૨૩/૦૩/૨૦૨૦
પોલીસ કમિશનર શ્રી આશિષ ભાટિયા સાહેબ,અમદાવાદ
જાણવા મળ્યું છે કે આપ શ્રી ગઇકાલે ખાડિયા વિસ્તાર માં જે સરઘસ રૂપી રેલી કાઢી રાજકીય રીતે અભિવાદન હેતુ સિદ્ધકરવા જેને પણ ૧૪૪ ની કલમ નો દૂર ઉપયોગ કર્યો તે લોકો ના વીડિયો તમારી પાસે આવ્યા હોવાથી પોલીસ કેસ કાર્યવાહી કરવાના છો..આપની જાણ માટે કહ્યુ કે જ્યારે સરઘસ નીકળ્યા હશે ત્યારે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ નો કાફલો ત્યાં જ હશે..તે લોકો કોના કહેવાથી કોઈ પણ કાર્યવાહી નહિ કરીને ને ગંભીર બેદરકારી દાખવી તે એક પોલીસ વર્તુળ માટે ગંભીર આક્ષેપ છે..ઘોડા ને છૂટવા દેવાયા પછી તબેલાને તાળા મારવાના પોલીસ ઉપર હવે આવા આક્ષેપો જૂના થઈ ગયા…હકીકત માં કાયદા ની કલમ નું ચુસ્ત પાલન ના કરાવનાર પોલીસ અધિકારીઓ અને તેમને રોકનાર કયા સ્થાનિક કે બીજા રાજ નેતાઓ છે તેમની તપાસ કરીને સત્ય બહાર લાવી ન્યાયિક દિશામાં આગળ વધવું જોઈએ..માત્ર ખાડિયા માં આ બનાવ બન્યો નથી…નહીતો વર્ષો સુધી ભાજપ નો ગઢ કહેવાતા ખાડિયા ના સરઘસ ઉપર જ કેમ કાર્યવાહી તેવા ગંભીર આક્ષેપ પોલીસ ઉપર થાય તે હાલની પરિસ્થિતિ માટે યોગ્ય નથી આખા ગુજરાત માં ઠેર ઠેર આવા જુલૂસ.સરઘસ નીકળ્યા છે.પોલીસ ની જનતા કરફ્યુ કામગીરી પ્રજા એ વધાવી આવતા સ્વાગતા કરી છે..માટે તટસ્થ રીતે કોઈ પણ રાજકીય ખોટા આક્ષેપો થાય નહી તે માટે જો કાર્યવાહી કરવાના હોય તો દરેક જગ્યા ના વીડિયો લઈ ને તમામ સરઘસ ઉપર અને તેના સ્થાનિક જવાબદારી સોંપી હોય તેવા પોલીસ અધિકારી સ્ટાફ ઉપર પણ કેસ કરી.પગલાં લઈ ચુસ્ત અમલવારી નહી કરવા બાબતે કેસ કરી પ્રજાને ગળે ઉતરે તેવો ન્યાય આપશો તેવી આશા સાથે એક જાગૃત ૩૦ વરસ થી પત્રકારત્વ સાથે સંકળાયેલ આપને આ પત્ર લખી રહ્યો છું સાપ્તાહિક જન ફરિયાદ,ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક ના તંત્રી.માલિક,જાગૃત નાગરિક તરીકે રાષ્ટ્રહિત માં આપનું ધ્યાન દોરી રહ્યો છું….ભાજપ સરકાર સત્તા માં છે માટે તેમની વોટ બેંક ની જાળવણી ખાતર તે આવા કોઈ કેસ કરવાના આદેશ નહી આપે તે વાસ્તવિકતા છે..પણ આપ એક જવાબદાર અમદાવાદ શહેર ના સનદી ઉચ્ચ પોલીસ અધિકારી હોવાને નાતે પ્રજા,સરકાર ના હિત માં નિર્ણય લેશો તેવી આશા સાથે.આ પત્ર જાહેર લખી રહ્યો છું..
પ્રદીપ રાવલ….ગાંધીનગર (9824653073) તંત્રી/માલિક ” ન્યુઝ ઓફ ગાંધીનગર” દૈનિક