બાબરખડક ગામે ખાનગી જમીનમાં પુરાણના નામે કેમિકલ્સ નાખવામાં આવતા જીપીસીબીના અધિકારીએ જમીન માલિક અને કેમિકલના કરનારા સામે પોલીસમાં ફરિયાદ કરતા ચકચાર
વાપી જીઆઇડીસીમાં આવેલી અનેક કંપનીઓ કંપનીમાંથી ઉત્પાદન થયા બાદ નીકળતા કેમિકલને જાહેરમાં છોડવા અંગે બાજ આવતી નથી જેનુ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે કપરાડા તાલુકાના બાબરખડક ગામે એક ખાનગી જમીનમાં માલિકે એ પોતાની જમીનમાં ખાડો પુરવા માટે પુરાણ કામ શરૂ કર્યું હતું પરંતુ માટીના સ્થાને અહીં રંગીન અને પીએચ ધરાવતો કેમિકલ જતો નાખવામાં આવી રહ્યો હતો આ અંગેની જાણકારી સ્થાનિકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં કરવામાં આવતા આખરે તેમને અધિકારી સ્થળ પર આવીને કેટલાક સેમ્પલ મેળવ્યા હતા અને તે બાદ પર્યાવરણને નુકસાન અને હાનિ થાય તેવા પ્રકારનું કેમિકલ અહીં રાખવામાં આવી રહી હોવાનું બહાર આવતા આખરે જીપીસીબીના અધિકારીએ જમીન માલિક અને અહીં કેમિકલ લાવીને નાખનારા સામે નાનાપોંઢા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
કપરાડા તાલુકાના બાબરખડક ગામે સર્વે નંબર 518 વાળી જગ્યા જેમાં માલિક નઝરમીયા અલ્લારખ્ખુ શેખ દ્વારા તેની જમીનમાં ખાડો હોવાને લઇ તેનું પૂરણ કામ કરવા માટે કોઈ સાજીદ નામના ઈસમ નો સંપર્ક કરીને તેનું પૂરણ કામ શરૂ કર્યું હતું પરંતુ અહીં માટી નાખવા સ્થાને સાજીદ દ્વારા કાળા રંગનું કેમિકલ કેટલા પ્લાસ્ટિકના થેલામાં ભરીને અહીં રાખવામાં આવી રહ્યું હતું આ અંગેની જાણ કેટલાક જાગૃત નાગરિકોની થતા તેમણે આ સમગ્ર બાબતે વાપી જીપીસીબી કચેરીમાં જાણકારી આપી હતી જેને લઇને જીપીસીબીના અધિકારી અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી જમીનમાં નાંખવામાં આવી રહેલા આ કેમિકલની તપાસ કરતા કેટલાક સેમ્પલ મેળવ્યા હતા અને આ સેમ્પલમાં બહાર આવ્યું કે નાની આંખોમાં આવી રહેલું આ કેમિકલ પર્યાવરણને નુકશાન કર્તા છે અને તેના પીએચ અને રંગવાળું આ કેમિકલ આસપાસના વિસ્તારને પણ હાનિકારક હોવાનું બહાર આવ્યું હતું જેને લઇને પર્યાવરણ વિભાગના વૈજ્ઞાનિક અધિક્ષક શૈલેષભાઈ પટેલ દ્વારા નાનાપોઢા પોલીસ મથકમાં જમીન માલિક નઝરમીયા અલ્લારખું શેખ તેમજ અહીં કેમિકલ નાખનારા સાજીદ નામના ઈસમ સામે પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી હતી આ અંગે નાનાપોઢા પોલીસે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ સાત-આઠ 15 અને 16 તેમજ આઈપીસીની કલમ 185, 268 અને 114 અન્વયે ગુનો નોંધી હાલ આ સાજીદ નામના ઇસમની શોધખોળ શરૂ કરી છે.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ કપરાડા તાલુકાના કોઠાર ગામે પણ કેમિકલ કચરો નાખવામાં આવી રહ્યો હતો જંગલ વિભાગના અધિકારીઓએ છાપો મારીને તપાસ ચલાવી હતી જો કે જે બાદ આ અંગે પણ ફરિયાદ થતાં ઉહાપોહ મચ્યો હતો મહત્વનું છે કે બાબરખડક ગામે જ્યાં આ જમીન આવેલી છે અને જ્યાં આ કેમિકલ કરવામાં આવી રહ્યું છે એની નજીકમાં જ પ્રાથમિક શાળા પણ આવેલી છે જ્યાં અનેક ભૂલકાઓ અભ્યાસ અર્થે આવે છે ત્યારે આ કેમિકલની સીધી અસર એમને પણ થઈ શકે એમ છે શું પોતાના અંગત સ્વાર્થ માટે જમીનમાં કેમિકલ નાખી પર્યાવરણ અને આસપાસના લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા યોગ્ય કહી શકાય ?
હાલ તો આ સમગ્ર બાબતને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે તો બીજી તરફ પોલીસ ફરિયાદ થતાની સાથે જ અહીં કેમિકલ રાખનારાઓ પોતાનો બચાવ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.