(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[8/30, 2:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *૭૬મા વન મહોત્સવની ઉજવણી ખેડા જિલ્લાના ગળતેશ્વર માં
::::::::::::::::
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી
૦૦૦૦૦
*મુખ્યમંત્રીશ્રી પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળીને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા*
૦૦૦૦૦૦૦
૭૬મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વર માં નિર્માણ પામેલા રાજ્યના ૨૪ માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવ ના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીશ્રીએ મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.
આ તકે મુખ્યમંત્રીનીશ્રી સાથે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ,પંચમહાલના સાંસદ શ્રી રાજપાલ સિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, વન સંરક્ષક શ્રી મિતલબેન સાવંત અને શ્રી આનંદકુમાર ઉપસ્થિત અને અગ્રણી શ્રી નયનાબેન પટેલ સહભાગી બન્યા હતા.
[8/30, 4:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે ઈકો સિસ્ટમ ઉભી કરી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———–
*76 માં વનમહોત્સવનો સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના ગળતેશ્વરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી*
*વન મંત્રી – વન રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ*
———-
*રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વન તરીકે ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ*
———
_*:: મુખ્યમંત્રીશ્રી::*_
* આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે.
* વન સાથે જનને જોડતા વન મહોત્સવ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જન ઉત્સવ બન્યા છે.
* ભાવિ પેઢીને સ્વચ્છ વાતાવરણ સાથે સમૃદ્ધ અને સ્વસ્થ રાખવા પર્યાવરણ સંતુલન – ગ્રીન ક્લિન એન્વાયરમેન્ટ જરૂરી છે.
* ‘એક પેડ માં કે નામ’ ૨.૦માં આ વર્ષે રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય છે.
* અગાઉના વર્ષમાં ૧૭.૫૦ કરોડ રોપાના વાવેતર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું હતું.
* રાજ્યમાં વન બહારના વિસ્તારોમાં ૧૧૪૩ ચોરસ કિલોમીટરનો વન આવરણ વધારો થયો છે.
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની ઈકો સિસ્ટમ ઉભી કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ક્લાઈમેટ ચેંજના પડકારો સામે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ – મિશન લાઈફ, હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જી અને સોલાર રૂફટોપ તથા જળ સંચય માટે ‘કેચ ધ રેઈન’ અને અમૃત સરોવરનું નિર્માણ તેમજ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષોના વાવેતરથી હરિયાળી ક્રાંતિ દ્વારા પર્યાવરણ સંતુલન સાથેનો વિકાસ ગુજરાતે કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની વેબ સાઈટનું લોન્ચીંગ, ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.
“આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે” મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ. એટલુ જ નહિ, વડાપ્રધાનશ્રીએ પણ પર્યાવરણ સંતુલન અને જાળવણીને હંમેશા પ્રાયોરીટી આપી છે. આ હેતુસર તેમણે વન મહોત્સવનું પરંપરાગત પ્રારૂપ બદલીને વન સાથે જન જનને જોડ્યા છે અને વન મહોત્સવોને જન મહોત્સવો બનાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન, મિયાવાકી પદ્ધતિથી રાજ્યમાં ૨૦૭ વન કવચ નિર્માણ, ૮૨ જેટલા નમો વડ વન વગેરેની સફળતાને પરિણામે વન વિસ્તાર બહારનું ગ્રીન કવર વધીને ૧૧૪૩ ચોરસ કિલોમીટર થયું છે તેની પણ ભૂમિકા આપી હતી.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ગુજરાતે ગયા વર્ષે ૧૭.૫૦ કરોડ રોપાના વાવેતર સાથે દેશમાં બીજું સ્થાન મેળવ્યુ છે અને આ વર્ષે ‘એક પેડ મા કે નામ ૨.0’માં સમગ્ર રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાના વાવેતરનો લક્ષ્યાંક છે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે વેપાર ઉદ્યોગના વિકાસ સાથે માનવ જીવનના વિકાસ માટે ભાવિ પેઢીને સ્વચ્છ વાતાવરણ પુરુ પાડીને સમૃદ્ધ અને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ક્લિન એન્વાયરમેન્ટ જરૂરી છે અને વન મહોત્સવો આ માટેનું સક્ષમ માધ્યમ છે.
આ અવસરે વન અને પર્યાવરણ મંત્ર શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, સાંસ્કૃતિક વનોનો હેતુ લોકોને ધાર્મિક અને ઔષધિય વૃક્ષો વિશે જાગૃત કરવા, જળવાયુ પરિવર્તનમાં સકારાત્મક યોગદાન આપવા, વૃક્ષ આચ્છાદન વધારવા અને લોકો, વિદ્યાર્થીઓ તથા બાળકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનો છે. ચાલુ વર્ષે સામાજિક વનીકરણ હેઠળ ૩૯,૨૯૫ હેક્ટરમાં વાવેતર અને ૨૦ અર્બન ફોરેસ્ટના નિર્માણનું આયોજન છે. પંચરત્ન ગ્રામ વાટીકા મોડલ હેઠળ ૧૦૦૦ ગામોમાં ગામ દીઠ ૫૦ રોપા વાવવામાં આવશે. ૨૦૨૫-૨૬માં ૩૪ પવિત્ર ઉપવનો બનશે અને ૧૯,૮૯૫ હેક્ટરમાં ૧૫૩.૯૦ લાખ રોપાઓનું વાવેતર થશે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણમાં રાજ્ય સરકાર કટિબદ્ધતાથી કામગીરી કરી રહી છે. ખેડા જિલ્લામાં પણ આ દિશામાં કામગીરી કરતા ગોવિંદપુરા ખાતે વન કવચ અને “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ પીપલગ ગામે વન નિર્માણ કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે ‘ગ્રીનગ્રોથ’ને વિકાસના પાંચમા સ્તંભ તરીકે સ્થાન આપ્યું છે. તેમણે વર્ષ ૨૦૨૫-૨૬ માં “હરિત વન પથ” યોજના હેઠળ રોડસાઇડ અને કોસ્ટલ હાઇવે પર ૧૦૦ હેક્ટરમાં વૃક્ષોનુ વાવેતર, એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ ૩૫,૦૦૦ હેક્ટરમાં ખેતરોમાં વૃક્ષારોપણ, ૧૩૦ અમૃત સરોવરો ફરતે ૨૦૦ રોપા દીઠ વાવેતર અને ૧૩૬ વનકુટીર નિર્માણ અને ૧૦૦ કિસાન શિબિર યોજવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે ઉપસ્થિત સૌનું સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડા, મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, અગ્રણી શ્રી નયનાબેન પટેલ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ શ્રી એ.પી સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક, વન્યજીવ, ડો. જયપાલસિંઘ, કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અન્ય અગ્રણીઓ, મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
———–
[8/30, 4:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *’યોગ’ બનશે વિકસિત ગુજરાત થકી “વિકસિત ભારત@૨૦૪૭”નો આધારસ્તંભ*
—–
*સ્વાસ્થ્ય, શાંતિ, જ્ઞાન, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસને પ્રદાન કરતું કલ્પવૃક્ષ એટલે ‘યોગ’*
—–
*‘યોગ’-‘પ્રાણાયામ’ના નિયમિત અભ્યાસથી વિદ્યાર્થીઓનું મન સ્થિર, યાદશક્તિ વધે અને એકાગ્રતાનો વિકાસ થાય*
—–
આપણો દેશ આગામી વર્ષ ૨૦૪૭માં સ્વતંત્રતાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે. આ ગૌરવશાળી પ્રસંગને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “વિકસિત ભારત@૨૦૪૭”નું એક ભવ્ય વિઝન નિર્ધારિત કર્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ઔદ્યોગિક જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે. જેમાં ‘યોગ’ પર સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે જો રાજ્ય અને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય તો ‘યોગ’ તેનો સૌથી મજબૂત આધારસ્તંભ બની શકે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દરવર્ષે તા. ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. જેના પરિણામે આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં ‘યોગ’ ને અપનાવવામાં આવ્યો છે. ‘યોગ’ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ એક સર્વાંગી જીવનપદ્ધતિ છે. વ્યક્તિગત સ્વાસ્થ્યથી લઈને રાષ્ટ્રીય અર્થતંત્ર સુધી અને સમાજમાં શાંતિથી લઈને વિશ્વમાં આધ્યાત્મિક નેતૃત્વ સુધી ‘યોગ’ દરેક ક્ષેત્રમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. ‘યોગ’ એ એક કલ્પવૃક્ષ છે, જે આપણને સ્વાસ્થ્ય, શાંતિ, જ્ઞાન, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ – બધું જ પ્રદાન કરે છે.
