*દિલ્હી દંગામાં AAPની વરવી ભૂમિકા : દિલ્હીનાં દંગલમાં આમ આદમી પાર્ટીનો હાથ*
*દંગાઈઓ ૪ લોકોને ઢસળીને AAPનાં કોર્પોરેટર તાહિર હુસૈનના ઘરે લઈ ગયા અને હત્યા કરી નાળામાં ફેંકી દીધા : અંકિત શર્માનો ભાઈ*
*તાહિર હુસેનનાં મકાનની છત પર પેટ્રોલ બોમ્બ, પત્થરો અને વિસ્ફોટકો મળ્યા♦ : AAP પોતાના કોર્પોરેટરનાં બચાવમાં ઉતરી*
*મીડિયાકર્મીઓ તાહિરનાં ઘરની અગાસીએ પહોંચી ચોંકી ઉઠ્યા*
ઉત્તર-પૂર્વ દિલ્હીનાં અનેક વિસ્તારોમાં ફાટી નીકળેલા તોફાનોમાં આમ આદમી પાર્ટી (આપ)ની વરવી ભૂમિકા જાણવા-જોવા મળી છે. જેમાં આપનાં કોર્પોરેટર તાહિર હુસેનની ભૂમિકા સૌથી મોટી છે. તેની ઉપર સૌ પ્રથમ લોકોને ઉશ્કેરવાનાં અને ત્યાર બાદ તોફાનો ભડકાવવાના તેમજ હત્યાનાં આરોપો લાગી રહ્યાં છે. આ દરમિયાન કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં તેના ઘરમાંથી સતત ફાયરિંગ થતું જોવા મળી રહ્યું છે, પેટ્રોલ બોમ્બ ફેંકાઈ રહ્યાં છે. તેની છત પર એકઠા થયેલા દંગાઈઓ પથ્થરમારો કરી રહ્યાં છે. અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તાહિર પોતે પણ છત પર હિંસા આચરતો નજર આવી રહ્યો છે. હુસેનનાં ઘરની બહાર આવેલા ગુંડાઓએ આઈબીના કોન્સ્ટેબલ અંકિત શર્માની હત્યા કરી હતી. અંકિતનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. પત્રકાર રાહુલ પંડિતાએ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું છે કે અંકિત સિવાય અન્ય બે લોકોને દંગાઈ ખેચીને તાહિરના ઘરે લઈ ગયા હતા. તે જ સમયે ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં અંકિત શર્માના ભાઈએ દાવો કર્યો છે કે દંગા કરનારાઓ ચાર લોકોને ઢસળીને તાહિરના ઘરે લઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આઈબી કોન્સ્ટેબલ અંકિત શર્માની ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો દરમિયાન હત્યા થઈ હતી. તેનો મૃતદેહ ચાંદબાગના ગટરમાંથી મળી આવ્યો હતો. આ હત્યા પાછળ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેનની ભૂમિકા માનવામાં આવી રહી છે. હુસેન વિશે સતત ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. નવી માહિતી અનુસાર તાહિર હુસેનની છત પરથી ટ્રંક અને ટ્રેમાં પેટ્રોલ બોમ્બ, મોટા પથ્થરો, સ્લિંગ્સ વગેરેનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ વાતનો ખુલાસો ઈન્ડિયા ટીવીના પત્રકાર કુમાર સોનુના રિપોર્ટથી થયો છે. ઈન્ડિયા ટીવીના રિપોર્ટર સુશાંત સિંહા અને આજતકની પત્રકાર અંજના ઓમ કશ્યપે ફોટોગ્રાફ્સ સાથે આ સમાચાર શેર કર્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીર તાહિર હુસેનનાંઘરની છતની છે. આના ઘણા વીડિયો અગાઉ પણ સામે આવ્યા છે. જેમાં તોફાની તત્વો તાહિરના ઘરની છત પરથી પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંકતા નજરે પડે છે. તાહિર પણ હાથમાં સળિયા સાથે જોઈ શકાય છે. જ્યારે કેટલાક મીડિયાકર્મીઓ તાહિરના ઘરની છત પર પહોંચ્યા હત્યા ત્યારે તેઓ છત પે મળી આવેલી વિસ્ફોટક સામગ્રી જોઈ ચોંકી ગયા હતા.
અંકિત શર્માના ભાઈએ ઝી ન્યૂઝને જણાવ્યું હતું કે, મુસ્લિમ લોકો કે જેઓ સીએએ-એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે તે નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા છે, જે ખૂબ ખોટું છે. દંગાઈઓએ ઘણા મકાનોને નુકસાન પહોચાડ્યું છે. તેમાંથ એક ઘર સંપૂર્ણ નાશ પામ્યું છે. અંકિતના ભાઈના કહેવા મુજબ, તેનો ભાઈ ફરજ પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે તોફાની તત્વો તેને શેરીમાંથી ઢસળીને લઈ ગયા હતા. ટોળાએ ચાર લોકોને તાહિર હુસેનના ઘરે ખેંચી લાવ્યા હતા અને તેમને મારી નાખ્યા હતા અને ગટરમાં ફેંકી દીધા હતા. આમ, દિલ્હી દંગામાં જેની હત્યા થઈ એવા અંકિત શર્માનાં ભાઈનું બયાન, આપ કોર્પોરેટર તાહિર હુસેનનાં ઘરની અગાસીએ મળી આવેલી વિસ્ફોટક સામગ્રી, વીડિયો ફૂટેજ અને આમ આદમી પાર્ટીનું સમગ્ર મામલે સ્ટેન્ડ જોતા ખ્યાલ આવી જાય છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હીમાં હિંસા ભડકાવી દેશની છબી દાગદાર કરવા મથી રહી છે.