GN_22-4-20 (Today News of Gandhinagar Daily PDF….click and dowdownload for reading)
SARI Report_21.04.2020,(sari jillavaar mahiti report mate dabal click karo)
Press Brief 22.04.2020 Gujarat 10.00 hrs (jayanti Ravi todtoday update)
કુલ પોઝિટિવ દર્દી 2272,13 વેન્ટિલેટર ઉપર,44 ડીસ ચાર્જ.,મૃત્યુ કુલ 95
[4/21, 10:25 PM] Hiren Bhatt. Mahiti: પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ ઉપર કોઈપણ પ્રકારના હુમલા સામે ”ઝીરો ટોલરન્સ”ની નીતિ અખત્યાર કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે – શ્રી શિવાનંદ ઝા, રાજ્ય પોલીસ મહાનિદેશક
▪”ત્રણ શહેરોના કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં મુક્તિ વખતે
સોશ્યલ ડિસ્ટન્સીંગ ન જળવાતા કર્ફ્યુ 24 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી લંબાવવાની ફરજ પડી”
********
કોવિદ-19 સામેની લડતમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્કના ઉપયોગની સાથે-સાથે લોકો સ્વયં જવાબદાર બને અને બીજાને પણ જવાબદાર બનાવે તે બાબત ઉપર ભાર મુકતા રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, કર્ફયુગ્રસ્ત ત્રણ શહેરો – અમદાવાદ, સુરત અને રાજકોટના કેટલાક વિસ્તારો કે જ્યાં હજુપણ કર્ફ્યુંમુક્તિ વખતે લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગ નું પાલન ન કરી, બેજવાદારીથી વર્તતા હોવાનું જોવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં આ ત્રણેય શહેરોના કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં કર્ફ્યુ સમયગાળો વધારીને 24 એપ્રિલ, 2020 સવારે 6.00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
શ્રી ઝાએ જણાવ્યું હતું કે, કરફ્યુગ્રસ્ત વિસ્તારોના લોકો સામેથી જ નિયમોનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે; જેથી પોલીસને તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની કે દરમિયાનગીરી કરવાની જરૂર જ ઉત્પન્ન ન થાય. જે સ્થળોએ આંશિક છૂટછાટ આપવામાં આવી છે, તેવા સ્થળોએ ઘણુંખરું લોકો શરતોનું પાલન કરી રહ્યા છે અને કૃષિ કે અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઉચિત ઢબે થઇ રહી હોવાનો શ્રી ઝાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ખાસ કરીને એગ્રિકલચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી(APMC) જેવા સ્થળોએ ક્યાંક-ક્યાંક જાહેર સ્થળોએ જરૂરી તકેદારી જ લેવાતી હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું હોવાનું જણાવતાં શ્રી ઝાએ ઉમેર્યું હતું કે, આ સ્થળોએ પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્કનો ઉપયોગ જરૂરી છે. અહીં વ્યવસ્થાના જરૂરી અમલીકરણ માટે પોલીસ કાર્યરત છે. પોલીસ કંટ્રોલ અને 100 નંબર ઉપર અમને પ્રાપ્ત થયેલી આશરે 100 ફરિયાદના આધારે અમે 65 લોકો સામે ગુના નોંધીને કાર્યવાહી પણ કરી છે.
પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ ઉપર કોઈપણ પ્રકારના હુમલા સાંખી લેવાશે નહિ અને આ અંગે સખત વલણ અખત્યાર કરતા રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ અત્યંત સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સામેના હુમલા વિરુદ્ધ ”ઝીરો ટોલરન્સ”ની નીતિ આપનાવીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
શ્રી ઝાએ ઉમેર્યું હતું કે, નસવાડી તાલુકામાં પોલીસ ઉપર તા.16 એપ્રિલ, 2020ના રોજ હુમલો કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની ઉપર ”પાસા” લાગુ કરીને ચારેયને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની અલગ-અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઉદાહરણરૂપ કાર્યવાહી કોઈની પણ ઉપર થઇ શકે છે.
રાજ્યમાં કોવિદગ્રસ્ત પોલીસ કર્મચારીઓ વિષે જણાવતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 44 પોલીસ કર્મચારીઓ આ ચેપનો ભોગ બન્યા છે, જે પૈકીના મોટા ભાગના એસિમ્પ્ટોમેટિક છે. વળી, તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત કાર્યરત છે.
અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુંભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે 135, 114 અને 62 ગુનાઓ નોંધીને ક્રમવાર 163, 131 અને 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સીસીટીવી મારફત 129 ગુનાઓ નોંધીને 231 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
શ્રી ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 234 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 7945 ગુના દાખલ કરીને 15,197 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી નેટવર્ક દ્વારા 67 ગુના નોંધીને 67 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં 1335 ગુના નોંધી 2198 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે.