*આરોગ્યમાં ક્રાંતિ*
આજે આપણા દેશના નાગરિકોની તંદુરસ્તી અર્થે આરોગ્ય વિભાગ દ્વારા નોંધપાત્ર રકમ ફાળવવામાં આવે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, થાઇરોઇડ, કેન્સર જેવી જીવનરશૈલી સંબંધિત બિમારીઓ પર કરોડોનો ખર્ચ થાય છે. આ રોગોનું મૂળ કારણ અસંતુલિત જીવનશૈલી, અનિયમિત આહારપદ્ધત્તિ અને સતત વધતો તણાવ છે. જો દેશનો દરેક નાગરિક રોજિંદા જીવનમાં ‘યોગ’ને અપનાવે તો આ રોગોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. નિયમિત ‘યોગ’ કરવાથી શરીર મજબૂત બનશે, મન શાંત રહેશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. જેના પરિણામે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટશે, દવાઓ પરનો ખર્ચ ઓછો થશે અને સરકારનું આરોગ્ય બજેટ અન્ય વિકાસ કાર્યોમાં વાપરી શકાશે
*શિક્ષણમાં ગુણવત્તા*
વિદ્યાર્થીઓ એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આજના યુગમાં સોશિયલ મીડિયા, મોબાઈલની લત અને સ્પર્ધાત્મક દબાણને કારણે એકાગ્રતા ઘટી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ ચિંતાથી પીડાઈ રહ્યા છે. ‘યોગ’ અને ‘પ્રાણાયામ’ના નિયમિત અભ્યાસથી વિદ્યાર્થીઓનું મન સ્થિર બને છે, યાદશક્તિ વધે છે અને એકાગ્રતાનો વિકાસ થાય છે. આમ, શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા બંને ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકશે તેમજ વધારે પ્રમાણમાં સંશોધન, નવું જ્ઞાન તથા નવી શોધો થશે. જે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરશે.
*ઉત્પાદન અને અર્થતંત્રમાં વધારો*
ઉદ્યોગો અને કારખાનાઓની સાચી તાકાત તેમના કામદારોમાં છે. જો કર્મચારી તંદુરસ્ત હશે તો ઉત્પાદન ક્ષમતા અનેકગણી વધી જશે. ‘યોગ’ કર્મચારીઓને શારીરિક રીતે સુદૃઢ બનાવે છે અને માનસિક સ્થિરતા આપે છે. નિયમિત ‘યોગ’ કરનાર કર્મચારી ઓછા બીમાર પડે છે, જેથી આરોગ્ય રજામાં ઘટાડો થાય છે. તદુપરાંત કાર્યસ્થળ પર શિસ્ત, ઉત્સાહ અને ટીમ વર્ક વધે છે. જેના પરિણામે ઉદ્યોગોમાં ઉત્પાદન અને નિકાસમાં વધારો થાય છે તથા દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બને છે.
*સમાજમાં સુખ-શાંતિ*
આજે સમાજમાં વધી રહેલી હિંસા, અપરાધ અને તણાવનું મૂળ કારણ મનનું અસંતુલન છે. ‘યોગ’ મનને શાંતિ આપે છે, વિચારશક્તિને સ્પષ્ટ કરે છે તેમજ વ્યક્તિને ધૈર્યવાન બનાવે છે. જો યુવાનો ‘યોગ’ને જીવનમાં અપનાવે, તો તેઓ નશાખોરી, ગુનાઓ અને હતાશાથી દૂર રહી શકે છે. ‘યોગ’ વ્યક્તિને પ્રતિક્રિયા આપવાને બદલે સમજદારીપૂર્વક જવાબ આપવાનું શીખવે છે, જેથી કુટુંબમાં સુખ-શાંતિ વધે છે અને સમાજમાં એકતા મજબૂત બને છે. ‘યોગ’ માત્ર વ્યક્તિગત જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન લાવવાનો પણ શ્રેષ્ઠ માર્ગ છે.
*આધ્યાત્મિક ઉન્નતિ*
ભારત હંમેશા વિશ્વને આધ્યાત્મિકતા આપનાર દેશ રહ્યો છે. આજના સમયમાં જ્યારે વિશ્વ તણાવ, યુદ્ધ, પર્યાવરણ સંકટ અને અસંતોષનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત પાસે વિશ્વને સાચો માર્ગ બતાવવાની તક છે. ‘યોગ’ દ્વારા આત્મજાગૃતિ પ્રાપ્ત થાય છે. આંતરિક શાંતિ, પ્રેમ અને કરુણા જાગૃત થાય છે. જો ભારતના કરોડો નાગરિકો ‘યોગ’થી પ્રેરિત થશે, તો ભારત “વિશ્વગુરુ” તરીકે ઉભરી આવશે અને સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપનાર દેશ બનશે.
આવો, આપણે સૌ સાથે મળીને ‘યોગ’ને જીવનશૈલી બનાવીએ, આરોગ્યને તંદુરસ્ત બનાવીએ, શિક્ષણ અને અર્થતંત્રને આગળ ધપાવીએ તેમજ સમાજમાં સુખ-શાંતિ સ્થાપીને ભારતને વિશ્વનો સાચો માર્ગદર્શક બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે સર્વે નાગરિકોને આહ્વાન કર્યું છે.
—–
જીગર બારોટ
[8/30, 4:57 PM] Dilip Gajjar.Mahiti.Press: Cm sir Galteshwar Van mahotsav coverage
https://drive.google.com/drive/folders/1qUd_onAHyBPISVfP8DvCdEhsaSmMsV-7?usp=sharing
[8/30, 5:35 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રિલીઝ
રાજભવન, ગાંધીનગર
30 ઓગસ્ટ 2025
*મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
——-
*ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ*
——-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, 19મી સદીના મહાન પુરુષ, સમાજ સુધારક અને વેદોના મહાન પ્રચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ અંધશ્રદ્ધાઓનું ખંડન કર્યું હતું અને ભારતને સામાજિક, ધાર્મિક અને રાજકીય જાગૃતિની દિશા પણ આપી હતી. તેમણે આર્ય સમાજની સ્થાપના કરી અને “ કૃણવંતો વિશ્વમાર્યમ” નો ઉદઘોષ કરીને ભારતીય સમાજને નવી ઉર્જા આપી હતી.
ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ હતી. વૈદિક મંત્રોચ્ચારથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, મહર્ષિ દયાનંદનું જીવન સંઘર્ષ, બલિદાન અને હિંમતથી ભરેલું હતું. તેમણે મૂર્તિપૂજા, જાતિવાદ અને કુરિવાજો સામે અવાજ ઉઠાવીને સમાજને જાગૃત બનાવવાનું કામ કર્યું હતું. તેમના શબ્દો અને વિચારોએ સ્વતંત્રતા ચળવળને નવી ચેતના આપી હતી. મહાત્મા ગાંધી, લાલા લજપત રાય, સ્વામી શ્રદ્ધાનંદ જેવા અનેક મહાપુરુષોએ તેમનામાંથી પ્રેરણા લીધી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના આદર્શોને વ્યવહારમાં મૂક્યા છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશીની ભાવના, મહિલા સશક્તિકરણ અને સામાજિક સંવાદિતાના અભિયાનો મહર્ષિ દયાનંદના ઉપદેશોનું આધુનિક સ્વરૂપ છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ વૈશ્વિક સ્તરે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને પ્રતિષ્ઠા આપી છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે.
રાજ્યપાશ્રી પ્રાકૃતિક કૃષિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહર્ષિ દયાનંદજીએ હંમેશા પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. આ ભાવનાથી પ્રેરિત થઈને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે, પાણી અને હવા પ્રદૂષિત થઈ રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આવા સમયમાં, પ્રાકૃતિક ખેતી એ એકમાત્ર ઉપાય છે જે ખેડૂતો, ઉપભોક્તાઓ અને પર્યાવરણ બધા માટે ફાયદાકારક છે.
રાજ્યપાલશ્રીએ સેક્સ્ડ સોર્ટેડ સીમન ટેકનોલોજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ટેકનોલોજી દૂધ ઉત્પાદનમાં વધારો કરશે અને પશુપાલનમાં આર્થિક ક્રાંતિ લાવશે. આ તકનીકથી ગાયોમાં વાછરડીઓના જન્મની શક્યતાઓ વધુ હોય છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પશુપાલન ક્ષેત્રને નવી ગતિ આપી છે અને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે. તેમણે સત્ય અને સ્વદેશી પર ભાર મૂક્યો હતો. તેમનું માનવું હતું કે, જ્યાં સુધી સમાજ શિક્ષણ, સમાનતા અને આત્મનિર્ભરતા અપનાવે નહીં ત્યાં સુધી રાષ્ટ્રનો વાસ્તવિક ઉત્થાન શક્ય નથી.
રાજ્યપાલશ્રીએ યુવાનોને આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો અપનાવવા અપીલ કરી હતી. મહર્ષિ દયાનંદે ‘વેદો તરફ પાછા વળો’નું સૂત્ર આપ્યું હતું, જેની આજના સમયમાં પણ જરૂરિયાત છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સ્વામી દયાનંદ સરસ્વતીજીના વિચારો અને ઉપદેશો આજે પણ ભારતીય સમાજને શક્તિ અને દિશા પ્રદાન કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રાકૃતિક કૃષિ, પશુધન સંવર્ધન, આત્મનિર્ભરતા, સ્વદેશી, શિક્ષણ અને સંસ્કારી સમાજ દ્વારા ભારત આગામી વર્ષોમાં વિશ્વ સમક્ષ પોતાને “વિકસિત ભારત” તરીકે રજૂ કરશે.
આ તકે ‘1857 ડાયરી: ધ હીડન પેજીસ’ ફિલ્મના ટીઝર, પોસ્ટર અને વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્યું હતું
ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી શ્રી દિપકભાઈ ઠક્કરે ગુજરાતમાં આર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી. સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ શ્રી સુરેશચંદ્ર આર્યએ કાર્યક્રમનો ઉદ્દેશ અને રૂપરેખા વર્ણવી હતી.
