ભગોરિયા મેળો.છોકરો છોરી ને પાન ખાઈ પ્રપોઝ કરે .છોકરી પણ ખાઈ લે તો પછી સમજો……..
એટલે આદિવાસીઓનું હર્સો ઉલ્લાસનું પર્વ
———————————–
ગુજરાત ના વિવિધ આદિવાસી ક્ષેત્રમાં હોળીના તહેવારોમાં ભગોરીયા મેળાઓ ઉજવાય છે.
સતિષ પટેલ વલસાડ
હોળી પૂર્વેના ૧૦ દિવસથી ચાલતા આ મેળાઓ હોળીના દિવસ સુધી ચાલે છે. ભાગોરિયો એટલે હોળીના તહેવાર માટેની ખરીદી કરવાનું હાટ.અત્યારે ભાગોરીયો હાટમાંથી આનંદ ઉલ્લાસ કરવાના મેળાઓમાં પરિવર્તિત થયા છે.
ભગોરિયા મેળાઓમાં આદિવાસી યુવક-યુવતીઓ સજીધજીને તૈયાર થઈને મેળામાં ભાગ લેવા આવે છે. પરંપરા મુજબ એક જ ગામની યુવતીઓ એક સરખા જ ડ્રેસ પહેરીને આવે છે. મેળાઓમાં યુવક-યુવતીઓ ઢોલના ધાપે અને વાંસળીના શુરે પરંપરાગત નૃત્ય (નાચણું) કરે છે. રંગબેરંગી પરિધાનમાં ઢોલ અને વાંસળીના શુરો પર હિલોળે ચઢેલું યુવાધન ઠેરઠેર નજરે ચઢે છે. બાળકો, તરુણો, યુવાનો, વૃદ્ધો દરેક ઉંમરના લોકો હર્ષોલ્લાસ કરતા જોવા મળે છે.
સમય સાથે શિક્ષણ વધવાની સાથે રૂઢિગત પ્રથામાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. હવે ભાગોરીયા સાચા અર્થમાં હોળીના પર્વ સમયે હર્ષોલ્લાસના મેળાઓ બન્યા છે જે આખા વર્ષની ઊર્જા પૂરી પાડે છે.
ભગોરીયા ઉત્સવમાં પાન ખવડાવીને કરાય છે પ્રપોઝ, આ મેળામાં થાય છે પ્રેમી કપલનું મિલન , આ તહેવાર છે હોળી પહેલાનો ..
ભગોરીયા ઉત્સવ કે જે પ્રેમી કપલના મિલન માટે ખુબજ જાણીતો છે જે કોઈ પણ આ મેળામાં આવે છે એ લોકો ખુબજ મોજ-મસ્તી કરે છે. આ મેળામાં ચકડોળથી માંડીને આઈસ્ક્રીમ અને પાણી પુરીની પણ મજા માણી શકાય છે. આ મેળામાં જે યુવા છોકરાઓ આવે છે એ યુવતીઓને પાન આપે છે, પછી જો તે યુવતી પાન ખાય છે તો એવું માનવામાં આવે છે કે આ યુવતીને એ યુવક ગમી ગયો છે. મજૂરી માટે બહાર ગયેલા ગ્રામીણોમાં પણ આ દિવસોમાં ઢોલ-નગારાની ગૂંજ સાથે ખુબજ ઉત્સાહ જોઈ શકાય છે. જે લોકો મજૂરીએ ગયા હોય છે એ લોકો હોળી સુધી ત્યાં જ રહેશે
આ ભગોરીયાના ઉત્સવની ઉજવણી થાય છે હોળી પહેલા ભગોરિયા ઉત્સવ ઉજવણી આ ઉત્સવ માટે આદિવાસી લોકોમાં અલગ-અલગ મત રહેલા છે. કેટલાક લોકો માટે ભગોરિયા એક ઉત્સવ છે કે જે હોળી રૂપે ઉજવાય છે અને આ પ્રદેશના માલવા નિમાડ અંચલના આદિવાસી વિસ્તારમાં લોકો હોળીને ખુબજ ધૂમધામથી મનાવે છે. અહીંયા મેળાના રૂપે હોળીના 1 અઠવાડિયા પહેલા હાટ-બજાર લગાવાય છે.
શું આ તહેવારની માન્યતાઓ……
આ ભગોરિયા મેળા માટે એક માન્યતા એવી છે કે આ પ્રસંગના યુવક-યુવતી એક બીજાને પાન ખવડાવતા હોય છે અને એક બીજાના ગાલે ગુલાલ પણ લગાડે છે ત્યારે એવું માનવામાં આવે છે કે તે બન્નેમાં પ્રેમ થયો છે પછી બન્ને યુવક યુવતી ચાન્સ મળે એટલે ભાગી જાય છે અને પછી લગ્ન પણ કરી લે છે. અને તેઓ ભાગીને લગ્ન કરે છે માટે જ આ પર્વને ભગોરિયા પર્વ તરીકે ઓળખવામાં આવે છે.
બીજી માન્યતા એવી રહેલી છે કે આ તહેવારની શરૂઆત ઝાબુંઆ જિલ્લાના ભવન નાયક નામની જગ્યાએથી થઇ હતી તેથી જ આ ઉત્સવ ભગોરિયા તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે હજી એક માન્યતા એવી છે કે જૂના સમયમાં જયારે સબંધ નક્કી થાય પછી સામાન્ય રીતે બન્ને પરિવારના લોકો એકબીજાને વધારે ના મળી શકતા. ત્યારે જ ભગોરિયા મેળાના માધ્યમથી વર અને વધૂ પક્ષના લોકો એક બીજાને મળી શકતા હતા અને લગ્નની તૈયારીઓ માટે પણ વાતચીત કરી લેતા.