*સુરત વેદ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ગત તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ રવિવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના ૧૭૫ થી વધુ સંતો ની પધરામણી અનુસંધાને એક ભવ્ય “પૂજનોત્સવ”નું આયોજન ગુરુકુળના સંચાલકો અને સંતો તરફથી કરવામાં આવેલ.*
*આ ભવ્ય પુજનોત્સવ પ્રસંગે શ્રી ગુજરાતી બ્રહ્મસમાજ હૈદરાબાદ સિકંદરાબાદ ના અધ્યક્ષ શ્રી તરુણભાઈ મહેતા ને પણ ઉપસ્થિત રહેવાનો લાભ મળેલ. સાંજના ચાર વાગ્યા પહેલાથી ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો નું આગમન ચાલુ થઈ ગયેલ. સ્થાનિક હરિભક્તો અને પ્રજાજનો ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ નું મંગલાચરણ થઈ ગયેલ. ક્રમબદ્ધ સૈા સંતો ના આશીર્વચન અને અને યજમાનો ને આશીર્વચન આપવામાં આવેલા. ૧૭૫ ઉપરાંતના હાજર સંતોનુ ભવ્ય સન્માન કરવામાં આવેલું.*
*હૈદરાબાદ લવ ફોર કાઉ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી જશમતભાઈ પટેલ ના આદેશ અનુસાર ટ્રસ્ટીશ્રી તરુણભાઈ મહેતાએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરતના મોટા સ્વામી પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીજીને મોમેન્ટો આપી આશીર્વાદ પ્રાપ્ત કરેલા. આ તબક્કે સુરત બ્રહ્મસમાજના શ્રી ભાસ્કરભાઈ મહેતા પણ ઉપસ્થિત હતા. ગુરુકુળના કોઠારી સ્વામી શ્રીહરીનંદન સ્વામી, શ્રીમંગલ સ્વરૂપ સ્વામી ના પણ આશીર્વાદ પ્રાપ્ત થયેલા.*
*પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીજીએ જણાવેલું કે, ગાય માટે પ્રતિદિન એક રૂપિયો બચાવી, જે રકમ એકત્રિત થાય તે ગાયોના પાલન પોષણ માટે સદ ઉપિયોગ કરી ગૌ માતા ના આશીર્વાદ પ્રાપ્ત કરવા એ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ૩૩ કરોડ દેવતાઓ આશિર્વાદ પ્રાપ્ત કર્યા બરાબર છે. આ શીખ બાળકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ છે.*