આ કાર્યક્રમમાં વાનપ્રસ્થ સાધક આશ્રમના પ્રબંધક ન્યાસી મુનિ શ્રી સત્યજીત, દર્શન યોગ મહાવિદ્યાલયના સ્વામી શ્રી બ્રહ્મવિદાનંદ જી આચાર્ય, દર્શન યોગધામ પ્રબંધક સમિતિના અધ્યક્ષ શ્રી આચાર્ય દિનેશ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના શ્રી વિજયભાઈ બોરીચા, રાજ્યભરના આર્યસમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
———-
[8/30, 5:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં*
*’GP-SMASH’ પહેલથી વધુ એક નાગરિકને ઘરે બેઠા થયું સમસ્યાનું નિરાકરણ*
*કેનેડામાં રહેતા યુવાને X પર કરેલી ફરિયાદના આધારે ગુજરાત પોલીસે રૂ. ૬૫ હજાર પરત અપાવ્યા*
*કેનેડાના યુવાને લગ્નના કપડા ખરીદવા વડોદરાના વેપારીને એડવાન્સ બુકિંગ એમાઉન્ટ જમા કરાવી, બુકિંગ કેન્સલ કરવા છતાં વેપારી રૂપિયા પરત ન કરતા હોવાની પોસ્ટ મૂકી હતી*
*ગુજરાત પોલીસે ટાઇમ ઝોન ડિફરન્સ હોવાના કારણે મોડી રાત્રે અરજદારનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી લીધી, વડોદરાના વેપારીને ત્યાં પોલીસ પહોંચી ને વેપારીએ અરજદારના ફસાયેલા પૈસા પરત કરી દીધા*
….
ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘GP-SMASH’ (Gujarat Police – Social Media Monitering, Awareness and Systametic Handling) પહેલને પરિણામે વધુ એક નાગરિકને ઘરે બેઠા પોતાની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. કેનેડામાં રહેતા આ યુવાનને લગ્નના કપડાંનું બુકિંગ રદ કરવા છતાં વડોદરાના એક વેપારી પૈસા પરત આપતા ન હતા. યુવાને X (ટ્વિટર) પર ગુજરાત પોલીસને ટ્વીટ કરીને ફરિયાદ કરી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ગુજરાત પોલીસની GP-SMASH ટીમને તથા વડોદરા પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે.
આયુષ નામના યુવાને વડોદરાના એક વેપારી પાસેથી લગ્ન પ્રસંગ માટે ₹75,000ના કપડાં બુક કરાવ્યા હતા અને ડિપોઝિટ પણ જમા કરાવી હતી. પરંતુ, કોઈ કારણસર બુકિંગ રદ કરવું પડ્યું હતું. વડોદરાના વેપારી નાણાં પરત આપવા તૈયાર ન હતા. આ અરજદાર વિદેશમાં રહેતા હોવાથી ગુજરાત આવી શકે તેમ ન હતા. આથી, કેનેડાથી યુવાને તા.28મી ઓગસ્ટ, 2025ના રોજ સવારે 9:11 કલાકે ગુજરાત પોલીસના X હેન્ડલ @GujaratPolice પર પોતાની ફરિયાદ ટ્વીટ કરી હતી.
ગુજરાત પોલીસને ટ્વીટ મળતાં જ ગાંધીનગરમાં ૨૪*૭ કાર્યરત GP-SMASH સ્ટેટ ટીમના પીએસઆઈ શ્રી રાહુલસિંહ ચુડાસમાએ તાત્કાલિક વડોદરા પોલીસને આ બાબતે કાર્યવાહી કરવા કોમેન્ટ કરી અને ફોન પર વાતચીત કરી. ભારત અને કેનેડાના સમયમાં લગભગ 9 કલાક અને 30 મિનિટનો તફાવત હોવાથી, વડોદરા પોલીસની ટીમે રાત્રિના સમયે ફરિયાદી સાથે ફોન પર સંપર્ક કરીને સમગ્ર વિગતો મેળવી. આ ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી, તાત્કાલિક સ્થાનિક પોલીસ દ્વારા વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો.
પોલીસ દ્વારા તપાસ શરૂ થતાં જ વેપારીએ કેનેડાના યુવાનને તાત્કાલિક ₹65,000 પરત આપી દીધા. આ સુખદ પરિણામ મળ્યા બાદ ફરિયાદીએ વડોદરા પોલીસ, GP-SMASH, અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.
*GP-SMASH: લોકોની મદદ માટે સોશિયલ મીડિયા પર 24×7 કાર્યરત*
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસ અનેક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ તા.1લી માર્ચથી શરૂ થયેલા GP-SMASH પ્રોજેક્ટના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી શ્રી દીપક મેઘાણીના બારીક સુપરવિઝન હેઠળ GP-SMASH સ્ટેટ ટીમ 24×7 ત્રણ શિફ્ટમાં લોકોની મદદ માટે કાર્યરત છે. અત્યાર સુધીમાં, આ ટીમને 650થી વધુ ફરિયાદો અને રજૂઆતો મળી છે, જેમાંથી મોટાભાગની સમસ્યાઓનું ઘરે બેઠા ગણતરીના કલાકોમાં નિરાકરણ લાવવામાં GP-SMASHએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટ સાચા અર્થમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને ઝડપી અને અસરકારક મદદ પૂરી પાડી રહ્યો છે.
….
[8/30, 6:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં જન્મ-મરણની નોંધણી તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫થી હવે કેન્દ્ર સરકારના CRS Portal પર કરવાની રહેશે*
—–
રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર આગામી તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫થી કરવાની રહેશે. આ પોર્ટલ બપોરે ૧૨.૦૦ કલાકથી કાર્યરત થશે, તેમ આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર CRS Portal પર જન્મ અને મરણના બનાવોની નોંધણી સરળતાથી થઇ શકશે.
જે અંતર્ગત જિલ્લાના અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રારશ્રીઓને રાજ્ય કક્ષાએથી CRS Portal અંગે તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયતના સરકારી તથા ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, આ પોર્ટલ સંદર્ભે કોઈ પણ જાતના પ્રશ્ન ન ઉદભવે તે માટે ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે.
વધુમાં, તમામ શહેરી વિસ્તારમાં કાર્યરત હોસ્પિટલને CRS Portalમાં મેપિંગ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે માટે સંબંધિત રજિસ્ટ્રાર દ્વારા જાહેર રજા(તા. ૩૧/૦૮/૨૦૨૫)ના દિવસે પણ કચેરી ચાલુ રાખી તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.
—–
જીગર બારોટ
[8/30, 10:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગણેશોત્સવમાં સહભાગી થયા*
*****
*ઘાટલોડિયા, ગોતા, સોલા, થલતેજ અને મેમનગરમાં ગણેશ પંડાલમાં મુખ્યમંત્રીશ્રીએ શ્રીગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી*
*****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ ગણેશોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઘાટલોડિયા, ગોતા, સોલા, થલતેજ અને મેમનગરમાં વિવિધ ગણેશ પંડાલમાં શ્રીગણેશના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને શુભાશિષ મેળવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ શ્રીજીની આરતીનો લ્હાવો પણ લઈને ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વંદે માતરમ ચોકના રાજા, સોલા ભાગવતના રાજા, મનોકામનાપૂર્ણ ગણેશ, પાટીદાર યુવા સંગઠન ગણેશ ઉત્સવ, શ્રી પંચદેવ યુવા મંડળ ગણેશોત્સવ, ગાર્ડનના રાજા, મેપલ ટ્રી ગણેશ, ગુરુકુળના મહારાજા તથા સમર્પણ યુવક મંડળના ગણેશોત્સવમાં ઉપસ્થિત રહીને ભક્તજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ભવ્ય ગણેશ પંડાલોની થીમ, સજાવટ અને ગણેશ સ્થાપનના આયોજનને બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગણેશ મહોત્સવમાં દર્શન કરવા આવેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભૂલકાંઓ સાથે વડીલ વાત્સલ્ય ભાવથી વાર્તાલાપ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યૂટી મેયરશ્રી સહિત હોદ્દેદારો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***************************
[8/30, 10:11 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/15Ti_hbbPPeMYorqrkyCuqriAsVeQhVYO
[8/30, 10:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *દરેક બાળક પરિવારનું ગૌરવ અને રાષ્ટ્રનું ભવિષ્ય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
………
*રાજ્યપાલશ્રીએ ૧૩ વર્ષની બાળકી વંશિકા સિંઘ દ્વારા લખાયેલું પુસ્તક ‘થિંગ્સ આઈ સ્ક્રિબલ્ડ બિફોર ગ્રોઈંગ અપ’ નું વિમોચન કર્યું*
……..
*રાજ્યપાલશ્રી:-*
• બાળકના એક સંકલ્પથી દેશ અનેક ડગલાં આગળ વધી શકે છે
• બાળક સચવાઈ જશે, તો દેશ અને સમાજ પણ સચવાઈ જશે
……….
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં એજ્યુકેશન સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત ‘નન્હે સપને નઈ ઉડાન’ કાર્યક્રમમાં બાળકોના ઘડતર, શિક્ષણ અને સંસ્કાર થકી રાષ્ટ્રનિર્માણ વિષય પર પ્રેરક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે ૧૩ વર્ષની બાળકી વંશિકા સિંઘ દ્વારા લખાયેલા પુસ્તક ‘થિંગ્સ આઈ સ્ક્રિબલ્ડ બિફોર ગ્રોઈંગ અપ’ નું વિમોચન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ભારતના બાળકો વિવિધ ક્ષેત્રોમાં કીર્તિમાન સ્થાપી રહ્યા છે. જ્યારે બાળક લેખન, રમતગમત, શિક્ષણ કે નોકરી જેવા ક્ષેત્રોમાં આગળ વધે, ત્યારે તે પરિવાર માટે ખુશીનો અવસર હોય છે. તેમણે આવા આયોજનોને બાળકો માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા, જેનાથી તેમને પોતાના માર્ગે આગળ વધવાની ધગશ વધે છે.
રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, દરેક બાળક પરિવારનું ગૌરવ અને રાષ્ટ્રનું ભવિષ્ય છે. બાળકના એક સંકલ્પથી દેશ અનેક ડગલાં આગળ વધી શકે છે. તેમણે નાનપણથી જ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરનારા માતા-પિતા અને ગુરુજનોની પ્રશંસા કરી હતી.
રાજ્યપાલશ્રીએ ‘મહાજનો યેન ગતઃ સ પંથા:’ એટલે કે મહાન લોકો જે માર્ગે ચાલ્યા હોય, તેને અનુસરવાની સલાહ આપી હતી. તેમણે વાલીઓને જણાવ્યું કે, બાળકોના શિક્ષણ અને સંસ્કારની સાથે સાથે તેઓ કેવું ભોજન લે છે, તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે બાળકોને મોબાઈલના વ્યસનથી દૂર રાખવા અને સારી સંગત, સારા-નરસાનું ભાન તથા વિવેક શીખવવાની વાત કરી હતી. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જો બાળક સચવાઈ જશે, તો દેશ અને સમાજ પણ સચવાઈ જશે.
આ ઉપરાંત, તેમણે ગુલામીના સમયગાળા, અંગ્રેજી શાસન, વિદેશી આક્રમણકારો અને મેકોલોની શિક્ષણ પદ્ધતિનો ઉલ્લેખ કરીને માતૃભાષાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરી હતી.
રાજ્યપાલશ્રીએ ભોજન અને સ્વાસ્થ્ય પર ભાર મૂકતા કહ્યું કે, શરીરમાં કોઈ પણ રોગ અચાનક આવતો નથી, પરંતુ વર્ષોથી ધીમે ધીમે પાંગરતો હોય છે. તેમણે રાસાયણિક ખાતરોથી ઉત્પન્ન થયેલા ખોરાકને ધીમા ઝેર સમાન ગણાવી, સૌને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થયેલા અનાજ અને શાકભાજી આરોગવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવું અનિવાર્ય છે. તેમણે પોતાના અંગત અનુભવો વર્ણવીને નેચરોપેથી અને નૈસર્ગિક જીવનશૈલીના મહત્ત્વ વિશે પણ સમજાવ્યું.
કાર્યક્રમના અંતે, પ્રોફેસર શશિકાંત શર્માએ રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વંશિકા સિંઘના પરિવારજનો અને એજ્યુકેશન સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
……….
[8/31, 2:32 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1J0s0I8yTGOVaPSGmLKLlqpAYKz9oeBjZ
[8/31, 2:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*
……..
અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષો પર્યાવરણ અને વાતાવરણ શુદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવે છે.
ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ’ માતાના નામે એક વૃક્ષ વાવવાના સંકલ્પથી શરૂ થયેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનમાં ઘાટલોડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયુષ્માન વનમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
…….
[8/31, 4:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*
_________
*આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી*
__________
*”આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” – સુવિધાઓ સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા તંત્ર સજ્જ*
__________
*આ ભવ્ય મેળામાં અંદાજે ૩૦ લાખથી વધારે ભક્તો જોડાશે: યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા*
__________
*પદયાત્રીઓ માટે ૪ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ – ૧૨૦૦ બેડ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ*
__________
*પ્રથમવાર ૪૦૦ ડ્રોનથી અદ્ભુત ડ્રોન લાઇટ શો – ૩ અને ૪ સપ્ટેમ્બરે રાત્રે ૮:૩૦ કલાકે*
__________
*૨૮ પ્રસાદ કેન્દ્ર ખાતેથી ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ – ૭૫૦ કારીગરો જોડાયા પ્રસાદ તૈયારીમાં*
___________
*મહામેળામાં સુરક્ષા માટે ૫૦૦૦ જવાનો – “Not Force but Facilitation” ના મંત્ર સાથે ફરજ બજાવશે જવાનો*
__________
(માહિતી બ્યુરો, પાલનપુર)
“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે.
અંબાજી મહા મેળામાં સાત દિવસ દરમિયાન ૩૦ લાખથી પણ વધારે યાત્રિકો આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે અને અંબાજી વહીવટદારશ્રી કૌશિક મોદી દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેશ અને રાજ્યના પદયાત્રી માઇભક્તોને અંબાજી પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
*દર્શન માટે વિશેષ વ્યવસ્થા*
અંબાજી મહા મેળામાં તમામ દર્શનાર્થીઓને માઁ અંબેના સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલીંગ ઊભા કરાયા છે. યાત્રાળુઓને લાઇનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ ૭ એ તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર ૮ રહેશે. દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સીનીયર સીટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન -ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.
*પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા*
અંબાજી ખાતે આવતા યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. શ્રી અંબિકા ભોજનાલય અંબાજી, દિવાળી બા ગુરૂભવન દાંતા રોડ, ગબ્બર તળેટી અને વ્યંકટેશ માર્બલની બાજુમાં દાંતા રોડ ખાતે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
*પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ*
મહામેળા દરમિયાન તમામ પદયાત્રીઓ રોડની ડાબી બાજુએ ચાલશે. રસ્તામાં પાણી, લીંબુ શરબત, મેડિકલ કેમ્પ, ટોયલેટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. સેવા કેમ્પ થકી પણ પદયાત્રીઓને સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે યાત્રિક મુખ્ય પ્રવેશ ડોમ ( એસ.ટી. સ્ટેન્ડ સંકુલ) ખાતે અને ગબ્બર તળેટી ખાતે લગેજ પગરખા કેન્દ્ર ઊભા કરાયા છે. અંબાજી થી ૬૦ કિલોમીટર અંતર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ રહેશે.
*અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે વૉટરપ્રૂફ ડોમની સુવિધા*
અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યા, હડાદથી અંબાજી આવતા માર્ગ પર કામાક્ષી મંદિર સામેની જગ્યા, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યા તથા માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યા એમ કુલ ચાર સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે ૧૨૦૦ બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
*૩૫ સ્થળોએ પાર્કિગની વિશેષ સુવિધા*
અંબાજી ખાતે આવતા વાહનો માટે કુલ ૧ લાખ ૮૩ હજાર ૮૫૫ ચોરસ મીટર એરિયામાં કુલ ૩૫ જેટલા પાર્કિંગ ઊભા કરાયા છે જેમાં કુલ ૨૨૫૪૧ કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર ૨૩ તથા હડાદ રોડ પર ૧૨ પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show my Parking એપ્લિકેશનની ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
*પાર્કિંગ સ્થળ થી મંદિર જવા- આવવા માટે વિનામૂલ્યે બસની વ્યવસ્થા*
અંબાજી ખાતે આવતા માઇભક્તો માટે પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા – આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા સર્વિસ આપવામાં આવશે. દાંતા રોડ પર પાંછા બસ સ્ટેશન પાસેના પાર્કિંગ થી તથા હડાદ રોડ માટે ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શનપથ સુધી મીની બસ સેવાની આવવા – જવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે.
*૨૮ પ્રસાદ કેન્દ્રો થકી ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ*
અંબાજી મહા મેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ હોય છે. મહામેળામાં પ્રસાદ વિતરણ માટે કુલ ૨૮ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ થી ૧૨૦૦ ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. ૧ ઘાણમાં કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનશે. ૭૫૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન ૩૦ લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.
*મહા મેળામાં ૫૦૦૦ જવાનો Not Force but facilitation તરીકે ફરજ બજાવશે*
અંબાજી મહા મેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે ૫૦૦૦ જવાનો સુરક્ષા સાથે Not Force but facilitation તરીકે ફરજ બજાવશે. ઘોડેસવાર પોલીસ, મહિલા “શી ટીમ” અને ખાસ મોનીટરીંગ ટીમો સાથે મેળામાં સુરક્ષા જાળવવામાં આવશે. ૩૩૨થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરાશે. કાયદો અને વ્યવસ્થાના સુચારૂ અમલીકરણ માટે કંટ્રોલ રૂમ, વોચ ટાવર, બોડી વોર્ન અને ડ્રોન કેમેરા થકી સુરક્ષા કરાશે.
*સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો*
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, “જય માતાજી”નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત રચનાઓ થશે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે. આ અનોખા પ્રદર્શનથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાશે.
*સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન*
અંબાજી મહા મેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક વિશેષ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. ટ્રેક્ટર દ્વારા અંબાજી સ્થિત અલગ અલગ સ્થળો ખાતેથી કચરાને એકત્રિત કરીને તેનો નિકાલ કરાશે.
*યાત્રાળુઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ*
૧ સપ્ટેમ્બરના રોજ ગબ્બર તળેટી, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંજે ૪ કલાક થી લઈને રાત્રિના ૧૦ કલાક સુધી ડાક ડમરૂનો નાદ, રાસ/ગરબા, લોક ડાયરો, ગણેશ વંદના, સરસ્વતિ વંદના, મહિસાસુર મદિની સ્તોત્ર, કનકધારા સ્તોત્રમ, લોકનૃત્ય, માતૃ શક્તિ પર લોક ડાયરા શકિત અંબાજી થીમ આધારિત સંગીતનો કાર્યક્રમ યોજાશે.
