જેતપુર નવાગઢ નગરપાલિકા માં સરકાર શ્રીની યોજના અન્વયે ધોરાજી રોડ રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજ બનાવવા ના કામનું ખાત મહુર્ત કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા હસ્તે યોજાયું હતું
જેતપુર માં ધોરાજી રોડ ઉપર રેલવે નું ફાટક આવેલ હોઈ આ ફાટક બંધ થાય ત્યારે અવાર નવાર ટ્રાફિક જામ થતો હોઈ લોકોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડતો હોઈ અનેક સંસ્થા દ્વારા અવાર નવાર બ્રિજ માટે રજુઆત કરવામાં આવેલ હતી જેથી મંત્રી જયેશભાઇ રાદડિયાએ રેલવે અધિકારી ઓ સાથે વાતચીત કરી બ્રિજ બનાવવાની મંજૂરી મેળવેલ અને આજે આ રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજ નું ખાત મહુર્ત કરેલ અને જણાવેલ કે આ ઓવર બ્રિજ અંદાજિત 39 કરોડ રૂપિયા ના ખર્ચે અને 630 મીટર લાંબો ઓવર બ્રિજ આગામી પંદર મહિના માં આ બ્રિજ બની ત્યાર થઈ જશે આવનાર સમય મા ઓવર બ્રિજ ત્યાર થયે જેતપુર થી પોરબંદર જતા વાહન ચાલકો નો સમય અને ઈંધણ નો બચાવ થશે અને રેલવે ફાટક ની સમસ્યા નો પણ ઉકેલ આવશે તેમ જણાવેલ
હરેશ ભાલીયા જેતપુર