આ જ રીતે, સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 386 ગુના દાખલ કરીને 745 આરોપીની અટકાયત કરી છે. આ દરમિયાન સોશ્યલ મીડિયાના 20 એકાઉન્ટ ગત રોજ બ્લોક કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અફવા અને ખોટી માહિતી પ્રસરાવતા 323 એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. વિડીયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત અનુક્રમે 55 અને 91 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ANPR દ્વારા આજદિન સુધીમાં 274 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત અત્યાર સુધીમાં 183 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોઈએ તો, તા.20/04/2020 થી આજ સુધીના કુલ 1760 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 705 તથા 373 અન્ય ગુનાઓ(રાયોટીંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 3449 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 1963 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
*******
[4/21, 10:25 PM] Hiren Bhatt. Mahiti: ▪મુખ્યમંત્રીશ્રીએ કર્યા મહત્વપૂર્ણ નિર્ણયો▪
રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન સુધીમાં પૂર્ણ કરાશે
▪રૂ. ૪૧૪ કરોડના ખર્ચે જળસંચયના ૧૪,૬૯૪ કામો રાજ્ય સરકાર લોકભાગીદારીથી હાથ ધરશે
▪લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ખરીદી આગામી સોમવાર તા. ર૭ એપ્રિલથી તા.૩૦ મે સુધી નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરાશે
▪પ્રવર્તમાન પરિસ્થિતીમાં ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક-સેનેટાઇઝરના ઉપયોગ સાથે વેચાણ-રજીસ્ટ્રેશન માટે આવવાનું રહેશે-ભીડભાડ ન થાય તેની તકેદારી રાખવા સૂચનાઓ
▪ખેડૂતો તા. ર૭ એપ્રિલથી તા.૧૦ મે સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે :મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી માહિતી :-
▪૧ર૦ માર્કેટયાર્ડમાં અત્યાર સુધીમાં ૧ લાખ ૩૪ હજાર કવીન્ટલ અનાજ ખેત ઉત્પાદનો આવ્યા
▪રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ર૭૮૦૦ ઊદ્યોગો-એકમો શરૂ કરવા પરવાનગીઓ અપાઇ-
૧ લાખ ૮૦ હજાર શ્રમિકો-કામદારોને રોજગારી મળતી થઇ
********
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન-ર૦ર૦ દરમ્યાન પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે.
આ હેતુસર રૂ. ૪૧૪ કરોડના ખર્ચે ૧૪,૬૯૪ કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામોમાં મુખ્યત્વે જળસંચયના કામો, મનરેગા અંતર્ગત તેમજ લોકભાગીદારીથી હાથ ધરાશે.
રાજ્યના દરેક જિલ્લાઓમાં આ અભિયાન અંતર્ગત કરવાના થતા કામો માસ્ટર પ્લાન મુજબ સંબંધિત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. લોકભાગીદારીથી હાથ ધરાનારા કામોમાં સરકારનો ફાળો ૬૦ ટકા રહેશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે પ્રવર્તમાન કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોની ભૂમિકા પ્રચાર માધ્યમોને આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ એવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપેલા છે કે, આ સુજલામ સુફલામ જળઅભિયાન-૩ના કામોમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ, માર્ગદર્શિકાઓ તેમજ ભવિષ્યમાં પણ આ અંગે અપાનારી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ સુચવ્યું છે.
આ માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્ટી ખેડૂતોને ચુકવવાની રહેશે નહિ, તેમજ જે તળાવો, ચેકડેમ, બંધારા કે જળાશયોમાં પાણી સુકાયેલા છે ત્યાં પાળાની સલામતિના મૂદાને જે-તે અધિકારી દ્વારા ધ્યાનમાં રાખીને મંજુરી આપવામાં આવશે અને ખેડૂતો પોતાના ખેતર માટે વિનામૂલ્યે કાંપ લઇ શકશે, તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યમાં આ સુજલામ સુફલામ જળ અભિયાનના બે તબક્કા અત્યાર સુધીમાં સફળતાપૂર્વક પાર પડયા છે. આ દરમ્યાન બે વર્ષમાં ર૩,પ૦૦ લાખ ઘનફૂટ માટી-કાંપ ખેડૂતોએ કાઢી છે અને પરિણામે રાજ્યમાં જળસંગ્રહ ક્ષમતામાં વૃદ્ધિ થઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ઘઉં પકવતા ખેડૂતોના હિતમાં અન્ય એક નિર્ણય લઇને રવિ સિઝન ર૦ર૦-ર૧માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી સોમવાર તા. ર૭ એપ્રિલથી તા. ૩૦ મી મે-ર૦ર૦ સુધી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ સંદર્ભમાં વિસ્તૃત જાણકારી આપતાં કહ્યું કે, ઘઉંનું ખરીદી માટેનું રજિસ્ટ્રેશન સોમવાર તા. ર૭ એપ્રિલથી તા. ૧૦ મે-ર૦ર૦ સુધી કરાવવાનું રહેશે.