*અંબાજીમાં થીમ આધારિત લાઈટીંગ અને વિશેષ શણગાર*
અંબાજી ખાતે આ વર્ષે ગબ્બર રૂટ, અંબાજી મંદિર, પ્રવેશના ત્રણેય દ્વાર, ૫૧ શક્તિપીઠ સર્કલ તેમજ માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારમાં વિશેષ રોશની કરાશે. માતાજીના સ્વરૂપ ઉપર આધારીત થીમ બેઝ લાઈટીંગ દ્વારા સમગ્ર વિસ્તારમાં એક સમાન અને ભવ્ય આભા ઊભી કરાઈ છે. જે યાત્રાળુઓને અનોખો અનુભવ કરાવશે. મુખ્ય મંદિરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના સમયે ચાચર ચોકમાં દીવાની ઝગમગતી લાઈટીંગ યાત્રાળુઓને આકર્ષિત કરશે.
***
[8/31, 4:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*
_________
*આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી*
__________
*”આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” – સુવિધાઓ સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા તંત્ર સજ્જ*
__________
*આ ભવ્ય મેળામાં અંદાજે ૩૦ લાખથી વધારે ભક્તો જોડાશે: યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા*
__________
*પદયાત્રીઓ માટે ૪ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ – ૧૨૦૦ બેડ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ*
__________
*પ્રથમવાર ૪૦૦ ડ્રોનથી અદ્ભુત ડ્રોન લાઇટ શો – ૩ અને ૪ સપ્ટેમ્બરે રાત્રે ૮:૩૦ કલાકે*
__________
*૨૮ પ્રસાદ કેન્દ્ર ખાતેથી ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ – ૭૫૦ કારીગરો જોડાયા પ્રસાદ તૈયારીમાં*
___________
*મહામેળામાં સુરક્ષા માટે ૫૦૦૦ જવાનો – “Not Force but Facilitation” ના મંત્ર સાથે ફરજ બજાવશે જવાનો*
__________
(માહિતી બ્યુરો, પાલનપુર)
“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે.
અંબાજી મહા મેળામાં સાત દિવસ દરમિયાન ૩૦ લાખથી પણ વધારે યાત્રિકો આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે અને અંબાજી વહીવટદારશ્રી કૌશિક મોદી દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેશ અને રાજ્યના પદયાત્રી માઇભક્તોને અંબાજી પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
*દર્શન માટે વિશેષ વ્યવસ્થા*
અંબાજી મહા મેળામાં તમામ દર્શનાર્થીઓને માઁ અંબેના સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલીંગ ઊભા કરાયા છે. યાત્રાળુઓને લાઇનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ ૭ એ તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર ૮ રહેશે. દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સીનીયર સીટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન -ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.
*પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા*
અંબાજી ખાતે આવતા યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. શ્રી અંબિકા ભોજનાલય અંબાજી, દિવાળી બા ગુરૂભવન દાંતા રોડ, ગબ્બર તળેટી અને વ્યંકટેશ માર્બલની બાજુમાં દાંતા રોડ ખાતે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
*પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ*
મહામેળા દરમિયાન તમામ પદયાત્રીઓ રોડની ડાબી બાજુએ ચાલશે. રસ્તામાં પાણી, લીંબુ શરબત, મેડિકલ કેમ્પ, ટોયલેટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. સેવા કેમ્પ થકી પણ પદયાત્રીઓને સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે યાત્રિક મુખ્ય પ્રવેશ ડોમ ( એસ.ટી. સ્ટેન્ડ સંકુલ) ખાતે અને ગબ્બર તળેટી ખાતે લગેજ પગરખા કેન્દ્ર ઊભા કરાયા છે. અંબાજી થી ૬૦ કિલોમીટર અંતર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ રહેશે.
*અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે વૉટરપ્રૂફ ડોમની સુવિધા*
અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યા, હડાદથી અંબાજી આવતા માર્ગ પર કામાક્ષી મંદિર સામેની જગ્યા, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યા તથા માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યા એમ કુલ ચાર સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે ૧૨૦૦ બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
*૩૫ સ્થળોએ પાર્કિગની વિશેષ સુવિધા*
અંબાજી ખાતે આવતા વાહનો માટે કુલ ૧ લાખ ૮૩ હજાર ૮૫૫ ચોરસ મીટર એરિયામાં કુલ ૩૫ જેટલા પાર્કિંગ ઊભા કરાયા છે જેમાં કુલ ૨૨૫૪૧ કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર ૨૩ તથા હડાદ રોડ પર ૧૨ પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show my Parking એપ્લિકેશનની ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
*પાર્કિંગ સ્થળ થી મંદિર જવા- આવવા માટે વિનામૂલ્યે બસની વ્યવસ્થા*
અંબાજી ખાતે આવતા માઇભક્તો માટે પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા – આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા સર્વિસ આપવામાં આવશે. દાંતા રોડ પર પાંછા બસ સ્ટેશન પાસેના પાર્કિંગ થી તથા હડાદ રોડ માટે ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શનપથ સુધી મીની બસ સેવાની આવવા – જવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે.
*૨૮ પ્રસાદ કેન્દ્રો થકી ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ*
અંબાજી મહા મેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ હોય છે. મહામેળામાં પ્રસાદ વિતરણ માટે કુલ ૨૮ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ થી ૧૨૦૦ ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. ૧ ઘાણમાં કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનશે. ૭૫૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન ૩૦ લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.
*મહા મેળામાં ૫૦૦૦ જવાનો Not Force but facilitation તરીકે ફરજ બજાવશે*
અંબાજી મહા મેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે ૫૦૦૦ જવાનો સુરક્ષા સાથે Not Force but facilitation તરીકે ફરજ બજાવશે. ઘોડેસવાર પોલીસ, મહિલા “શી ટીમ” અને ખાસ મોનીટરીંગ ટીમો સાથે મેળામાં સુરક્ષા જાળવવામાં આવશે. ૩૩૨થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરાશે. કાયદો અને વ્યવસ્થાના સુચારૂ અમલીકરણ માટે કંટ્રોલ રૂમ, વોચ ટાવર, બોડી વોર્ન અને ડ્રોન કેમેરા થકી સુરક્ષા કરાશે.
*સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો*
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, “જય માતાજી”નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત રચનાઓ થશે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે. આ અનોખા પ્રદર્શનથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાશે.
*સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન*
અંબાજી મહા મેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક વિશેષ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. ટ્રેક્ટર દ્વારા અંબાજી સ્થિત અલગ અલગ સ્થળો ખાતેથી કચરાને એકત્રિત કરીને તેનો નિકાલ કરાશે.
*યાત્રાળુઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ*
૧ સપ્ટેમ્બરના રોજ ગબ્બર તળેટી, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંજે ૪ કલાક થી લઈને રાત્રિના ૧૦ કલાક સુધી ડાક ડમરૂનો નાદ, રાસ/ગરબા, લોક ડાયરો, ગણેશ વંદના, સરસ્વતિ વંદના, મહિસાસુર મદિની સ્તોત્ર, કનકધારા સ્તોત્રમ, લોકનૃત્ય, માતૃ શક્તિ પર લોક ડાયરા શકિત અંબાજી થીમ આધારિત સંગીતનો કાર્યક્રમ યોજાશે.
*અંબાજીમાં થીમ આધારિત લાઈટીંગ અને વિશેષ શણગાર*
અંબાજી ખાતે આ વર્ષે ગબ્બર રૂટ, અંબાજી મંદિર, પ્રવેશના ત્રણેય દ્વાર, ૫૧ શક્તિપીઠ સર્કલ તેમજ માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારમાં વિશેષ રોશની કરાશે. માતાજીના સ્વરૂપ ઉપર આધારીત થીમ બેઝ લાઈટીંગ દ્વારા સમગ્ર વિસ્તારમાં એક સમાન અને ભવ્ય આભા ઊભી કરાઈ છે. જે યાત્રાળુઓને અનોખો અનુભવ કરાવશે. મુખ્ય મંદિરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના સમયે ચાચર ચોકમાં દીવાની ઝગમગતી લાઈટીંગ યાત્રાળુઓને આકર્ષિત કરશે.
***
[8/31, 6:05 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *31-08-25* | *Time* *05:30* *PM*
*LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ, નવનિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું લોકાર્પણ.*
*સ્થળ: ગાંધીનગર*
*Hon’ble UHM Shri Amit Shah launches Dial-112 Project; dedicates newly-built homes & police vehicles*
*YouTube* :- https://www.youtube.com/watch?v=XK9QYHAzRBY
*YouTube* :- https://www.youtube.com/watch?v=XjCNQDx4xro
*FB* :- https://www.facebook.com/share/v/1CdZRWgpFK/
*FB* :- https://www.facebook.com/share/v/16nfqYJHQN/
*Twitter* :- https://x.com/CMOGuj/status/1962129764346650955
*Twitter* :- https://x.com/Bhupendrapbjp/status/1962129764187316473
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[8/31, 8:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વિધાન સભા મતવિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી*
****
*બોડકદેવ વોર્ડમાં ‘બોડકદેવ કા રાજા’ અને ‘વસ્ત્રાપુર ગણેશ’ પંડાલની મુલાકાત લઈને મુખ્યમંત્રીશ્રીએ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા*
****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘાટલોડીયા મતવિસ્તારના બોડકદેવ વોર્ડમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી.
સમગ્ર રાજ્યમાં ઉલ્લાસ ઉમંગ પૂર્વક ગણેશ મહોત્સવ ની ઉજવણી થઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી પણ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં લોકોના આનંદ ઉમંગમાં સહભાગી બને છે.
