અખિલ ભારતીય કોંગ્રેસ ના ચેરપરસન સોનિયા ગાંધી મેડમ ને તેમની આગળ પાછળ વર્ષોથી સલાહકાર તરીકે રહીને પોતાનો રોટલો શેકવા પોતાની સાંસદ ની સીટ કાયમ પાકી કરવા અને સરકારી રાજ્યાશ્રય માં ટકી રહેવા ટેવાયેલ કયા શખ્શ એ મીડિયા વિરુદ્ધ જવાની આવી માનસિક કુબુદ્ધિ સુજાડી ને પ્રધાનમંત્રી જી ને આવો પત્ર લખાવ્યો?…યુપીએ દિવસે દિવસે તૂટતું ગયું છે.કોંગ્રેસ ના મૂળભૂત લોકો કોંગ્રેસ છોડીને બીજા પક્ષ માં ચાલ્યા જાય છે અને અનેક માનીતા વ્યક્તિ ઓ ની જીદ ખાતર પક્ષ ના મૂળભૂત લોકો કોંગ્રેસ ને તોડીને ચાલ્યા જાય.બીજાને પણ લઈને સત્તા ગુમાવી આખા રાજ્ય ની સત્તા કોંગ્રેસ જતી કરતું આવ્યું છે..સોનિયાજી અને તેમના ચિત્ર વિચિત્ર સલાહકારો ને હવે સોળે સાન અને વિશે વાન તેમજ સાઈઠે જાય કહેવત પ્રમાણે વર્તતા હોય તેવું હવે ચોક્કસ લાગી રહ્યું છે…હાલની પરિસ્થિતિ માં મોદીજી આવ્યા બાદ સમગ્ર ભારત માં ચોથી જાગીર ઉપર જ્યારે કોઈપણ રીતે કંટ્રોલ કરીને માત્ર સરકાર ની વાત જ પ્રસિદ્ધ કરવાની અને સરકાર ના નેગેટિવ ન્યુઝ બનાવ નાર ઉપર મોદીજી ગમે તે વિભાગ દ્વારા તવાઇ કરાવે..આવા સમય માં સરકાર ના અનેક વિભાગ ની વિજ્ઞાપનો અખબારો અને મીડિયા ને નહી આપી માહિતી પ્રસારણ ના નિયમો માં ફેરફાર કરી મીડિયા ને ગળે ટૂંપો આપ્યો હોય તેવી પરિસ્થિતિ છે અને હાલના સંજોગોમાં જ્યારે આખા દેશ માં કોંગ્રેસ ચારેય બાજુ તૂટી ને કદાચ હવે વિરોધ પક્ષ માં થી પણ ભવિષ્ય માં હટી જાય તેવી પરિસ્થિતિ માં મીડિયા સાથે બગાડવું કેટલું યોગ્ય છે. મને લાગે છે કે ભવિષ્ય માં ભાજપ માં જવાની ચાલ વાળા આ કોઈ તેમના અંગત સલાહકાર નું ભેજું હશે અને તે પણ મોદીજી નો પ્લાન ના હોય તેની શું ખાતરી? કેમકે મોદીજી એ કોંગ્રેસ ના ૨૫ વર્ષ માં ધાર્યા પંખી પડ્યા છે અને ગુજરાત,મહારાષ્ટ્ર તેમજ અત્યારે એમ.પી ની સરકારો પડદા પાછળ ખેલ રમીને હસ્તક કરી છે..હાલની કોરોના ની કુદરતી આરોગ્ય ના બહાને આવી પડેલી આફત માં સમગ્ર દેશ અને વિદેશ માં મીડિયા ની ખુબ મહત્વ ની ભૂમિકા છે અને જનતા ગેર માર્ગે દોરાય નહી તે માટે સરકારે કાયદેસર વિજ્ઞાપન આપી અનેક જાહેરાતો આપી પ્રજા અને સરકાર ના સેતુ રૂપ મીડિયા ને વિજ્ઞાપન આપવી જ પડે તેવી પરિસ્થિતિ છે.નહીતો અફવાઓ ની વચ્ચે અનેક ગેર સમજૂતી પ્રજા માં થવાના એંધાણ આવી શકે..તેમ છતાં પણ અનેક રાજ્યોમાં મોદીજી ના જક્કી વલણ ને લીધે રાજ્યસરકાર ના મુખ્ય મંત્રીઓ એ મોદીજી ની ગાઈડ લાઈન પ્રમાણે સમગ્ર રાજ્ય ના કોઈપણ કર્મચારી નું મૃત્યુ કોરોના થી થાય તેમાટે તેના પરિવાર ને ૨૫ લાખ આપવાની જાહેરાતો કરી છે પણ આખો દિવસ મીડિયા ના લોકો ગામ.શહેરો.હોસ્પિટલ માં અને સરકારી પ્રેસ માં આ લોક ડાઉન માં પણ જઇને જોખમી કામગીરી બજાવે છે તેમ છતાં સ્થાનિક માહિતી ખાતાના પ્રેશર દ્વારા મીડિયા ને દાબ માં રાખી હજુ સુધી સરકારે કોઈ મીડિયા કરમી માટે કોઈ કોરોના પેકેજ જાહેર કર્યું નથી કે આવું કઈ નજીક ના ભવિષ્યમાં કરે તેવું ક્યાંય દેખાતું નથી અને મીડિયા કર્મીઓ દેશહિત માટેની પોતાની ફરજ સમજી જોખમે પણ કાર્ય કરી દેશ સેવા કરે છે..આવા સમયે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તમામ રાજ્ય ના મીડિયા કરમી
નો સર્વે કરવી,અભિપ્રાય મેળવી સહાયય રૂપ ભૂમિકા ભજવી પ્રધાનમંત્રી ને સહાય માટે પત્ર લખવાની જગ્યાએ મીડિયા નેં નુકશાન કરવા સરકારી વિજ્ઞાપન ઉપર રોક લગાવવાની વાત સોનિયા ગાંધી મેડમ દ્વારા કરવામાં આવી છે તે કેટલા અંશે વ્યાજબી છે? રહી,આવી રાજકીય વિષમ પરિસ્થિતિ માં સહી ઈજ્જત મીડિયામાં કોંગ્રેસ હાથે કરી ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તંત્રી ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક…પ્રદીપ રાવલ.ગાંધીનગર