તેમણે સ્પષ્ટ કર્યુ કે મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ સરકારે તા. ૧ માર્ચ-ર૦ર૦થી તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી રજિસ્ટ્રેશન તેમજ તા.૧૬ માર્ચ-ર૦ર૦થી તા. ૩૦ મે-ર૦ર૦ સુધી ખરીદીનો સમય નિર્ધારીત કરેલો હતો. જેમાં તા. ર૩ માર્ચ સુધીમાં ર૯ હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થવા પામ્યું છે.
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ને પગલે તા. રપ માર્ચથી જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની સ્થિતીમાં આવું રજિસ્ટ્રેશન તેમજ ખરીદી તા.ર૪ માર્ચથી મુલત્વી રાખવામાં આવેલા હતા.
મુખ્યમંત્રીશ્રીએ હવે તા.ર૭ એપ્રિલ સોમવારથી તા.૩૦ મે-ર૦ર૦ સુધી આ ખરીદી પૂન: શરૂ કરવાના લીધેલા નિર્ણયને કારણે જે ખેડૂતોએ અગાઉ તા. ર૩.૩.ર૦ર૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે તેવા ખેડૂતો પાસેથી તા. ર૭ એપ્રિલ-ર૦ર૦થી ઘઉંની ખરીદી અને પ્રાપ્તિની શરૂઆત સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ જાળવીને કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે એમ પણ કહ્યું કે તા. ર૭ એપ્રિલ-ર૦ર૦થી તા. ૧૦ મે-ર૦ર૦ સુધી અન્ય ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાવવાનું શરૂ થવાનું છે તેમાં પણ ભીડભાડ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો પર આ પ્રક્રિયા હાથ ધરવાની અને ક્રમાનુસાર ખરીદીની મુખ્યમંત્રીશ્રીએ સુચનાઓ આપી છે.
તેમણે પ્રવર્તમાન કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ તથા ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા પણ ખાસ તાકીદ કરી છે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું હતું.
રાજ્યમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં તા. ર૦ એપ્રિલથી ઊદ્યોગ એકમો શરૂ કરવા ભારત સરકારે આપેલી છૂટછાટ અને દિશાનિર્દેશોને પગલે ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રીએ શહેરો-નગરો વિસ્તાર સિવાયના બહારના વિસ્તારોના આવા ઊદ્યોગ એકમો શરૂ કરવા છૂટ આપેલી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આવા ર૭૮૦૦ ઊદ્યોગ એકમો શરૂ કરવાની પરવાનગીઓ અપાઇ છે અને અંદાજે ૧ લાખ ૮૦ હજાર શ્રમિકો કામદારો આવા ઊદ્યોગોમાં રોજગાર મેળવતા થયા છે.
તેમણે રાજ્યના માર્કેટયાર્ડ – બજાર સમિતિઓમાં તા. ૧પ એપ્રિલથી ખેડૂતોના ખેત ઉત્પાદનો વેચાણ માટે ખરીદવાની શરૂઆત કરવાના મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને પરિણામે અત્યાર સુધીમાં ૧ર૦ જેટલા માર્કેટયાર્ડમાં ૧ લાખ ૩૪ હજાર ૭પ૦ કવીન્ટલ અનાજ ખરીદી-વેચાણ થયા છે તેમ પણ ઉમેર્યુ હતું.
આ અનાજમાં ૮પ૦૮૮ કવીન્ટલ ઘઉં, ૩૭૪૪ર કવીન્ટલ એરંડા તથા ૪૮૧૬ કવીન્ટલ અન્ય જણસીનો સમાવેશ થાય છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે મંગળવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ ટેલિફોનિક સંપર્ક કરીને ગુજરાતના વેરાવળમાં પ્રવર્તમાન સ્થિતીમાં ફસાયેલા આંધ્રપ્રદેશના માછીમારો અંગે વાતચીત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવે આ અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રીને માહિતી આપી હતી કે ગુજરાત સરકાર દ્વારા આંધ્રપ્રદેશના આ માછીમારો માટે રહેવા-જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને તેમની સલામતિ-આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે.
એટલું જ નહિ, હવે સમુદ્રમાં માછીમારી માટે જવાની છૂટ રાજ્ય-કેન્દ્ર સરકારે આપેલી છે ત્યારે આ માછીમારો વેરાવળના દરિયામાં માછીમારી પ્રવૃત્તિ માટે પણ જાય છે.
********
Press Brief 21.04.2020 Gujarat 09.00 hrs (Adnl secretary jayanti Ravi press release)