મુખ્યમંત્રીશ્રીએ રવિવારે સાંજે ‘બોડકદેવ કા રાજા’ અને ‘વસ્ત્રાપુર ગણેશ’ પંડાલની મુલાકાત લઈને બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા.
તેમણે ભક્તિભાવપૂર્વક શ્રીજીની પૂજાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
વસ્ત્રાપુર લેક અને જજીસ બંગલો ચાર રસ્તા પાસે શહેરીજનોએ મુખ્યમંત્રીશ્રીને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પણ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું તથા bભૂલકાંઓ તેમજ યુવાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
બંને સ્થળોએ ગણેશ પંડાલની થીમ, શ્રીજીના વાઘા અને તેમના શૃંગાર તથા ગણેશ સ્થાપનના આયોજનને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******
[8/31, 8:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ:*
———
આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-૧૧૨ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે
———-
*‘સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર’ સંચાલિત જીપીએસ સુવિધા યુક્ત વાહનો દ્વારા ગુજરાતે*
*‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા*
———
*પ્રધાનમંત્રી શ્રી મોદીના શાસનકાળમાં ગુજરાતની સરહદો અભેદ કિલ્લા જેવી બની: આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન*
———-
*આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ના પરિણામે ઉત્તર-પૂર્વમાં ૧૦ હજારથી વધુ લોકો સરેન્ડર થયા: આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ના દિવસે સમગ્ર દેશમાંથી નકસલવાદ સમાપ્ત થશે*
*******
*મુખ્યમંત્રીશ્રી:*
‘એક નંબર, અનેક સેવાનો’ ડાયલ-૧૧૨નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું
———–
રાજ્ય પોલીસદળનું મનોબળ વધારવા સાથે આતંકવાદ,ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અમે અપનાવી છે
———
તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર તરીકે ૧૧૨ના લોન્ચિંગથી ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓ વધુ સુદ્રઢ અને અસરકારક બનશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
——-
તમામ ઇમરજન્સી સેવાઓને એક છત હેઠળ લાવવા માટે વેસ્ટર્ન ઝોનલ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કરેલા સૂચનને ગુજરાતે માત્ર છ મહિનામાં પાર પાડ્યું
*******
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ- પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
*******
રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા “ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ”તેમજ ગુજરાત પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય શ્રી અમિત શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો આજે શુભારંભ- લોકાર્પણ કર્યું હતું.
જેમાં ડાયલ ૧૧૨ જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને ૫૦૦ જન રક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન ૫૩૪ જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. ૨૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -૧૫૭૦૦ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
*કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ*
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે “જનરક્ષક – ૧૧૨”નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-૧૧૨ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે.સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસસી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા છે. “જનરક્ષક – ૧૧૨”નું આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ અમદાવાદમાં ૧૫૦ કર્મચારીઓ ૨૪x૭ સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે.
ગુજરાતની સુરક્ષા માટેના નવતર મહત્વપૂર્ણ કદમો માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની જોડીને બિરદાવી ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાંનું રાજ્ય છે. ગુજરાતનો સાગર કિનારો, કચ્છ કે બનાસકાંઠાની સરહદો પરથી અગાઉના સમયે અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં ગુજરાતની આ સરહદો અભેદ કિલ્લા જેવી બની છે. આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન ક્રમાંકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, સુશાસનથી પ્રેરિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ધુરા સંભાળ્યા બાદ આતંકવાદ, ઘૂસણખોરી, નક્સલવાદ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે નાર્કોટિક્સ, આતંકવાદ, સાઈબર ગુનાઓ વિરુદ્ધ કામગીરી કરીને નાગરિકોની સુરક્ષા તેમને તાત્કાલિક સેવાઓ પહોંચાડવા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કાબીલેદાદ કામગીરી કરી છે.
શ્રી શાહે આ પ્રસંગે રૂ. ૨૧૭ કરોડના ખર્ચે જેલ, હોમગાર્ડના કર્મીઓ માટે રહેણાંક અને બિન રહેણાંક મકાનોના ઈ-લોકાર્પણ કરતાં કહ્યું હતું કે,પોલીસ કર્મીઓને આપેલો કોલ પ્રધાનમંત્રીશ્રીએ સારી રીતે નિભાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી મોદીના ૧૧ વર્ષના કાર્યકાળમાં સમગ્ર વિશ્વમાં ભારતની સીમા અને સેના સાથે છેડખાની ન થાય તેમ પ્રસ્થાપિત થયું છે. ભારત આત્મરક્ષા માટે કોઈપણ સ્તરે જઈ સીમાઓની રક્ષા માટે સજજ છે. આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની કામગીરીના પરિણામે ઉત્તર-પૂર્વમાં ૧૦,૦૦૦થી વધુ લોકો સરેન્ડર થયા છે તેમ જણાવી મંત્રીશ્રીએ આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ના દિવસે સમગ્ર દેશમાંથી નકસલવાદ સમાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
*મુખ્યમંત્રી શ્રી*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક નંબર, અનેક સેવાનો’ ડાયલ-૧૧૨નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રક્ષા શક્તિને વધુ સંગીન બનાવીને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ રાજ્યના પોલીસ દળમાં થઈ રહ્યો છે આ સમારોહ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ રાજ્ય પોલીસદળનું મનોબળ વધારવા સાથે આતંકવાદ,ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે,
એટલું જ નહીં પોલીસ પ્રશિક્ષણની આખી તાસીર બદલી નાખીને નવા પડકારોને પહોંચી વળવા પોલીસદળને આધુનિકતા સાથે સ્માર્ટ પોલીસીંગ માટે વધુને વધુ સજ્જ અને સક્ષમ બનાવ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે, આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિકશન માટે સમયાનુસાર બદલાવ લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે કેપેબલ થયા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસના ટેકનોસેવી જવાનો સ્વદેશી ટેકનોલોજી વિકસાવીને સ્માર્ટ ,સેઈફ અને સિક્યોર ગુજરાતથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
*ગૃહ રાજ્ય મંત્રીશ્રી*
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજના દિવસને ગુજરાતની સલામતી અને સુરક્ષાની દિશામાં એક ઐતિહાસિક દિવસ ગણાવીને કહ્યું હતું કે, આજથી હવે રાજ્યના નાગરિકોએ પોલીસ માટે ૧૦૦, એમ્બ્યુલન્સ માટે ૧૦૮, ફાયર માટે ૧૦૧, મહિલા હેલ્પલાઇન અભયમ માટે ૧૮૧, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે ૧૦૯૮ અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે ૧૦૭૦/૧૦૭૭ એમ અલગ અલગ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે. આ તમામ ઇમર્જન્સી સેવાના નંબરને બદલે હવે તમારે માત્ર એક જ નંબર ૧૧૨ ડાયલ કરવાનો રહેશે. નાગરિકોને તેમની ઇમર્જન્સી મુજબ ત્વરિત મદદ માટેની જરૂરી ટીમ મોકલવાનું કાર્ય ૧૧૨ હેલ્પલાઇનથી થશે. તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર તરીકે ૧૧૨ના લોન્ચિંગથી ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓ વધુ સુદ્રઢ અને અસરકારક બનશે.
મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં પુણે ખાતે છ મહિના પહેલા યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં તેમણે વિવિધ રાજ્યોને આ પ્રકારની ઈમરજન્સી સેવાઓના ઇન્ટિગ્રેશન તેમજ પોલીસ રિસ્પોન્સ ટાઇમ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી લૉ એન્ડ ઓર્ડરને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવા ખુબ બારીકાઇથી માર્ગદર્શન આપ્યું હતું. તેમના આ સૂચનને અનુસરીને, ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેક્નોલોજીયુક્ત ફર્સ્ટ રિસ્પોન્સ વ્હિકલ વધારવાની સાથે સાથે માત્ર છ મહિનામાં તમામ ઇમરજન્સી સેવાઓને એક છત હેઠળ લાવવાનું આ ભગીરથ કાર્ય આજે પાર પાડ્યું છે.
