેવાની આદત પાડો..આજે પણ મારા અખબાર માં ૨૫% સાહિત્ય ને હું સ્થાન આપુ છું..સાચા ટક્યા છે અને ખોટા લોકોએ મારા થકી પ્રસિદ્ધિ મેળવી અનેક અખબારો પકડી લીધા છે કે જેમની શરૂવાત જ હું હતો.. જેનો મને કોઈ રંજ નથી..હું આજે પણ ૩૦ વરસથી મારા ત્રણ મીડિયા ને ગમતા,સમજદાર લોકો વચ્ચે ૧૦ ટકા થી મારા અખબાર ચલાવું છું.આજે પણ સરકારી કોઈ આર્થિક સાથ સહકાર વિના હું મારા વાચક વર્ગ અને વિજ્ઞાપન દાતાઓ,મારા પ્રેમીઓ થકી ના સાથ સહકારથી દેશ.વિદેશ માં ટકી રહ્યો છું..આભાર
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક (૧૯૯૬)ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક (૨૦૧૪) www.janfariyadnews.com world wide portal news paper….(૨૦૧૯)
Very nice 💐 👌