આ નવી વ્યવસ્થાથી નાગરિકોને ત્વરિત અને અસરકારક પ્રતિસાદ મળશે. મહત્વની વાત એ છે કે, જનરક્ષક વાહનોને કોઇ પોલીસ સ્ટેશન હદ નડશે નહિ, ઘટના સ્થળની સૌથી નજીક જે વાહન હશે તે સૌથી પહેલા પહોંચશે. કોલ કરનારનું સચોટ લોકેશન મેળવી ઇમરજન્સી સેવાની ટીમોનું તુરંત પ્રસ્થાન થઈ શકશે. આ સેવાઓમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, પુણે ખાતેની વેસ્ટર્ન ઝોનલ બેઠકમાં રાજ્યના છેવાડાના નાગરિકોને સાયબર ક્રાઈમ અનુસંધાને ત્વરિત અને સચોટ પોલીસ સહાય મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા અંગે પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે એક સૂચન કર્યું હતું. તે માટે પણ ગુજરાતમાં ડેડિકેટેડ સેન્ટર ફોર સાયબર એક્સલન્સ તૈયાર કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે ગૌરવ સાથે જણાવ્યું હતું, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ જ્યારે ગુજરાતના ગૃહ મંત્રી હતા ત્યારે તેમને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લીધેલા પગલાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમે આગળ વધારી રહ્યા છીએ.જેના પરિણામે સ્વરૂપે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્યોમાંથી એક છે એટલું જ નહીં પણ ગુજરાતમાં નોંધપાત્ર રીતે ક્રાઈમ રેટમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો દેશના સુરક્ષિત શહેરોમાં સમાવેશ થાય છે. આજના દિવસે ૫૦૦ વાહનો ૧૧૨ પ્રોજેક્ટ હેઠળ તેમજ ૫૩૪ વાહનો પોલીસને ફાળવવામાં આવતા ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બનશે અને નવીન વાહનો- AIની મદદથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી દાસે આ પ્રસંગે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ નવીન કાયદાના અમલીકરણમાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ કાયદા માટે સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રી મિરાબેન પટેલ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય,ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશ ઠાકોર, શ્રી જે.એસ.પટેલ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી નિપુણા તોરવણે, ઈ.એમ.આર.આઈ. ડાયરેકટર કે. ક્રિષ્ણમ રાજુ સહિત રાજ્યભરમાંથી પોલીસ વિભાગના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
******
[8/31, 8:49 PM] Dilip Gajjar.Mahiti.Press: 31-08-2025 Inauguration of Dial 112 Janakshak project, newly constructed houses and police vehicles at the presence of Honorable Union Home and Cooperative Minister Shri Amitbhai Shah.photo :https://photos.app.goo.gl/N1j5WQ1fZfVF9Rd89
[8/31, 8:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *BOX*
*નાગરિકોને ઈમરજન્સી સેવાઓમાં વધુ ત્વરીત સુરક્ષા પુરી પાડવા સરકારનો નવતર અભિગમ*
——
*કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ- પોલીસ
આવાસોનું ઈ-લોકાર્પણ:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ*
——–
*વિવિધ પ્રકલ્પોની વિગતો*
ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. ૨૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -૧૫૭૦૦ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ ૧૦૦, આરોગ્ય વિભાગની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, શહેરી વિકાસ વિભાગની ૧૦૧ ફાયર સેવા, મહિલા અને બાળ વિકાસની અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન, ડિઝાસ્ટર હેલ્પલાઈન ૧૦૭૦, ૧૦૭૭, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન વગેરે જેવી મહત્વની ઈમરજન્સી સેવાઓ મેળવવા ડાયલ ૧૧૨ નંબર કરવાથી ઉપરોક્ત તમામ સંકલિત (ઇન્ટીગ્રેટેડ) ઈમરજન્સી સેવાઓ ઝડપથી નાગરિકોને મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કાર્યાન્વિત ગૃહ વિભાગ અને EMRI GHS જે છેલ્લા ૧૮ વર્ષથી રાજ્યમાં ૧૦૮ સેવાનું સફળ સંચાલન કરી રહેલ સંસ્થા સાથે પીપીપી ધોરણે MoU કરવામાં આવ્યા છે.
૧૧૨ જનરક્ષક પ્રોજેકટની ખાસિયતો
• એક નંબર, અનેક સેવાઓ: પોલીસ (૧૦૦), એમ્બ્યુલન્સ (૧૦૮), ફાયર (૧૦૧), મહિલા હેલ્પલાઈન (૧૮૧), ચાઈલ્ડ હેલ્પલાઈન (૧૦૯૮) અને ડિઝાસ્ટર હેલ્પલાઈન (૧૦૭૦/૧૦૭૭) જેવી સેવાઓ માટે હવે માત્ર ૧૧૨ નંબર ડાયલ કરવાનો રહેશે.
• ત્વરિત અને અસરકારક પ્રતિસાદ: જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળ પર ઝડપી પહોંચ અને સમયસર મદદ મળી રહેશે. કોલ કરનારનું સ્થળ (લોકેશન) ડિટેકશન સિસ્ટમ દ્વારા સચોટ લોકેશન પ્રાપ્ત થતાં ઈમરજન્સી સેવાની ટીમોનું સીઘ્ર પ્રસ્થાન.
• ટેકનોલોજીનો ઉપયોગ: ડાયલ ૧૧૨ રિસ્પોન્સ સેન્ટરમાં કોમ્પ્યુટર એઈડેડ ડિસ્પેચ (CAD) સિસ્ટમ, વોઇસ લોગર, કોલર લોકેશન બેઝ સર્વિસિસ, જનરક્ષક વાનમાં મોબાઈલ ડેટા ટર્મિનલ્સ (MDT), વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનશે.
પ્રોજેક્ટના મુખ્ય ઘટકો
૧. સ્ટેટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (SERC)
• કેન્દ્રિય સંચાલન: અમદાવાદ ખાતે કાર્યરત આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેશે. અહીં ૧૫૦ બેઠકોની ક્ષમતા ધરાવતું કોલ સેન્ટર છે, જે સમગ્ર રાજ્યભરમાંથી આવતા તમામ ઈમરજન્સી કોલ્સનું રિપોર્ટિંગ અને ઘટના સ્થળે જરૂરી ઈમરજન્સી સેવાની ટીમને ત્વરિત મોકલવાની વ્યવસ્થાનું સંચાલન કરશે.
• સંકલિત વ્યવસ્થા: અહીંથી કોલ્સને સંબંધિત ઈમરજન્સી સેવાઓ સાથે જોડીને ત્વરિત મદદ પૂરી પાડવામાં આવશે
* ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (DERC):*
• સ્થાનિક જિલ્લા/શહેર સ્તરે મોનિટરિંગ: દરેક જિલ્લા/શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ખાતે જનરક્ષક કેન્દ્ર કાર્યરત રહેશે. અહીંથી સ્થાનિક પીસીઆર વાનોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ અને સંચાલન કરી શકાશે.
‘ડાયલ ૧૧૨ જનરક્ષક’ પીસીઆર વાન
• વાહનોની સંખ્યા: હાલમાં ઉપલબ્ધ ૫૦૦ પીસીઆર વાન ઉપરાંત નવી ૫૦૦ વાન ઉમેરાતા હવે કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાન પોલીસ ઈમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે.
• ડાયલ ૧૧૨ જનરક્ષક ઈમરજન્સી વાનની સેવા માટે વાર્ષિક કુલ રૂ. ૯૨ કરોડ ખર્ચ માટે બજેટ જોગવાઈ.
વિશેષતાઓ:
• આ તમામ વાનો જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે, જેથી તેમનું લોકેશન અને મૂવમેન્ટ સતત ટ્રેક કરી શકાશે.
• વાહનોમાં લાઈટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, MDT, વાયરલેસ સેટ અને અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ રહેશે.
• દરેક વાનમાં એક શિફ્ટ દરમિયાન હેડ કોન્સ્ટેબલ/ASI, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર એમ કુલ ત્રણ સભ્યોની ટીમ હાજર રહેશે.
• રિસ્પોન્સ ટીમના સભ્યો પાસે યુનિફોર્મ, લાઠી, હેલ્મેટ, અને બોડી વોર્ન કેમેરા ઉપલબ્ધ રહેશે.
સેવા અને સુવિધાઓ
• રિસ્પોન્સ ટાઈમ: સરકારનો ઉદ્દેશ્ય ઈમરજન્સી કોલ આવ્યા બાદ ત્વરિત ઘટના સ્થળે પહોંચવાનો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે વ્યૂહાત્મક સ્થળોએ વાન તૈનાત કરવામાં આવશે.
• તાલીમબદ્ધ કર્મચારીઓ: આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પોલીસ અને અન્ય કર્મચારીઓને ઈમરજન્સી રિસ્પોન્સ અને ડિજિટલ અપડેશન અંગે જરૂરી તાલીમ આપવામાં આવી છે.
• ડિજિટલ રિપોર્ટિંગ: દરેક કેસની વિગત MDT પર ફરજિયાતપણે નોંધવામાં આવશે, જેથી વધુ પારદર્શિતા જળવાઈ રહે.
• સફળતા: ફેબ્રુઆરી ૨૦૧૯ થી અત્યાર સુધીમાં ૧૧૨ ‘જનરક્ષક’ અંતર્ગત ૧.૫૫ કરોડથી વધુ કોલ્સને સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૪,૭૧૭ કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી. ડાયલ ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટ ગુજરાતમાં નાગરિક સુરક્ષા અને ઈમરજન્સી મેનેજમેન્ટની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આ પહેલથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ વધશે અને એક સુરક્ષિત સમાજનું નિર્માણ થશે.
નવીન ૫૩૪ બોલેરો વાનનું લોકાર્પણ:
રાજ્યમાં પોલીસની નાગરિકો માટે સેવા વધારે સુદ્ઢ થતી રહે અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ પોલીસના વાહનોનું સમયસર મેન્ટેનન્સ અને જૂના થયેલા વાહનોનું સમયસર રિપ્લેસમેન્ટ થઈ શકે તે માટેની સુગઠિત વ્યવસ્થાના ભાગરૂપે નવીન ૫૩૪ જેટલી બોલેરો વાન લોકોની સેવામાં લોકાર્પણ કરવામાં આવી છે .
જેના પરિણામે પોલીસની નાગરિકો સુધીની પહોંચ વધુ ઝડપી અને મૈત્રી પૂર્ણ બનશે તેમજ રાજ્યમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત તથા પોલીસ સ્ટાફના અધિકારી અને કર્મયોગીઓને જરૂરી પરિવહન સગવડ રૂપે આ વાહનોની સંખ્યા -કાફલો એક મહત્વનો રિસોર્સ સાબિત થશે.
***************************
(ગાંધીનગર જિલ્લા માહિતી ખાતાના સમાચારો)
[8/30, 6:12 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેની આગેવાનીમાં ગાંધીનગર ભૂસ્તર તંત્રની ભૂમાફિયાઓ સામે લાલ આંખ*
………………
*જિલ્લામાં તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ ૦૩ વાહનો મળી આશરે ૯૦ લાખ ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત*
………………
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરવા અંગે ક્ષેત્રિય ટીમ દ્વારા રોડ ચેકિંગ અંગેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રીઓ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ અન્ય જીલ્લામાંથી ખનિજ ભરી આવતા ડમ્પર વાહનોને રોડ ચેકિંગ દરમ્યાન વહેલી સવારે આશરે ૦૨:૦૦ કલાકે કલોલ રોડ ખાતે ૦૨ ડમ્પર તથા ૦૧ ડમ્પર આશરે ૦૨:૩૦ કલાકે મોજે. અડાલજ ખાતે રોકી તપાસ કરતા બિનઅધિકૃત સાદીરેતી ખનીજના વહન અન્વયે ૦૨ ડમ્પર રોયલ્ટી પાસ વગર તથા ૦૧ ડમ્પર ઓવરલોડ વહન કરતા મળી કુલ ૦૩ ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે. જેમાં (૧) મોજે- મોટી ભોયણ, તા.કલોલ, જિ. ગાંધીનગર પાસેથી વાહન ડમ્પર નં- GJ-14-X-8236 ના ડમ્પર માલિક દ્વારા બિનઅધિકૃત ૩૫.૪૦ મેં.ટન રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ. (૨) મોજે- અડાલજ તા., જિ. ગાંધીનગર પાસેના બાલાપીર ચોકડી ખાતેથી વાહન ડમ્પર નં- GJ-24-X-5420 ના ડમ્પર માલિક દ્વારા બિનઅધિકૃત ૩૦.૨૯ મેં.ટન રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ. (૩) મોજે- ઓળા, તા.કલોલ, જિ. ગાંધીનગર પાસેથી વાહન ડમ્પર નં- AS-02-DC-7903 ના ડમ્પર માલિક દ્વારા બિનઅધિકૃત ૦૯.૯૦ મેં.ટન રોયલ્ટી પાસ કરતા વધુ સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ.
આમ કુલ ૦૩ વાહનોની આશરે કુલ ૯૦ લાખ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહન વાહનમાલિક વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
….
*વંદન સોલંકી*
[8/30, 6:32 PM] Neha Talaviya.Mahiti: *પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર શિહોલી મોટી, ગાંધીનગર ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના નેતૃત્વ હેઠળ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ*
*********************************
*30 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનો લાભ લીધો*
********
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લામાં એકમાત્ર કેન્દ્ર હોય,તે ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે.પટેલ સાહેબ, ગુજરાત રાજ્ય પ્રદેશના સહપ્રવક્તા-વ-પ્રાકૃતિક કૃષિ ફેડરેશન,ગાંધીનગરના પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેકમ) મેડમ સુ.શ્રી કાદમ્બરી ત્રિવેદી મેડમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાર્દિપ સતાસીયાસાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત-વ-નાયબ ખેતી નિયામક (તાલીમ)-વ-પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી પરાગભાઈ કેવડિયા સાહેબ, મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ડો. એસ.આઇ.પટેલસાહેબ, શિહોલી મોટી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પરબતજી ઠાકોર જેઓ પ્રાકૃતિક ખેતી પણ કરે છે.આ કાર્યક્રમને સંપૂર્ણ માર્ગદર્શન, વ્યાખ્યાન,પ્રાયોગિક તાલીમ, નિદર્શન અને મહાનુભાવોને તેમજ ખેડૂતોને સ્થળ ઉપર મુલાકાત સાથે પ્રાકૃતિક ખેતીની ચર્ચા વિચારણા સાથેનો તાલીમ વર્ગ નરેન્દ્ર એલ મંડીર,બી.એસસી.(એગ્રી),પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ,,પ્રાકૃતિક કૃષિ ફાર્મ (મોડેલ ફાર્મ),મુ. શિહોલી મોટી, તા.જી.ગાંધીનગર ૯૩૨૭૧૫૭૫૩૬(Wh.nu.)/૯૪૨૮૪ ૦૫૭૬૭ ખાતે યોજાયો.ખેડૂતોના અભિપ્રાય,સૂચનો, માર્ગદર્શન,ફોર્મેશન અને પ્રાકૃતિક ખેતી નું ઉત્પાદનનું વેચાણ વ્યવસ્થા માટે ગ્રેડિંગ,વેક્યુમ, પેકિંગ,વેલ્યુ એડિશન અને સાંપ્રત સ્થિતિમાં ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તમામ મહાનુભાવો અને વ્યાખ્યાતા તરફથી સારું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આગામી દિવસોમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ દ્વારા સંચાલિત આ કેન્દ્ર ગાંધીનગર ખાતે ગાંધીનગર જિલ્લાના તમામ ગામડાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પધારે તેવું આહવાન પણ કરવામાં આવ્યું.
…………
અશ્વિન ઘટાડ
[8/31, 5:43 PM] Neha Talaviya.Mahiti: *’સન્ડે ઓન સાયકલ’: રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં સાયક્લોથોન યોજાઈ*
…..
*’સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત-ગુજરાત’ ના મુખ્ય ધ્યેય સાથે નગરજનોએ વહેલી સવારે ભરવરસાદમાં LIC ગ્રાઉન્ડથી સાઇક્લોથનમાં જોડાઈ ફિટ ઈન્ડિયા’તથા વ્યસન મુક્તિનો સંદેશો પાઠવ્યો*
…….
*સાયક્લોથોનને મેયરશ્રી મીરાબેન પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું*
……
*મ્યુ કમિશનરશ્રી સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા*
…..
*સેક્ટર -૧૧ ,LIC ગ્રાઉન્ડથી સાયક્લિસ્ટોએ ભરવરસાદમાં સાયકલ ચલાવી ‘ફિટ ઈન્ડિયા’અને વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો*
….
*ગાંધીનગર મેયર શ્રી સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ નાગરિકોને જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવવા ઉત્સાહપૂર્વક રસ્સા ખેંચ માં જોડાયા*
…….
રાષ્ટ્રીય રમતગમત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સેક્ટર 11,LIC ગ્રાઉન્ડથી ‘સન્ડે ઓન સાયકલ’ સાયક્લોથોન યોજાઈ હતી, જેને ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું. .
‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત-ગુજરાત’ ના સંદેશ સાથે નગરજનોએ વહેલી સવારે ભરવરસાદમાં LIC ગ્રાઉન્ડથી ફિટ ઈન્ડિયા’તથા વ્યસન મુક્તિનો સંદેશો પાઠવ્યો હતો.
મ્યુ.કમિશનરશ્રી જે.એન વાઘેલા, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, જમીન સંપાદન અધિકારી શ્રી અર્જુનસિંહ વણઝારા સહિત મહાનુભાવો અને ડી એલ એસ ના વિદ્યાર્થીઓ, સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની તથા રમતગમત ને જીવનમાં સ્થાન આપવાની પ્રેરણા આપતા ઉત્સાહપૂર્વક રસ્સા ખેંચની રમતમાં સહભાગી બન્યા હતા.
……
*નેહા તલાવિયા*
[8/31, 9:42 PM] Neha Talaviya.Mahiti: *કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે શિસ્તપ્રિય આચાર્ય શ્રી મહાશ્રમણજીના આશિષ મેળવ્યા*
.…..
*શ્રી અમિત શાહે આચાર્ય શ્રીને પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા બાદ વિવિધ વિષયો પર ચર્ચા કરી*
…….
*ગૃહમંત્રીશ્રીએ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવતી માનવ સમાજની આધ્યાત્મિક સેવા અને તેરાપંથ સમાજ દ્વારા કરવામાં આવતા વિવિધ સામાજિક ઉત્થાન કાર્યોની પણ પ્રશંસા કરી*
………
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે વર્ષ 2025 ના ચાતુર્માસનું પાલન કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથી ધર્મ સંઘના અગિયારમા શિષ્ય યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની શુભ ઉપસ્થિતિમાં આશીર્વાદ મેળવવા પહોંચ્યા હતા. મુલાકાત અંતર્ગત શ્રી શાહે આચાર્યશ્રીના નિવાસસ્થાને પહોંચી અને આચાર્યશ્રીને વંદન કરી શુભ આશીર્વાદ મેળવ્યા હતા
આચાર્યશ્રીએ ગૃહમંત્રી સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. જેમાં આચાર્યશ્રીએ જૈન આગમ, સાધુચાર્ય, અહિંસા યાત્રા અને તેના ત્રણ સૂત્રો – સદ્ભાવના, નૈતિકતા અને વ્યસન મુક્તિ વિશે પણ માહિતી આપી.ગૃહમંત્રીશ્રીએ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવતી માનવ સમાજની આધ્યાત્મિક સેવા અને તેરાપંથ સમાજ દ્વારા કરવામાં આવતા વિવિધ સામાજિક ઉત્થાન કાર્યોની પણ પ્રશંસા કરી હતી.
આ મુલાકાત અંતર્ગત તેમણે પ્રાકૃત ભાષાને ભારતની શાસ્ત્રીય ભાષા તરીકે પસંદ કરવામાં આવી હોવાનો અહેવાલ રજૂ કર્યો અને તેરાપંથ ધર્મ સંઘ દ્વારા કરવામાં આવતા આગમ કાર્યને એક મહાન કાર્ય પણ ગણાવ્યું હતું.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવે સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને જૈન સમુદાયના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
…….
*નેહા તલાવિયા*
*****************************
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ સમાચાર વિડિયો ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી: પ્રદીપ રાવલ(9824653073)
